હે, પ્રથમી
આ માનવે માનવતા મેલી છે,
એને બાંધ્યા છે આંખે પાટા
એ ન્યાય આપે છે,
એની મતિ મુજબ સાચા-ખોટા
એને કાને ભોંક્યા છે, ખીલા ખાલી ખોટા,
એ સાંભળે છે,
જે એ સાંભળવા માંગે છે,
ખરેખર માનવી નિષ્ઠુર થયો છે,
એણે પ્રથમી આખી
સોંપી દીધી છે દૈત્ય ને.
હા, હા, એ કાળા માથાના દૈત્યને.
એ મને કોતરી ખાય છે,
એ મારા પર અત્યાચાર આચરે છે,
હે, પ્રથમી
હું માનવતા
આ ધરા પર
કાળની સાથે નશ્વર થઈ રહી છું,
મરણ બે વેંત માથે લઈ જીવી રહી છું.
e.mail : shiyalmanish1996@gmail.com
![]()


લંડનથી પ્રગટ થતા પ્રતિષ્ઠિત ‘ધ ઇકોનોમિસ્ટ’ સામયિકના તાજા અંકમાં ડરામણી ભવિષ્યવાણી છે, “દુનિયામાં કોરોના વાઈરસની બીજી લહેર તો આવી જ નથી, કારણ કે હજુ પહેલી પૂરી નથી થઇ. અંદાજે એક કરોડ લોકો સંક્રમિત થઇ ગયા છે, અને તમે હવે મહામારીમાંથી રસ ગુમાવી દીધો છે, પણ યાદ રાખજો, કોરોનાએ તમારામાંથી રસ નથી ગુમાવ્યો.” છ મહિનામાં આપણે કોરોનાના કેદખાનાથી એટલા ત્રસ્ત થઇ ગયા છીએ કે હવે ‘નોર્મલ’ થવા લાગ્યા છીએ. ક્યાં સુધી ખોફમાં, તનાવમાં, ચિંતામાં, ડરમાં રહેવું? એની પણ એક સીમા હોય છે. માણસનું મગજ નિરંતર ખોફમાં રહેવા સર્જાયું નથી. તેણે ખોફ સાથે નોર્મલ થવું જ પડે.