કોઈ પદ કે ઈનામ મેળવવાની આકાંક્ષા હોવાને કારણે ચૂપ રહેવું કે ચાપલૂસી કરવી એમાં સર્જકધર્મ છે? એવા સાહિત્યકારોનું સર્જનમૂલ્ય કેટલું? સાહિત્ય માત્ર અર્થમૂલ્ય, રંજનમૂલ્યમાં જ બધી પ્રાપ્તિ અનુભવવાની છે?

સત્તા, તે ગમે તે સમયની હોય કે ગમે તે સ્વરૂપની, ગમે તે પ્રદેશની, દેશની હોય, પણ તેને એક અભિશાપ લાગેલો જ છે, એ સદાય શબ્દથી ડરતી, થરથરતી રહી છે. સત્તા શબ્દની તાકાતને સમજે છે. એટલે તો એ એનાથી ડરે છે. પછી તે શબ્દ કવિતામાં વપરાય કે વાર્તામાં; નિબંધમાં વપરાય કે પત્રકારત્વમાં. સત્તા સામે ઝૂકી જનારા સાહિત્યકારો માત્ર વેપારીઓ જ ગણાય. કોઈ પદ કે ઈનામ મેળવવાની આકાંક્ષા હોવાને કારણે ચૂપ રહેવું કે ચાપલૂસી કરવી એમાં સર્જકધર્મ છે ખરો? એવા સાહિત્યકારોના સાહિત્યનું સર્જનમૂલ્ય કેટલું? સાહિત્ય શું માત્ર અર્થમૂલ્ય, રંજનમૂલ્યમાં જ બધી પ્રાપ્તિ અનુભવવાની છે? માત્ર સૌન્દર્ય, માત્ર કલા, માત્ર સુષ્ઠુ સુષ્ઠુ જ સર્જન કરવાનું છે?
મોરારિદાસને ત્યાં આવકવેરાની રેઈડ થયા પછી એમની વિરુદ્ધ પત્રકારોએ લખ્યું. એથી મોરારિદાસે લેખકો, કવિઓ, છાપામાં લખતા હોય તેવા સર્જકોને પોતાને ત્યાં બોલાવી, આગતા સ્વાગતા કરી સર્જકોને ખરીદવા માગતા હોય એવી સ્થિતિ ઊભી કરી છે. મોરારિદાસ એવા સર્જકોને જ બોલાવે છે જેની પર સહેલાઈથી પ્રભાવ પાડી શકાય. એમણે ક્યારે ય રમણ પાઠકને બોલાવ્યા નથી, અહોભાવ સાહિત્યને બોદું કરે છે. કાં વ્યક્ત થવા દે, કાં તોડીફોડી નાખું – એમ કહેનારા સર્જકો મોરારિદાસના અસ્મિતા પર્વમાં જઈ ધન્ય બન્યાનું કહે ત્યારે ચક્કર આવી જાય છે. કમિટેડ ભક્તોની હાજરીમાં જ થતા સાહિત્યના આવા પરિસંવાદ કે કાવ્યસંમેલનથી સાહિત્યની કઈ સેવા થાય છે?
સાહિત્ય કદી પણ રાજ્ય, સમાજ, ધર્મ, સંઘ સાથે એકરૂપ નથી થઈ શકતું. તે આ બધી જ સંસ્થાઓને ઓળંગી જાય છે. એટલે તેની ઉત્તમત્તા માટે આવી સંસ્થાઓના આશ્રયની જરૂર નથી હોતી. આશ્રય સર્જકની અભિવ્યક્તિમાં અવરોધ ઊભા કરે છે. સાહિત્ય અકાદમીઓ એ પણ એક પ્રકારનો રાજયાશ્રય જ છે. પેન, તલવાર, સત્તા, અકાદમી ‘અસ્મિતા પર્વ’ કરતાં બળૂકી છે.
સશક્ત સાહિત્યકાર ક્યા રેય ભયભીત ન હોય, પણ એને ડર તો હોય છે, સત્તાનો નહીં, સીતમનો નહીં, અસ્તિત્વનો પણ નહીં, પણ પોતે જે કહેવા માગે છે તેને રુંધવાની શાસન પાસે અમર્યાદ સત્તાઓ અને સાધનો, યુક્તિઓ અને ઉપાયો હોય છે, એનો હોય છે. એના શબ્દ પર લોખંડી આવરણ ઢળી જ જાય છે. જે લોકો સુધી એનો અવાજ પહોંચવો જોઈએ ત્યાં સુધી એ ન પહોંચે, એનો જ ભય હોય છે; પણ કાળાંતરે એ લોખંડી આવરણ પણ પીગળી જતું હોય છે. સર્જકના વિલય પછી પણ શબ્દ તો ધબકતો હોય છે, વધુ બળુકો બનીને જીવતો હોય છે.
રમેશ સવાણી સમ્પાદિત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તિકા (સમ્પાદક–પ્રકાશક : 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર.
નવી દૃષ્ટિ, નવા વિચાર, નવું ચિન્તન ગમે છે? તેના પરિચયમાં રહેવા નિયમિત રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવિન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 24/12/2021
![]()


Love is responsibility of an ‘I’ for ‘thou’ પરંતુ સાંપ્રત ભૌતિકવાદી સમયમાં માણસને સંબંધોમાં રહેલું છીછરાપણું સતત પજવે છે, અને એવું જ માણસના પ્રકૃતિ કે પરમ તત્ત્વ સાથેના સંબંધનું પણ છે. પૂરી તીવ્રતાથી, પૂરી ઉત્કટતાથી અને પૂરી સભાનતાથી આપણે સંબંધ જોડી શકતા નથી, તેથી સંગતિ (Meeting) અધૂરી જ નહિ અણપ્રિછી રહી જાય છે. (1) સંબંધોનું ક્ષેત્રફળ માપવામાં સંબંધોનું ઊંડાણ જાણવાનું આપણે ચૂકી જઈએ છીએ.
સાંપ્રત વિશ્વની સૌથી મોટી સમસ્યા માનવીય સંબંધોનો હ્રાસ છે. વિશેષ કરીને આજની ઉપભોક્તાવાદી દુનિયામાં ભૌતિકતા પાછળ દોડતો માણસ લાગણીભર્યા માનવીય સંબંધોની દોડમાં પાછળ રહી ગયો છે. પતિ પત્ની વચ્ચેના દામ્પત્યજીવનમાં શુષ્કતા અને લાગણીહીનતાનું વાતાવરણ પ્રવર્તે છે. તેવા સમયમાં અમેરિકન વાર્તાકાર વિલિયમ સિડની પોર્ટર(ઓ.હેનરી)ની 1905માં પ્રગટ થયેલી ટૂંકીવાર્તા ‘The Gift of Magi’ (ગુજરાતી અનુવાદ – ‘ રજવાડી ભેટ) (3) આજે પણ એટલી જ આકર્ષક, અસરકારક અને યથાર્થ લાગે છે. પ્રસન્ન દામ્પત્યનો પ્રેરણાદાયક અનુભવ કરાવતી ‘ધ ગિફ્ટ ઓફ માગી’ પતિપત્ની વચ્ચેના અણમોલ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જીવનનો સાચો આનંદ કશુંક મેળવી લેવામાં, કશુંક પ્રાપ્ત કરવામાં નથી પણ ત્યાગમાં છે, કુરબાનીમાં, બલિદાનમાં છે. ઇશાવાસ્ય ઉપનિષદ કહે છે તેમ ‘તેન ત્યક્તેન ભુંજીથા’ ત્યાગીને આનંદ માણવામાં છે. ઘણાં લોકો પ્રિયજનને ખુશ કરવા નાનાવિધ પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ કરતાં હોય છે, ધન દોલત કે સંપત્તિની ચમક દમકથી એને આંજી નાખવા માંગતા હોય છે . હા, ‘પૈસાની ચમક દમકથી સ્ત્રીને આકર્ષી શકાય છે, પરંતુ એકવાર સંબંધમાં બંધાયા પછી સ્ત્રીઓને મન પૈસા, સુખ –સાહ્યબીની સરખામણીએ પોતાની લાગણીઓની માવજત, હૂંફ અને એક વ્યક્તિ તરીકેનું તેનું મહત્ત્વ વધારે અગત્યનું બની જાય છે.’ (4) પોતાની પ્રિય ચીજ વસ્તુ કે પૈસા કરતાં સ્ત્રી પ્રિયજનને વધુ મહત્ત્વનું ગણે છે. તેને મન સંબંધનું મહત્ત્વ વધારે છે. ઓ હેનરીની આ વાર્તા આર્થિક ભીંસની વચ્ચે પણ એકબીજા માટે નાતાલની ભેટ ખરીદવા એક યુવાન દંપતી કેવો સંઘર્ષ કરે છે, તેની વાત માંડે છે.
અને એક વ્યક્તિ તરીકેનું તેનું મહત્ત્વ વધારે અગત્યનું બની જાય છે.’
અજાણી સ્ટોરીઝને મૂકી છે. તેમનું સૌથી પ્રસિદ્ધિ અને પ્રશંસા પામેલું કાર્ય ચંબલ ઘાટીનું છે, જ્યાં તેમણે વર્ષો સુધી રહીને ત્યાંના ડાકુઓનું તસ્વીરી દસ્તાવેજિકરણનું કામ કર્યું. તે સિવાય પણ એંસી-નેવુંના દાયકાની મહત્ત્વની ઘટનાઓના પ્રશાંત સાક્ષી રહ્યા છે. પ્રશાંતનાં કાર્યનું ફલક વ્યાપક છે પણ તેની ઝલક તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તક ‘ધેટ વિચ ઇઝ અનસિન’માં જોઈ શકાય છે.


