Opinion Magazine
Number of visits: 9456261
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગતસિંહને ફાંસી અને ગાંધી : ધર્મોક્રસીમાં હિંસાની પ્રાણપ્રતિષ્ઠાનો કારસો 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|24 May 2025

હેમન્તકુમાર શાહ

ગાંધીએ ભગતસિંહને ફાંસીથી બચાવવા પ્રયત્ન કરેલો કે નહીં, ભારપૂર્વક કે દિલોજાનથી પ્રયાસ કરેલો કે નહીં? 

મને લાગે છે કે આ ચર્ચા જ વાહિયાત છે. જબરદસ્ત વિદ્વાન એવા ભગતસિંહ મૂર્ખ નહોતા. એમને ખબર હોય જ કે તેઓ જે હિંસક કૃત્ય કરી રહ્યા છે તેની શી સજા હોઈ શકે. એટલે આપણે એમ સમજવું જોઈએ કે ભગતસિંહ પોતાના ગુના વિશેની સજા વિશે બિલકુલ સભાન હતા, ભલે એ દેશભક્તિનું અને આઝાદી મેળવવા માટેનું કૃત્ય હતું. અને હા, એમણે વિનાયક દામોદર સાવરકરની જેમ અંગ્રેજ સરકારની માફીઓ નહોતી માંગી કે આઝાદીનું આંદોલન જ નહીં કરવાનું સાવરકરે અંગ્રેજોને જે વચન આપેલું તેવું કોઈ વચન ભગતસિંહે નહોતું આપ્યું. 

ગાંધીની વિચારધારા અહિંસક પરિવર્તનની હતી. એમને એ રસ્તે જ આઝાદી મેળવવી હતી. એમણે ૧૯૧૪-૧૮ના પ્રથમ વિશ્વયુદ્ધ બાદ  હિંસાને ઉત્તેજન કે ટેકો આપ્યાં જ નહોતાં. ૧૯૨૨માં ઉત્તર પ્રદેશમાં ચૌરીચોરા ખાતે પોલિસને જીવતા સળગાવી મૂકવાની ઘટના બની ત્યારે તેમણે આઝાદી માટેનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. ગાંધી એમ કહે છે કે લોકોને અહિંસાની તાલીમ આપ્યા વિના એ સત્યાગ્રહ શરૂ કરેલો એ એમની “પહાડ જેવડી ભૂલ” હતી.

ભગત સિંહ

હવે, ગાંધી જે રસ્તે જવા માગતા નહોતા તે રસ્તે કોઈ જાય તો તેને એ રસ્તેથી પાછા વાળવા માટે શું કરી શકે? એ કરવાનો પ્રયાસ ઉપર કહ્યું તેમ ૧૯૨૨માં તેમણે આખા દેશ માટે કરેલો. તેમ છતાં કોઈ હિંસક રસ્તો અપનાવે તો શું? એ તો એ વ્યક્તિની મરજી.

ભગતસિંહે એ રસ્તો અપનાવેલો કે જે ગાંધીને પસંદ નહોતો. એમ કરતાં એમને ફાંસીની સજા થયેલી. હવે બધા એમ કહે છે કે ગાંધીએ કેમ ભગતસિંહની ફાંસી રોકવા માટે પ્રયાસ કર્યો નહિ? ગાંધીએ પ્રયાસ કરેલો જ, એના પુરાવા પણ છે. તેઓ એમાં સફળ ન થયા એ એક જુદો મુદ્દો છે. 

પણ, માની લઈએ કે ગાંધીએ તેમને બચાવવા પ્રયાસ નહોતો કર્યો, તો પણ તેથી શું? એમણે પ્રયાસ કરવો અનિવાર્ય હતો? ભગતસિંહ કંઈ વિનોબા ભાવે જેવા અહિંસામાં શ્રદ્ધા રાખનાર નહોતા. તો ભગતસિંહને બચાવવા ગાંધી પ્રયાસ ન પણ કરે. તેમાં ગાંધીનો દોષ શું? ગાંધીનું કહ્યું માનીને જો અંગ્રેજ સરકારે ભગતસિંહને ફાંસીની સજા ન આપી હોત તો એમ પણ કહેવાત કે, જુઓ મોટો અહિંસાનો પૂજારી હિંસક કૃત્યને સમર્થન આપે છે! એવું ન થાત? 

ગાંધીએ ભગતસિંહને બચાવવા માટે પ્રયાસ ન કર્યા એવી જે વાતો કરવામાં આવે છે તે એક નિશ્ચિત વર્ગ દ્વારા નિશ્ચિત એજન્ડા સાથે કરવામાં આવતું બૌદ્ધિક દુષ્કૃત્ય છે. એ એજન્ડા છે મહાત્મા ગાંધી નામના એક અહિંસક તત્ત્વને ભારતીય જનમાનસમાંથી નેસ્તનાબૂદ કરવું. આ એજન્ડાને સમજવાની જરૂર છે. 

ભગતસિંહ માત્ર હિંસક ક્રાંતિકારી નહોતા, પણ સમાજવાદમાં શ્રદ્ધા ધરાવનાર ધર્મનિરપેક્ષ વ્યક્તિ હતા. સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા એ બે શબ્દો પર અત્યારે ચીડ પ્રવર્તે છે એ બે સિદ્ધાંતો તો ભગતસિંહના પ્રિયતમ હતા. જો ભગતસિંહ જીવતા રહ્યા હોત તો હિન્દુ મહાસભા અને આર.એસ.એસ.ની હિન્દુત્વની અને હિન્દુ રાષ્ટ્રની વિચારધારાનાં છોતરાં ફાડી નાખ્યાં હોત. વાંચો ભગતસિંહને, તો તમને એનું ભાન થયા વિના નહીં રહે. 

ગાંધી અને ભગતસિંહનો વિવાદ તદ્દન વાહિયાત ધર્મોક્રસી દ્વારા ઊભો કરાયો છે અને લોકશાહીમાં હિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરીને તેને ખતમ કરવાનો કારસો છે. 

તા.૨૪-૦૫-૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બાળકને ‘બેટા’ કહેવાની સજા હત્યા?

રમેશ સવાણી|Opinion - Opinion|24 May 2025

રમેશ સવાણી

નાની એવી બાબતમાં દલિતની હત્યા કરવી એટલે જાણે કોઈ જંતુને પગ તળે કચડી નાખવું ! આ સ્થિતિ સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રમાં જેવી સામંતશાહી માનસિકતા છે એટલી દક્ષિણ ગુજરાતમાં નથી. ભૂતકાળમાં, 1989માં, ઉત્તર ગુજરાતના સાંબરડામાંથી ગઢવીઓના ત્રાસથી દલિતોએ હિજરત કરી હતી. 

15 મે 2025ના રોજ, અમરેલીના સાવરકુંડલા રોડ પર ઝાખરિયા ગામે એક દુકાન પર એક બાળક ચીજવસ્તુ વેચતો હતો. ત્યાં એક દલિત યુવક નરેશ રાઠોડ નમકીન લેવા ગયો. નમકીનનું પેકેટ ઉપર હતું જ્યાં બાળકનો હાથ પહોંચતો ન હતો. એટલે નરેશે કહ્યું કે “બેટા, રહેવા દે. હું નમકીનનું પેકેટ લઈ લઉં છું !” દરમિયાન બાળકના પિતા ચોથાભાઈ ભરવાડ આવતા “મારા છોકરાને બેટા કેમ કીધો?” તેમ કહીને ઝઘડો કર્યો. નરેશ સાથે બીજા ત્રણ દલિત યુવકો હતા તેમણે પણ નાની વાતમાં ઝઘડો ન કરવા કહ્યું. દરમિયાન ચોથાભાઈએ ફોન કરી બીજાને બોલાવ્યા, તેમણે લાકડી, કુહાડીથી ચારેય દલિત યુવકોને ઢોરમાર માર્યો. નિલેશભાઈને માથાના પાછલા ભાગે કુહાડીનો ઘા માર્યો. 

નિલેશભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થતા પ્રથમ અમરેલી હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 22 મે 2025ના રોજ તેણે દમ તોડ્યો હતો અને મારામારી હત્યામાં પરિણમી હતી.

અમરેલી રૂરલ પોલીસે આરોપી ચોથાભાઈ ભરવાડ, વિજયભાઈ ટોટા, ભાવેશભાઈ મુંધવા, જતીનભાઈ મુંધવા સહિત 15 સામે BNS કલમ-103 (હત્યા) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીને એરેસ્ટ કરેલ છે. 

‘જૂથબળ’ની એક ઘટના 15 મે 2025ના રોજ સુરત બારડોલી રોડ પર પલસાણા તાલુકાના કારેલી ગામમાં બની હતી. ગ્રામપંચાયતના આદિવાસી સભ્ય હસમુખભાઈ ઢોડિયાએ રહેણાંક વિસ્તારમાં ટ્રેક્ટર થોડું ધીમે ચલાવવા માલધારી યુવકને કહ્યું. ત્યાં તો માલધારીઓનું આખું ટોળું આવી ગયું. અને હસમુખભાઈને એમના ઘરના લોકોની નજર સામે ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દીધા. નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં પોલીસ પણ કંઈ ન કરી શકી. ગામની મહિલા સંરપચે આક્રમક બની લાખોના ખર્ચે બનેલા RCC રોડ પરનું દબાણ દૂર કરાવ્યું. આરોપીઓ પકડાય અને હસમુખભાઈના પરિવારને ન્યાય મળે તે માટે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણા પર બેસવું પડ્યું હતું. ‘જૂથબળ’ને કાયદાથી નિયંત્રિત કરવું પડે અને તે સરકાર જ કરી શકે. પરંતુ સરકાર પણ ગરીબોને માણસ ગણતી નથી ! 

આ નિલેશભાઈને ખબર ન હતી કે માનવીય સંવેદના વ્યક્ત કરવાની પણ તેમને છૂટ નથી, કેમ કે દલિતોને; ઉપલા વર્ણના / OBC વર્ગના લોકો માણસ ગણતા જ નથી ! આ કરુણ અને શરમજનક ઘટના સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં ઉપલા વર્ણમાં અને OBC જ્ઞાતિઓમાં; દલિતો પ્રત્યે કેટલી નફરત છે? વિચારજો : નાના બાળકને ‘બેટા’ કહેવાની સજા નિલેશભાઈ રાઠોડને મળી; તેની જગ્યાએ ઉપલા વર્ણની કોઈ વ્યક્તિએ ‘બેટા’ શબ્દનો પ્રયોગ કર્યો હોત તો તેના માથામાં ચોથાભાઈ ભરવાડે કુહાડી મારી હોત?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈઝરાયલના વિપક્ષી નેતા ગોલાન દેશદ્રોહી કહેવાય? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|24 May 2025

યાઇર ગોલાન

ઈઝરાયલ અને ગાઝા પટ્ટીના હમાસ વચ્ચેનું યુદ્ધ આશરે પોણા બે વર્ષથી ચાલે છે અને તેમાં ગાઝા પક્ષે ૬૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં હોવાનું કહેવાય છે. નાનામોટા યુદ્ધવિરામ થયા છતાં યુદ્ધ ચાલુ રહ્યું છે. 

તેવા સમયે ઇઝરાયલના વિપક્ષી નેતા યાઇર ગોલાન દ્વારા એક જબરદસ્ત નિવેદન હમણાં જ યુદ્ધમાં ગાઝામાં બાળકોનાં થઈ રહેલાં મોતના સંદર્ભમાં અપાયું છે. તેમણે દેશના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની સરકાર પર આરોપ મૂકતાં એમ કહ્યું કે ઈઝરાયલ ગાઝામાં બાળકોને “એક શોખ” તરીકે મારી રહ્યું છે. તેમણે રેશેટ બેટ રેડિયોને હમણાં એમ કહ્યું કે, “કોઈ શાણું રાષ્ટ્ર નાગરિકો સામે લડે નહીં, બાળકોને એક શોખ તરીકે મારે નહીં અને વસ્તીને હાંકી કાઢવાનું લક્ષ્યાંક રાખે નહીં.”

એમણે અહીં પોતાના નિવેદનમાં “ઇઝરાયલ” કહ્યું છે, “નેતન્યાહૂ સરકાર” નહીં. એટલે કે આખા ઈઝરાયલ નામના દેશની, એટલે કે, ઈઝરાયલના તમામ લોકોની તેમણે ટીકા કરી! 

આ ઈઝરાયલના વિપક્ષી નેતા દ્વારા સરકારની ચાલુ યુદ્ધે ભાગ્યે જ કરવામાં આવેલી સખતમાં સખત ટીકા કહેવાય. નેતન્યાહૂની સરકારને બાળકોને મારી નાખવાનો જાણે કે “શોખ” છે એવા મતલબનું વિધાન તેમણે કર્યું કહેવાય! 

સામે નેતાન્યાહૂએ તેનો જવાબ રાબેતા મુજબ આવી રીતે આપ્યો : “આપણા હિરો, આપણા સૈનિકો પોતાની જિંદગી જોખમમાં મૂકીને ઇઝરાયલનું રક્ષણ કરી રહ્યા છે અને ગોલાન તેમના પર યુદ્ધના ગુનાનો આરોપ મૂકે છે.”

નોંધનીય બાબત એ છે કે ઇઝરાયલના વડા પ્રધાને તેમને અર્બન નક્સલ કે દેશદ્રોહી કહીને નવાજ્યા નહીં. યાઈર ગોલાન જુદા જુદા રાજકીય પક્ષોના નેતા અને ઈઝરાયલની સંસદના સભ્ય રહી ચૂક્યા છે એટલું જ નહીં પણ ઈઝરાયલના અનામત લશ્કરના મેજર જનરલ પણ છે. તેમને ચાલી રહેલા યુદ્ધ વિશે જે અંગત રીતે લાગ્યું તે કહ્યું. તે કદાચ તેમના પક્ષનું મંતવ્ય ન પણ હોય. સત્તાધારી પક્ષે પણ તેમને દેશદ્રોહી કહ્યું હોવાનું હજુ સુધી જાણમાં આવ્યું નથી. 

બેન્જામિન નેતાન્યાહૂએ પણ પોતાના જવાબમાં ગોલાનને દેશદ્રોહી તો નથી જ કહ્યા. સરકારની કે સરકાર જે યુદ્ધ કરે છે તેની ટીકા કરવાનો સૌ નાગરિકોને અને રાજકીય નેતાઓને માનવ અધિકાર કોઈ પણ લોકશાહી દેશમાં હોય જ એટલું ઇઝરાયલના નેતાઓ અને નાગરિકો સમજતા હોય એમ લાગે છે. 

જો એવો અધિકાર ન હોય એવો રાજકીય સ્વભાવ ઊભો થતો જતો હોય તો તો એમ સમજવું પડે કે લોકશાહીમાં ઊણપ ઊભી થઈ રહી છે, અથવા એમ કહેવાય કે લોકશાહી નામશેષ થઈ ગઈ છે. વર્તમાન સરકારની ટીકા એ દેશની દેશદ્રોહ કક્ષાની ટીકા થઈ જતી નથી, એમ સમજવાની સામાન્ય બુદ્ધિ, એટલે કે કોમન સેન્સ, નાગરિકો અને રાજકીય નેતાઓમાં હોવી લોકશાહીમાં આવશ્યક ગણાય.

સરકારની પ્રશંસા કે નેતાની ભક્તિ એ જ દેશપ્રેમ છે એવું સમજીએ તો એ ખરો દેશદ્રોહ કહેવાય. 

તા.૨૩-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...141142143144...150160170...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved