Opinion Magazine
Number of visits: 9458821
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇમરાનખાન, તમે પાકિસ્તાનને જુઓ, યાસીન મલિકને મોદી જોઈ લેશે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 May 2022

જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના અલગાવવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદ થઈ અને દસ લાખનો દંડ થયો તો પાકિસ્તાનના હાલના પ્રધાન મંત્રી શાહબાઝ શરીફ અને પૂર્વ પ્રધાન મંત્રી ઇમરાન ખાનને તેલ રેડાયું ને તેમણે વિશ્વને, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાઠ ભણાવવાની અપીલ કરી છે. એમાં ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ સૂર પુરાવ્યો છે. યાસીન મલિક કોઈ મહાન દેશભક્ત હોય તેમ પાકિસ્તાને બૂમરાણ મચાવી છે ને ત્યારે ઈમરાન ખાને જ ઇસ્લામાબાદ ભડકા પર મૂક્યું છે તે દેખાતું નથી. ઈમરાન ખાનને પાકિસ્તાનમાં નવી ચૂંટણી જોઈએ છે ને હાલની સરકારને તે પાડવાની પેરવીમાં છે. નવી ચૂંટણીની તારીખો જાહેર ન થાય ત્યાં સુધી ઇમરાન ખાન અડિંગો જમાવીને ઇસ્લામાબાદમાં જ રહેવાના છે. તેમણે તો શાહબાઝ સરકારને અઠવાડિયાનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે કે સરકાર નહીં પડે તો ઇસ્લામાબાદમાં ઈમરાનખાનનો ને તેમના સમર્થકોનો પથારો પડશે જ ! એક વખત સત્તા પરથી ફેંકાઇ જવાની ઘટના પછી પણ ઇમરાન ખાનની લાલસા ઘટતી નથી ને એને માટે જ તેમણે સમર્થકોની રેલી યોજી. એ હિંસક પુરવાર થઈ ને એટલી હિંસક પુરવાર થઈ કે સુરક્ષા દળોએ તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો. એક કાળે ભારતની ભૂમિ પર ક્રિકેટ રમીને વડા પ્રધાન થનાર ઇમરાનખાનમાં ખેલદિલી ભારત માટે ન હોય તે તો સમજાય એવું છે, પણ એ પાકિસ્તાન માટે પણ નથી તે દુ:ખદ છે. હાલત ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે એવી છે. પોતાનાં ઠેકાણાં નથી ને દુનિયા સુધારવા નીકળ્યા હોય એવો ઘાટ છે. જો કે, નવા પાક. વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ ભારત માટે તો ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ – જેવા જ સાબિત થયા છે. એમણે પણ કાશ્મીર રાગ આલાપીને જાત બતાવી દીધી છે. પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીની દુર્દશા કરનાર ઇમરાન ખાન ભારતીય લઘુમતી મુસ્લિમોની દયા ખાય છે, પણ અહીંના મુસ્લિમો વિશ્વની બીજી કોઈ પણ લઘુમતી કરતાં સારી ને સધ્ધર સ્થિતિમાં છે તે ઇમરાન ખાને જ નહીં, આખી દુનિયાએ સમજી લેવાની જરૂર છે.

રહી વાત કાશ્મીરની તો ત્યાંના નેતાઓએ કાશ્મીરને મળેલા અલગ રાજ્યના દરજ્જાનો ભરપૂર લાભ ઉઠાવીને, ભારતનું ખાઈને ભારતનું જ ખોદ્યું છે. 370મી કલમનો આ કાશ્મીરી નેતાઓએ દુરુપયોગ કર્યો છે. એ કલમ નીકળી પછી પણ જોઈએ એવો સુધારો નથી. એ કલમને લીધે પાકિસ્તાનની આતંકી પ્રવૃત્તિઓને ઉત્તેજન જ મળ્યું છે ને આજે પણ કાશ્મીરમાં આતંકી હુમલાઓ થાય છે તે જે તે કાશ્મીરી નેતાઓને આભારી છે. ભારતમાં કાઁગ્રેસી શાસન દરમિયાન લઘુમતીને વિશેષ પ્રાધાન્ય મળ્યું અને એનો લાભ કાશ્મીરને પણ મળ્યો ને ત્યાંની પ્રજા ને ત્યાંના શાસકોએ અલગ કાશ્મીરની નીતિમાં નડતરરૂપ હિન્દુઓને ત્યાંથી ખસેડીને નોખું કાશ્મીર કરવાની મેલી મથરાવટી રાખી. એ જ કારણે 1990માં કાશ્મીરી પંડિતોની નિર્મમ હત્યાઓ થઈ ને તેમને કાશ્મીર છોડીને જીવ બચાવવો પડે એવી સ્થિતિ આવી. આ સ્થિતિ ઊભી કરવામાં યાસીન મલિકની મોખરાની ભૂમિકા છે. તેણે પોતે કોર્ટમાં કાશ્મીરી પંડિતોની હત્યામાં હાથ હોવાનું કબૂલ્યું છે, તો ઇમરાન ખાન એને માટે મોદીને જવાબદાર કઇ રીતે ઠેરવી શકે? એ પણ સંયોગ છે કે આ આરોપોની વચ્ચે જ મોદી સરકારે કેંદ્રમાં આઠ વર્ષ 26મે એ પૂરાં કર્યાં છે. ઈમરાન ખાન, યાસીન મલિકને ભલે પાકિસ્તાની યાર માનતા હોય ને તેથી થયેલી સજાને મોદીની ફાસીવાદી રણનીતિ સાથે જોડતાં હોય તો ભલે, પણ સવાલ તો થાય જ છે કે પાકિસ્તાને જે.કે.એલ.એફ.ને બદલે હિજબુલને મહત્ત્વ આપવાનું કેમ શરૂ કર્યું? જે.કે.એલ.એફ.ને ગૌણ ગણવાનું સાચું કારણ એ હતું કે એ સંગઠન કાશ્મીરની આઝાદીના નારા લગાવતું હતું અને પાકિસ્તાન કાશ્મીરને પોતાનામાં ભેળવવા માંગતુ હતું. આ ભેળવવાની વાત જ સૂચવે છે કે કાશ્મીર કદી પણ પાકિસ્તાનનો ભાગ હતું જ નહીં. જે પોતાનું છે જ નહીં, તેને ઈમરાન ખાન કે શાહબાઝ શરીફ બાપીકી મિલકત હોય તેમ, ઉઘરાણી કાઢી જ કઇ રીતે શકે? ખરેખર તો પાકિસ્તાન રહે જ નહીં એ દિશામાં ભારતે આક્રમક થવાની જરૂર છે. એ હશે ત્યાં સુધી આતંકી પ્રવૃત્તિ ભારતમાં કે વિશ્વમાંથી જવાની નથી તેની નોંધ દુનિયાએ વહેલી તકે લેવા જેવી છે.

પાકિસ્તાન કઇ રીતે માને છે કે મલિકને સજા ન થવી જોઈએ તે એ જાણે, પણ એણે તો દેશભક્ત મુસ્લિમોની હત્યા કરવામાં પણ નાનમ નથી અનુભવી. આવું મલિકે પાકિસ્તાનમાં કર્યું હોત તો ઇમરાન ખાને એનો બચાવ કર્યો હોત કે એને સળિયા પાછળ ધકેલ્યો હોત? મલિકને ગેરકાયદે જેલવાસ થયાનું અને તેના પર નકલી આરોપો મુકાયાનું પાકિસ્તાનને લાગે છે, પણ તેણે જાણવું જોઈએ કે યાસીન મલિકે બધા ગુનાઓ કોર્ટમાં કબૂલ કર્યા છે ને સજાનો કોઈ વિરોધ કર્યો નથી. હા, સજાને પગલે કાશ્મીરમાં અને દિલ્હીમાં તંગદિલી વધી છે ને આતંકી હુમલાઓ થવાની ચેતવણીઓ પણ અપાઈ છે, પણ તેથી મલિકની કબૂલાતમાં કે સજામાં કોઈ ફરક પડતો નથી. એટલું છે કે ભારતે કાશ્મીર અને અન્યત્ર વિશેષ સાવધાની અને સતર્કતા રાખવાની રહે. એ સકારણ હોય કે અકારણ, પણ યાસીન મલિકની સજાની સમાંતરે જ, જમ્મુ કાશ્મીરના ચાદુરામાં બુધવારે જ આતંકવાદીઓએ એક ટી.વી. એક્ટ્રેસ અમરીન ભટની ગોળી મારીને હત્યા કરી છે ને તેનાં 10 વર્ષનાં ભત્રીજાને પણ ઘાયલ કર્યો છે. એના એક દિવસ પહેલાં જ શ્રીનગરના અનચાર સૌરા વિસ્તારમાં આતંકીઓએ એક પોલીસકર્મી સૈફુલ્લા કાદરીની ગોળી મારીને હત્યા કરી છે. આ ઉપરાંત પણ વેલીમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ એપ્રિલ-મેમાં બની જ છે. આ બધું બન્યું જ નથી એવું પાકિસ્તાન ભલે માને, પણ ભારત એવું માની શકે એમ નથી. તેને જવાનોની લાશો દેખાય છે, તેને નિર્દોષ નાગરિકોનું લોહી વહેતું અનુભવાય છે. તે કેવી રીતે જાડી ચામડીનું બની રહે?

યાસીન મલિકને થયેલી સજા સંદર્ભે તેનાં કાશ્મીરનાં નિવાસ નજીક પણ હિંસાના પ્રયત્નો થયા છે, તો એવું પણ બન્યું છે કે અનેક ભય વચ્ચે કાશ્મીરી પંડિતોએ મલિકની સજાને દિવસે જ બેન્ડ વાજાં સાથે ઉજવણી પણ કરી છે. પંડિતોનું આ સાહસ કાશ્મીર માટે નવું છે. જો કે, સજાને પગલે દિલ્હી ને અન્ય વિસ્તારોને પણ એલર્ટ જાહેર કરાયાં છે. પાકિસ્તાન એમ માને છે કે મલિકે કૈં કર્યું જ નથી ને તેને એમ જ આજીવન કેદ ફટકારાઇ છે? આવું ઈમરાન ખાન માને તેમાં એમનો વાંક નથી, વાંક એ લોકોનો છે જેમણે પાકિસ્તાન થવા દીધું. થોડી ધીરજ રાખી હોત તો અંગ્રેજોએ ભાગલા વગર પણ ભારતને સ્વતંત્ર કર્યું જ હોત, પણ હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો અર્થ નથી. અફસોસ એ જ છે કે પાકિસ્તાન કાયમને માટે આતંકી પ્રવૃત્તિઓ સાથે ભારતને કરમે ચોંટ્યું છે. તે ખતમ થયા વગર ભારતને ઠરવા દે એમ લાગતું નથી. એ ખરું કે ભારત સામેથી આક્રમણ કરતું નથી, પણ પાકિસ્તાન અને ચીન ભારતને જંપવા દે એમ જ ન હોય તો બીજી રીતે પણ વિચારવાનું રહે જ છે. એ અત્યંત દુ:ખદ છે કે પાકિસ્તાનમાં એક પણ એવો નેતા આજ સુધી પાક્યો નથી જે માનવીય અભિગમ રાખીને બીજા સાથે તો ઠીક, પોતાનાં દેશમાં પણ વર્તે.

યાસીન મલિકને તો એન.આઈ.એ.એ ફાંસીની સાંજની ભલામણ કરેલી પણ તેને પટિયાલા હાઉસ કોર્ટે આજીવન કેદમાં ફેરવી છે. યાસીન પર પાકિસ્તાનનું સમર્થન કરી, કાશ્મીર ઘાટીઓમાં આતંકી પ્રવૃત્તિઓને ફંડ પૂરું પાડવાનો અને આતંકીઓને શસ્ત્રો પૂરાં પાડવાનો આરોપ છે. એરફોર્સના ચાર જવાનોની હત્યાનો પણ આરોપ તેના પર છે. આ ઉપરાંત મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રૂબિયાનું અપહરણ કરવાનું પણ તેને  માથે જ છે. કાશ્મીરમાં આતંકી તેમ જ ભાગલાવાદી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ પણ તેના પર હતો તથા જે.કે.એલ.એફ. એક માત્ર સંગઠન એ સમયે સક્રિય હતું જે અરસામાં કાશ્મીરી પંડિતોને વિસ્થાપન માટે મજબૂર કરાયા ને તેમની હત્યા ને તોડફોડની ઘટનાઓ સામે આવી. આ બધા આરોપો મલિકે સ્વીકારી લીધા ને તેને આઇ.પી.સી.ની કલમ 120 બી, 121એ હેઠળ અનુક્રમે 10-10 વર્ષની સજા અને 10-10 હજારનો દંડ ફટકારાયો છે તો, 17 યુ.એ.પી.એ હેઠળ આજીવન કેદ અને 10 લાખનો દંડ ચોંટ્યાં છે. યુ.એ.પી.એ.ની કલમ 13. 15. 18, 20, 38, 39 હેઠળ અનુક્રમે 5, 10, 10, 10 અને 5 વર્ષની સજા થઈ છે ને બીજો 25 હજારનો દંડ પણ ઉમેરાયો છે. મલિકે તેનાં પર મુકાયેલા આરોપોને પડકાર્યા નથી તે પણ ગુનામાંની તેની સંડોવણી જ સૂચવે છે. તે 2019થી તિહાર જેલમાં છે ને બાકીની સજા પણ તેણે એ જ જેલમાં કાપવાની છે.

અહીં વિચારવા જેવી વાત એ છે કે જે આતંકી પ્રવૃત્તિઓમાં જોડાય છે ને સજા પામે છે એની જેટલી દયા સાધારણ માણસ ખાય છે કે એને વિષે જે અરેરાટી અનુભવે છે તેટલી દયા માયા આ ગુનેગારોને હોતી નથી. એને એ ખબર હોય છે કે પોતે જે કરી રહ્યા છે તેનો અંત કેવો હશે ને છતાં એ કોઈને પણ મારી નાખતાં અચકાતાં નથી. આમાં ધર્મ કયો ને કેટલો તે એ જાણે, પણ ધર્મ પણ તેમને ધર્મ શીખવી શકતો નથી એ આ સમગ્ર ઘટનાની સૌથી વરવી બાજુ છે ને વક્રતા એ છે કે આ બધું ધર્મને નામે થાય છે. જેલ કે ફાંસી કે અપમૃત્યુ સિવાય કૈં જ હાથમાં આવતું નથી ને છતાં આખેઆખાં આતંકી સંગઠનો સક્રિય છે. મારી નાખવાના તાલીમ કેન્દ્રો ચાલે છે ને જેમણે પોતાનું કૈં જ બગાડયું નથી કે પોતે કદી જોયાં જાણ્યાં નથી, એવાં સાવ નિર્દોષ ને નિ:શસ્ત્ર માણસોને મારી નાખવામાં આવે છે. એમાં કઇ બહાદુરી છે કે ધર્મ છે તે નથી સમજાતું. આ રીતે મારનારને અલ્લા જન્નત બક્ષે છે એવો એક પણ દાખલો સામે નથી, તો જે સામે છે એ ધરતીને રક્ત રંજિત કરવાનું રોકી ન શકાય? પેલી જન્નતની તો કોઈ ખાતરી નથી ને એને માટે, છે તે જન્નતને ખોવામાં કયું ડહાપણ છે તે કોઈ કહેશે?

જેમ જેમ સમય જાય છે ને જેમ જેમ જ્ઞાન-વિજ્ઞાન વિકસતાં આવે છે તેમ તેમ માનવ વધુને વધુ અમાનવીય થઈ રહ્યો છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 મે 2022

Loading

ज्ञान का व्याप और अज्ञान का डबरा

कुमार प्रशांत|Opinion - Opinion|27 May 2022

बात बहुत पुरानी है लेकिन बार-बार हम उसे नया बनाते रहते हैं : “ जो ज्ञान के सागर में उतरते हैं वे तैरते ही रहते हैं, जो अज्ञान के कुएं में डुबकी लगाते हैं, वे उसी के चक्कर काटते रह जाते हैं.” कोई पूछे कि ज्ञान व अज्ञान की पहचान कैसे करेंगे, तो मैं कहूंगा कि जिससे निजी व सामूहिक विवेक का रास्ता खुलता हो वह ज्ञान; जिससे विवेक की हर खुली खिड़की बंद होती हो वह अज्ञान ! लेकिन मैं तो कुओं की भी नहीं, डबरे की बात कर रहा हूं. टूटी सड़कों, खेतों-मेढ़ों में बन गया वह गड्ढा डबरा कहलाता है जिसके पास अपना कुछ भी नहीं होता है – उसमें जमा पानी भी उसका अपना नहीं होता है, बारिश की कृपा का होता है लेकिन डबरा इसी गुमान में आने-जाने वालों के पांव-कपड़े खराब करता रहता है कि वह सागर भले न हो, पोखर तो है ही ! ‘मनुष्य डबरा’ भी होता है जो व्हाट्सएप यूनिवर्सिटी या खोखले चैनलों से, ‘पीली किताबों’ से इतिहास पढ़ता-सीखता व दोहराता है और समाज के पांव-कपड़े खराब करता रहता है.

अपनी इस कसौटी पर ज्ञानव्यापी मस्जिद का विवाद कसता हूं तो अज्ञान का अपशकुन भारतीय समाज को वैसे ही घेरता दिखाई देता है जैसे उसने श्रीलंका को घेर कर,घुटनों पर ला दिया है. ऐसा ही हमारे साथ भी हुआ था जब हम आजादी के दरवाजे पर खड़े थे. गांधी जैसा विराट व्यक्तित्व भी अज्ञान के इस विस्फोट से हतप्रभ-असहाय रह गया था और उसके देखते-देखते हम मर-मार कर टूट गए थे. हम चाहें या न चाहें, इतिहास अपनी उपेक्षा की सजा इसी तरह देता है.

यह सवाल और यह सर्वे ही बेमानी है कि ज्ञानव्यापी मस्जिद किसी मंदिर को तोड़ कर बनाई गई थी या नहीं? वीडियो की इलेक्ट्रोनिक आंखों की बात तो छोड़िए, ज्ञान की अपनी इंसानी आंखों से भी देखिए तो पता चलता है कि वह किसी अवशेष पर खड़ी मस्जिद है. इसे झुठलाने की कोई भी कोशिश न सफल होगी, न सच्ची होगी. लेकिन मानवीय इतिहास की कोई भी ज्ञानव्यापी समझ हमको बताएगी कि वैश्विक मनुष्य-सभ्यता अपने विकास-क्रम में कितने ही अभागे दौरों से गुजरी है जिसमें हम मानवभक्षी भी रहे हैं, कच्चे मांसाहारी भी. कितनी ही ऐसी कुप्रथाएं हमारे जीवन-क्रम का हिस्सा रही हैं जिन्हें आज हम सभ्य जीवन में स्थान देने की सोच भी नहीं सकते.  इन सारे दौरों को पार कर हम यहां तक पहुंचे हैं.

इसमें ही एक दौर वह भी रहा है जब आक्रांता अपनी जीत इसी तरह दर्ज करते थे कि पराजित जाति या मुल्क के उपासना-स्थल जमींदोज कर, वहां अपने धर्म की स्थली बना डालते थे. यह विजय का प्रतीक माना जाता था. विजयी राजा पराजित राज्य की औरतों को अपनी जागीर समझता था. उनका शील लूटता था, मनमाना बर्ताव करता था और फिर उन्हें अपने भूखे सिपाहियों में बांट देता था कि वे उनसे मनमाना बर्ताव करें. तब उपासना-स्थलों को तोड़ना, औरतें उठा ले जाना पराजितों के जातीय-गौरव और मर्दानगी को पांवों तले कुचल कर नेस्तानाबूद करने का प्रतीक माना जाता था. हम इसे पढ़ते हैं तो शर्मिंदा होते हैं और इससे आगे निकलने का संकल्प करते हैं. लेकिन कितने ही अज्ञानी है जो आज भी इसे गौरव-गान की तरह दर्ज करते हैं. यह लिखते हुए मैं शर्मिंदा तो होता हूं लेकिन लिखना ही पड़ता है कि हम आज भी इससे कुछ ज्यादा आगे नहीं निकले हैं. दंगों में आज भी दूसरे धर्म की महिलाओं को अपमानित करना गर्व का स्वाभाविक विषय माना जाता है; युद्ध में फौज को बलात्कार का लाइसेंस ही मिला होता है. यह आज 21वीं सदी में भी यूक्रेन की महिलाओं के साथ हुआ है, हो रहा है. दलितों की बस्तियों को जलाने, उनको सामाजिक रीति-रिवाजों में अपमानित करने, उनकी जमीन-झोंपड़ी पर जबरन कब्जा करने, उनकी लड़कियों को बलात्कार के लायक मानने के पीछे कौन-सी मानसिकता काम करती है ?

हमारे फौजियों ने नगालैंड, असम, कश्मीर और तथाकथित आदिवासी आतंकवादियों से निबटने के नाम यह सब किया ही है, कर ही रहे हैं. लोकतांत्रिक समाज की फौज व किसी चंगेज खान की लूट में ज्यादा फर्क नहीं पाएंगे आप! तो फिर सबको अपना-अपना फैसला यही करना होता है कि इतिहास को दोहराने में आपको गर्व होगा कि इतिहास को बदलने में ? इतिहास बदलना कठिन काम है जैसे आदमी तो हम सब पैदा होते हैं लेकिन इंसान बनना कठिन पड़ता है. (‘हाली’ ने काफी पहले चेताया था : “ फरिश्ते से बढ़ कर है इंसा बनना / मगर इसमें लगती है मेहनत ज्यादा !”)

हम इसी मेहनत से तो घबराते हैं. नहीं घबराते तो बार-बार अभद्र तीखेपन से यह सवाल पूछते ही क्यों कि ऐसा क्यों है कि हर मस्जिद के नीचे मंदिर ही निकलता है ? यह पूरा सच नहीं है लेकिन यह सच जरूर है कि भारत में हिंदू सदा से बहुमत में रहे हैं, मंदिर भी बहुमत में रहे हैं. अब अगर भारत पर कोई लुटेरा या आक्रांता हमला करेगा तो उस वक्त के चलन के हिसाब से अपनी विजय के क्या प्रमाण छोड़ेगा ? मंदिर तोड़ेगा और मस्जिद बनाएगा. दूसरे मुल्कों में कुछ दूसरा हुआ है. तो क्या करें हम आज ? हिंदुओं ने कितने ही बौद्ध विहारों को मंदिरों में बदल डाला, इसका हिसाब करें ? बद्रीनाथ मंदिर के बारे में भी एक धारा कहती है कि वह 8वीं शताब्दी तक एक बौद्ध मंदिर था जिसे औदि शंकराचार्य ने हिंदू मंदिर में बदल दिया. नेपाल में एक बौद्ध मंदिर है जिसे जगन्नाथ मंदिर कहा जाता है. हमारा ओडिशा का जगन्नाथ मंदिर भी इसकी आड़ में लपेटे में लिया जाता है. ताजा उदाहरण लें तो वैष्णोंदेवी मंदिर के व्यवस्थापकों ने वहां मुसलमानों के ठहरने की व्यवस्था ही नहीं बनाई है बल्कि रमजान के दिनों में मुसलमान यात्रियों के सहरी व इफ्तारी की व्यवस्था भी रखी है. तो कल को कोई मुसलमान उसका दावा करे ?

कोई मुझसे पूछे तो मैं पल भर भी देर किए बिना कहूंगा कि बद्रीनाथ मंदिर के बारे में न कोई सर्वे होना चाहिए, न उसके बौद्ध विहार होने के इतिहास को टटोला जाना चाहिए. उसके या ऐसे हर इतिहास से ज्यादा संरक्षणीय है हमारे समाज का वर्तमान है; और वह वर्तमान कहता है कि बद्रीनाथ हमारे पवित्रतम पीठों में एक है. उसका यही स्वरूप बना रहना चाहिए. मैं नेपाल के जगन्नाथ मंदिर को बौद्ध मंदिर मानूंगा और ओडिशा के जगन्नाथ मंदिर को हिंदुओं का तीर्थ मानूंगा; और चाहूंगा, प्रयत्न करूंगा और इसके प्रति समाज को सजग करूंगा कि ओडिशा का जगन्नाथ मंदिर, झारखंड का वैद्यनाथधाम मंदिर आदि इतने तेजोमय व प्राणवान बनें कि आगे कभी किसी विनोबा को वहां प्रवेश की मनाही न हो, उसकी पिटाई न हो, किसी गांधी पर हमला न हो.

इतिहास के काले पन्ने उलटना शुरू करेंगे हम तो अपना चेहरा छिपाना मुश्किल हो जाएगा. कहीं काले और गुलाम लोग मिलेंगे जो गोरों से वैसी ही बर्बरता करने की छूट मांगेंगे;  अमरीका का श्वेत समाज रेड इंडियनों से क्या कहेगा जब वे अपने अस्तित्व के हर कण की वापसी मांगेंगे ? औरतें मांगेंगी कि पुरुषों को एक दिन तो उनके हवाले कर दिया जाए; पिछड़े-दलित-आदिवासी मांगेंगे कि हमें बाकी समाज को ‘सभ्य’ बनाने का एक मौका तो दीजिए; और अंग्रेज तो किसी वीडियाग्राफी के बिना ही यह साबित कर देंगे कि भारत दो सौ साल से ज्यादा ही हमारा उपनिवेश रहा है जहां हमारा बहुत निवेश रहा है तो हमें अपना उपनिवेश वापस कर दीजिए. लगता होगा कि यह कल्पना को ज्यादा खींचने जैसा हुआ जा रहा है तो अपने भीतर बैठे पुतिन को सुनिए जो यूक्रेन को बार-बार यही याद दिला रहा है कि कभी तुम्हारा अस्तित्व हमने ही गढ़ा था इसलिए आज उसे मिटाने का हमारा अधिकार है – और संसार आंखें खोले हमारा यह रौरव नाच देखता रहे. ये भी और ऐसे अनगिनत काले पन्ने हैं इतिहास के जो कई चमकीले-सुनहरे पन्नों के साथ हमारी विरासत हैं.  हम मनुष्य इसलिए हैं कि हम इन्हें जानते-समझते हैं, इन्हें पढ़ते-पढ़ाते हैं लेकिन इन्हें दोहराते नहीं हैं. जो इतिहास को दोहराने की अंधी दौड़ लगाते हैं, वे कैसे इतिहास द्वारा ही मारे जाते हैं, इसकी कहानी भी इतिहास में ही मिल जाएगी. इसलिए हर इतिहास का ‘कटाऑफ डेट’ इसी क्षण से –  वर्तमान से  –  शुरू होता है.

कोई मूढ़ है जो चिल्लाता है कि हम 1947 को नहीं, 1192 को हिंदू इतिहास का प्रारंभ मानते हैं क्योंकि इसी वर्ष गोरी ने पृथ्वीराज चौहान को हराया था; दूसरी तरफ से कोई महामूढ़ चिल्ला सकता है कि हम भारत के इतिहास का प्रारंभ 7वीं शताब्दी से गिनेंगे जब भारत में इस्लाम के आने का पहला प्रमाण मिलता है. जब यहां से कोई चिल्लाता है कि भारत को 1947 में नहीं, 2014 में आजादी मिली और 1947 में मिली आजादी तो भीख में मिली थी और यह भीखमंगी समझ सुन कर ‘वे सब’ मुस्कुराते हैं, तो वहां से कोई चिल्लाएगा कि हम अपना इतिहास 623 इसी (कैलेंडर की गणना से भी पहले का कॉमन एरा) से मानते हैं जब केरल में हमारी पहली मस्जिद बनी थी. फिर कोई बताएगा कि हमारा पहला गिरजाघर जब बना तभी से हम भारत का अस्तित्व मानते हैं, तो कोई दावा करेगा कि हमारा पहला आतशबहेराम जब बना तब का भारत ही हमें कबूल है. फिर पहले गुरुद्वारे के बनने से भारत के अस्तित्व का हिसाब लगाने वाले उन्मादी भी सामने आएंगे.

यह सब होगा तो फिर कैसा भारत बचेगा ? और कैसे बचेगा ? इसलिए बाबरी मस्जिद की आड़ में जब आजाद भारत की परिकल्पना पर पहला हमला हुआ तब हमारी संसद ने धार्मिक स्थल कानून 1991 बनाया और 1947 की औजादी को हमारे वर्तमान का ‘कटऑफ डेट’ माना. यह किसी भी जीवित लोकतांत्रिक समाज का पहला लक्षण है कि वह अपने भीतर से उठने वाली किसी भी समस्या का हल अपने भीतर ढूंढता है कुछ उसी तरह जैसे सागर अपने भीतर उठती अविराम लहरों को अपने भीतर ही समो लेने का अविराम अभिक्रम करता रहता है. जो समाज ऐसा करना छोड़ देता है वह अपनी ही प्रतिगामी लहरों में डूब जाता है. हम उस कगार पर खड़े हैं. यहां से संभलते हुए हम लौट सकेंगे या डूब मरेंगे, यही देखना है.

(26.05.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें : https://kumarprashantg.blogspot.com

Loading

નાટક કરે છે, જોઈએ

ભરત વિઝુંડા|Poetry|27 May 2022

નાયકો  નાટક  કરે  છે, જોઈએ, 
ચાહકો  નાટક  કરે  છે, જોઈએ.

નાગરિક  સૌ શાંત બેસી જાવ કે 
એ  બકો  નાટક કરે છે, જોઈએ.

કોઈએ ઇતિહાસ લખવાનો થશે, 
શાસકો  નાટક  કરે  છે, જોઈએ. 

આવીને  બેસાડી  ઊંચા આસને, 
શ્રાવકો  નાટક  કરે  છે,  જોઈએ. 

આવડે  એવું  જ  કરતાં  હોય છે,
બાળકો  નાટક  કરે  છે,  જોઈએ.

એક  નાટકબાજ  બોલે  છે  અને 
ભાવકો   નાટક  કરે  છે,  જોઈએ. 

ક્યાંક એનો જાન જોખમમાં હતો, 
રક્ષકો   નાટક   કરે   છે,  જોઈએ.

Loading

...102030...1,3771,3781,3791,380...1,3901,4001,410...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved