Opinion Magazine
Number of visits: 9456261
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૩  

સુમન શાહ|Opinion - Literature|16 May 2025

સુમન શાહ

ભારતીય પરમ્પરામાં ગુરુ-શિષ્ય સમ્બન્ધનો મહા મહિમા છે. મહા એવો કે એક સમયે શિષ્ય ગુરુને ટપી જાય અને પોતાના જ્ઞાનવિચારની સ્થાપના કરે. જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રમાં આમ થવું સંભાવ્ય છે. ફિલસૂફીક્ષેત્રમાં આદિ શંકરાચાર્ય કે સ્વામી વિવેકાનન્દ અને પશ્ચિમની પરમ્પરામાં પ્લેટો કે ઍરિસ્ટોટલ સર્વોત્તમ દૃષ્ટાન્તો રૂપે જગપ્રસિદ્ધ છે. 

વર્તમાનમાં નિષ્ઠાવાન વિદ્યાર્થીના દાખલામાં થોડું જુદું બને. પોતે શીખ્યો હોય એ વિષયમાં એવો વિકાસ સાધે કે એકાદ નવ્ય વિચાર જનમી આવે. જેમ કે, જે વિષયમાં પીએચ.ડી. થયો હોય એમાં આગળ વધે અને કંઈક નવું શોધી લાવે. જો કે એ દુખ:દ છે કે આજકાલ ગુજરાતીના કેટલાક પીએચ.ડી.પદવીધારીઓ પોતાના સંશોધનવિષયમાં ભાગ્યે જ આગળ વધે છે અને કહેવાતા ગુરુઓ અને ગુરુઓની માત્રભક્તિ કરનારા શિષ્યોની સંખ્યા મોટી થવા માંડી છે.

દેરિદાના દૃષ્ટાન્તમાં જોઈ શકાય છે કે એમના વડે આગવા જ્ઞાનવિચારની સ્થાપના થઈ છે. તેઓએ હ્યુસેર્લનું અધ્યયન કર્યું તેમ જ એથી લાધેલા જ્ઞાનને પચાવ્યું અને સાવ ફંટાઈને પોતાનો વિચાર ઘડ્યો જેને આપણે વિઘટન કહીએ છીએ. વિઘટન કરીને એમણે પશ્ચિમની વિચારપરમ્પરામાં જવાબદાર મનીષી ગુરુઓના જ્ઞાનરાશિની તાત્ત્વિક ભૂમિકાઓને પડકારી જેને આપણે વિઘટનશીલ ફિલસૂફી કહીએ છીએ. 

એ કારણે દેરિદાના અધ્યયન અને અધ્યાપનકાળની વાતો જાણવી જરૂરી છે. અલ્જીરિયા અથવા અલ્જીયર્સ છોડીને પૅરીસ ગયા એ પછીના સમયગાળામાં એમણે રૂસો કામૂ બર્ગસૉં સાર્ત્ર નિત્શે વગેરેનું વાચન શરૂ કરેલું. એ વયે કાવ્યો તો કોનાથી નથી લખાઈ જતાં? એમનાથી પણ લખાઈ ગયેલાં અને સામયિકોમાં પ્રકાશિત પણ થયેલાં. એ પછી પૅરીસની École Normale Supérieureમાં લૂઈ આલ્થુસર અને મિશેલ ફૂકો જેવી હસ્તીઓ પાસે ભણ્યા. એ ઘડતરકાળમાં એમને સમજાઈ ગયેલું કે પોતાના રસનો વિષય ફિલસૂફી છે અને તેમાં ય ફીનૉમિનોલૉજિમાં રુચિ સવિશેષ છે. અગાઉ એ સંસ્થામાંથી સાર્ત્ર સિમૉં દ બૂવા અને મર્લો-પૉન્તિ ભણેલા. 

એ ગાળામાં દેરિદા ઝાં હિપોહ્લીટનાં વ્યાખ્યાનોમાં બેસતા. દરમ્યાન દેરિદા ઍડ્મણ્ડ હ્યુસેર્લની (1859-1938) ફિલસૂફીથી પ્રભાવિત થાય છે અને પોતાના ડિપ્લોમાની ડિગ્રી માટે The Problem of Genesis in Huserl’s Philosophy શોધનિબન્ધ લખે છે. (૧૯૫૩-૫૪). હ્યુસેર્લકૃત Philosophy of Arithmetic અને Crisis ગ્રન્થો વિશેની ય ચર્ચાનો સમાવેશ કરતો એ શોધનિબન્ધ હ્યુસેર્લ પરનું એક સમીક્ષાત્મક અધ્યયન છે. એનું ફ્રૅન્ચમાં ૧૯૯૦-માં અને અંગ્રેજી અનુવાદ રૂપે ૨૦૦૩-માં પુસ્તક રૂપે પ્રકાશન થયું હતું. 

એ વિશે વીગતે કહું એ પહેલાં હ્યુસેર્લની ફિલસૂફીનાં બે વાનાં વિશે સ્વલ્પ વાત કરવી જરૂરી છે: 

હ્યુસેર્લ ફીનૉમિનોલૉજિના સ્થાપક કહેવાય છે. એમની ફિલસૂફી મનુષ્યચેતના અને મનુષ્યવ્યક્તિને થતા અનુભવોનું દાર્શનિક અધ્યયન છે. આત્મલક્ષીતા અને અનુભવના સત્ત્વની તપાસને હ્યુસેર્લ પોતાનું ધ્યાનકેન્દ્ર ગણે છે એટલું જ નહીં અનુભવને જ વાસ્તવિકતા અને જ્ઞાનના બોધનો પાયો ગણે છે. સૂચવે છે કે પૂર્વધારણાઓ અને બાહ્ય માન્યતાઓને બાજુએ રાખીને અનુભવદ્રવ્યને એક આવિર્ભાવ રૂપે તપાસવામાં આવે એ વલણ ફિલસૂફીમાં અતિ આવશ્યક છે. 

એ તપાસ-પદ્ધતિ છે, epoché and phenomenological reduction. હ્યુસેર્લને epoché સંજ્ઞા પ્રાચીન skepticismમાંથી – સંશયવાદમાંથી – મળી છે. epochéની રીતે વિશ્વ વિશેના નિર્ણયોને સંશયથી જોવાય છે. પૂર્વધારણાઓ અને માન્યતાઓનું bracketing થાય છે એટલે કે એને બાજુએ મુકાય છે. પરિણામે ક્ષેત્ર ઘટી જાય છે અને તેથી ચેતનાની જ સંરચના પર બધું ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. એવા phenomenological reductionને કારણે સમજાય છે કે આવિર્ભાવ / અનુભવ શી રીતે સરજાય છે.

બીજું કે હ્યુસેર્લ એ પ્રશ્ન પૂછે છે કે વિશ્વની વસ્તુઓના અનુભવનો પુરાવો – evidence – શો. ઉત્તર એ છે કે અનુભવાતી વસ્તુ ખરેખર છે – truly is – એવો બોધ થાય છે અને એ બોધ બાબતે ગેરસમજ કે ગરબડ નથી હોતી, એ જ એનો પુરાવો છે! તેઓ જણાવે છે કે બોધની ખરાઇ માટે માહિતીચયન – data – એકઠો કરવાની જરૂરત નથી કેમ કે આવિર્ભાવો પોતે જ પોતાને ચેતનાને અર્પે છે, દાખલા તરીકે, ‘આજે મને તાવ આવશે’ એ સહજસ્ફુરણની ખરાઈ કરવા કશે ય જવાની જરૂરત નથી રહેતી. આ અર્પણત્વને હ્યુસેર્લ givenness કહે છે.

દેરિદાએ હ્યુસેર્લની givenness વિભાવનાને પડકારી છે. આવિર્ભાવ પોતે જ પોતાને ચેતનાને અર્પે એ સ્વ-ઉપસ્થિતિને – selfpresenceને – દેરિદા નકારે છે અને જણાવે છે કે ઉપસ્થિતિની દરેક ક્ષણ traceથી લાંછિત હોય છે અને અનુભવો ભાષા અને સંજ્ઞાઓથી ચેપાયેલા બલકે અર્થનિષ્પત્તિની પદ્ધતિથી રચાયા હોય છે. એ કારણે તો અનુભવોનાં અર્થઘટન થઈ શકે છે. ભાષા અને સંજ્ઞાઓની એ મધ્યસ્થીને ન વીસરી શકાય.

સવિશેષે દેરિદાને હ્યુસેર્લની ફીનૉમિનોલૉજિમાં genesisનો ન નિવારી શકાય એવો કોયડો જોવા મળ્યો છે. તેઓ એક આંટી – loop – દર્શાવે છે કે both temporality and meaning must be generated by prior acts of the transcendental subject, but transcendental subjectivity must itself be constituted by an act of genesis.

એક દાખલાથી એ પરિભાષા સમજીએ : ધારો કે તમારે હાંડવો બનાવવો છે. તમે જાણો છો કે હાંડવો બનતાં કેટલો સમય લાગશે. ફિલસૂફીની પરિભાષામાં એ સમયતત્ત્વને temporality કહેવાય — અનુભવની સંરચના તેમ જ ઘટનાઓ અસ્તિત્વ અને વાસ્તવિકતા સાથે જોડાયેલો લાક્ષણિક સમયસંવિભાગ. હાંડવો meaning છે. હાંડવો બનાવતાં પહેલાં તમે શીખી લીધેલું કે કઈ ક્રિયા-પ્રક્રિયાથી બનશે. શીખવાની એ ક્રિયા મૂળારમ્ભ છે, act of genesis. તમે હાંડવાના કર્તા એટલે કર્તા પારગામી આત્મલક્ષીતા, transcendental subjectivity.

હ્યુસેર્લ કહે છે કે ચેતનાને સમયનો અનુભવ અદ્યતન-ભૂતકાળ નિકટતમ-ભવિષ્ય અને જિવાતા-વર્તમાનની આન્તરક્રિયાથી થતો હોય છે. એમણે retention, protention અને living presentની એ આન્તરક્રિયાનું વર્ણન કરીને સમયના સાતત્યની સંરચના સમજાવી છે. તદનુસાર એમનું મન્તવ્ય બને છે કે અર્થ અને કર્તાની સંરચનામાં સ્થિરતા લાવનારું પરિબળ સમય છે. સ્થિરતા નથી આવતી કહીને દેરિદા એ મન્તવ્યને ય પડકારે છે. હ્યુસેર્લમાં એમને temporality meaning અને transcendentle subjectivityનો સમ્બન્ધ સ્થગિત અને દુષ્કર લાગ્યો એટલે વિશેષ ચર્ચામાં એ માટે એમણે tension શબ્દ પ્રયોજ્યો. દેરિદા tension શબ્દનો પ્રયોગ એક વિભાવના તરીકે કરતા હોય છે અને ત્યારે એનો અર્થ થતો હોય છે, તંગ અવસ્થિતિ. 

હાંડવો બનાવવા તમારે હાંડવો કેમ બનાવાય એ જાણવું જરૂરી હતું પણ એ જાણવા હાંડવો બનાવવો એ જરૂરી હતું. ઉપર્યુક્ત દીર્ઘ અંગ્રેજી ફકરામાં કહ્યું છે એમ, દેરિદા એને genesisનો કોયડો ગણે છે. વાસ્તવમાં તો પરસ્પરાવલમ્બન ઊભું થયું, અને એમાં મૂળારમ્ભ ક્યાં? મૂળારમ્ભની અવધારણા જ વ્યર્થ ઠરી! આરમ્ભબિન્દુથી માંડીને અર્થ સુધીની યાત્રા અર્થથી આરમ્ભ અને આરમ્ભથી અર્થ એમ એક લચ્છી કે આંટી – loop – છે એમ અવગત થયું. દેરિદાનું મન્તવ્ય છે કે – આ મૂળારમ્ભ છે એમ આંગળી મૂકીને કહી શકાતું નથી કેમ કે મૂળારમ્ભ હમેશાં પૂર્વવર્તી સમ્બન્ધો અને સંદર્ભો પર આધારિત હોય છે.

આમ સંશયો ઊભા કરીને દેરિદાએ હ્યુસેર્લના સુખ્યાત cartesian methodic doubtને – પદ્ધતિવિષયક સંશયમન્ત્રને – એમની જ ફિલસૂફી સામે બરાબર પ્રયોજી જાણ્યો છે. આપણે જોયું કે સ્વ-ઉપસ્થિતિ અને મૂળારમ્ભ જેવા ફિલસૂફીના પાયાના સમ્પ્રત્યયો તેમ જ અર્થ અને મનુષ્ય-અનુભવની સંરચનાઓના સ્વરૂપ વિશે એમણે તીવ્ર પ્રશ્નો કર્યા છે. Speech and Phenomena ગ્રન્થમાં દેરિદા એ જ મતલબ દર્શાવે છે કે ફીનૉમોનોલૉજિ સંજ્ઞાઓ તેમ જ અનુભવની પાયાની સંરચનાઓ પર ભાર મૂકે એ બરાબર છે પણ એથી genesis અને structure વચ્ચે જે તંગ અવસ્થિતિ સરજાય છે તેનું નિરાકરણ નથી મળતું. ફીનૉમોનોલૉજિ અર્થની સુસંગત પ્રાંજલ ભૂમિકાની અપેક્ષા સેવે એ બરાબર છે પણ તંગ અવસ્થિતિ એને પડકારે છે અને વિરોધાભાસો વિરોધાભાસો જ રહે છે.

જો કે આ વિરોધાભાસો મને ફળપ્રદ લાગ્યા છે – productive. કેમ કે એથી પરમ્પરાગત વિભાવનાઓમાં રહેલી મુશ્કેલીઓ પ્રકાશિત થાય છે અને નવી વિભાવનાઓના સર્જનની તકો ઊભી થાય છે. પરિણામે વિમર્શ-પરામર્શ વિકસે છે. પૂરેપૂરો અર્થ પકડવાની વૃત્તિ પર પણ કાપ આવે છે કેમ કે અર્થ તો સદા ગતિમન્ત હોય છે. દેરિદા પણ વિરોધાભાસોને નિષ્ફળતા નથી ગણતા બલકે એને ચિન્તનમાં પ્રગતિ કાજેના આધારસ્રોત કહે છે. દાખલા તરીકે, ઉપસ્થિતિ અને અનુપસ્થિતિની આન્તરલીલાને કારણે વૈકલ્પિક પરિપ્રેક્ષ્યો અને અર્થઘટનો માટે જગ્યા મળે છે અને પરિણામે બૌદ્ધિક સર્જકતા ખીલે છે. વિરોધાભાસોની એ સંસૃજનાત્મક શક્તિની નૉંધ લેવી જોઈશે. આ વિરોધાભાસો વિચારકોને જાણે ધક્કો મારીને કહે છે કે પાયાની અવધારણાઓ વિશે પ્રશ્નો કરો અને નવ્ય પદ્ધતિઓ શોધો — તમારું ક્ષેત્ર ફીનૉમિનોલૉજિનું હોય કે સાહિત્યનું કે સાહિત્યસમીક્ષાનું. આ વાત કોઈપણ જ્ઞાનવારતાને એટલી જ લાગુ પડે છે. બધું બરાબર અને નિશ્ચિત છે એમ ગણીને નિશ્ચિન્ત થઈ બેસી રહેવાના મનોવલણનો વિલય ઝંખતા આ વિરોધાભાસો રૂપાન્તરણકારી છે એની પણ નૉંધ લેવી જોઈશે.     

આ બધા પ્રશ્નો અને પડકારોનો એ અર્થ નથી કે દેરિદા ફીનૉમિનોલૉજિને નકારે છે. અર્થ એ છે કે એની કોયડારૂપ પદ્ધતિઓને એમણે પરિષ્કૃત કરી અને સ્વકીય દૃષ્ટિએ વિકસાવી. વિઘટનવિચાર ફિલસૂફીની એક શાખા તરીકે ફીનૉમિનોલૉજિ પર ભિન્ન અને વિલક્ષણ સ્વરૂપે ઊભો છે એવું લાગે છતાં કહેવું જોઈશે કે એને ઉલ્લંઘીને એ ખાસ્સો વિકસ્યો છે. 

આવા બધા પ્રકારે ફીનૉમિનોલૉજિમાં અવગાહન કરતા દેરિદા દસેક વર્ષ બાદ ફીનૉમિનોલૉજિથી ફંટાઈ જાય છે અને વિઘટન-વિચારની આવશ્યકતા ચીંધતા રહે છે.

શોધનિબન્ધના આ મુદ્દાને મેં આટલું મહત્ત્વ આપ્યું તે સકારણ છે કેમ કે એ દેરિદાની ફિલસૂફ તરીકેની સ્વાયત્ત કારકિર્દીનું પ્રારમ્ભબિન્દુ છે.

આ લેખમાળામાં અન્યતા આતિથ્ય મૈત્રી હિંસા ન્યાય કાયદા મૃત્યુદણ્ડ આતંકવાદ 9/11 વગેરે નીતિમત્તાવિષયક બાબતો તેમ જ સ્નેહ પ્રેમ જાતીયતા જીવન મૃત્યુ શુભ દુરિત તેમ જ કેળવણી સાહિત્ય અને રાજકારણ વિશેના દેરિદાના વિચારો હું યથાપ્રસંગે પરિચયાર્થે રજૂ કરીશ પણ આ ક્ષણે એમના અધ્યયન-અધ્યાપનની આ ચાલુ વારતા સમ્પન્ન કરું. 

ડિપ્લોમા પછી ડૉક્ટરલ થીસીસ માટે દેરિદાએ વિલક્ષણ વિષય પસંદ કરેલો : The Ideality of the Literary Object. ખાસ્સું કામ થયેલું પણ પ્રોજેક્ટ પડતો મૂકવો પડેલો કેમ કે વચગાળે જ માર્ગદર્શક હીપોહ્લીટનું અવસાન થયેલું. તેમ છતાં વરસો પછી ૧૯૮૦માં દેરિદાને એમના sur travauxને આધારે – વિદ્યાકીય સમગ્ર કાર્યને આધારે – ડૉક્ટરેટની પદવી આપવામાં આવેલી. એ થીસીસ-ડીફેન્સમાં દેરિદાએ રજૂ કરેલાં સમર્થનો અને વિચારો એમના The Time of Thesis: Punctuations ગ્રન્થમાં ઉપલબ્ધ છે. એમાં એ પ્રસંગના સ્વાનુભવ વિશે અને શૈક્ષણિક તેમ જ વિદ્વત્તાયુક્ત લેખનમાં વિરામચિહ્નોના ફિલસૂફીપરાયણ સંકેતો વિશે દેરિદાએ સરસ વાતો કરી છે. 

૧૯૫૬-૫૭માં દેરિદા બોટમાં અમેરિકા જાય છે. એમને હાર્વર્ડ યુનિવર્સિટીની સ્કૉલરશિપ મળી હોય છે. આશય હતો હ્યુસેર્લની હસ્તપ્રતોના અધ્યયનનો પણ ભાઇસાહેબે હાર્વર્ડમાં બેસીને જૉય્યસની Ulysses વાંચ્યા કરેલી. જો કે એ નવલનું ઊંડું અધ્યયન કરેલું. વિઘટન સંદર્ભે Ulyssesને એમણે સીમાચિહ્નરૂપ સર્જનાત્મક કૃતિનો દરજ્જો આપ્યો છે. ત્યારે દેરિદા ફ્રૅન્ચ મનોવિશ્લેષક Marguerite Aucouturierને પરણ્યા હતા જેમનું 2020-માં કોરોનાવાઇરસને કારણે ૮૭ વર્ષની વયે અવસાન થયેલું.

દેરિદાએ વરસો લગી પૅરીસની Sorbonne universityમાં ફિલસૂફીનું અધ્યાપન કર્યું. પછીનાં વરસોમાં અમેરિકાના અનેક પ્રવાસો કર્યા. ૧૯૭૫-થી ૮૬ દરમ્યાન તેઓ દર વર્ષે યેલ યુનિવર્સિટી ગયા હતા. એ સમયગાળાના વિવેચનને Yale School નામ અપાયું છે. (૧૯૯૨-માં હું યેલમાં ‘વિઝિટિન્ગ ફૅલો’ તરીકે ગયેલો, પૃચ્છા કરેલી કે કશું દેરિદાની સ્મૃતિમાં સચવાયું હતું કે કેમ. પણ એ લોકો પાસે ચૉક્કસ કશું હતું નહીં.). ૧૯૮૭-થી અનેક વર્ષો લગી દેરિદા કૅલિફોર્નિયાની ઇર્વિન યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપવા ગયા હતા.

પરન્તુ ૧૯૬૬-માં બાલ્ટિમોરની જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીની મુલાકાત એમના માટે તેમ જ એમના અંગ્રેજીભાષી અધ્યેતાઓ માટે, સવિશેષે અમેરિકન વિદ્વાનો માટે, ફળદાયી પુરવાર થઈ. યુનિવર્સિટીએ યોજેલા એ અન્તરરાષ્ટ્રીય જ્ઞાનસત્રમાં દેરિદાએ વ્યાખ્યાન આપ્યું : Structure, Sign, and Play in the Discourse of the Human Sciences. માત્ર ૩૬ વર્ષના દેરિદાની કારકિર્દીમાં યશકલગીરૂપ એ વ્યાખ્યાન અનુ-સંરચનાવાદ અને વિઘટનશીલ ફિલસૂફી તેમ જ ચિન્તન માત્ર માટે પાયાનું પુરવાર થયું છે. 

વિશેષ વાચન માટે સૂચિ :

1
Derrida, J. (1973). Speech and Phenomena: And Other Essays on Husserl’s Theory of Signs. Translated by D. B. Allison. Evanston: Northwestern University Press.
2
An article titled ‘Difference and Presence: Derrida and Husserl’s Phenomenology of Language, Time, History, and Scientific Rationality’ is authored by Rudolf Bernet, Charles Driker-Ohren, and Mohsen Saber. link.springer.com
3
aphelis.net ‘Punctuations: The Time of a Thesis’ by Jacques Derrida, tr. Kathleen McLaughlin, Stanford: Stanford University Press, 2004.
4
‘: A Biography’ by Benoît Peeters, tr. Andrew Brown, Polity Press,  2013.
= = =
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ : “પરબ” : May 2025-માં પ્રકાશિત લેખ —
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિસ્તારવાદને પડતો મૂકો : નકશા કરતાં વધારે પ્રેમ માણસને કરો

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 May 2025

હેમન્તકુમાર શાહ

પાકિસ્તાન સાથેનું યુદ્ધ અત્યારે ટળ્યું તે તો સારું જ થયું. તમામ રાજનેતાઓએ યુદ્ધ કાયમ ટાળવું જ જોઈએ. કોને લીધે એ ટળ્યું અને કેવી રીતે એ ટળ્યું એ બધા તદ્દન જુદા મુદ્દા છે. પરંતુ શાંતિ ફરી ઊભી થઈ એ અગત્યનું છે. 

પણ અત્યારે એમ કહેવામાં આવે છે કે POK લઈને ભારતમાં ભેળવી દેવાની આ તક હતી અને તે નરેન્દ્ર મોદીએ ગુમાવી દીધી છે. 

૧૯૭૧માં યુદ્ધ થયું અને બાંગ્લાદેશ બન્યો તે પછીના વિશ્લેષણમાં અનેક વાર એમ કહેવામાં આવતું રહ્યું હતું કે સિંધ, POK અને બાંગ્લાદેશ પણ ભારતમાં ભેળવી દેવાની તક ઇન્દિરા ગાંધીએ ત્યારે ગુમાવી દીધી હતી. 

જો કે, એક સ્વતંત્ર દેશ એવા સિક્કિમને ઇન્દિરા ગાંધીએ જ ૧૯૭૫માં ભારતમાં ભેળવી દીધો હતો.

ભા.જ.પ.ના પૂર્વાશ્રમ જનસંઘના એક નેતા હતા કે.આર. મલકાણી. તેમણે મોરારજી દેસાઈ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે એમ કહેલું કે નેપાળ તો ભારતનો જ ભાગ હતો અને તે ભારતનો ભાગ બનવો જોઈએ. RSS તો જેને અખંડ ભારત કહે છે તેમાં પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, માલદીવ, શ્રીલંકા વગેરેનો સમાવેશ થાય છે. એવું ભારત બનાવવાના અભરખા છે એને.

બીજી તરફ, તેના પ્રચારક એવા નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે તા.૦૪-૦૭-૨૦૨૦ અને તા.૦૨-૦૮-૨૦૨૪ના રોજ બે જુદા જુદા પ્રસંગોએ એમ કહેલું કે હવે વિસ્તારવાદનો જમાનો રહ્યો નથી. મોદી અને RSS આ બાબતમાં સામસામે છેડે છે ને? 

જ્યારે દેશોની સરહદોનો વિસ્તાર વધારવાનો પ્રયાસ થાય છે ત્યારે મોટે ભાગે યુદ્ધો થાય છે અને માણસો મરે છે એ એક હકીકત છે. 

રાજનેતાઓના પોતાના દેશના નકશા મોટા કરવાના આ અભરખામાં તેઓ તો નથી મરતા પણ લોકો મરે છે. 

દા.ત. અત્યારે હવે રશિયાના પુતિન યુક્રેન સાથે શાંતિ સમજૂતી કરે તો પચાસેક વર્ષ પછી રશિયન લેખકો એમ પણ કહે કે આખું યુક્રેન રશિયામાં ભેળવી દેવાની તક પુતિને ગુમાવી દીધી હતી.

અમેરિકાના ટ્રમ્પ કેનેડા અને ગ્રીનલેન્ડ અમેરિકામાં ભેળવી દેવાની વાતો કરે જ છે. 

સવાલ એ છે કે, શાંતિથી, લોહી રેડ્યા વિના, જીવવું છે કે નહીં? દેશોના નકશા તો કાયમ બદલાતા જ રહ્યા છે. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. 

જો શાંતિથી જીવવું હોય તો રાજનેતાઓના આ વિસ્તારવાદને ટેકો આપવાનું લોકોએ બંધ કરવું જોઈએ. યુદ્ધના નાણાકીય ખર્ચ અને માનવ ખર્ચનું લોકોને સામાન્ય રીતે ભાન હોતું નથી. નેતાઓ લોકોને રાષ્ટ્રભક્તિને નામે યુદ્ધને માટે ઉશ્કેરે છે. લોકોએ એ ચાલમાં ફસાવું જોઈએ નહીં. નકશાને નહિ, માણસને પ્રેમ કરવાની કલા વિકસાવવાની જરૂર છે. એને માટે હિંસા ત્યજીને અહિંસાનો રસ્તે ચાલવાની રીત અપનાવવી પડે. 

ભારતની જેટલી સરહદ અત્યારે છે તેટલી પણ સચવાઈ રહે એટલે ભયો ભયો. કારણ કે આવી સરહદ ૧૯૫૦માં પહેલી જ વાર બની છે. બધા અભરખા ત્યજો અને શાંતિથી જીવો અને દુનિયામાં બીજાને જીવવા પણ દો. 

તા.૧૪-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

3 दिन का युद्ध  – न 3 के, न 13 के ! 

कुमार प्रशांत|Opinion - Opinion|15 May 2025

कुमार प्रशांत

वह कहावत है न : हाथ के तोते उड़ जाना, वह ऐसे ही वक्त के लिए बनी है. उन सभी जंगबाजों के हाथ के तोते उड़ गए हैं जो पिछले 3 दिनों से प्रधानमंत्री को ललकार रहे थे कि बस, अब रुकना नहीं है, इस्लामाबाद व लाहौर जेब में ले कर ही लौटना है- “ बस, देखिएगा मोदीजी, अब पीओके जैसा कोई क्षेत्र नक्शे पर बचना नहीं चाहिए.” लेकिन ऐसे सारे शोर धरे रह गए और 3 दिनों में पाकिस्तान के साथ हमारा अब तक का सबसे छोटा युद्ध समाप्त हो गया.

कोई भी युद्ध समाप्त हो और शांति किसी भी रास्ते लौटे तो मेरे जैसा आदमी उसका हर हाल में स्वागत ही करेगा. शांति शर्त नहीं, जीवन है. लेकिन नहीं, यहां मुझे यह भी कह देना चाहिए कि ऑपरेशन सिंदूर ( इस नाम से मुझे वितृष्णा होती है लेकिन यही नाम चलाया गया है !) जिस रास्ते विराम तक आया है, उससे मुझे आशंका हो रही है कि यह शांति किसी बाज के चंगुल में दबी हुई है. होंगे अमरीका के वर्तमान राष्ट्रपति डोनल्ड ट्रंप किसी के परम मित्र लेकिन शांति के लिए उनकी मध्यस्थता युद्ध से कम खतरनाक नहीं है. यदि प्रधानमंत्री का यह कहना सच है कि यह शांति अमरीका की मध्यस्थता से नहीं, भयाक्रांत पाकिस्तान व विजयश्री को वरण करने वाले हिंदुस्तान की समझदारी से आई है, तो ट्रंप महाशय के इस काइयांपन को कठोरता से बरजना नहीं चाहिए क्या कि उन्होंने सबसे पहले, किसी से भी पहले ट्विट कर मध्यस्थता का दावा भी कर दिया, समझदारी दिखाने के लिए दोनों ‘बच्चों’ की पीठ भी थपथपा दी, दोनों को साथ बिठा कर ‘सॉरी’ कहने के लिए ‘तटस्थ स्थान’ भी बता दिया और इस विवाद से बाहर आने में मार्गदर्शक बनने की पेशकश भी कर दी ? इतना ही नहीं, यह भी कह दिया कि मेरे कहने से ‘आत्मसमर्पण’ नहीं करोगे तो मैं धंधा-पानी बंद कर दूंगा. यह सब किसी के हवाले से नहीं, सीधे ट्रंप महाशय के श्रीमुख से हमने भी सुना, मोदीजी ने भी सुना और सारी दुनिया ने सुना. उनके इस काइंयापने को बरजना तो दूर, न भारत ने, न पाकिस्तान ने मित्र ट्रंप से ऐसा कुछ भी कहा; बल्कि पाकिस्तान ने तो उनका सार्वजनिक तौर पर आभार भी माना. अंतरराष्ट्रीय राजनीति के इस दौर में अमरीका व ट्रंप का यह रवैया अत्यंत खतरनाक है. इसकी गहरी और गहन छानबीन होनी चाहिए. लेकिन अभी हम ख़ुद को तो देखें, फिर ट्रंप महाशय की बात करते हैं.

पहलगांव में पाकिस्तान ने जो अमानवीय कारनामा किया, उसके बाद किसी भी सरकार के लिए चुप बैठना संभव नहीं था. आजादी के बाद से अब तक पाकिस्तान से हमारी जितनी भी जंग हुई है, उसके पीछे कहानी यही रही है कि पाकिस्तान ने हमारे सामने दूसरा कोई रास्ता छोड़ा ही नहीं ! लेकिन एक फर्क भी है जिसे भी समझना जरूरी है. कारगिल और पहलगांव, दोनों के साथ एक बात समान है कि इन दोनों युद्ध के पीछे सरकार की अक्षम्य विफलता को छिपाने और ख़ुद को महिमामंडित करने की कोशिश हुई है. आप हिसाब लगाएं तो इन दोनों मौकों पर देश की कमान भारतीय जनता पार्टी के हाथ में थी. कारगिल में पाकिस्तान भीतर घुस आया, पहाड़ियों में उसने अपनी मजबूत जगह बना ली, हथियार, गोला-बारूद जमा कर लिया और अटलबिहारी वाजपेयी की सरकार सोती रही. बाद में सैंकड़ों जवानों के रक्त से अपनी यह नंग छुपाई गई. ऐसा ही पहलगांव में हुआ. हमारी गुप्तचर एजेंसी और हमारी सुरक्षा-व्यवस्था कहां सो रही थी कि पाकिस्तान से आतंकवादी निकले और पहलगांव के उस इलाके में पहुंच गए जहां सैंकड़ों सैलानी जमा थे ? जिस कश्मीर का चप्पा-चप्पा आपकी मुट्ठी में है और जहां कोई कश्मीरी पलक भी झपकाता है, तो आपको पता चल जाता है, ऐसा दावा गृहमंत्री करते नहीं अघाते हैं, वहां ऐसी असावधानी ? और शर्मनाक यह कि उसके बारे में कोई सफ़ाई आज तक नहीं दी गई, कोई माफी नहीं मांगी गई. सिर्फ एक ही आवाज सुनाई देती है कि ‘ट्रेड’और ‘टॉक’ एक साथ नहीं चल सकते; कि ख़ून और पानी एक साथ नहीं बह सकते ! यह किसी तुक्काड़ की कविताई न हो तो मैं पूछना चाहता हूं कि ‘सरकार’ व ‘बेकार’ एक साथ चल सकते हैं क्या ? इतिहास बताता है कि मात्र संसदीय बहुमत के बल पर देश नहीं चलता है. पूछना हो तो इंदिरा गांधी और राजीव गांधी दोनों से पूछिए, और पूछिए अटलबिहारी वाजपेयी से. फिर आप इस गफ़लत में क्यों जी रहे हैं कि संसदीय बहुमत है, तो आप देश को मनमाना हांक लेंगे ?

कोई बताए कि 3 दिनों के इस युद्ध से हासिल क्या हुआ ? खोखली राजनीतिक शेखी  व चुनावी फसल काटने की तैयारी आदि की बातें तो अहले-सियासत जाने, हम तो देख रहे हैं कि 3 दिनों की इस ड्रोनबाजी से हमारे हाथ कुछ भी नहीं आया. न हम पाकिस्तान को इतना कमजोर कर सके कि वह आगे कोई दूसरा पहलगांव करने की हिम्मत न करे, न हम अंतरराष्ट्रीय शक्तियों को अपने पीछे इस तरह खड़ा कर सके कि कोई पाकिस्तान, कि कोई चीन उसकी तपिश महसूस कर सके. सीखना ही हो तो यूक्रेन से सीखें हम कि जिसके पीछे सारा यूरोप खड़ा ही नहीं है, उसकी सक्रिय मदद भी कर रहा है. वहां भी सबसे कमजोर कड़ी ‘मित्र ट्रंप’ ही हैं. दौड़-दौड़ कर विदेश जाने वाला, जबरन गले पड़ने वाला हमारा कूटनीतिक बौनापन ऐसा रहा है कि आज हमें व पाकिस्तान दोनों को एक ही पलड़े में रख कर, ट्रंप ने अपनी झोली में डाल लिया है. अमरीका भी जानता है कि पाकिस्तान के पीछे चीन खड़ा है, और वह यह भी जानता है कि आज पुतिन का रूस, चीन के ख़िलाफ़ दूर तक नहीं जा सकता है. अंतरराष्ट्रीय बिरादरी में हमारे इस तरह अलग-थलग पड़ जाने से देश बड़ी अटपटी हालत में आ गया है.

3 दिनों की इस ड्रोनबाजी ने हमें एकदम बेपर्दा कर दिया है. हमें यह सच्चाई पहली बार समझ में आई है कि हथियारों का जितना भी जखीरा हम जमा कर लें, उसका हम मनमाना इस्तेमाल नहीं कर सकते. इसलिए युद्ध में किसी को निर्णायक रूप से परास्त कर देना आज आसान नहीं है. हमारी फौज बली है, यह दावा हम करते रहें लेकिन यह सच्चाई भी समझते रहें कि कोई भी फौज उतनी ही बली होती है जितना बली होता है उसके पीछे खड़ा समाज ! हमने अपने समाज का क्या हाल बना रखा है ?

हमारा समाज कैसे ऐसी भीड़ में बदल दिया गया है कि जिसके पास युद्धोन्माद की मूढ़ नारेबाजी के अलावा कहने को कुछ बचा ही नहीं है ! हमारा मीडिया इन 3 दिनों में अपने पन्नों व पर्दों पर जैसा ‘फेक’ युद्ध लड़ने में जुटा हुआ था, उससे तो वीडियो गेम खेलने वाला कोई बच्चा भी शर्मा जाए ! पहलगांव में असावधानी की हर सीमा पार करने वाली सरकार, देश के भीतर खबरों के बारे में इतनी सावधान थी कि सबको वही कहना व लिखना था जो सरकार कहे. इस सरकार ने ऐसा माहौल बना रखा है कि जैसे आज राष्ट्रीय सुरक्षा को सबसे बड़ा खतरा स्वतंत्र सोच व समाचार से है. हमारा तथाकथित ‘विशेषज्ञ बौद्धिक’ कितना विपन्न है, यह भी इन 3 दिनों में पता चला. यूट्यूब जैसे माध्यम, जो देश के विमर्श को एक दूसरा आयाम दे रहे थे, उन सबको चुन-चुन कर बंद कर दिया गया. एक माहौल ऐसा बनाया गया कि जब राष्ट्रीय सुरक्षा खतरे में पड़ी हो तब आप लोकतांत्रिक अधिकारों की बात कैसे कर सकते हैं ? आपके ऐसे रवैये से दो बातें पता चलीं : पाकिस्तान जैसा खोखला हो चुका देश भी मात्र 3 दिनों में हम जैसे सर्वसाधनसंपन्न देश की सुरक्षा को खतरे में डाल सकता है; और यह भी कि लोकतांत्रिक अधिकारों से देश मजबूत नहीं बल्कि कमजोर होता है. अगर सर्वोच्च न्यायपालिका को अपने नमक का कर्ज उतारना हो तो उसे इस अवधारणा का स्वत: संज्ञान लेना चाहिए.

सारे चैनल कह रहे थे, सारे अखबार भयानक उबाऊ एकरसता से लिख रहे थे, प्रधानमंत्री भी बोल रहे थे और उसकी प्रतिध्वनि सारे मंत्रियों के भीतर से भी उठ रही थी कि हमने जवाब दे दिया – 26 निरपराध भारतीयों की हत्या का जवाब हमने दे दिया ! कैसे जवाब दिया ? 26 लाशों के बदले 100 लाशें गिरा कर ? यह किसी शांतिवादी या गांधी या बुद्ध वाले का तर्क नहीं है, सामान्य समझ की बात है कि बदला भले लिया हमने लेकिन जवाब तो कुछ भी नहीं बना. दोनों सरकारें नहीं बता रही हैं कि फौजी व नागरिक मिला कर कुल कितने लोग मारे गए ? लेकिन आपकी ही दी खबरें, आपके  ही दिखाए मंजर बताते हैं कि हमारी अचूक गोलाबारी तथा पाकिस्तान की जवाबी कार्रवाई में कई जानें गई हैं, काफी बर्बादी हुई है. सत्ता व संपन्नता के शिखर पर बैठे लोग एक ही बात बार-बार दोहराते हैं कि हमारे जांबाज जवानों ने… हमारी फौज की वीरता ने … वे हैं तो हम रात में चैन की नींद सो पाते हैं आदि-आदि. लेकिन जांबाज जवानों से अपनी जगह बदले की तैयारी कितनों की है, कोई बताता नहीं है. ट्विटर-फ़ेसबुक आदि ने बहादुरी की टके भर क़ीमत नहीं रहने दी है. जो यहां हो रहा है, वही पाकिस्तान में भी हो रहा है. पराजित आदमी की तरह ही पराजित मुल्क भी ज्यादा प्रगल्भ होता है, तो पाकिस्तान की यह मनोभूमिका हम समझते हैं. लेकिन अपनी मनोभूमिका पाकिस्तान जैसी क्यों होती जा रही है ? तो कहना होगा कि दोनों ने अपना-अपना जवाब दे दिया है, और खाली हो गए हैं. युद्ध के दरवाजे भी फ़िलहाल बंद हो गए हैं तो बात खत्म हो गई. अब कोई कहे कि किसने किसको जवाब दे दिया ? अपनी परंपरा व पौराणिकता की शेखी बघारने वालों को याद रखना चाहिए कि महाभारत के युद्ध के अंत में आ कर धर्मराज युधिष्ठिर का रथ भी धरा से आ लगा था और वे भी अपनी खाली हथेली देख कर यही पूछ रहे थे कि हाथ क्या आया ?

मौत जिंदगी का जवाब नहीं है, वह तो जिंदगी का अंत है. जिंदगी है तो सवाल हैं; और सवाल हैं तो उनका जवाब भी होगा जिन्हें हमें खोजना है. अाज हम नहीं खोज सके, तो कोई बात नहीं. खोजते रहेंगे तो जवाब मिलेगा. हमारे बस में इतना ही है कि हम खोजने में ईमानदार हों. बुद्ध अनगिनत सालों पहले यही तो कह गए : तुम जैसा सोचते हो, वैसे ही बन जाते हो. इसलिए युद्ध भी लड़ें तो मानवीयता भूल कर नहीं, ज्वर भी चढ़े तो युद्धोन्माद का नहीं, क्योंकि हमें किसी भी सूरत में न अमानवीय बनना है, न बनाना है. हमें वैसा देश नहीं बनाना है, हमें वैसा नागरिक नहीं बनना है जो नेवी के लेफ्टिनेंट विनय नरवाल की पत्नी हिमांशी के चरित्र पर इसलिए कीचड़ उछालता है कि उसने पहलगांव में आतंकवादियों द्वारा अपने पति की हत्या के बाद भी देश को देशी आतंकवादियों के हाथ सौंपने से मना कर दिया; मध्यप्रदेश के भाजपा मंत्री विजय शाह ने कर्नल सोफिया कुरैशी के बारे में जो अपमानजनक बातें कहीं वह ज़ुबान की फिसलन भर नहीं, उस खास मानसिकता का परिचायक है जिसके प्रधान व्याख्याता कपड़ों से अपने नागरिकों की पहचान की बात करते हैं; यही लोग हैं जो हमारे आला विदेश सचिव विक्रम मिसरी पर इसलिए लांक्षन लगाते हैं कि उन्होंने युद्धविराम की खबर देते हुए शालीनता नहीं छोड़ी. उन्माद का राक्षस हमेशा इसी तरह भूखा होता है – “उसे पानी नहीं भाता / सियासत ख़ून पीती है.”

(14 जून 2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...151152153154...160170180...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved