Opinion Magazine
Number of visits: 9569615
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

नहीं मदनी साहब, नहीं !

कुमार प्रशांत|Opinion - Opinion|7 June 2022

जमीयत उलेमा-ए-हिंद के एक धड़े के अध्यक्ष और भारतीय मुसलमानों की सशक्त व विवेकसम्मत आवाज़ मौलाना महमूद मदनी साहब से मैं कहना चाहता हूं कि अभी-अभी देवबंद में की गई आपकी तक़रीर न देश के हित में थी, न मुसलमानों के और न विवेक के. क्रोध और असहायता मनुष्य को इस कदर कमजोर कर देती है कि वह खुद खुद को संभाल नहीं पाता है. ऐसा ही उस रोज मदनी साहब के साथ भी हुआ.

मैं जानता हूं कि मुल्क में इन दिनों हवा ऐसी बह रही है या कि बहाई जा रही है कि संयम व संतुलन रखना आसान नहीं रह गया है. मैं यह भी जानता हूं और मुझे उसकी गहरी शर्म भी है कि हमारा मुस्लिम समाज इन दिनों गहरे तनाव में जी रहा है. वह डरा हुआ भी है, सशंकित भी है और इन दोनों से उपजने वाली असहायता का भाव उसमें घर करता जा रहा है. ऐसी मनःस्थिति में कोई व्यक्ति रहे या समाज, वह आक्रामक दीखने की कोशिश करता ही है. हमला ही उसे हथियार लगने लगता है. ऐसा ही हमारे मुसलमान समाज के साथ हो रहा है. लेकिन क्या हो रहा है और क्या होना चाहिए, यदि इसका विवेक हम खो देंगे तो वह देश व समाज भी खो देंगे जिसके नाम पर यह सारा कुछ रचा जा रहा है. नाजुक दौर में लचीला मन बहुत ज़रूरी होता है.

मदनी साहब ने अपनी तकरीर में कहा : “हम ज़ुल्म सह लेंगे लेकिन मुल्क पर आंच नहीं आने देंगे.” यह कहते हुए वे इतने भावुक हो उठे कि उनकी आवाज़ रुंध गई, आंसू निकल पड़े. उन्होंने जो कहा और उनके जो आंसू बहे, आज हमें उनकी ज़रूरत है. यह भावुक अहसास यदि मुल्क के हर वाशिंदे के दिल में हो तो बात ही क्या ! मुल्क पर कैसी भी आंच तभी आती है जब मुल्क हमारी नजरों में नहीं रहता है. मदनी साहब ने ही आगे कहा : “मुश्किल को झेलने के लिए हौसला और ताक़त चाहिए.” उन्होंने अपने श्रोताओं को आगाह भी किया: “मुल्क में नफरत के खिलाड़ियों की संख्या कम है. यदि हम भी उन जैसे ही हो जाएंगे तो वे जीत जाएंगे.” यही तो सारा खेल है मदनी साहब कि वे सबको अपने जैसा बनाना चाहते हैं. अतिवादियों को ऐसे लोगों और ऐसे समाज से हमेशा परेशानी होती है जो मुल्क को देखता है और इंसान को समझता है. इसलिए अतिवादियों की कोशिश होती है कि हर आदमी सन्निपात में रहे ! जो होश में नहीं है उसे भीड़ में बदल लेना आसान होता है. इधर समाज भीड़ में बदला और उधर लगाम अतिवादियों के हाथ में आई ! इस खेल में जब सत्ता भी शामिल हो जाती है तब भीड़ निर्द्ंद्व हो कर आदमियों का शिकार करने लगती है.

इसलिए मुश्किल में मदनी साहब ही नहीं हैं, मुल्क का हर बाहोश आदमी मुश्किल में है. सत्ता जब समाज का भरोसा खो देती है तब जैसी आपाधापी मचती है, हमारा मुल्क वैसी कगार पर ला खड़ा किया गया है. सत्ता के सच और समाज के सच की दूरी लगातार बढ़ती जा रही है. यह ख़तरनाक दौर है. एक कदम फिसला, एक पल को आपने आपा खोया, एक जगह जीभ फिसली और बेड़ा तर्क ! यह इतना ख़तरनाक दौर है. इसलिए मदनी साहब ने जब यह कहा कि ‘ मुसलमान देश की एकता के लिए जान देता आया है और जान देता रहेगा’ तब वे उधर भटकने लगे जिधर अतिरेकी जमात हमें ले जाना चाहती है.

मदनी साहब जैसे क़द्दावर शख़्स को अब हिंदुस्तानी से छोटी किसी ज़बान में बात करनी ही नहीं चाहिए. मुसलमान ने नहीं, हर हिंदुस्तानी ने मुल्क की एकता के लिए जान दी है, और आज भी वही अपनी गर्दन आगे कर रहा है. जिन्होंने न तब गर्दन आगे की थी, न आज कर रहे हैं वे हिंदुस्तानी नहीं हैं. ऐसे लोगों में हिंदू भी हैं, मुसलमान भी हैं, और दूसरे धर्मावलंबी भी. यह बात हजार-हजार कंठों बोलनी चाहिए कि ऐसे सभी अतिवादी संकीर्णता के सिपाही थे जिन्होंने मुल्क की गर्दनें कटवाईं, देश के टुकड़े करवाए, गांधीजी को गोली मारी तथा दंगे-फसादों के रास्ते कुर्सी पानी चाही. हम वो नहीं हैं.

मदनी साहब यह कैसे कह गए कि हमें मौक़ा मिला था पाकिस्तान जाने का लेकिन हम नहीं गए ? यह तो अधूरा सच है. बाजवक्त मुसलमानों की तरफ़ से ऐसी बात कही जाती है. कभी ऐसा कह लेने में और सुन लेने में हर्ज भी नहीं है लेकिन आज के माहौल में यह सच्चाई बयान करनी चाहिए कि मौका सिर्फ़ मुसलमानों को नहीं मिला था कि वे पाकिस्तान चले जाएं, मौक़ा हिंदुओं को भी मिला था कि वे सारे  मुसलमानों को खदेड़ कर पाकिस्तान भेज दें. लेकिन तब हिंदुओं ने जिन्ना की नहीं, गांधी की बात सुनी जो अपनी सांसों का अंतिम तार संभाले, हर गली-नुक्कड़ से एक ही बात बोल रहे थे : दो राष्ट्रों का सिद्धांत हमने नहीं, जिन्ना साहब ने कबूल किया है. उनकी मानने वाले जितने जाना चाहें पाकिस्तान चले जाएं लेकिन जो हिंदुस्तान में रहना चुनेंगे वे पूरे हक, सम्मान व वफादारी के साथ भारत में रहेंगे और भारतीय कहलाएंगे. पागलपन के उस दौर में भी हिंदुओं के बहुमत ने गांधी की सुनी. मदनी साहब आप और दूसरे मुसलमान यहां रह सके, इसकी पूरी सच्चाई यह है. इसलिए नहीं जाने वाले मुसलमानों ने इस मुल्क पर अहसान नहीं किया, इस मुल्क की भली-बुरी क़िस्मत से अपने को जोड़ा.

इतना ही नहीं, ऐसे मुसलमान भी थे जो पाकिस्तान चले गए, वहां की हवा देखी-भाली और फिर भारत लौट आए जैसे वे मुल्क नहीं, तफ़रीह की जगह चुन रहे थे. लेकिन गांधीवाले हिंदुओं ने उनको भी जगह दे दी. इसलिए पहचान करनी ही हो तो  हिंदुओं-मुसलमानों के नाम करना सही नहीं है; करना ही हो तो गांधीवाले और जिन्नावाले जैसा विभाजन करें. मुझसे पूछेंगे मदनी साहब तो मैं कहूंगा कि साहब, अब ऐसी भाषा व ऐसी सोच को हम इतिहास में ही दफन कर दें और हिंदुस्तानी से छोटी किसी पहचान की बात ही न करें.

इसलिए मदनी साहब ने जब कहा कि अगर किसी को हमारा मज़हब, लिबास, तहज़ीब पसंद नहीं है तो वे ख़ुद कहीं और चले जाएं, तो वे जिन्ना वालों के जाल में फंस गए. जिन्नावाले हमें बात-बात पर कहते हैं कि पाकिस्तान चले जाओ, तो क्या हम भी उनसे ऐसा ही कहें ? फिर तो हम सब गांधी को छोड़ कर जिन्ना वाले ही बन गए न ! नहीं मदनी साहब, नहीं, जो हमें पाकिस्तान जाने को कहते हैं, हम उन्हें भी हिंदुस्तान में ही रहने देना चाहते हैं – सिर्फ़ उनका सर बदलना चाहते हैं. जहर निकल जाए तो कोई सांप खतरनाक नहीं होता है. अच्छा सपेरा यही तो करता है न !

हम उनसे हर कदम पर लड़ रहे हैं जो इतिहास-संस्कृति की ज़हरीली व्याख्या कर भारतीय समाज को गंदले तालाब में बदलना चाहते हैं. फिर हम यह कैसे मान सकते हैं कि शरीअत अंतिम बात है ? समान नागरिक क़ानून की उनकी मांग के पीछे यह चोर छिपा है कि बहुमत हमारा है, तो हमारे पक्ष का क़ानून बनेगा. ऐसे में जब हम शरीअत को अपरिवर्तनीय बताते हैं तो हम उनका ही पक्ष मजबूत करते हैं. हमें बेझिझक कहना चाहिए कि हम भी समान नागरिक क़ानून चाहते हैं क्योंकि यही हमारे संविधान की आत्मा भी है. लेकिन यह समान नागरिक क़ानून कौन बनाएगा, कैसे बनाएगा, उसकी संवैधानिक वैधता कैसे प्रमाणित होगी यह सब तो कोई सामने रखे. हवा में तलवारबाज़ी किसी मतलब की नहीं होती.

हम इस मुश्किल दौर को साथ रह कर ही पार कर सकेंगे.

(06.06.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

છૂટાછેડા વિયોગ છે, નહીં કે વ્યવસાય !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 June 2022

આમ તો લગ્ન એક વ્યવસ્થા છે. એમાં લગ્નોત્સુક સ્ત્રીપુરુષો ધાર્મિક વિધિથી કે કોર્ટ પદ્ધતિથી લગ્નગ્રંથિથી જોડાય છે ને પતિપત્ની તરીકે રહેવાનું-જીવવાનું શરૂ કરે છે. એટલે લગ્નમાં સૌથી પ્રથમ જોડાય છે વર અને કન્યા. ઉંમર લાયક વર અને કન્યા લગ્ન માટે રાજી હોય તે પહેલી જરૂરિયાત છે. આ રાજીપામાં વર અને કન્યાનું કુટુંબ પણ જોડાય છે તો લગ્નવિધિ કુટુંબની સંમતિથી સંપન્ન થાય છે. જો કોઈ એકનું કુટુંબ રાજી ન હોય તો પણ લગ્ન શક્ય છે ને કોઈ કુટુંબ રાજી ન હોય તો પણ વરકન્યા લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે. ટૂંકમાં, લગ્ન માટે પહેલી જરૂર છે વર અને કન્યાની. વર કે કન્યાનું કુટુંબ આમાં ન જોડાય તો પરણનારાંઓએ શરૂઆતમાં કુટુંબની ખફગી વહોરવી પડે છે. પછી એવું બને છે કે વિરોધ નરમ પડે છે ને કુટુંબો નજીક આવે છે, તો એવું પણ બને છે કે છેવટ સુધી કોઈ કુટુંબો નજીક નથી જ આવી શકતાં. કહેવાનું એ છે કે લગ્ન માટે વરકન્યા રાજી હોય એ પહેલી જરૂરિયાત છે ને એ પછી કુટુંબી જનોનો સાથ જરૂરી થઈ પડે છે. લગ્નથી વરકન્યા તો નજીક આવે જ છે, પણ બે કુટુંબો ને ક્યાંક તો બે સમાજ પણ નજીક આવે છે. જ્ઞાતિમાં લગ્નો હજી થાય છે, પણ જ્ઞાતિ બહાર પણ લગ્નોનું પ્રમાણ વધ્યું જ છે. એવું પણ છે કે ધર્મો જુદા હોય તે પણ લગ્ન કરે છે. એવા સમાજ પણ ક્યારેક નજીક આવ્યા છે. એટલે લગ્નમાં ભલે શરૂઆતમાં બે વિજાતીય વ્યક્તિઓ અનિવાર્ય હોય, પણ પછી કુટુંબો, સમાજ ને ધર્મ પણ એમાં સંડોવાય છે. આવાં લગ્નો કુટુંબો ગોઠવતાં હોય તો એ પ્રેમલગ્નો પણ હોઈ શકે છે, એમાં બીજું બધું પછી ઉમેરાય છે, પણ ત્યાં સર્વ પ્રથમ જરૂરી બને છે પ્રેમ. આમાં લગ્ન પછી છે ને પ્રેમ પહેલાં છે. એવું પણ બને છે કે પ્રેમ, લગ્ન સુધી ન પહોંચે. કુટુંબ કે સમાજ કોઈક કારણે લગ્ન માટે રાજી નથી જ થતાં. એ પ્રેમીઓના હાથમાં છે કે બધું બાજુએ મૂકીને પરણવું અથવા કુટુંબ કે સમાજને રાજી રાખવા પ્રેમનું બલિદાન આપવું. પ્રેમ લગ્ન સિવાય એરેન્જ્ડ મેરેજ પણ કુટુંબો કરાવે છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે સરળ લાગતાં લગ્નો લાગે છે એટલાં સરળ નથી. આમ સહેલાઈથી થઈ જાય ને આમ થાય જ નહીં, એ લગ્નમાં શક્ય છે. લગ્ન થયાં પછી પણ બધું સરળ થઈ જાય છે એવું નથી. નવી આવેલી વહુએ સાસરે, બધાં સભ્યો સાથે ગોઠવાવાનું હોય છે, વડીલો અને અન્ય સગાંઓ સાથે અનુકૂળ થવાનું હોય છે ને તેઓ પોતાને પણ અનુકૂળ થાય એવી સ્થિતિ ધીરે ધીરે સર્જવાની હોય છે. કેટલીક વહુઓ એ કરી શકે છે તો કેટલીકને એ માફક નથી પણ આવતું. જેમને માફક નથી આવતું એમાં પણ પરિસ્થિતિ જુદી હોય છે. કેટલીકને પતિ સાથે ફાવે છે, પણ અન્ય સભ્યો સાથે પ્રશ્નો છે, તો કેટલીકને ઘરની વ્યક્તિઓ સામે ફરિયાદ નથી, તેને પ્રશ્નો છે પતિ સાથે. આ બંને સ્થિતિમાં બધાં જ સમસ્યા ઉકેલવા મથે છે. બંને પક્ષના વડીલોને, સંબંધીઓને વચ્ચે નાખવામાં આવે છે. એ બધાં સમજાવવાની કોશિશ કરે છે. ક્યારેક વાત પાટે ચડી જાય છે તો ક્યારેક વાત નથી પણ બનતી ને પરિણામ લગ્નભંગમાં આવે છે, છૂટાછેડા પર આવે છે. કારણો અનેક હોય છે, પણ છૂટાછેડા સુધી આવવાનું એક કારણ દીકરીના સાસરાપક્ષ તરફથી વખતોવખત થતી અનેક પ્રકારની માંગણીઓ છે. આમ તો વરપક્ષ લગ્ન પહેલાં જ દીકરીના બાપને ખંખેરી લેવામાં કોઈ કસર છોડતો નથી ને દીકરીનું સારું થાય એવી આશાએ બાપ ઘસાઈ છૂટે છે, પણ વાત એટલાથી પૂરી થતી નથી. સાસરું આખું જ ભુખાળવું થઈ ઊઠે છે. અનેક નિમિત્તે ને બહાને કૈં ને કૈં માંગવામાં આવે છે ને ક્યારેક તો દીકરીનો બાપ થાકે છે. સાસરું ત્યારે વહુને પિયર મોકલીને છૂટી કરી દે છે. દીકરી, બાપ પર બોજ ન બનવા માંગતી હોય તો આત્મહત્યા કરી લે છે અથવા દીકરાને બીજી વહુ મળી રહે એ માટે સાસરું જ વહુનો કાંટો કાઢી નાખે છે. વહુ કમાતી હોય તો સાસરું એકાએક તેને છોડવા તૈયાર નહીં થાય, કારણ તેનાં નોકરી-ધંધાથી થતી આવક ગુમાવવાની થાય, જો વહુ પોતે સાસરું છોડવા તૈયાર થાય તો તે પિયર જવાને બદલે એકલી રહેવાનું પસંદ કરશે ને યોગ્ય પાત્ર મળશે તો પરણી ય જશે. આ બધાંમાં એવું પણ બને છે કે ઘણાં કુટુંબોમાં કદી કોઈ માંગણી થતી નથી ને વરવહુ બહુ જ પ્રેમથી અને સમજદારીથી જિંદગી વિતાવે છે. એવું ઓછું હોય છે, પણ નથી હોતું એવું નથી.

જો કોઈ કુટુંબમાં વહુ માથાભારે હશે તો કૈં ન માંગ્યું હોય તો પણ સાસરું માંગ માંગ કરે છે એવું કહીને ફરિયાદ કરશે અને સાસરું સળિયા પાછળ ધકેલાય ત્યારે જ જંપશે. બનવું તો એવું જોઈએ કે ન ફાવતું હોય તો પતિ-પત્નીએ સમજીને છૂટાં થઈ જવું જોઈએ અને એકબીજાને કે એકબીજાનાં કુટુંબોને હેરાન કરવાથી બચવું જોઈએ. ઘણાં કુટુંબો ને પતિ-પત્ની એ રીતે વર્તે પણ છે, પણ અત્યારનો ટ્રેન્ડ જુદો છે. વહુ બંને બાજુથી ફસાતી હોય એવા દાખલાઓ પણ છે. સાસરું એ વાતે વહેમાતું હોય છે કે વહુને કોઈ ચડાવે છે એટલે એને પિયર કે પડોશમાં બહુ જવા દેવાતી નથી ને તે ગૂંગળામણ અનુભવતી હોય છે. કેટલાંક પિયર એવાં હોય છે પણ ખરાં જે એમ માનીને ચાલે છે કે દીકરીને સાસરામાં સુખ નથી એટલે દીકરીની મા, દીકરીનું ભલું કરવામાં ઘણું અહિત કરતી હોય છે. વહુએ સાસરામાં જ રહેવાનું હોય છે અને ત્યાં જ તે ઠરે નહીં એમ તેનું મગજ ભમાવાતું હોય છે. તેને કોઈનો ભરોસો ન કરવાનું શીખવાય છે ને સાસરું કાવતરાંખોર જ છે એવું ભણાવાતું રહે છે. એનું પરિણામ સુખદ હોતું નથી. એવું પણ બને છે કે દીકરી ઘરે બેસે છે ત્યારે આ જ પિયર તેની ભૂલ હોય તેમ તેને જવાબદાર પણ ઠેરવે છે.

ઘણાં કુટુંબો સારાં છે ને સાસરું કે પિયર યોગ્ય તે સમજ દ્વારા વહુ/દીકરીનું હિત જ ઈચ્છે છે, પણ આજની તારીખે એવું વાતાવરણ બધે નથી. હવે પતિ કે પત્ની, બંને અસહિષ્ણુ થયાં છે. પતિ-પત્ની વચ્ચે નાની મોટી વાતે ઝઘડા થતા રહે છે. આવું અગાઉ પણ થતું જ હતું, પણ હવે કોઈ, કોઈને સહન કરવા રાજી નથી. બહુ ઝડપથી હવે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આ રીતે વાતે વાતે છૂટાં થઈ જવાનું વલણ યોગ્ય નથી. એમાં નિભાવવાની વાત ઓછી જ હોય છે. ઓછામાં સંતોષ માનવાની વૃત્તિ હવે રહી નથી. એકબીજાને માટે કૈં છોડવાની કે ત્યાગ કરવાની કે ચલાવી લેવાની વાત લગભગ રહી નથી. હવે છૂટાછેડાનું કારણ સગવડો નથી મળતી એ પણ છે. પતિ ઓછી ચીજ વસ્તુઓથી જેમ તેમ છેડા ભેગા કરતો હોય, પણ પત્ની તેને તેમાં સાથ આપવા તૈયાર નથી હોતી. તેને મોજશોખ અને હરવા ફરવામાં રુચિ વધારે હોય છે. એ માંગણી નથી સંતોષાતી તો પત્ની, પતિ સાથે રહેવાનું માંડી વાળે છે. કોઇની, કોઈને માટે કશું છોડવાની વૃત્તિ રહી નથી. સમર્પણ પણ સુખ આપે છે એ વાત ભુલાઈ ચૂકી છે. આવે વખતે પિયર કે સાસરું વાતને વાળી લેતાં શિખવવાને બદલે છૂટાછેડા તરફ ધકેલવાનું નિમિત્ત બને છે. રોકવાને બદલે પ્રોત્સાહન પૂરું પડાતું હોય તો છૂટાછેડાનું પ્રમાણ વધે એમાં નવાઈ નથી.

બધાં જ કુટુંબો આમ કરે છે એવું નથી, પણ કેટલાંક કુટુંબોમાં વાત વટ પર આવી જાય છે. કોઈ પણ પ્રકારનું સમાધાન એમને ખપતું નથી. જેમાં સમાધાન થઈ શકે એવું હોય ત્યાં પણ અહમ્‌ ટકરાય છે ને વડીલો વધારે નાદાન પુરવાર થાય છે. વાત સામેવાળાને પાઠ ભણાવવા પર આવે છે. જે સંબંધીઓ હતા, તે શત્રુ બનવા પર આવી જાય છે. ઘણીવાર એવું પણ બને છે કે પતિપત્ની વચ્ચે એવો મોટો ખટરાગ પણ ન હોય, થોડી સમજાવટથી વાત બગડતી અટકી શકે, પણ વડીલો ખુન્નસે ભરાય છે. આગલી પાછલી વાતોનો સરવાળો થાય છે ને અહમ્‌ ભડકી ઊઠે છે. એકબીજાને બતાવી આપવાની હોડ બકાય છે ને વાત છૂટાછેડા પર આવે છે. ખરેખર જ ન ફાવતું હોય ને પતિપત્ની સમજીને છૂટા પડી જાય એ ઉત્તમ સ્થિતિ છે, પણ છૂટા પડવાનું ય શાંતિથી નથી થતું. એમાં સૌથી વરવી ભૂમિકા ભજવવાની વડીલો વચ્ચે સ્પર્ધા ચાલે છે. એમ લાગે કે સામેવાળાની ગરજ વધુ છે તો છૂટા થવા બાબતે ભાવતાલ થાય છે. જેમ ગરજ વધારે તેમ માંગણી મોટી. વસૂલ કરવાની, બદલો લેવાની એક પણ તક છૂટતી નથી. જ્યાં શક્ય હોય ત્યાં માંગણી સંતોષાય પણ છે, પણ જે સોદાબાજી પર જ ઊતરી આવે છે તેને પછી કોઈ શરમ નડતી નથી. તે કમાઈ લેવા જ માંગે છે.

જો દહેજ ખોટું હોય તો આ પણ ખોટું છે, પણ બધે જ ખોટું ચાલે છે તો માબાપો પણ શું કામ રહી જાય? માબાપ બંને પક્ષે છે, એમણે જ હોંશે હોંશે સંતાનોનાં લગ્ન લીધાં હોય, આનંદથી લગ્નમાં મહાલ્યા હોય, મસ્તીથી વાનગીઓ ઝાપટી હોય, એ બધું જ છૂટાછેડા થવાની વાતે ભુલાઈ જતું હોય છે ને એવી મોટી ને ખોટી માંગણી થતી હોય છે કે સિલકમાં કોઈ એક પક્ષને પાયમાલી જ બચે. આવું ન થવું જોઈએ. ન જ થવું જોઈએ. જે કુટુંબો કે જ્ઞાતિમાં આવું થતું હોય ત્યાં એ અટકવું જોઈએ. આને લગતી કોઈ આચારસંહિતા નક્કી થવી જોઈએ જેથી કોઇની લચારીનો લાભ ઉઠાવવા જેવું ન થાય. માણસાઈ માણસમાં જ છે ને એ માણસમાં જ ન જણાય તો પશુમાં ને માણસમાં પછી ફરક જ ક્યાં રહે છે?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

સ્વથી જોડાયેલો માણસ છું :

મૂકેશ પરીખ|Opinion - Opinion|7 June 2022

હવે પડવા, ગબડવા કે આખડવાનો ડર નથી મને,
હું  સ્થિર થયા પછી લડખડાયેલો માણસ છું.

બગડી જશે આકાર એ ચિંતાનો વિષય નથી હવે,
હું બધી બાજુએથી ગોબાયેલો માણસ છું.

નવું કોઈ મિલન થશે એ અભિલાષા નથી હવે,
હું દશેય દિશાઓથી તરછોડયેલો માણસ છું.

ધક્કામુક્કીથી સાવ ટેવાઈ જ ગયો છું હવે,
હું સહુ દ્વારા એક હડસાયેલો માણસ છું.

મનાવવાની કોશિશ વ્યર્થ જ નીવડશે હવે,
‘મૂકેશ’ હું તો સ્વથી જોડાયેલો માણસ છું.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mai : mparikh@usa.com

Loading

...102030...1,4581,4591,4601,461...1,4701,4801,490...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved