Opinion Magazine
Number of visits: 9570247
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુરુમા શ્રી અન્નપૂર્ણાદેવી વિશે

અભિજિત વ્યાસ|Opinion - Opinion|17 February 2022

મહિયર ઘરાનાના સ્થાપક ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબ સંગીત પ્રેમીઓ માટે એક આદરણીય નામ છે. બાબા અલ્લાઉદ્દીન ખાન સાહેબની બીજી પણ કેટલીક ઓળખ છે. તેમાંની એક, તેઓ ઉસ્તાદ અલીઅકબર ખાનના પિતાશ્રી હતા. બે, સિતાર વાદક પંડિત રવિશંકરના ગુરુ અને સસરા હતા. અને ત્રીજી, તેઓ અન્નપૂર્ણાદેવી(પંડિત રવિશંકરના ભૂતપૂર્વ પત્ની)ના પણ પિતાશ્રી હતા. અન્નાપૂર્ણાદેવી પોતે સૂરબહાર વગાડતાં હતાં અને એમની નીચે અનેક શિષ્યો તૈયાર થયા હતા. એમના એ બધા શિષ્યો એમને ગુરુમા તરીકે ઓળખતા હતા. આમ અન્નપૂર્ણાદેવી મહિયર – સેનિયા ઘરાના અને ઉસ્તાદ બાબા અલ્લાઉદ્દીન ખાન સાહેબનાં પુત્રી તો હતાં પણ શિષ્ય પણ હતાં. અને અલ્લાઉદ્દીન ખાનની પરંપરાના વાહક હતાં.

હમણાં જે પુસ્તક અન્નપૂર્ણાદેવી પર પ્રગટ થયું છે, ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ એ રીક્લુઝીવ જીનિયસ’ (The Untold Story of a Reclusive Genious) એના લેખક છે ગુરુમાના શિષ્ય અને સરોદ વાદક અતુલ મરચંટ જટાયુ. આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે ગુરુમાના શિષ્ય અને જાણીતા બાંસુરીવાદક હરિપ્રસાદ ચોરસિયાએ.

અન્નપૂર્ણાદેવી અંગે બહુ ઓછા લોકો જાણે છે; કારણ કે તેઓ ક્યારે ય કોઈ કાર્યક્રમ આપતાં નહીં કે કોઈ કાર્યક્રમમાં જતાં નહીં. એમના જીવન આસપાસ એક રહસ્યમય પડદો સદા રહ્યો છે. પરિણામે સક્રિય સંગીતમાં કાર્યરત સિવાય એમના વિશે બહુ બધા લોકો જાણતા નથી. પ્રસ્તુત પુસ્તકમાં ૭૮ જેટલાં પ્રકરણો છે. અનેક અલભ્ય ફોટાઓ પણ સમાવિષ્ટ કરેલા છે. આઠ પૃષ્ઠમાં રંગીન ફોટાઓ જોવા મળે છે જે પુસ્તકને અધિકૃત બનાવે છે. પુસ્તકની પ્રસ્તાવનામાં બાંસુરીવાદક હરિપ્રસાદ ચોરસિયા લખે છે, “Maa was not just a mother, but a supreme mother, and an embodiment of knowledge, compassion and abundance. In Hindu mythology, Annapurna is the goddess of food and nourishment and to a lot of struggling souls like me, she provided nourishment for the body and soul.” આ અનુભવ ગુરુમાના અનેક શિષ્યોનો પણ છે.

સંગીતની સાધના કઠિન છે. આપણે ત્યાં એ ગુરુશિષ્યપરંપરાથી ચાલી આવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ અન્નપૂર્ણાદેવી અને એમના શિષ્યોમાં જોવા મળે છે. આ જાતની પ્રણાલી સંગીત સિવાય અન્ય કોઈ કલામાં જોવા મળતી નથી. અન્નાપૂર્ણાદેવી એક ઉત્તમ સિતાર અને સૂરબહાર વાદક હોવા છતાં પંડિત રવિશંકર સાથેનાં લગ્ન જીવનને જાળવવા એઓ વાદન પ્રસ્તુતિથી હંમેશના માટે દૂર રહ્યાં. આવો ત્યાગ કર્યા પછી પણ એમનું લગ્ન જીવન બચ્યું નહોતું અને તૂટીને રહ્યું.

અન્નપૂર્ણાદેવી કહેતાં, “Art ought to be a sadhana; an endeavour for perfection. What is the point of running after popularity when most of what is popular is mediocre?” (પૃ. ૭૬) ગુરુમાની આ વાત ખરે જ જીવનમાં ઉતારવા જેવી છે. તો અન્યત્ર કહે છે, “બહુત હી મુશ્કિલ હોતા હૈ એક સચ્ચે સંગીત સાધક કા સફર. જીવનનિર્વાહ કે લિયે શ્રોતાગણ કે સામને બજાના પડતા હૈ ઔર તાલી ઔર ગાલી સે અલિપ્ત રહકર અપને માર્ગ પર રહના હૈ.” (પૃષ્ઠ ૧૨૧).

સંગીતના શોખીનોએ આ પુસ્તક વાંચવા જેવું છે. આ માત્ર જીવનકથા જ નથી, પણ અહીં સંગીત અને જીવન એમ બન્ને વિષે જાણવા મળે છે. કેટલાક અનુભવો અત્યંત સ્મરણીય છે તેમ કેટલાક વિચારણીય. જેમ કે રાગ માલકૌંસ વિષેનું પ્રકરણ. અહીં કેટલાક રાગ (‘માંજ ખમાજ’ અને ‘બૈરાગી’) વિશે વાંચવા મળે છે. તે ઉપરાંત મહિયર બેન્ડ વિષેની જાણકારી પણ મળે છે. કેટલાક અત્યંત નાના પ્રસંગો વાંચવા મળે છે. એક વખત બાબા અને શ્રી બન્ને ફિલ્મ જોવા ગયા હતા. અને થોડી જ વારમાં ફિલ્મ છોડીને ઘેર પાછા આવ્યા. પૂછ્યું કેમ પાછા આવ્યા, તો બાબાએ કહ્યું ફિલ્મમાં ગીત બહુ બેસૂરુ હતું.

પ્રસ્તુત પુસ્તકમાં અન્નપૂર્ણાદેવીનાં જીવન અને સંગીત વિષે વિસ્તૃત રીત જાણવા મળે છે. પુસ્તકના લેખક અતુલ મર્ચન્ટ જટાયુ વ્યવસાયે એક જ્વેલર હતા, પણ બધું છોડીને હાલ તેઓ સંગીતસાધનામાં જીવી રહ્યા છે. તેઓ અન્નપૂર્ણાદેવીના શિષ્ય હોવા ઉપરાંત એક સરોદવાદક પણ છે, અને સાહિત્યસર્જન પણ કરે છે. અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનું પ્રકાશન પૅંગ્વિન બુક્સ દ્વારા થયું છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 06 તેમ જ 13

Loading

નોખા અવાજની વાર્તાઓ

ચૈતાલી ઠક્કર|Opinion - Literature|17 February 2022

ધાર્યું કે આ વાર્તા નથી, એવો વળતો જવાબ આપવાનું પ્રથમ વાર્તાથી જ મન થાય એવો વાર્તાસંગ્રહ એટલે ‘ધારો કે આ વાર્તા નથી’ – લેખક હિમાંશી શેલત. આ વાંચતાં ૨૦૦૮નો સમય મારા સ્મરણપટ ઉપર તાજો થયો. એમ.એ.ના મારા અભ્યાસક્રમમાં દરમિયાન ટૂંકી વાર્તાઓ ચાલે અને આ સ્વરૂપને સમજવા માટે ચાર વાર્તાકારોની વાર્તાઓમાંથી એક વાર્તાનું પુસ્તક આ  ‘હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિ’. આ વાર્તાઓને યાદ કરીને જે વાર્તાસંગ્રહ વિશે લખવા પ્રેરાઈ  છું તે વાર્તાસંગ્રહ એટલે ‘ધારો કે આ વાર્તા નથી’ તે પ્રગટ થાય છે જૂન ૨૦૧૮માં. એમાં કુલ ૧૩ વાર્તાઓ સમાવિષ્ટ છે, અને આ સંગ્રહ અર્પણ થયો છે લેખિકાનો જેની સાથે ખાસ સંબંધ રહ્યો છે તેવી બે સંસ્થાઓને – જીવનભારતી અને એમ.ટી.બી કૉલેજને. પ્રસ્તાવનામાં લેખિકા પુસ્તકનો ઉદ્દેશ પ્રગટ કરતાં કહે છે, “જે કાળખંડમાં જીવવાનું આવ્યું છે તેની ભીંસ અનુભવું છું. આ વાર્તાસંગ્રહની તમામ કૃતિઓમાં એ રાજકીય અને સામાજિક પરિબળોનું દબાણ વર્તાય છે …”

સમાજમાં બનતી કેટલીક ઘટનાઓને વર્ણનવિષય તરીકે પસંદ કરવામાં મોટે ભાગે વાર્તાકારો જે અસ્પૃશ્યતા દાખવે છે, તેવા વિષયોને વાર્તાલેખનના વિષય તરીકે પસંદ કરી લેખિકાએ નવો ચીલો ચાતર્યો છે અને ચાતરતાં રહ્યાં છે. ‘અંતરાલ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘એ લોકો’ વાર્તાસંગ્રહોની શૃંખલામાં પ્રસ્તુત વાર્તાસંગ્રહથી એક નવી કડી ઉમેરાય છે. વાર્તાના વિષયનો વૈવિધ્યસભર ધગધગતો થાળ ભાવકને જુદાં જ ભાવજગતમાં લઈ જાય છે. સાંપ્રત સમસ્યાને ઝીલતી આ વાર્તાઓમાં – સર્જકના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વિશેની ‘ધારો કે વાર્તા નથી’ કે પછી “કિરાત ભારથી કૃત ‘પ્રશ્નાર્થ’ વિશે” નોંધપાત્ર વાર્તાઓ છે. સ્ત્રીઓની સમસ્યાઓ અને અન્ય સમસ્યાઓ આલેખતી ‘નગર ઢીંઢોરા’, ‘ગોમતીસ્તોત્ર’ વગેરે વાર્તાઓ વેદનાની ટીસ જન્માવે છે. બાળમાનસને પણ કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તા અને એ નિમિત્તે સમાજજીવનના પ્રશ્નો અહીં રજૂ થયા છે.

આ નોખા અવાજની વાર્તાઓને ખરેખર વાર્તા ના ધારીએ તો શું ધારીએ? હકીકત માનીએ તો? તો શું છે આ વાર્તાઓમાં? જાગૃતોને શું કહેવું?

ભુજ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 11

Loading

વિજેતા એક્ટર વિક્ટર બેનરજી

નિલય ભાવસાર|Opinion - Opinion|17 February 2022

પ્રતિભા

પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ ભારત સરકાર તરફથી પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. એમાં કળાનાં ક્ષેત્રમાં પોતાના યોગદાન માટે ૭૫ વર્ષીય એક્ટર વિક્ટર બેનરજીને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો છે.

આજે એક્ટર વિક્ટર બેનરજીની ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે તેમણે ફિલ્મજગત માટે જે વિશિષ્ટ કાર્ય કર્યું છે તે ભાગ્યે જ ફિલ્મજગતની સાથે સંકળાયેલા લોકો કરી શકે છે. વિક્ટર બેનરજી તેમની એક્ટિંગ માટે જેટલા પ્રખ્યાત છે, તેટલા જ પ્રખ્યાત તેઓ તેમનાં સામાજિક કાર્યો માટે પણ છે. તેમણે દેશ-વિદેશની જે કોઈ ફિલ્મમાં કામ કર્યું ત્યાં તેમણે સહકર્મીઓના હક માટે અવાજ ઉઠાવ્યો છે. ઍક્ટિંગના કાર્યને સામાજિક જવાબદારી સમજનાર વિક્ટર બેનરજીએ એક સમયે ફિલ્મોમાં કામ કરતા એક્સ્ટ્રા કલાકારોના હક માટે લાંબી લડત ચલાવી હતી.

બંગાળી ફિલ્મોમાં વધુ અભિનય કરી ચૂકેલા એક્ટર વિક્ટર બેનરજી એક ઈન્ટરવ્યુમાં જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં ગરમીના સમયમાં ફિલ્મના સેટ પર એક્સ્ટ્રા કલાકારો પાસે દિવસના ૮થી ૧૦ કલાક કામ કરાવવામાં આવતું હતું, તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા અને તેઓને બાળકો સાથે ગરમીમાં સતત ઊભા રહેવું પડતું હતું. ગરીબ વિસ્તારોમાંથી આવતા એક્સ્ટ્રા કલાકારોને કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવતી નહોતી અને કામના પૈસા આપવાના બદલે એક ટાઈમનું જમવાનું આપીને પરત મોકલવામાં આવતા હતા. વિક્ટર બેનરજીએ આ એક્સ્ટ્રા કલાકારોના હક માટે અવાજ ઉઠાવ્યો, તેમની સાથે પણ માનવીય વ્યવહાર થાય અને કામ પૂરતું વળતર મળે તે માટે લાંબી લડત ચલાવી. આ એક્સ્ટ્રા કલાકારોને આખા દિવસનું કામ કરે ત્યારે માત્ર પાંચ રૂપિયા મળતા હતા, ત્યારે વિક્ટર બેનરજીએ તેમના હક માટે એક યુનિયનની રચના કરી. ત્યાર બાદ ફિલ્મ શૂટિંગના સેટ પર આવતા એક્સ્ટ્રા કલાકારોને ન્યાય મળ્યો અને તેમના દૈનિક વળતરમાં પણ વધારો થયો. એક સમયે ફિલ્મના સેટ પર આ ગરીબ એક્સ્ટ્રા કલાકારોની સાથે પશુ જેવું વર્તન કરવામાં આવતું હતું તેમાં પરિવર્તન જોવા મળ્યું અને તેઓને શોષણમાંથી મુક્તિ મળી.

એક્ટર વિક્ટર બેનરજીએ વધુમાં જણાવ્યું કે, માત્ર ભારતમાં જ નહીં પરંતુ, વિદેશમાં પણ એક્સ્ટ્રા કલાકારોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ડેવિડ લીનની હોલિવૂડ ફિલ્મ ‘અ પેસેજ ટૂ ઈન્ડિયા’ના એક અનુભવની વાત કરતા વિક્ટર બેનરજી જણાવે છે કે મેં ત્યાં ફિલ્મના શૂટિંગ પર જોયું કે સેટ પર એક્સ્ટ્રા કલાકારોને અન્ય કલાકારો કરતાં અલગ પ્રકારનું સાવ સામાન્ય ફૂડ આપવામાં આવતું હતું, કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી આ ભવ્ય હોલિવૂડ ફિલ્મના સેટ પર એક્સ્ટ્રા કલાકારોની સાથે થઈ રહેલાં ખરાબ વર્તનને વિક્ટર બેનરજી જોઈ શક્યા નહીં અને તેમના હકમાં અવાજ ઉઠાવ્યો હતો. અહીં વિક્ટર બેનરજીને જીત મળી અને ફિલ્મ ‘અ પેસેજ ટૂ ઈન્ડિયા’ના એક્સ્ટ્રા કલાકારોના વળતરમાં પણ વધારો થયો તેમ જ તેઓનું ફૂડ મેનુ પણ બદલવામાં આવ્યું. માત્ર ભારતમાં જ નહીં પણ ઇંગ્લેન્ડની ફિલ્મોમાં પણ વિક્ટર બેનરજીએ એક્સ્ટ્રા કલાકારોના હક માટે અવાજ ઉઠાવ્યો કે જ્યાં તેઓને રંગભેદની નીતિનો અનુભવ થયો હતો.

વિક્ટર બેનરજી એક માત્ર એવી ભારતીય વ્યક્તિ છે કે જેને ત્રણ અલગ-અલગ કેટેગરીમાં નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વિક્ટર બેનરજીને ‘Where No Journeys End’ નામની ડૉક્યુમેન્ટરી માટે સિનેમેટોગ્રાફર (કેમેરામેન) તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ‘The Splendour of Garhwal’ અને ‘Roopkund’ નામની ડૉક્યુમેન્ટરી માટે તેઓને ડિરેક્ટર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો છે અને સત્યજીત રાયની ફિલ્મ ‘ઘરે બાઈરે’ માટે તેઓને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ ૨૦૦૩માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘જોગર્સ પાર્ક’માં વિક્ટર બેનરજીના અભિનયની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં વિક્ટર બેનરજીએ જસ્ટિસ જ્યોતિન પ્રસાદ ચેટરજીનું પાત્ર ભજવ્યું હતું કે જેઓ જેની (પેરિઝાદ ઝોરાબિયન) નામની મૉડેલના પ્રેમમાં પડે છે. વિક્ટર બેનરજીએ ભારતના મહાન ફિલ્મમેકર સત્યજીત રાયની બંગાળી શોર્ટ ફિલ્મ ‘પીકૂ’માં અને રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા આધારિત ફિલ્મ ‘ઘરે બાઈરે’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય વિક્ટર બેનરજી ઈન્ટરનેશનલ લેવલે ઈસ્માઈલ મર્ચન્ટ પ્રોડક્શન અને જેમ્સ આઈવરી દિગદર્શિત ફિલ્મ ‘Hullabaloo Over Georgie and Bonnie’s Pictures’માં પણ ઍક્ટિંગ કરી ચૂક્યા છે. 

પહાડ અને પ્રકૃતિને પસંદ કરનારા વિક્ટર બેનરજી હિમાચલ પ્રદેશમાં તેમનાં ઘણાં વર્ષો પસાર કરી ચૂક્યા છે. સાહિત્યપ્રેમી એવા વિક્ટર બેનરજી અનેક ટૂંકી વાર્તાઓ લખી ચૂક્યા છે અને દેશના વિવિધ ન્યૂઝપેપર્સ તેમ જ મેગેઝિન્સમાં તેમના આર્ટિકલ્સ પ્રકાશિત થયેલા છે. ઉત્તરાખંડને અલગ કરવા માટેની જે ચળવળ ચાલી હતી તેમાં પણ વિક્ટર બેનરજી જોડાયા હતા. વિક્ટર બેનરજી લગભગ ૪૦ વર્ષથી આસામમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે “Moran Blind School” નામની શાળા ચલાવે છે કે જ્યાં ચાના બગીચામાં કામ કરતા કામદારો અને ગામના ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તેઓ “Bird Watchers Association of Uttarakhand”ના બ્રાન્ડ એન્બેસેડર છે. ઍક્ટર વિક્ટર બેનરજીની અન્ય જાણીતી ફિલ્મો 'શતરંજ કે ખિલાડી’, 'કલયુગ’, 'આરોહણ’, 'માય બ્રધર .. .નિખિલ’, 'તહાન’ વગેરે છે. ફિલ્મ સિવાય સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવનાર એક્ટર વિક્ટર બેનરજી ખરા અર્થમાં વિજેતા છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 16

Loading

...102030...1,5921,5931,5941,595...1,6001,6101,620...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved