Opinion Magazine
Number of visits: 9456438
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેના દિવસો પૂરા થઈ ગયા એનો હાથ છોડી દો, ઊગતા સૂરજની પૂજા કરો

રમેશ ઓઝા|Opinion - Opinion|2 March 2025

રમેશ ઓઝા

હજુ તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન પ્રમુખ તરીકે સોગંદ પણ નહોતા લીધા અને તેઓ તેમની ટીમની રચના કરતા હતા ત્યારે તેમની ટીમના માણસોની પસંદગી જોઇને લંડનના ‘ગાર્ડિયન’ નામના અખબારે કહ્યું હતું કે અમેરિકન વિદેશનીતિમાં કલ્પના બહારનાં પરિવર્તનો થાય અને દુનિયામાં નવાં સમીકરણો રચાય તો આશ્ચર્ય નહીં પામતા. એ લેખમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા ચીન અને રશિયાની નજીક જઈ શકે છે અને કદાચ એ ત્રણ દેશો વચ્ચે ધરી પણ રચાઈ શકે છે. એ લેખમાં આવી એક શક્યતા પાછળનાં કારણો આ મુજબ આપવામાં આવ્યાં હતાં.

પહેલું કારણ તો એ કે અમેરિકાએ લાખ પ્રયત્નો કર્યા હોવા છતા, પોતાને અનુકૂળ દુનિયા રચવા અબજો ડોલર્સ ખર્ચ્યા હોવા છતાં, વિશ્વબેંક અને નાટો (નોર્થ એટલાન્ટીક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) જેવી નાણાંકીય અને વિદેશનીતિ તેમ જ સંરક્ષણને લગતી સંસ્થાઓ પર કાબૂ જમાવ્યો હોવા છતાં, દાયકાઓ સુધી વૈશ્વિક વર્ચસ જમાવ્યું હોવા છતાં આજની વાસ્તવિકતા એ છે કે દુનિયા અમેરિકાના હાથમાંથી સરકી ગઈ છે. એ સરકી ગયેલું વિશ્વ જો અમેરિકા નજીકના ભવિષ્યમાં પાછું કબજે કરી શકે એમ ન હોય તો ડહાપણ એમાં છે કે વાસ્તવિકતાનો સ્વીકાર કરે. જે કામના નથી અને કામમાં આવી શકે એમ નથી તેની સાથે શું કામ બેસવું? પાંચ-સાત દાયકા જૂની અમેરિકન નીતિનો બોજો લઈને શા માટે જીવવું?

ડોનાલ્ડ ટૃમ્પ

જેની કલ્પના પણ ન થઈ શકે એવો નિર્ણાયક વળાંક આવી શકે છે એનું બીજું કારણ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ ઢોંગ કરવામાં માનતા નથી અને જૂઠું બોલતા શરમાતા નથી. માનમર્યાદા કે સાતત્ય સાથે તેને કોઈ લેવાદેવા નથી. અમેરિકાના સ્વાર્થ માટે નાગાઈ કરી શકે છે અને નાગાઈ કરવી જોઈએ એમ તે માને છે. જેના દિવસો પૂરા થઈ ગયા એનો હાથ છોડી દો, જેનો સૂરજ નજીકના ભવિષ્યમાં ઊગે એમ નથી તેને ભૂલી જાઓ અને ઊગતા સૂરજની પૂજા કરો. રહી વાત એવા કેટલાક દેશો, એવી કેટલીક પ્રજા અને એવા કેટલાક પ્રશ્નો જેના તરફ સબળ લોકોએ માનવતાથી પ્રેરાઈને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તો ટ્રમ્પ એવી કોઈ માણસાઈમાં  માનતા નથી. આ જગતમાં સો કરતાં વધુ દેશો એવા છે જે શ્રીમંત દેશોને શ્રીમંત બનાવવામાં તેનાં કરવામાં આવેલા શોષણ દ્વારા ખૂવાર થઈ ગયા છે, જગતની પોણા ભાગની પ્રજા ગરીબીમાં જીવે છે જેને શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધા પણ મળતી નથી અને પર્યાવરણ સંતુલન, કારણ વિનાની શસ્ત્રદોટ, અશાંતિ વગેરે વ્યાપક માનવીય હિતોના પ્રશ્નો છે. ટ્રમ્પ કહે છે કે માણસાઈની ઠેકેદારી શું એકલા અમેરિકાએ લીધી છે? અમે શું કામ ખૂવાર થઈએ? દરેક પોતપોતનો પ્રશ્ન ઉકેલે.

અને ત્રીજું મહત્ત્વનું કારણ માથાભારેપણું. દાયકાઓ દરમિયાન માથાભારેપણું તો અમેરિકા પણ કરતું હતું, પરંતુ અમેરિકાના એ માથાભારેપણામાં અને આજના ચીન અને રશિયાના માથાભારેપણામાં ફરક છે. અમેરિકાનું માથાભારેપણું શું કહીશું, સંવૈધાનીક હતું, ઢોંગયુક્ત હતું જ્યારે રશિયા અને ચીનનું માથાભારેપણું ઉઘાડું અને નાગું છે.

નાગાઈ કરવા માટે ચીન અને રશિયા પાસે તાકાત છે, પણ નાગાઈ રોકવા માટે અમેરિકા અને બીજા લોકશાહી દેશો પાસે તાકત છે ખરી? આ લાખ રૂપિયાનો સવાલ છે અને અહીં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુરોગામી શાસકો વચ્ચે ફરક છે. ટ્રમ્પના પુરોગામી શાસકો એમ માનતા હતા કે મૂળભૂત લઘુતમ સભ્યતામાં માનનારા લોકશાહી દેશોએ આપસમાં સહયોગ કરવો જોઈએ અને ચીન-રશિયાની નાગાઈ ખાળવી જોઈએ. મોકળા વિશ્વએ (ઓપન સોસાઈટી) એ બંધિયાર વિશ્વનો સાથે મળીને મુકાબલો કરવો જોઈએ. જો બાયડન સુધી અમેરિકન શાસકો આવી નીતિ અપનાવતા હતા. જો કે આમાં અમેરિકા ઈમાનદાર હતું એવું નથી. જગતના લગભગ તમામ તાનાશાહોને અમેરિકાનો ટેકો મળતો રહ્યો છે. ભારત કરતાં પાકિસ્તાન હંમેશાં અમેરિકાને વહાલું લાગ્યું છે. પણ એકંદરે અમેરિકન શાસકો ચીન-રશિયાનો મુકાબલો કરવાના ઉપાય શોધતા હતા.

આનાથી ઊલટું ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આપણે પણ નાગા શું કામ ન થઈ જઈએ? તાકાત મહત્ત્વની છે અને જો તાકાત લાજશરમ છોડીને નાગાઈ કરવાથી મળતી હોય તો કરવી જોઈએ. નૈતિકતાનાં-સભ્યતાનાં વસ્ત્રો ફગાવી દેવાનાં એ કોઈ ચામડી થોડી છે જે અંગથી જુદી ન પડી શકે! વસ્ત્ર માત્ર ફગાવી શકાય અને પહેરી શકાય. ટ્રમ્પ નાગાઈનાં વસ્ત્રો ધારણ કરવામાં માને છે.

યુરોપ આર્થિક અને લશ્કરી રીતે વસૂકી ગયેલો પ્રદેશ છે. નાટો શીતયુદ્ધનો બોજો છે. લોકતંત્ર, કાયદાનું રાજ, જવાબદાર શાસન વગેરે દોડમાં પાછળ ધકેલનારાં તત્ત્વો છે, બોજારૂપ છે. પાંચમાં પૂછાવા માટે અમેરિકા શું કામ ખુવાર થાય? જેનું ભવિષ્ય પૂરું થઈ ગયું છે અને જેનું ભવિષ્ય નજરે પડતું નથી અથવા જેનું ભવિષ્ય નિશ્ચિત નથી તેને સાથે રાખીને શા માટે ફરવું? જો એમ કરતાં રહીશું તો ઝડપથી બદલાઈ રહેલા વિશ્વમાં અમેરિકાનું ભવિષ્ય પણ પૂરું થઈ જશે. માટે જેનો વર્તમાન છે અને લાંબુ ભવિષ્ય છે તેની સાથે દોસ્તી કરવા માંડો. એ કેવા છે એ મહત્ત્વનું નથી. એ શક્તિશાળી છે એ મહત્ત્વનું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા એને હજુ તો બે મહિના પણ થયા નથી, ત્યાં ફરક નજરે પડવા માંડ્યો છે. ગણતરી બહુ સ્પષ્ટ છે. ચીન, રશિયા અને અમેરિકા એમ ત્રણેય જો આ નવા વિશ્વમાં નાગાઈ અને માથાભારેપણું અપનાવે તો જગતના દેશો જશે કોની પાસે? હજુ જો કે ચીનને ટ્રમ્પે બાથમાં લીધું નથી, પણ એવી શક્યતા નજરે પડી રહી છે. ત્રણ ખૂંટિયા સાથે મળીને ખેતર પર કબજો જમાવે તો બીજા પશુ એમાં પ્રવેશવાની હિંમત કરે ખરા?

આમાં ભારત ક્યાં? આ બીજો લાખ રૂપિયાનો સવાલ છે. ટ્રમ્પ આપણા જેવો છે અને દોસ્ત છે એની કિંમત કોડીની પણ નથી એનો અનુભવ તો નરેંન્દ્ર મોદીને વોશિંગ્ટનમાં થઈ ચૂક્યો છે. જો ઉપરનું અનુમાન સાચું નીવડે અને ‘ગાર્ડિયન’ના અનુમાન મુજબ અમેરિકા ચીનને પણ બાથમાં લે તો નરેન્દ્ર મોદીના ભાઈબંધે ભારત સાથે કરેલો અભૂતપૂર્વ વિશ્વાસઘાત હશે. આવી શક્યતા ક્ષિતિજે નજરે પડી રહી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 માર્ચ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—278

દીપક મહેતા|Opinion - Opinion|1 March 2025

હિન્દુસ્તાનનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક સ્ત્રીબોધ           

૧૮૫૭ના વરસની ત્રણ યાદગાર ઘટનાઓ કઈ? ઘણાખરાને પહેલી ઘટના તો તરત યાદ આવશે : અંગ્રેજો જેને સિપાઈઓનો બળવો કહેતા અને આપણે જેને પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ તેની શરૂઆત ૧૮૫૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે થયેલી. જેઓ શિક્ષણ સાથે સંકળાયેલા હશે તેમને બીજી ઘટના પણ યાદ આવશે : યુનિવર્સીટી ઓફ બોમ્બેની સ્થાપના. પણ ત્રીજી ઘટના? આજે ભાગ્યે જ કોઈને યાદ આવશે. કારણ તવારીખમાં, ઇતિહાસની ઝીણી ઝીણી વિગતોમાં આપણને ઝાઝો રસ નથી. આપણને તો ગમે છે ‘ભવ્ય ભૂતકાળ’નાં ગુણગાન ગાવાનું. તો ત્રીજી ઘટના તે એ કે ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે મુંબઈથી શરૂ થયું ગુજરાતી માસિક ‘સ્ત્રીબોધ.’ 

પહેલો અંક, જાન્યુઆરી ૧૮૫૭

હા જી. અમને ખબર છે. ઘણા વાચકો મનમાં, અને કેટલાક તો મોટેથી પણ, બોલશે : ‘લ્યો! આ તો ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર! અને પાછું નામ તો જુઓ : ‘સ્ત્રીબોધ.’ હા, એ હતું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું ગુજરાતી માસિક. એ હતું સ્ત્રીઓ માટેનું આખા હિન્દુસ્તાનનું પહેલવહેલું માસિક. (એક આડવાત : થોડા દિવસ પહેલાં એક મિત્રે પૂછેલું કે તમે મોટે ભાગે ‘ભારત’ને બદલે ‘હિન્દુસ્તાન’ કેમ લખો છો? જવાબ : કારણ રાજકીય ભૂગોળની દૃષ્ટિએ આજના ભારત કરતાં ૧૯૪૭ પહેલાંનું ‘હિન્દુસ્તાન’ ઘણું મોટું હતું. એ વખતે તેમાં આજના પાકિસ્તાન, બાંગલા દેશ, બ્રહ્મ દેશ, સિલોન, નેપાળ, ભૂતાન, વગેરે દેશોનો પણ સમાવેશ થતો હતો. અરે, વચમાં થોડા દાયકા તો એડન પણ મુંબઈ ઈલાકાનો એક ભાગ હતું. તો મહેરબાન કદરદાન વાચક બહેનો, મુંબઈથી ગુજરાતીમાં પ્રગટ થયેલું માસિક ‘સ્ત્રીબોધ’ તે આખા હિન્દુસ્તાનનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક.

પારસી કન્યા શાળા, ૧૮૭૦

બીજાં અનેક ક્ષેત્રોની જેમ આ ‘ચોપાનિયું’ (એ વખતે સામયિક માટે વપરાતો શબ્દ) પ્રગટ કરવાની પહેલ પણ મુંબઈના પારસી બિરાદરોએ કરી હતી. ૧૯મી સદીમાં સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં તો મુખ્યત્ત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ ચાણાક પારસીઓની નજરમાં એ વાત તરત આવી ગઈ કે સુધારાની પ્રવૃત્તિમાં સ્ત્રીઓને પણ નહિ સમાવી લઈએ તો એ પ્રવૃત્તિ બહુ ઊંડાં મૂળ નાખી નહિ શકે. અને સ્ત્રીઓને સમાવવા માટેનું પહેલું પગથિયું તે છોકરીઓને ભણાવવી-ગણાવવી. એટલે મુંબઈ શહેરમાં – અને બીજે પણ – કન્યા કેળવણીમાં પહેલ પારસીઓએ કરી. પણ ભણ્યા પછી, કદાચ ઘર-સંસાર માંડ્યા પછી – છોકરીઓની કેળવણીને કાટ ન લાગે તે માટે શું કરવું? તેમને ગમે, તેમને ઉપયોગી થાય, તેમને માર્ગદર્શન મળી રહે એવું વાંચવાનું સતત આપતા રહેવું. તો એ માટે શરૂ કર્યું માસિક ‘સ્ત્રીબોધ.’

એ શરૂ કરવા માટે પહેલાં તો એક મંડળી સ્થાપી. તેના સભ્યો હતા ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામાજી, સોરાબજી શાપુરજી બંગાળી, અને બેહરામજી ખરશેદજી ગાંધી. પહેલા સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા અને પછી જજ નાનાભાઈ હરિદાસ. જરા વિચાર કરો : એ વખતે દેશમાં માંડ એક ટકો સ્ત્રીઓ સાધારણ વાંચી-લખી શકતી. દેશમાં નહોતી વીજળી આવી. વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. ગુજરાતી ભાષાનું પહેલ વહેલું સામયિક ‘વિદ્યાસાગર’ ૧૮૪૦માં પ્રગટ થયેલું. તે પછી બીજાં બે-ત્રણ ‘ચોપાનિયાં’ પણ શરૂ થયેલાં. એવે વખતે ફક્ત સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો વિચાર પણ થાય તેમ નહોતું. પણ ખોટ જાય એ ભરપાઈ કેમ કરી કરવી? ડોસાભાઈ ફરામજી કામાજી આગળ આવ્યા. કહે : ‘ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું ચલાવવા માટે પહેલાં બે વરસ સુધી હું દર વરસે ૧,૨૦૦ રૂપિયા આપીશ.’ હા જી. તમે કહેશો કે અરે રે! એમાં તે કઈ મોટી ધાડ મારી! પણ સાહેબ, એ વરસ હતું ૧૮૫૭નું, જ્યારે દેશમાં એક તોલો સોનાનો ભાવ હતો (આજના) રૂપિયા ૧૯. એટલે કે લગભગ ૬૩ તોલા સોનું ખરીદી શકાય એટલી રકમ દર વરસે થઈ.

અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે ‘સ્ત્રીબોધ’નો પહેલો અંક બહાર પડ્યો. લખાણનાં વીસ પાનાં. ઉપરાંત ચિત્રોનાં પાનાં. બધાં ચિત્રો લંડનમાં છપાવતા. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકાય એ હેતુથી એક વરસનું લવાજમ રાખેલું એક રૂપિયો! પહેલા અંકની ૧,૧૦૦ નકલ છાપીને મફત મોકલેલી. સાથે જણાવેલું કે જો લવાજમ ભરવા ન માગતા હો તો તમારે ખર્ચે આ અંક પાછો મોકલશો! જે લોકો નકલ પાછી નહિ મોકલે તેમને ગ્રાહક ગણી લેવામાં આવશે અને તેમણે એક રૂપિયો મોકલી દેવો. લવાજમ બીજા અંકથી શરૂ થયેલું ગણાશે. પહેલા અંકના દિબાચા(પ્રસ્તાવના)માં કહ્યું હતું કે આ ચોપાનિયું વાંચનારીઓને લાયકનું તથા દિલપસંદ કરવા સારુ તેમાં જ્ઞાનનો વધારો કરનારી તથા નિર્દોષ રમૂજ આપનારી બાબતો સાદી ભાષામાં અને કવિતોમાં લખવામાં આવશે અને તે બધું વધુ સારી રીતે સમજ પાડવા સારુ તેમની સાથે કેટલાંક અચ્છાં ચિત્રો દર વખત આ ચોપાનિયામાં દાખલ કરવામાં આવશે. અને તેને શોભીતું તથા સદ્દગુણો વધારનારું કરવાને મહેનતની કશી કસર કરવામાં આવશે નહિ. અંકમાં છેલ્લે કવિ દલપતરામે ‘સ્ત્રીબોધ’ માટે ખાસ લખેલાં ગરબા/ગરબી છાપ્યાં છે. દલપતરામે એક ગરબીમાં પારસીઓ માટે કહ્યું છે : ‘એ તો હેમ જડેલા હીરા છે.’ 

પહેલા વરસના છેલ્લા અંકમાં આખા વરસનો હિસાબ છાપ્યો છે. લવાજમની આવક ૧,૧૯૭ રૂપિયા અને વાર્ષિક દાનની રકમ ૧,૨૦૦ રૂપિયા. તેની સામે વાર્ષિક કુલ ખરચ ૨,૦૨૨ રૂપિયા, ૧૩ આના, એક પાઈ. (એ વખતે દેશમાં રૂપિયા, આના, પાઈનું ચલણ હતું.) પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું. પણ ત્રીજા વરસથી દાનની રકમ બંધ થઈ. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનજી સાહેબના ત્રણ દીકરાઓએ આ પ્રેસ શરૂ કર્યું હતું. આ પ્રેસના માલિકોને ‘સ્ત્રીબોધ’ સોંપી દેવાનું (વેચી દેવાનું નહિ) નક્કી થયું. તંત્રીઓ બદલાતા રહ્યા. ચોપાનિયું ચાલતું રહ્યું. પણ રગશિયા ગાડાની જેમ. 

કેખુશરો કાબરાજી

એમાં નવું જોમ આવ્યું જ્યારે પ્રખ્યાત પત્રકાર, નાટ્યકાર, લેખક, સમાજ સુધારક, કેખુશરો કાબરાજી (૧૮૪૨-૧૯૦૪) ૧૮૬૩માં તેના તંત્રી બન્યા ત્યારથી. વચમાં થોડાં વરસ બાદ કરતાં જિંદગીના અંત સુધી તેઓ ‘સ્ત્રીબોધ’ના તંત્રી રહ્યા. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શીરીન, પછી કાબરાજીનાં પુત્રવધૂ પૂતળીબાઈ, અને પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં. કાબરાજીએ વાચન સામગ્રી અને ચિત્રોનું વૈવિધ્ય પુષ્કળ વધાર્યું. નવી નવી ‘બાબતો’ છાપી. આજે તો કોઈ સામયિક કે અખબારને ધારાવાહિક નવલકથા વગર ચાલતું નથી. આ રીતે ધારાવાહિક નવલકથા છાપવાની શરૂઆત કાબરાજીએ કરી. ૧૨૦ પ્રકરણની તેમની પહેલી નવલકથા ‘ભોલો દોલો’ ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ સુધી ‘સ્ત્રીબોધ’માં છપાઈ. તેમની છેલ્લી ધારાવાહિક નવલકથા ‘સોલી શેઠની સુનાઈ’ ૧૯૦૪માં છપાઈ. તેમનું જોઈને ધીમે ધીમે બીજાં સામયિકો અને અખબારોએ પણ ધારાવાહિક નવલકથા છાપવાનું શરૂ કર્યું.

બાથા હાઈસ્કૂલ, પાંચગણી

૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપના થઈ ત્યારે કાબરાજી તેના પ્રશંસક હતા. પણ પછી ધીમે ધીમે કાઁગ્રેસ વિરોધી અને બ્રિટિશ સરકાર તરફી બની ગયા. છતાં ગાંધીજી તેમને મળવા જતા. ૧૯૪૫માં આગાખાન જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજી નબળી તબિયતને કારણે આરામ કરવા એક મહિનો પંચગણી રહેલા. ત્યાંની બાથા સ્કૂલમાં કાબરાજીનાં પૌત્રી જરબાનુને મળવાનું થયું. ત્યારે ગાંધીજીએ કહેલું : “કાબરાજી તો એડિટર હતા, અને મેં તો બધા એડિટરોની સીડી ભાંગેલી. તે વેળા મારી કિંમત હતી બદામની. ‘મહાત્મા’ તો પાછળથી થયો – એ તો બધા ઢોંગ. કાબરાજી સરકાર પક્ષના હતા પણ પાછળથી મારી ઉપર જરા પ્રસન્ન થયેલા.” પછી કહે : “એક વાર કાબરાજીની દીકરીઓએ મુંબઈમાં ‘બોલે તેનાં બોર વેચાય’ ગીત ગાયેલું તે ગીત હજી મારા કાનમાં ગણ ગણ ગણ ગણ થઈ રહ્યું છે. તે તમને આવડે છે?” સારે નસીબે જરબાનુએ વડીલો પાસેથી આ ગીત સાંભળેલું. એટલે તે જ દિવસે સ્કૂલની થોડી છોકરીઓને તૈયાર કરાવી બીજે દિવસે સવારની પ્રાર્થના સભામાં ગવડાવ્યું. ‘સ્ત્રીબોધ’ના ૧૯૪૫ના સપ્ટેમ્બર-ઓક્ટોબર અને નવેમ્બર, એમ બે અંકમાં પ્રગટ થયેલા ‘પાંચગણીમાં મહાત્માજી’ લેખમાં જરબાનુ લખે છે : “આ ગીત જે રીતે અમે ગાયું તે કાંઈ બાપુજીને પસંદ પડ્યું નહિ. કહેવા લાગ્યા કે “તે બહેનો તો સરસ ગાનારી હતી. એ ગીતનો રાગ તો ઊંચે જાય છે. પણ હું કંઈ તમારા ગાયનની ટીકા કરવા નથી માગતો.”   

પૂતળીબાઈએ તેમના જમાનાથી આગળનાં ગણાય એવાં બીજાં કામ પણ કર્યાં છે. તેની વાત આવતા શનિવારે, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 માર્ચ 2025 

Loading

बन गया विश्वगुरू क्लब !

कुमार प्रशांत|Opinion - Opinion|1 March 2025

कुमार प्रशांत

अमरीकी राष्ट्रपति डोनल्ड ट्रंप ओर भारतीय प्रधानमंत्री नरेंद्र मोदी के बीच कोई इस तरह आ खड़ा होगा, न हमने सोचा था, न इन दोनों ने. लेकिन फ्रांस के राष्ट्रपति इमैनुएल जं–मीशेल फ्रेडरिक मैक्रों ने ऐसा ही किया. इसलिए मैं चाहता हूं कि भारत की तरफ से उन्हें महावीर चक्र प्रदान किया जाना चाहिए. मैं नहीं कह रहा हूं “ भारत सरकार की तरफ़ से”, क्योंकि मैं जानता हूं कि भारत सरकार में ऐसी कूवत नहीं है. देश व सरकार में फर्क होता है; है. 

राष्ट्रपति बनते ही अंतरराष्ट्रीय राजनीति में जैसी बेसिर–पैर की आंधी बहा रहे हैं डोनल्ड ट्रंप, उसकी हवा जिस तरह मैक्रों ने निकाली है वैसी न किसी ने अब तक निकाली है, न ट्रंप ने कभी ऐसा सोचा ही होगा. उस दिन व्हाइट हाउस में, दोनों राष्ट्रपति साथ बैठ कर प्रेस को संबोधित कर रहे थे आौर ट्रंप बगैर हिचक के वह सब अनाप–शनाप कहे जा रहे थे जैसा उनके अलावा दूसरा कोई बोल नहीं सकता है. वेकह रहे थे कि यूक्रेन की जैसी सहायता अमरीका ने की है, वैसी यूरोप ने नहीं की. यूरोप ने तो इधर–उधर कुछ दिया भर ! वे अपनी सनक में आौर  कुछ बोलते कि उनकी बगल में बैठे मैक्रों ने उनके कंधे पर हाथ रख कर उन्हें रोका: ‘ आपके पास गलत जानकारी है. मैं सही जानकारी देता हूं. अमरीका ने यूक्रेन को जो भी सहायता दी है वह सब शर्तों से बंधी, सौदे व कर्जे के रूप में है. यूरोप ने पिछले दो वर्षों में  यूक्रेन की हर संभव मदद बेशर्त की है, और आज भी हम यूक्रेन के प्रति प्रतिबद्ध हैं !’ सारी दुनिया ने यह सुना, सारी दुनिया ने यह देखा. हतप्रभ ट्रंप बगलें झांकने लगे. 

ट्रंप ने जब कहा कि युद्ध के खर्च की भरपाई यूक्रेनको करनी होगी, तो मैक्रों ने फिर दखल दी और कहा: ‘ हमलावर तो रूस है. भरपाई उसे करनी होगी.’ यूक्रेन का क्या होगा, ट्रंप उसे कहां तकनिचोड़ेंगे, यह सब वक्त ही बताएगा लेकिन मैक्रों ने व्हाइट हाउस में, ट्रंप के बगल में बैठ कर उनकी पोल जिस तरह खोली, उसके लिए उन्हें महावीर चक्र मिलना ही चाहिए. 

अमरीका इन दिनों सब दूर छाया हुआ है. यही तो ट्रंप का वादा भी था. कोई जादूगर जैसे हैट से खरगोश निकाल देता है; और यह जानते हुए भी कि यह खरगोश हैट से नहीं, हैट के पीछे छिपे हाथ की सफ़ाई से निकला है, हम हैरान रह जाते हैं; ठीक वैसे ही ट्रंप के खरगोश लगातार बाहर आ रहे हैं और उनकी सच्चाई जानते हुए भी कभी हम, तो कभी वो हैरान रह जाते हैं. मुझे पता नहीं है कि ट्रंप साहब नेयह कला ‘अपने दोस्त’ से सीखी है या दोस्त ने उनसे लेकिन जुगलबंदी ऐसी गजब की है कि दोनों गुरूभाई मालूम देते हैं. विश्वगुरू ने विश्वदादा को सिखलाया है कि विश्वदादा ने विश्वगुरू को, यह पहेली हैजिसे वक्त ही सुलझाएगा.

ट्रंपसाहबनेअचानकयहशिगूफाउड़ायाकिउनसेपहलेजोवहांराष्ट्रपतिथे, उन बाइडन साहब ने कोशिश की थी कि भारत नरेंद्र मोदी को नहीं, किसी दूसरे को प्रधानमंत्री चुने. भारतीय राजनीति मेंविदेशी हाथ !! एकदम सनसनीखेज खबर एकदम शीर्ष से आई, तो भक्तों को उसे हाथोहाथ लेना ही था. ट्रंप साहब ने यह कहा ही नहीं, इसका ठोस प्रमाण भी दिया कि यूएसएड नामक संस्थान ने 21 मीलियन डॉलर की रकम भारत में झोंकी थी ताकि चुनाव में अधिकाधिक मतदाता मतदान केंद्रों तक लाए जा सकें. अमरीकी राज्य मियामी की एक सभा में बोलते हुए उन्होंने कहा : “ आख़िर हमें क्या पड़ीहै कि हम भारत में मतदाताआों की संख्या बढ़ाने के लिए 21 मीलियन डॉलर खर्च करें ? बाप रे, 21 मीलियन डॉलर !! मेरा अनुमान है कि वे कोई ऐसा झोल करने में लगे थे कि भारत में कोई दूसरा आदमी चुना जाए.” 

आप ध्यान दें कि विश्वगुरू व विश्वदादा जब भी ऐसी कोई युग परिवर्तनकारी घोषणा करते हैं तब मंच सार्वजनिक सभा का होता है, और मुद्रा उस अनाड़ी शिकारी की होती है जो यहां–वहां, इधर–उधर, दाएं–बाएं तीर चलाता जाता है कि कोई तो, कहीं तो निशाने पर लगेगा ! ट्रंप साहब के इस वक्तव्य में कितने तीर, कितनी दिशाआों में फेंके जरा इसका अंदाजा कीजिए : बात इस तरह कही गई कि ऐसालगा कि उनके प्रतिद्वंद्वी जो बाइडन साहब ने यूसएसएड नाम का कोई निजी संस्थान बना रखा था ( पीएम केयर फंड !) जिससे पैसे फेंक कर वे दुनिया की राजनीति को मुट्ठी में करना चाहते थे. तो पहलानिशाना यह कि जो बाइडन अपने देश को, अपने कानूनी प्रावधानों को धोखा देने वाले घटिया आदमी थे; दूसरा यह कि वे इन पैसों के बल पर दूसरे देशों के चुनावों में टांग अड़ाते थे; तीसरा यह कि वे भारतमें नरेंद्र मोदी की जगह कोई दूसरा आदमी आगे लाना चाहते थे – “ लेकिन देखो भाइयो, मैंने बाइडन का वह सारा खेल मटियामेट कर दिया ! नरेंद्र मोदी, समझ लो, मैंने, डोनल्ड ट्रंप ने तुमको ऐसे षड्यंत्र काजाल काट कर, फिर से गद्दी पर बिठाया है ! 

यहसफेदझूठहै. वह आदमी यह कह रहा है जिसे मालूम है कि यूएसएड संस्थान बाइडन के राष्ट्रपति बनने से बहुत पहले से बना व चल रहा वह संस्थान है जो दुनिया भर में, दुनिया भर के दान–धंधेकरता है. 1961 में राष्ट्रपति केनेडी ने फॉरेन असिस्टेंस एक्ट पारित किया था जिसमें से यूनाइटेड स्टेट्स एजेंसी फॉर इंटरनेशनल डेवलपमेंट ( यूएसएड) बना. ट्रंप को भी आौर हमें भी मालूम है कि अमरीकाकी सरकारें, आौर दुनिया की सरकारें ऐसे सारे धर्मादा कार्य अपने संकीर्ण राजनीतिक ध्येय हासिल करने के लिए करती हैं. उसमें ‘धर्म’ कम–से–कम, ‘मर्म’अधिक–से–अधिक होता है. ट्रंप साहब को ज़रूरबताया गया होगा कि 1954 में भारत के साथ अमरीका का पीएल 480 का समझौता हुआ था जिसे ‘फूड फॉर पीस’ कहा गया था. इस समझौते के तहत भूख की बंदूक में अनाज की गोली भरी गई थी. लंबे समय तक वह गोली खाते–खाते हम यह समझ सके थे कि कैसे अनाज के माध्यम से अमरीका ने हमारी स्वायत्तता पर हाथ डाला है. तब प्रधानमंत्री लालबहादुर शास्त्री ने ‘भूखे रहेंगे पर पीएल480 काअनाज नहीं खाएंगे’ जैसा राष्ट्र–संकल्प घोषित किया था. 

1950 में इसी अमरीका की पहल पर एक सांस्कृतिक मंच बना था जिसका नाम था कांग्रेस फॉर कल्चरल फ़्रीडम. यह मंच बना आौर देखते–देखते दुनिया के कोई 40 देशों में काम भी करने लगा. सांस्कृतिक स्वतंत्रता के संवाहक व संरक्षक का मुखौटा लगाए इस मंच से, उस दौर की, दुनिया की तमाम विशिष्ठ हस्तियां जुड़ गई थीं. हमारे जयप्रकाश नारायण इसकी भारतीय शाखा ने मानद अध्यक्ष थे. फिर पर्दाफाश हुआ कि यह साम्यवादी प्रभाव को काटने के लिए, अमरीकी गुप्तचर एजेंसी सीआईए के धन तंत्र से संचालित वह उपक्रम है जो अमरीकी हितों के संरक्षण के लिए काम करता है. यह पर्दाफाशहुआ तो जयप्रकाश समेत सारे नामी–गरामी लोगों ने इस संस्थान से इस्तीफा दे दिया. तो बात फिर खुली कि अमरीका अपने धनबल से अपना राजनीतिक हित छीनने–खरीदने का काम करता आया है. लेकिन यहां जिस 21 मीलियन डॉलर की बात ट्रंप ने की आौर भक्तों ने जिसे कांग्रेस से जोड़ दिया दरअसल वह रकम बांग्लादेश में चुनावी प्रक्रिया को लोकप्रिय बनाने के लिए भेजी गई थी. भारत का या कांग्रेसका उससे कोई नाता नहीं था. यह बात ट्रंप को भी पता थी लेकिन ऐसे जुमले भारत में ही नहीं, अमरीका में भी राजनीतिक काम करने के काम आते हैं. इसलिए ट्रंप ने झूठ की गोली दाग दी. भूख, बीमारी, अशांति, युद्ध, प्राकृतिक आपदा, विशेष अध्ययन व शोध जैसे शीर्षकों की आड़ में अधिकांशत: ऐसे अधार्मिक धार्मिक कार्य किए जाते हैं. इसलिए ट्रंप जो कह रहे हैं, वह उन जैसे दादा देशों की पोल खोलता है, शिकार देशों की नहीं. 

लेकिन यहां कमाल यह है कि यह बात वह आदमी कह रहा है जो खुद पिछले राष्ट्रपति चुनाव में अपना पलड़ा भारी करने के लिए नरेंद्र मोदी को मोहरा बना कर अमरी का ले गया था. अमरीका में बसे सुविधा परस्त व सांप्रदायिक भारतीयों को सम्मोहित कर, उनका वोट हासिल करने का यह शर्मनाक आयोजन था. मोदी भी वहां सहर्ष गए तथा भारतीय प्रधानमंत्री ने अमरीकी चुनाव में खुलेआम दखलंदाजीकी. इससे पहले किसी भारतीय प्रधानमंत्री ने ऐसा करने की कल्पना भी नहीं की थी. उस अमरीकी चुनाव में मोदी व ट्रंप दोनों हारे. इस हार से ही ट्रंप समझ गए मोदी–ढोल की पोल ! इसलिए इस बार उन्होंनेचुनाव में न मोदी को बुलाया, न शपथ ग्रहण में पूछा, न किसी तरह अमरीका पहुंचे मोदी का किसी अलग उत्साह से स्वागत ही किया. अंतरराष्ट्रीय राजनीति में सब कुछ ऐसा ही वक्ती होता है. 

अब ट्रंप रूस को साथ लेकर चीन को अमरीकी हितों के अनुकूल बनाने का समीकरण साधने में लगे हैं. आंतरिक मामलों के लिए उन्होंने बेलगाम मस्क को लगाम थमा दी है. अब भारत को भीअमरीका की अनदेखी न करते हुए, अपने नये समीकरण बनाने हैं जो ट्रंप–पक्षधरता की अपनी छवि के कारण भारत के लिए आसान नहीं होगा. मतलब, विश्वगुरू आौर विश्वदादा के आपसी रिश्ते में कोईविषम कोण बन सकता है. हम उस विषम कोण के लाचार शिकार बनेंगे.

(28.02.2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...232233234235...240250260...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved