મારી અગાશીએ
ચન્દ્ર
આખી રાત ટહેલતો રહ્યો હતો –
(મારી ઊડી ગયેલી ઊંઘે મને જતાં જતાં આ કહ્યું!)
– મારી રાહ જોતો –
તેના પ્રકાશની પૂંછડીને છેડે મને બાંધી લઇને
આ આકાશેથી તે આકાશે તેના સરકવામાં મને સમાવી લેવા ……
રાતની નિસરણીને છેક છેડે ચડીને ઉપર ગયો અગાશીએ, તો –
સવારસવારના ખીલેલાં ફૂલ જેવા તાજાતાજા ઊગેલા પરોઢી તારલાએ ટમટમ મહેક્તું સ્મિત કર્યું!
પૂછતાં તેને,
તેણે કહ્યું :
ચન્દ્ર?
– એ તો ગયો!
એક મસમોટ્ટા પક્ષીની પાંખે ચડીને,
દિશા ચીંધતો દીવો બનીને …..
– એ તો ગયો! ને,
અંતે
એ જ પક્ષી પોતાની વિશાળ પાંખોમાં
ચન્દ્રને જ બીડી લઇને
ઊતરી ગયું …
ક્યાં’ક -!
આમતેમઆકૂળવ્યાકૂળચોગરદમવિહ્વળવિહ્વળ
ઉપરની યે ઉપર
નીચેની યે નીચે
જોઇ વળું હું – ચન્દ્રે મૂકી દીધેલું પાછળ
આખું
રેઢૂં
આકાશ –
– ને
ચળકચળક ચડી આવે સૂરજ
મારી રેઢી પડેલી
આંખે -!
![]()


૨૬મી ડિસેમ્બરે દુનિયા ક્રિસમસ ઉજવી રહી હતી ત્યારે, દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સંઘર્ષના પ્રતીક અને નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા આર્ચબિશપ ડેસમન્ડ ટૂટૂનું, ૯૦ વર્ષની ઉંમરે, કેપટાઉનમાં અવસાન થઇ ગયું. દેશ અને દુનિયામાં માનવાધિકારો સંકટમાં છે, ત્યારે દક્ષિણ આક્રિકાને નસ્લીય ભેદભાવની ખાઈમાંથી બહાર કાઢીને સમાનતાના પથ પર મુકનાર ટૂટૂનું જવું સમગ્ર માનવજાત માટે નિરાશાના સમાચાર છે.
ડેસમન્ડ ટૂટૂનું માનવતાવાદી ચિંતન આ એક શબ્દની આસપાસ ઘડાયું હતું. અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ સ્થિત નૈતિક ધર્મશાસ્ત્રી માઈકલ બાટલેએ ટૂટૂના દર્શનને સમજાવવા માટે ૧૯૯૭માં એક પુસ્તક લખ્યું હતું. તેનું શીર્ષક હતું, ‘રેકન્સિલીએશન : ધ ઉબન્ટુ થિયોલોજી ઓફ ડેસમન્ડ ટૂટૂ.’ તેમાં તે લખે છે કે જેમ આખી જિંદગી પાણીમાં રહેતી માછલીને ભીના થવું કોને કહેવાય તે સમજમાં ન આવે, તે રીતે વ્યક્તિવાદી વિચારોથી ઘડાયેલા પશ્ચિમના લોકોને ઉબન્ટુ શબ્દનો સામુદાયિક અને આધ્યાત્મિક ભાવ વિચિત્ર લાગી શકે.
