હવે પડવા, ગબડવા કે આખડવાનો ડર નથી મને,
હું સ્થિર થયા પછી લડખડાયેલો માણસ છું.
બગડી જશે આકાર એ ચિંતાનો વિષય નથી હવે,
હું બધી બાજુએથી ગોબાયેલો માણસ છું.
નવું કોઈ મિલન થશે એ અભિલાષા નથી હવે,
હું દશેય દિશાઓથી તરછોડયેલો માણસ છું.
ધક્કામુક્કીથી સાવ ટેવાઈ જ ગયો છું હવે,
હું સહુ દ્વારા એક હડસાયેલો માણસ છું.
મનાવવાની કોશિશ વ્યર્થ જ નીવડશે હવે,
‘મૂકેશ’ હું તો સ્વથી જોડાયેલો માણસ છું.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mai : mparikh@usa.com
![]()


ભલે આઈઝેક ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો હોય, અને આઈન્સ્ટાઈને એમાં મહત્ત્વનાં અને દૂરગામી ફેરફારો સૂચવ્યા હોય; આઈન્સ્ટાઈનની પરિકલ્પના મુજબનાં 





હમણાં એક ‘લોકપ્રિય’ વક્તાએ મંચ પરથી કહ્યું કે તમારે લોકપ્રિય થવું હોય તો છાપામાં કૉલમ લખતા થાવ. આ જ વક્તાને કહેતા સાંભળ્યા છે કે ઘણા ગુજરાતી લેખકો એવું લખે છે કે ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે છે. આ વક્તાની જેમ એક ‘લોકપ્રિય’ બહેન છે, જે વ્યંગમાં કહે છે કે અમે તો લોકપ્રિય છીએ, અમારાં આટલાં બધાં પુસ્તકો વેચાય છે, પણ અમે સાહિત્યકાર ન ગણાઈએ …