લોહી લીલું લોહી નસનસમાં ફરે.
પાન બનિયાં પોપચા ને
કેશ મુજ તૃણવત્લીલાં,
આંગળીથી મૂળ ફૂટ્યાં
મન થયું માટી અને આ
પવન થઇને સૌ વિચારો ફરફરે
લોહી લીલું લોહી નસનસમાં ફરે.
કંઠમાં આવીને પંખી
હરિત કોઇ સૂર ગાવા
શબ્દ કેરાં તણખલાં લઇ
લીલછો માળો કરે
લોહી લીલું લોહી નસનસમાં ફરે
લોહી ફરે
લીલું આ લોહી ફરે
સૂર્ય સેવી વિટપ અહીં આ
શાંત જો સુખસંચરે –
નસનસ લીલું લોહી ફરે.
પ્રગટ : “પરબ”, માર્ચ 2021
![]()


વર્ષો પહેલાં (૧૯૫૯-૬૩) વડોદરાની ફાઈન આટ્ર્સ ફૅકલ્ટીના એક તેજસ્વી વિદ્યાર્થી, ‘મણિસાહેબ’(કે.જી. સુબ્રહ્મણ્યન)ના શિષ્ય અને ગુલામમોહમ્મદ શેખ, ભૂપેન ખખ્ખર વગેરેના અનુકાલીન સહાધ્યાયી મિત્ર રહેલા ચિત્રકળાકાર હારૂન ખીમાણીનું હમણાં, ૧૫મી ફેબ્રુઆરીએ કોરોનાની બિમારીમાં અવસાન થયું. ત્યારે એ એમના પુત્રને ત્યાં બોસ્ટનમાં હતા.
સંસદ અને રાજ્યોનાં વિધાનગૃહોના અંદાજપત્ર સત્રો ચાલી રહ્યાં છે એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બજેટનો માહોલ છે. શહેરી મધ્યમવર્ગને આવકવેરાની મુક્તિમર્યાદા કે શું શું સસ્તું – મોઘું થયું એટલા પૂરતી બજેટમાં દિલચસ્પી હોય છે. વિધાનગૃહોમાં પણ બજેટ પર સાર્થક ચર્ચાઓ બહુ ઓછી થાય છે; કેમ કે આર્થિક બાબતો પર ઠોસ ચર્ચા કરી શકે એવા જનપ્રતિનિધિઓની ખોટ છે. બજેટની સૂક્ષ્મ વિગતો ઉજાગર કરી તેનું વિશ્લેષણ કરનારો વર્ગ પણ બહુ સીમિત છે. એટલે જાહેર થયા પૂર્વે અંદાજપત્ર અતિગુપ્ત હોય છે અને પછીથી તે વણચર્ચ્યો આર્થિક દસ્તાવેજ બની રહે છે. આ સંદર્ભે ટ્રાન્સ્પેરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા’નો “બજેટ પ્રક્રિયામાં પારદર્શિતા” વિષયક તાજેતરનો અહેવાલ બજેટના ઘડતર અને તેની જાહેર ચર્ચા પર સારો પ્રકાશ પાડે છે. બજેટીય પારદર્શિતાના મુદ્દે કેન્દ્રીય અંદાજપત્ર ૧૦૦માંથી ૭૬ અંક મેળવીને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પરંતુ રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતા બહુ પાતળી છે. ગુજરાત રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતામાં સત્તરમા ક્રમે છે.