‘મહાભારત’ યુદ્ધ પછી વ્યક્તિઓ અને આખું લોકતન્ત્ર અસારત્વમાં તણાવા લાગેલું. એના સર્જક વ્યાસનું વચન સાંભળવાજોગ છે : યથા યથા વિપર્યતે લોકતન્ત્રમ્ અસારત્વ, તથા તથા વિરાગો અત્ર જાયતે, ન તત્ર સંશય … વ્યાસ પોતે એ અસાર અને દુ:ખદાયી મનુષ્યજીવનને બચાવી લેવા માગતા’તા. ‘મહાભારત’ની રચના પાછળનો એમનો એ ઉદ્દેશ એટલો બધો બહાર નથી આવ્યો, પણ ખૂબ જ ધ્યાન આપવા યોગ્ય છે. કેમ કે એમાં મને જીવન અને સર્જન વચ્ચેનો એક ગર્ભિત સમ્બન્ધ છતો થતો અનુભવાય છે – સર્જક ખરેખર તો મનુષ્યનાં દુ:ખોને નીરખે છે, અનુભવે છે, ને પછી પોતાની સર્જકતાએ કરીને તેનું નિરસન કરે છે. જીવન જો પીડા છે, તો સાહિત્ય અને કલાઓનાં સર્જન તેનાં રસિકડાં નિવારણ છે.
આ કોરોના કાળે પણ મૃત્યુએ પ્રગટાવેલા અસારત્વનો અને એથી જનમેલી વ્યથાઓનો પાર નથી. મને વધારે સતાવે છે તે એ કે મૃતકનાં પરિવારજનોનું શું થયું હશે. પતિ વિનાની પત્ની કે પત્ની વિનાના પતિનું અને સન્તાન વિનાનાં માબાપનું કે મા અથવા બાપ ગુમાવી બેઠેલી દીકરી કે દીકરો કેમ કરી બેઠાં થયાં હશે ને પછી કેમની રીતે સરખાં થયાં હશે. સાચ્ચો અને સખત પ્રેમ જીવનારાં પ્રેમીઓનું શું થયું હશે? એ પ્રિયા કે એ પ્રિયનાં મન-હૃદય શી રીતે સાતા પામ્યાં હશે? સાતા પછીની એ એકલતાએ કેવુંક સ્વરૂપ પકડ્યું હશે? એમના ઘા રુઝાયા હશે? શી રીતે?
વ્યક્તિઓ અને સમગ્ર સંસારતન્ત્ર અસારત્વનો અનુભવ કરી રહ્યું છે. બધું જ મિથ્યા ભાસે છે. એક જાતનો વૈરાગ્ય ભાવ જાગે છે. ચિત્તમાં બેચૅની અને અણગમતી શાન્તતા છવાઈ જાય છે.
તેમ છતાં, જીવન તો જિવાય જ છે. એટલું જ નહીં, મૉજથી જિવાય છે. લોકો સારું સારું ખાય છે, પીએ છે. આજે ગણેશચતુર્થી છે. દેશમાં ઠૅર ઠૅર ગણેશ-સ્થાપન થયું છે. વિજ્ઞાનીઓએ ચેપથી બચવા જાતજાતનાં સૂચનો કર્યાં છે, પણ લોકો તો કશી સાડીબારી વિના ગણેશ-વિસર્જન સુધી આ ઉત્સવને ભક્તિભાવથી અને રંગેચંગે મનાવવાના જ. ઘણા તો એવા મિજાજથી કે -કોરોનાની ઍસી કે તૅસી ! લાડુ આમ તો બ્રાહ્મણોના ગણાય પણ આજે એ સૌના અને સૌને માટે મોદ-ક.
આમ, જોવા જઈએ તો, ઉત્સવો આપણા ઉત્સાહને જગવે છે, ખીલવે છે. એટલો સમય કોઈપણ જાતના સંસારી હેતુ વિના જીવી લેવાય છે. કહેવું તો એમ જોઈએ કે ઉત્સવો પેલા અસારત્વનો નાશ કરે છે …
મને આ ક્ષણે કવિ કાલિદાસનાં બે વચન યાદ આવે છે : એક એમણે એ કહ્યું છે કે ઉત્સવપ્રિયા જના: -લો કો ઉત્સવપ્રિય છે. સાચું છે, આગળ-પાછળના સંજોગો ભલે ને વિપરીત હોય, માણસમાત્રને ગાવું-નાચવું ને હસવું-કૂદવું ગમે છે. બીજું એમણે એ કહ્યું છે કે લોકોની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. એટલે ગાવા-નાચવાનું તેમ જ હસવા-કૂદવાનું પણ પ્રજાએ પ્રજાએ ભિન્ન હોય છે.
આપણને એવું લાગે કે આપણો ભારત દેશ જ ઉત્સવો ઊજવે છે. ગણેશ ચતુર્થી પહેલાં જન્માષ્ટમી તે પહેલાં રામનવમી તે પહેલાં મકરસન્ક્રાન્તિ ને તે પહેલાં દીપોત્સવી એમ ઉત્સવોનું એક નિશ્ચિત ચક્ર સદીઓથી દેશવાસીઓના મન-હૃદયમાં ગોઠવાઈ ગયેલું છે. પણ એવું નથી, વિશ્વની બધી પ્રજાઓ ઉત્સવો ઊજવે છે. હા, આપણા ઘણા ઉત્સવો દેવો સાથે જોડાયેલા છે, એટલા બીજી પ્રજાઓના નથી …

યુરપના ધ નેધરલૅન્ડ્સના મોસ્ટ પૉપ્યુલર સિટી આમસ્ટર્ડામમાં હું અવારનવાર રહ્યો છું. ૧૬૫થી પણ વધુ કનાલ્સનું આ સિટી એની નાઇટ-લાઇફ માટે જગમશહૂર છે – સારીનરસી બન્ને દૃષ્ટિએ. એ વાત ફરી ક્યારેક. પણ ત્યાં દસથી વધુ મ્યુઝિક ફેસ્ટિવલ યોજાય છે. ખૂબ લોકપ્રિય છે, ‘આમ્સ્ટર્ડામ ડાન્સ ઇવેન્ટ’. પાંચ દિવસની કૉન્ફરન્સ ને પાંચ લાખ જેટલા લોકો ધસી આવ્યા હોય છે. પ્રકાશ અને ગાયન-વાદન-નર્તન સાથે ઉલ્લાસની રેલમછેલ ઊડતી હોય છે. આ ઉત્સવને behemoth નામ અપાયું છે – કોઈ પ્રચણ્ડકાય પ્રાણી …

વર્ષમાં એક એવો ઉત્સવ છે, જેમાં ઠેકઠેકાણેથી લાખ્ખો લોકો આમ્સ્ટર્ડામમાં ભેગા થાય છે. તે દિવસે તમામ દુકાનો અને ધંધા બંધ રખાય છે. પણ નવી નવી કામચલાઉ દુકાનો રાતોરાત ઊભી કરાય છે. કેટલીક તો એવી જેમાં ચીજવસ્તુઓ, નાખી દેવાના ભાવે વેચાય છે. તમે પણ તમારી વસ્તુઓ વેચી શકો. એમાં જૂની-નવી કે વાપરેલી – ન વાપરેલીનો ભેદ જોવાતો નથી. આમ તો બાર્ગેઈન કદી થાય નહીં પણ તે દિવસે ખાસ્સી રકઝક કરી શકાય છે. વિખ્યાત ડીજે-કલાકારો સાઉન્ડ ટ્રૅકિન્ગ અને નાચગાન વડે આખા શહેરને ગજવે છે, કાનમાં ઇયર-બટ્સ નાખવાં જ પડે. લોકો – લગભગ બધા – બીયર પીએ છે. ડબલાં જેમ ફાવે એમ ફગાવી દે છે. જો કે, બીજી સાંજ સુધીમાં આમ્સ્ટર્ડામને હમ્મેશ હોય છે એવું ને એટલું સ્વચ્છ કરી લેવાય છે.
એક ઉત્સવ એવો છે, જેમાં કલાકાર વ્યક્તિ પોતાના ઘરે સ્વરચિત કે અન્યોએ રચેલાં ચિત્રોનું પ્રદર્શન ગોઠવે છે. ઘરની બહાર વાવટો ફરકાવીને લોકોને ઇન્વાઈટ કરે છે. લોકો આવે, જુએ, અભિપ્રાય આપે, ચર્ચા-ચર્ચી કરે, લખે, ફોટા પાડે, પડાવે. એક વાર એવું ઍક્ઝિબિશન અમે અમારે ત્યાં પણ યોજેલું … સ્વાગત માટે ચૉકલેટ્સ રાખવાની, જેને ખાવી હોય એ જાતે લઈ લે …
ભરપૂર ભયાનક ઍબ્સર્ડિટી વચ્ચે, વિસંગતિ વચ્ચે, એટલી જ મહાન અને શામક સંગતિ રચી લેનારા માણસના આ સ્વ-ભાવને કેવોક કહેવો? આવી ગાંડિયા જેવી પણ રીઢી મનુષ્યપ્રકૃતિને કેમ વર્ણવવી? એનો ઉત્તર એ છે કે માણસ વિસંગતિને સંગતિમાં રૂપાન્તરિત કરી જાણે છે. રડે છે પણ હસી ય શકે છે …
= = =
(August 22, 2020: Ahmedabad)
ADE : Amsterdam Dance Event.
![]()


ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ૫૦ અને ૭૦ માળનાં સ્કાયસ્ક્રેપર્સ, ગુજરાતનાં ૫ મહાનગરો ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બાંધવાની વિધિવત જાહેરાત કરી છે એ સાથે જ બિલ્ડર લોબીમાં ઘણે વખતે સળવળાટ વ્યાપી ગયો છે. એ સારી વાત છે કે ગુજરાતનાં આ પાંચ મહાનગરો ઊંચી ઇમારતોથી દુબઈ, સિંગાપોરની જેમ ગુજરાતભરમાં ઝળહળે. આ બધું જ કાગળો પર વ્યવસ્થિત રીતે પાર પડાયું છે ને કાગળો પર તો બધું નિયમો અનુસાર થયું છે ને થશે. આમ કરવા પાછળનાં ધારાધોરણો અને હેતુઓ પણ જાહેર થયાં છે ને એ મુજબ થાય તો ગુજરાતનાં આ શહેરો વિશ્વકક્ષાના આધુનિક શહેરોની જેમ ઝગમગતાં થશે એ નક્કી છે.
કવિ તુષાર શુક્લે અનેક વિષયોમાં અનન્ય કાવ્યો અને ગીતો આપ્યાં છે. પછી એ ગીત ભાષા વિશે હોય, માતૃત્વ-પિતૃત્વનું હોય, માનવ સહજ પ્રેમનું હોય કે પ્રકૃતિ ગીત. આંખોમાં બેઠેલા ચાતક, એમ પૂછીને થાય નહીં પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને જેવાં ગીતો વિનાં સુગમ સંગીતના કાર્યક્રમો અધૂરા લાગે. શબ્દો સાથે તુષારભાઈની ગાઢ મૈત્રી. તુષારભાઈની વાક્પ્રતિભા કોઈને ય પ્રભાવિત કરી શકે. વિષય ઉપર એકદમ માપસર, સીધું અને હ્રદયપૂર્વક જોડાણ થાય એવું એમનું સંચાલન કે પ્રવચન હોય. એવા આ કવિએ આકાશવાણી કાર્યક્રમ નિયામક તરીકે જોડાયા ત્યારે આ ગીત લખ્યું હતું. ત્રણ-ચાર દાયકા પહેલાંની વાત છે. આ ગીત વિશે તુષાર શુક્લ કહે છે, "કવિતા આપોઆપ સૂઝતી હોય છે. હું માનું છું કે પહેલી પંક્તિ ઉપરથી આવે છે. બાકીની કડી કવિ પછી જોડતા જાય. ચોમાસું આસપાસ…વાળી વાત કવિતામાં પહેલીવાર આવી અને મન પ્રસન્ન થઈ ગયું. બાકીની પંક્તિઓ પછી ગોઠવાતી ગઈ. યુવાનીમાં પ્રવેશેલી નાજુક નમણી કન્યાને લાગે છે કે સંયમ, લજ્જા છોડીને હવે વ્યક્ત થવું જરૂરી છે. વરસાદી વાતો તો એક આભાસ છે. પ્રેમ ખયાલોમાં ન ચાલે. છત્રી-છજાં છોડીને ભરપૂર ભીંજાવું પડે. પ્રેમ થયો હોય તો ઈચ્છા કહેવી પડે. ઈજન સ્વીકારવું પડે. આષાઢી ઉલ્લાસને હ્રદયમાં ભરી લેવા ઈચ્છતી નાયિકાનું નિતાંત લાગણીભર્યું આ ગીત છે. જો કે, મારે કહેવું જ જોઈએ કે આ ગીતમાં સ્વરાંકન અને ગાયકીની વિશેષ મજા છે. નયનેશ જાનીએ મીઠું સ્વરાંકન કર્યું છે. નિશા કાપડિયાએ તો આ ગીતને એટલું લોકપ્રિય બનાવ્યું છે કે હવે તો ઘણા કલાકારો આ ગીત ગાય છે. હવે આ ગીત અમારું નહીં, નિશાનું થઈ ગયું છે.
સ્વરકાર નયનેશ જાનીનું પણ આ મનગમતું સ્વરાંકન છે. નયનેશ જાની માત્ર સુગમસંગીતને જ સમર્પિત છે અને ૩૫ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. એમણે બહુ સરસ વાત કરી આ ગીત વિશે. "આ ગીત સૌપ્રથમ દૂરદર્શન પર ’મહેફિલ’ નામે એક કાર્યક્રમ આવતો હતો એમાં રજૂ થયું હતું. દૂરદર્શન દ્વારા ૮૦ના દાયકામાં મોટી સ્પર્ધા યોજવામાં આવી હતી. હર્ષજિત ઠક્કર રોય એના નિયામક. ૩૦૦૦ એન્ટ્રી આવી હતી જેમાંથી ૩૦૦ સ્પર્ધકો પસંદ થયા. એમાંથી ફાઈનલ રાઉન્ડમાં ૩૦ને પ્રવેશ મળ્યો. હું પણ સ્પર્ધક હતો અને ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. નિશા પણ ફાઈનલમાં આવી. ફાઈનલ રાઉન્ડ માટે મેં જ તૈયાર કરાવેલું આંખોમાં બેઠેલા ચાતક ગાવાનું એણે નક્કી કર્યું ત્યારે મને ચેતવવામાં આવ્યો કે નિશાને બીજું ગીત ગાવાનું કહો તો કદાચ તમારો નંબર લાગી જાય! પણ એ તો જાત સાથે છેતરપિંડી કરી કહેવાય. એ તો મારી બહેન સમાન એટલે મેં એને વધારે સારી રીતે તૈયાર કરાવ્યું અને નિશા પ્રથમ આવી હતી. શબ્દોને સમજી ભાવપૂર્વક ગાનારી એ કલાકાર છે. આ બહુ જ જરૂરી છે. શબ્દોને તોડી-મરડીને ગાવાથી ગીતનું કાવ્યત્વ જ ગુજરી જાય. કવિતા શું માગે છે એ તો જુઓ! ફિલ્મ સંગીતની જેમ ત્રણ મિનિટમાં ગીત પરફોર્મ કરવાની કલા હસ્તગત કરવાની જરૂર છે. આ ગીત તુષાર શુક્લે મને આપ્યું ત્યારે જ એવું ગમી ગયું કે આકાશવાણીથી પાછાં ઘરે જતાં બસમાં એનું મુખડું બની ગયું હતું. પછી તો આખું ગીત કરવાની એવી ચટપટી લાગી કે ઘરે પહોંચીને જમ્યા વિના સીધો હારમોનિયમ પર બેસી ગયો હતો.
આ ગીત સાથેની સ્મૃતિઓ સંકોરતાં ગીતનાં મૂળ ગાયિકા નિશા કાપડિયા કહે છે કે, "આ ગીત સાથે જ મારી મુંબઈમાં એન્ટ્રી થઈ. ૧૯૮૯માં કોપવૂડ સંગીત સંમેલન બહુ મોટા પાયે મુંબઈમાં યોજાયું હતું. હું ભૂજની અને ગીતના સંગીતકાર નયનેશભાઈ કલોલથી આવ્યા હતા.