ગલીએ ગલીએ ગામે-ગામે અંધાધૂંધી ચાલે છે,
કહો જવું ક્યાં, હર સરનામે અંધાધૂંધી ચાલે છે.
એ માણસને શોધી લાવો, પકડો, એને કેદ કરો,
શાને માટે એની સામે અંધાધૂંધી ચાલે છે ?
થયા કરે છે એની સામે ચાલે છે તે ચાલે પણ,
થયા નથી એવા કંઈ કામે અંધાધૂંધી ચાલે છે.
વચ્ચે મંદિરમસ્જિદ છે, ગુરુદ્વારા છે ને છે દેવળ,
એ બાબત પર ચારોધામે અંધાધૂંધી ચાલે છે.
એકબીજાની સામે જુએ લોકો એવી શંકાથી,
કે અહીંયાં કોનાં પરિણામે અંધાધૂંધી ચાલે છે ?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 16
![]()


નાનો હતો ત્યારથી મને ચેસ રમવાનું બહુ ગમે છે. મને જીતવાનું ગમે છે. ચેસમાં આપણી પાસે રાજા, વજીર વગેરે સાથે આખું લશ્કર હોય. કહીએ એમ કૂચ કરે, દુશ્મનને હરાવે. લગભગ ઈશ્વરની લગોલગ ફીલિંગ્સ આવે. ક્યારેક દુશ્મન પણ આપણને હરાવી શકે. પણ આપણને પહેલેથી જ સામે એવા અનાડી ખેલાડી મળી ગયા કે તે જ હારે. અનાડીની ઉપર બે વાલ હોઈએ એટલે બસ! આને કહેવાય રાજયોગ!