રાજસ્થાનના ચૂરુમાં એક ઘટના ઘટી છે. કોલસર કરીને એક ગામ. તેની એક ખાનગી શાળામાં એક વિદ્યાર્થી 7માં ધોરણમાં ભણે. બુધવારે બપોરે એક શિક્ષકે તેને એટલો માર્યો કે તે તેર વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું.
વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે તે હોમવર્ક લાવ્યો ન હતો. આ જ વિદ્યાર્થીએ અગાઉ પણ ફરિયાદ કરી હતી કે તેના શિક્ષક કારણ વગર જ માર, માર કરે છે, પણ તેની વાતને સાબિત કરવા તેણે જીવ આપવો પડ્યો છે. હોમવર્ક ન લાવવાના ગુના સબબ શિક્ષકે તેને જમીન પર અફાળી અફાળીને એટલો માર્યો કે તેના નાકમાંથી લોહી નીકળવા માંડયું ને તે બેભાન થઈ ગયો. વિદ્યાર્થીએ ભાન ગુમાવ્યું ત્યારે શિક્ષક તેને હોસ્પિટલે લઈ ગયો. ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. એ પછી જે રાબેતા મુજબ થવું જોઈએ તે થયું. શિક્ષકની ધરપકડ કરવામાં આવી અને શિક્ષણ મંત્રીએ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શાળાની માન્યતા રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. શાળા, આરોપી શિક્ષકના પિતાની છે એટલે શું થયું હશે ને શું થઈ શકે તે સમજી શકાય એમ છે.
બીજી એક ઘટના ગયા સપ્ટેમ્બરની, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક સ્કૂલની છે, જેમાં શિક્ષકે ક્લાસમાં વાતો કરતા એક વિદ્યાર્થીને ઠપકો આપ્યો તો વિદ્યાર્થીએ શિક્ષકને ક્લાસમાં જ મારવાની ધમકી આપી. સ્કૂલ છૂટી તો બાઇક પર જઈ રહેલા શિક્ષક પર એ વિદ્યાર્થી અને તેના બે મિત્રોએ ફાયરિંગ કર્યું. ગોળી શિક્ષકની છાતીને છરકાઇને નીકળી ગઈ એટલે શિક્ષકને સામાન્ય ઇજા થતાં બચાવ થયો હતો. શિક્ષકની ફરિયાદને આધારે પોલીસે વિદ્યાર્થી અને તેના મિત્રો સામે ગુનો નોંધ્યો હતો.
ત્રીજી ઘટના છે વિયેતનામની. એક વિદ્યાર્થી સ્કૂલમાંથી મોકલવામાં આવેલી વીડિયો લિન્ક મારફતે ઘરમાં જ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યો હતો. મોબાઇલને ચાર્જિંગમાં મૂકીને, ઇયરફોન લગાવીને તે અભ્યાસમાં જોડાયો હતો. અચાનક મોબાઈલ ફાટતાં તેનાં કપડાં સળગી ગયાં હતાં ને તેને હોસ્પિટલ ખસેડાયો હતો, પણ ત્યાં તે મૃત્યુ પામ્યો હતો. આમ તો ઓફલાઇન સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી, પણ કોરોનાને કારણે બાળકો અઠવાડિયામાં એક દિવસ ઘરેથી ઓનલાઈન અભ્યાસ કરે છે. 19 ઓકટોબરે, ઓનલાઈન અભ્યાસે, 11 વર્ષનાં એક બાળકનો જીવ લીધો હતો. અભ્યાસને નામે ઉપકરણોનાં બોજ અને જોખમ આપણે બાળકો પર નાખી દીધાં છે તે દુ:ખદ છે.
આ ત્રણે ઘટનાઓ શિક્ષણ સાથે સંકળાયેલી છે. ત્રણેમાં શિક્ષણ નિમિત્તે ઊભાં થતાં જોખમોની વાત છે. પહેલી ઘટનામાં રાજસ્થાની શિક્ષકની હેવાનિયત ચરમસીમાએ છે. એમ લાગે છે, જગત સંવેદનહીન બનવાની સ્પર્ધામાં છે. ચોમેર મશીનો કામ કરે છે ને પૈસા કેવી રીતે ઊભા કરી લેવાય એની હોડ બકાતી રહે છે. ક્યાં ય કોઈ લાગણી, કોઈ સંવેદના, કોઈ માનવીય અભિગમની વાત જ નથી જાણે ! આમ બન્યું છે કારણ શિક્ષક પોતે માનવીય ભૂમિકામાંથી બાદ થઈ રહ્યો છે. ખરેખર તો શિક્ષકોને અત્યારે સૌથી વધુ માનવીય શિક્ષણની જરૂર છે. શિક્ષણ હવે ધંધાનું જ બીજું નામ છે ને એમાં સરકારથી માંડીને શિક્ષકો, સંચાલકો ને બધાં જ ધંધાદારી અભિગમથી જોડાય છે ને શિક્ષણ સિવાય બીજી બધી જ બાબતોની કાળજી લેવાય છે. અતિશિક્ષણ યાંત્રિકતાને જન્મ આપે છે. વધારે ટ્યૂશન, વધારે પુસ્તકો, વધારે હોમવર્ક એટલો જ અર્થ જાણે શિક્ષણનો બચી ગયો છે ને એ બધાં પછી બને છે શું, વગર પરીક્ષાએ જ બધાંને પાસ કરી દેવાતાં હોય છે, તો પ્રશ્ન થાય કે આટલા વ્યાયામનો કોઈ અર્થ ખરો? કોઈ પણ કાળમાં હોમવર્ક ન કરવું એ એવો મોટો ગુનો નથી જ કે તેને માટે જીવ આપવો પડે. આ પહેલી ઘટના નથી. આવું રાજસ્થાનમાં જ બને છે, એવું પણ નથી. તે કોઈ પણ રાજ્ય કે શહેર કે ગામમાં બની શકે છે.
બીજી ઘટનામાં વિદ્યાર્થી, હત્યા કરવાનો મનસૂબો રાખી શિક્ષકને ગોળી મારે છે. એ તો સારું છે કે શિક્ષકને ઇજા થઈને જ વાત અટકી ગઈ, બાકી જીવ પણ ગયો હોત ! ગોળી મારનાર વિદ્યાર્થી અને તેના મિત્રો સ્કૂલમાં ભણે છે ને એટલી હિંમત રાખે છે કે શિક્ષકને ચાલુ ક્લાસે જ ધમકી આપે, એટલું જ નહીં, ધમકીનો અમલ પણ કરે છે ને આ બધાંમાં સ્કૂલ મેનેજમેન્ટની કોઈ ભૂમિકા નથી જણાતી. એકથી વધુ વિદ્યાર્થીઓ વર્ગમાં હથિયાર રાખે ને સ્કૂલને તેની ભનક પણ ન પડે એવું તો ન જ હોય. શિક્ષકને ક્લાસમાં ધમકી અપાય ને એ શિક્ષક ચૂપ રહે ને તે જ ઘડીએ કોઈ પગલાં ન લે ને વિદ્યાર્થીઓ સ્કૂલ કેમ્પસમાં જ ગોળી મારે એ કઈ હદે વાતાવરણ કથળેલું હશે એની ચાડી ખાય છે. આ બંને ઘટનાઓની ઘોર નિંદા જ કરવાની રહે ને ભારતીય શિક્ષણ કેટલી હદે માંદલું થયું છે એનો અફસોસ જ વ્યક્ત કરવાનો રહે.
ત્રીજી ઘટના અકસ્માત છે. મોબાઈલ ફાટે છે ને વિદ્યાર્થી દાઝી જવાથી મૃત્યુ પામે છે, પણ આ અકસ્માત પણ શિક્ષણ સાથે સંકળાયેલો છે. વિયેતનામમાં સ્કૂલો ખૂલી ગઈ છે ને અઠવાડિયામાં એક દિવસ ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓ લે છે. એ એક દિવસ, બાળકનું મોત બનીને આવે છે. સ્કૂલો ખૂલી ગઈ હોવા છતાં અઠવાડિયામાં એક દિવસ ઓનલાઈન શિક્ષણ આપવાનું શું કારણ હતું એ નથી ખબર, પણ કોરોનાએ વિશ્વભરમાં ઓનલાઈન શિક્ષણનો ધંધો પૂરબહારમાં ખીલવી આપ્યો છે ને એને નિમિત્તે બીજા પણ અનેક ધંધાઓનો વિકાસ થયો છે. જેમ કે, મોબાઈલ, લેપટોપ, નેટ વગેરેનો ઉપાડ ઘણા દેશોમાં વધ્યો છે. એને લીધે શિક્ષણની સ્થિતિ કેટલી સુધરી છે એ અલબત્ત ! પ્રશ્ન જ છે. ઓનલાઈન શિક્ષણને કારણે ઓનલાઈન પરીક્ષાઓ લેવાતી થઈ છે. એના સગવડ પ્રમાણે જવાબો આપવાનું પણ ક્યાંક બન્યું છે. વિદ્યાર્થીઓને એની એવી ટેવ પડી છે કે તેઓ ઓફલાઇન પરીક્ષા આપવા હવે બહુ તૈયાર નથી. ઘરેથી પરીક્ષા આપવાની સગવડે ઘણા વિદ્યાર્થીઓને વગર મહેનતે પાસ થવાની તકો પૂરી પાડી છે ને એ પછી પણ વાર્ષિક પરીક્ષાઓ લેવાય જ નહીં ને એનું મેરિટ પ્રમાણે પરિણામ પણ તૈયાર થાય તો ન ભણવાના લાભો વિદ્યાર્થી ન સમજે એટલા મૂરખ નથી.
શિક્ષણ શરૂ થઈ શકે એવા સંજોગો જ ન હતા એવામાં ઓનલાઈન શિક્ષણ એક વિકલ્પ તરીકે સ્વીકારવાનો વાંધો ન હતો, પણ હવે ઓનલાઈન શિક્ષણ બંધ થવું જોઈએ. ધારો કે હજી ક્યાંક ઓનલાઈન શિક્ષણ અનિવાર્ય બનતું હોય તો પણ, પરીક્ષાઓ કોઈ પણ સંજોગોમાં ઓફલાઇન જ લેવાવી જોઈએ. ઓનલાઈન પરીક્ષાએ વિદ્યાર્થીઓને એ માર્ગો બતાવ્યા છે જે મૂલ્યાંકનની કોઈ પ્રમાણિક બાજુ ઉપાસવતા નથી. વર્ગખંડમાં સુપરવાઇઝર્સ હોવા છતાં જો ચોરીનું પ્રમાણ ઘટતું ન હોય તો ઓફલાઇનમાં તો એ પ્રમાણ વધે એની પૂરતી સગવડો છે. જો મૂલ્યમાપનની કોઈ પણ અનિવાર્યતા આપણને જણાતી હોય તો તમામ સ્તરે ઓનલાઈન શિક્ષણ ને પરીક્ષાનું વર્ચસ્વ ઘટાડયે જ છૂટકો છે.
એ પણ સમજી લઈએ કે ઓનલાઈન શિક્ષણ ભારતમાં છેવાડાનાં ગામોમાં આજે પણ શક્ય બન્યું નથી. ત્યાં શિક્ષણની વાસ્તવિક પરિસ્થિતિ શી છે તેનો ફોડ પાડીને કોઈ કૈં કહેતું નથી. શિક્ષણ સમિતિઓમાં હોદ્દેદારો નિમાઈ જાય પછી કોઈ જવાબદારી કદાચ રહેતી નથી ને એ જ રગશિયું ગાડું શિક્ષણનું ચાલ્યા કરે છે. પગાર થતા રહે છે. ફી વધતી રહે છે ને કૈં પણ કર્યા વગર વિદ્યાર્થીઓ પાસ થતા રહે છે. વાલીઓ પોતાના નોકરી ધંધામાં વ્યસ્ત છે. બહુ થાય તો તે ફી ચોપડા આપી છૂટે છે. સ્કૂલો ફી ઉઘરાવીને કે થોડું ઘણું ભણાવીને ફરજ બજાવી લે છે. વિદ્યાર્થીઓ જાણે છે કે નહીં ભણવાથી પણ પાસ તો થવાય જ છે તો ભણીને ય શું ફેર પડી જવાનો છે?
કોઈ માઈના લાલને એ પ્રશ્ન થતો નથી કે ત્રણેક વર્ષથી 1થી 5 ધોરણના પ્રાઇમરીના વિદ્યાર્થીઓ સ્કૂલે જ જતાં નથી ને એક અક્ષર પાડ્યા વગર વિદ્યાર્થીઓ સીધા ત્રીજા ધોરણમાં આવી ગયા છે, એમ જ ઉપર સુધી સૌને ત્રણ ત્રણ વર્ષનું પ્રમોશન મળતું આવ્યું છે. પરીક્ષા વગર જ 8થી 10 સુધી ભણી જવાયું છે. એકથી ત્રણનો પાયાનો અભ્યાસ કાચો છે ને એ વિદ્યાર્થી આગળ વધતો જ જાય છે ને એની કોઈ ચકાસણી કયા સ્તરે થાય છે એની કશી વાતો બહાર આવતી નથી. પ્રાઇમરીમાં 1થી 5 ધોરણ છે કે પછી એ બંધ કરી દેવાયાં છે એની પણ કશી ખબર પડતી નથી. જાણે બધું ઠરી ગયું હોય તેમ ક્યાંય કશી સજીવતાનો અનુભવ જ નથી થતો. કોરોનાએ ઘણી લાશો પાડી એ ખરું, એમાં જે ગયાં તે તો હવે નથી, પણ જે રહ્યાં છે તે પણ છે એની ખાતરી નથી મળતી. જીવતાં ને ધબકતાં માણસો કેવાં હોય એ હવે પુસ્તકોમાંથી જાણવું પડે એવી સ્થિતિ છે ને વિચિત્રતા એ છે કે પુસ્તકો જ ભણવાના નથી ત્યાં કેમ જાણવું એ પ્રશ્ન જ છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઑક્ટોબર 2021
![]()


‘મેં કોઈ દ્રોણનું શરણ લીધું નથી, એટલે મારો અંગૂઠો સલામત છે. એકલતાની વાત મેં ગાંઠે બાંધી છે …. મારા સર્જન-લેખનમાં કોઈની સાહિત્યકૃતિનો પ્રભાવ નથી. ઈર્ષાભાવ મને ફળ્યો છે. એક ઝનૂની પ્રાણીની જેમ મેં સાહિત્યને ઘૂંટ્યું છે. મારું સાહિત્યકાર રૂપે અવતરવું એ જ તો ચમત્કાર છે, મહેનતનો ચમત્કાર … કહે છે કવિઓ જન્મે છે. અમે ય જન્મ્યા હતા, પણ કવિ તરીકે નહીં. અમે તો પાંત્રીસમાં વર્ષે કવિતા કરવાની શરૂઆત કરી …. લખ્યું છે, ઘણું વધારે લખવાનું બાકી છે. બસ એ વસવસો છે ….. પદ-પ્રતિષ્ઠા ક્યારે ય ઝંખનામાં આવ્યા નથી. ઈનામ-અકરામ માટે લખતો નથી …… સમાજનો ઇતિહાસ-સાચો ઇતિહાસ લખવો છે. દલિત સાહિત્યધારા કાયમી રહે એવી ઇચ્છા છે …. બ્રાહ્મણો આવે તે પોતાની કથા લખે, પટેલો પોતાની લખે, ચૌધરીઓ પોતાનું લખે, તો પછી દલિતો પોતાનું લખે જ ને. મને લખ્યા વિના જંપ નથી વળતો …. બધું રાબેતા મુજબ ચાલતું યુવાનીમાં ય. જે કંઈ ઘટ્યું સાહજિક હતું એ વખતે. આજે ભયંકર – અતિ ભયંકર લાગે છે … ૧૯૬૯ના કોમી હુલ્લડોમાં વહેતું લોહી, ૧૯૭૨-૧૯૭૪નાં રોટીરમખાણો. ૧૯૮૧ના અનામતિયા હુલ્લડ, ૧૯૮૫, ૧૯૯૦, ૧૯૯૩ના કોમી હુલ્લડોનો એક ભાગ હતો હું. આ બધાથી મારામાંનું લલિત સાહિત્ય છૂટ્યું …… લેખન-સાહિત્ય સમાજનો ભાગ છે. સમાજ, વ્યક્તિ છે તો કલા છે. કલા છે તો સમાજ હોય એવું સમીકરણ વ્યર્થ ગણાય … સાહિત્યકલા જીવન માટે છે ને હું એનો પક્ષધર છું …. વિશાળ વાચકવર્ગ તો ક્યારે ય હતો જ નહિ. લોકોને રસ પડે તો વાંચે, વાંચવાનું ગમે તે વાંચે જ છે …. કોઈના ઘરમાં પાંચસો પુસ્તકો હોય એટલે તે તમામ તેણે વાંચ્યા જ હશે, એમ માનવું ભૂલભરેલું છે. જ્યાં સુધી માણસ થોડો-ઘણો નવરો થઈ શકે તેમ છે, તે વાંચશે – જોશે અને વિચારશે … જીવન ન હોય તેનાથી રૂપાળું ચિતરવું, આવા સાહિત્યનું વેચાણમૂલ્ય છે, શાશ્વત મૂલ્ય નથી ….. સાહિત્ય અકાદમી – દિલ્હી, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ કે અન્ય સંસ્થાઓ તરફથી અપાતાં ઈનામ – એવોર્ડ અંગે રાજકારણ પ્રવર્તે છે એ મત દૃઢ થયો છે. આ મતને હું મહદઅંશે
સ્વીકારું છું ….. સાહિત્યકારો સ્વમાં – સ્વસમાજમાં કે આજુબાજુ બનતી ઘટનાઓ વિશે લખતા – વિચારતા હોય એમ સામાન્ય રીતે જોવાય છે. તેઓ તેમના કુંડાળામાંથી બહાર નિકળતા નથી. અગાઉ જે રીતે લખાયું હોય તેની નકલ કરીને ચાલતા હોય છે. નવો ચીલો સાહિત્યના રૂપમાં પાડતા હોય છે, ઘટનાઓમાં નહીં. કાળક્રમે સમાજમાં જે પરિવર્તન આવે તેની ખાસ અસર ગુજરાતી સાહિત્યકારો પર પડી નથી; ને તે જો પડી હોય તો ક્ષણિક હોય છે … શરૂઆતમાં નવું સાહિત્ય થોડુંક નબળું હોય પણ પછી તે પોતાની સ્થિતિ જરૂરથી સુધારી લે છે. ગુણવત્તા ઉત્તમ થઈને રહે છે ….. દરેક ધારા તેના ચોક્કસ ગાળા સુધી દબદબો રાખે છે ને પછી ધીમે-ધીમે વિલાય છે. એ જ તો ક્રમ છે. તેમાં કશું નવું નથી.'
તેમની નવલકથા “મલક’ Homeland નામે, “ગીધ’ Vultures નામે, ટૂંકી વાર્તાઓ Fear and Other Stories નામે અંગ્રેજી ભાષામાં તથા નવલકથા “ભળભાંખળું' ‘भोर' નામે હિન્દી ભાષામાં ટૂંકમાં પ્રકાશિત થશે. નવલકથા ‘મલકનો હિન્દી અનુવાદ ‘मुलक’ નામે રાધાકૃષ્ણ પ્રકાશન, દિલ્હી અને ઠંડા ‘ठंडा खून’ – દલિત વાર્તાસંગ્રહ શિલ્પાયન પ્રકાશન, દિલ્હી એ પ્રકાશિત કરેલ છે. તેમની કવિતાઓ, વાર્તાઓ, નાટક-એકાંકી અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી, પંજાબી અને અન્ય ભારતીય ભાષાઓમાં રૂપાંતરિત થયાં છે. તેમની વાર્તાઓ, નવલકથા, નાટક, એકાંકી સંગ્રહની એકથી વધારે આવૃત્તિઓ થઈ છે.
પચાસ વરસ પહેલાં રમા રવિ દેવી નામની એક મહિલાએ ન્યાય મેળવવા માટે અદાલતનો આશરો લીધો હતો. એ એ સમય હતો જ્યારે દેશ તેની આઝાદીની રજતજયંતી ઉજવતો હતો અને એ વરસના ડિસેમ્બર મહિનામાં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીતીને બંગલાદેશને આઝાદી અપાવી હતી. એક બાજુએ પચીસ વરસે આપણે ક્યાં છીએ એનાં લેખાજોખાં કરવામાં આવી રહ્યાં હતાં અને બીજી બાજુએ પાકિસ્તાન સામેના વિજય પછી પ્રજાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાતમાં આસમાને હતો. એ સમયે આ લખનારની ઉંમર ૧૭ વરસની હતી, આ લખનાર સામાજિક-રાજકીય પ્રશ્નોમાં રસ લેતો થયો હતો અને એને એટલું બરાબર યાદ છે કે ત્યારે લેખાજોખાંનો કેન્દ્રવર્તી વિષય કાયદાનું રાજ, આમ આદમીને ન્યાય, મુક્ત ન્યાયતંત્ર અને લોકભાગીદારીવાળું સાચું ટકોરાબંધ લોકતંત્ર હતાં. એનું કારણ એ હતું કે તેની સામેના ખતરા નજરે પડવા લાગ્યા હતા. સ્થાપિત હિતો વિકસવા લાગ્યા હતા જેને કાયદાનું રાજ, આમ આદમીને ન્યાય, મુક્ત ન્યાયતંત્ર અને પ્રજાકીય ભાગીદારીવાળું લોકતંત્ર પરવડતું નહોતું.