Opinion Magazine
Number of visits: 9458776
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘લોકપ્રિયતા’નું આટલું સાંકડું અર્થઘટન ?

નિસર્ગ આહીર|Opinion - Literature|7 June 2022

દિવ્યાશાબહેન ડી. દોશીની ફેઈસબૂક દિવાલે 16 ફેબ્રુઆરી 2018ના રોજ મૂકાયેલો આ લેખ ફેર-ભ્રમણ કરી રહ્યો છે. એમના સૌજન્યે અહીં સાદર છે. દિવ્યાશાબહેન કહે છે, ‘સાહિત્ય રસિકોએ નિસર્ગ આહીરનો આ લેખ વાંચવા જેવો છે’ –

હમણાં એક ‘લોકપ્રિય’ વક્તાએ મંચ પરથી કહ્યું કે તમારે લોકપ્રિય થવું હોય તો છાપામાં કૉલમ લખતા થાવ. આ જ વક્તાને કહેતા સાંભળ્યા છે કે ઘણા ગુજરાતી લેખકો એવું લખે છે કે ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે છે. આ વક્તાની જેમ એક ‘લોકપ્રિય’ બહેન છે, જે વ્યંગમાં કહે છે કે અમે તો લોકપ્રિય છીએ, અમારાં આટલાં બધાં પુસ્તકો વેચાય છે, પણ અમે સાહિત્યકાર ન ગણાઈએ …

આવું સાંભળીને કોઈ પણ સાહિત્યરસિકને દુઃખ થાય એ સ્વાભાવિક છે. આજના આવા ‘લોકપ્રિય’ ગુજરાતી લેખકોએ સાહિત્યની સામે જાણે કે છૂપો મોરચો માંડ્યો છે. જોનાર તો એવું પણ જોઈ શકે કે આવી લોકપ્રિયતા એમને વરેલી નથી, પણ ઉઘરાવેલી છે, અથવા તો જાતે સ્થાપેલી છે. એક અર્થમાં એમને સ્વસ્થાપિત લોકપ્રિય લેખકો કહી શકાય. તેઓ સ્માર્ટ છે, એટલે, જાતજાતની સ્માર્ટનેસ દ્વારા તેઓ માર્કેટિંગ કરે છે. ખૂબ મોટી ફી લઈને વ્યાખ્યાન આપવા જતા આવા લોકપ્રિય લેખકો કે વક્તાઓ પછી ગુજરાતી ભાષા અને સાહિત્યની ચિંતા જાહેરમાં કરે ત્યારે બહુ જ વરવા-વિકૃત લાગે છે. જો ખરેખર ગુજરાતી ભાષાસાહિત્યની ચિંતા હોય તો એમણે કશી ફી લીધા વિના જ વ્યાખ્યાન આપવાં જોઈએ, સમગ્ર ગુજરાતમાં ભાષાસજ્જતા માટેનાં વ્યાખ્યાન આપવાં જોઈએ. એમણે નોંધવું જોઈએ કે કશું પણ આર્થિક યોગદાન લીધા વિના, ખૂબ મહેનત કરીને ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કામ કરનારા ઘણા બધા સાહિત્યકારો છે જ. વિદ્યાતપ માટે આખી જિંદગી ખર્ચી નાખે છતાં ન લોકપ્રિયતાની ખેવના રાખે, ન આર્થિક ઉપાર્જનનો ધખારો. તેઓ તો પોતાનું કર્તવ્ય જાણીને સાહિત્યપદાર્થ માટે સતત કર્મરત રહેતા હોય છે. નિસબત જ એમની મૂડી છે.

સાહિત્યના સંદર્ભે ‘લોકપ્રિય’ શબ્દ ખરાબ નથી જ. કોઈ પણ સાહિત્યકારની ખેવના હોય કે એમનું સર્જન વધારે ને વધારે લોકો સુધી પહોંચે. પરંતુ, માત્ર લોકોને પ્રિય હોય એવું જ લખવું એમ કોઈ સાહિત્યકાર નક્કી કરે તો તે વેપારી કહેવાય. કેમ કે, સાહિત્યકાર એક સાંસ્કૃતિક પ્રતિનિધિ પણ છે. એણે લોકોનાં રસ અને રુચિ ઘડવાનાં હોય છે. એટલે, લોકો ઈચ્છે તેવું તે ન લખે, પણ ઉત્તમતા તરફ લોકોને દોરી જાય. સાહિત્યકાર લોકોનો છેદ પણ ન ઉડાડે. કારણ કે, કોઈ પણ લેખન આખરે તો ભાવન માટે જ રચાતું હોય છે. ‘હું તો મારા માટે જ લખું છું. લોકોને સમજવું હોય તો સમજે’ એવી ગર્વોક્તિ સાહિત્યકારને ન જ શોભે. ભાવક ચોક્કસપણે સર્જનના કેન્દ્રમાં હોય જ છે. પરંતુ, ખરો લેખક એ છે જે લોકોની સમજ અને સજ્જતાને પણ સંકોરે. સર્જકે પોતાના સ્થાનથી નીચે ઉતરીને માત્ર લોકપ્રિય થવા માટે તાયફા કે નાટક ન કરવાનાં હોય.

એક ચિંત્ય મુદ્દો છે કે ગુજરાતમાં અત્યારે એક પ્રકારનો નીઓ-રિચ વર્ગ ઊભો થઈ રહ્યો છે. તેઓ પોતે કલારસિક છે એમ એમને દર્શાવવું છે, પણ કલા વિશેની એમને ઝાઝી ગતાગમ નથી. કલા એક અત્યંત ગંભીર અને જવાબદારીપૂર્ણ પ્રવૃત્તિ છે એમ તેઓ નથી જાણતા. તેઓ સાહિત્યરસિક અને સંગીતરસિક છે એમ ગાઈવગાડીને કહેવા માગે છે. એટલે, મોટી રકમ લઈને યોજાતા સંગીત-સમારંભોમાં, વ્યાખ્યાનોમાં હાજરી પૂરાવી આવે છે. એમની સાહિત્યની સમજ પેલા મીડિયોકર લોકપ્રિય વક્તાએ કહેલી સપાટી પરની ચબરાકીપૂર્ણ વાતો સાથે પૂરી થઈ જાય છે. આવા શ્રોતાઓ કશું જ ગંભીર પચાવી શકે તેમ નથી. કેમ કે, કલા એમને માટે પ્રેમ નથી, પ્રદર્શન છે. ગુજરાતીભાષી આવો મીડિયોકર વર્ગ વધી રહ્યો છે એ ચિંતાનો વિષય છે. આવા પૈસાપાત્ર લોકોની ભાવનાને પોષીપોષીને લોકપ્રિય થનારા વક્તાઓ અને લેખકોની સંખ્યા વધી રહી છે તે એક સાંસ્કૃતિક કટોકટી કહી શકાય. ગુજરાતી સાહિત્યકારો વિશે પૂછવામાં આવે તો મીડિયોકર લોકો એવા સ્વસ્થાપિત લેખકો-વક્તાઓ સિવાયનાં બીજાં નામ નહિ આપી શકે. આવી સ્થિતિને શું કહીશું ? ગોવર્ધનરામ, લાભશંકર ઠાકર, રાજેન્દ્ર શાહ, સુરેશ જોષી, મધુ રાયનાં તો તેમણે નામ પણ નહિ સાંભળ્યાં હોય !

માણસ જે રીતે આઈસક્રિમ પાર્લરમાં આઈસક્રિમ ખાઈને બહાર આવે એવી રીતે એવા લોકો લોકપ્રિય વક્તાના વ્યાખ્યાનમાંથી બહાર આવે છે. શ્રોતા અને વક્તા બન્ને ખુશ હોય છે. વક્તાને મોટી રકમ મળે છે, શ્રોતાને ‘સંસ્કારી’ હોવાનો સંતોષ મળે છે. આઈસક્રિમ થોડા સમયની મજા માટે હોય છે એમ એવાં વ્યાખ્યાન પણ થોડા સમયની મજા માટેનાં હોય છે. શબ્દરમત, ચબરાકીપૂર્ણ વાત, થોડા જોક્સ, સામે બેઠેલા લોકો સાથે પોતાને અંગત સંબંધ છે એ રીતે એમને સંડોવીને ખુશ કરવાની કે મુજરો ભરવાની ચાલાકી, પોતાના વિશેની આપવડાઈઓ, તાળીઓ ઉઘરાવવા માટે જ ઈરાદાપૂર્વક બોલવામાં આવતી પંચ લાઈન્સ, થોડાક વિદેશના અનુભવો, થોડાક વિદેશી લેખકોનાં અવતરણો – આવીઆવી લોકપ્રિયતા માટેની ચાવીઓ એમણ હસ્તગત કરી લીધી હોય છે. કોઈ તાજા વિચાર, કોઈક વિક્ષુબ્ધ કરી નાખે એેવી વાત, વિચારતા કરી મૂકે એવા વિષયો, મૂંઝવી નાખે એવા પ્રશ્નોને લોકપ્રિય લેખનમાં કે વક્તવ્યમાં સ્થાન નથી હોતું. એમાં તો શ્રોતાને, એ રિસાઈ ન જાય એ રીતે પંપાળવાનો હોય છે, કે જેને કારણે પોતાનો વેપાર બંધ ન થઈ જાય. સ્માર્ટનેસ એટલી કે મીડિયોકર લોકોને મમળાવવા ગમે એવા વિષયો પર જ વાત કરવાની – કૃષ્ણ, રામાયણ, મહાભારત, લગ્ન, પ્રેમ, સૅક્સ, સફળતા, ગાંધીજી, સરદાર પટેલ, યુવાનો, યુવાનોની કારકિર્દી વગેરે એમના પ્રિય વિષયો છે.

કોઈ પણ સાહિત્યપ્રેમીએ એ સમજી લેવાની જરૂર છે કે સાહિત્ય માનવે સિદ્ધ કરેલી ઉત્તમ પ્રકારની સાંસ્કૃતિક ઉપલબ્ધિ છે. એ ઉપલબ્ધિને ઊર્ધ્વગામી કરવાની હોય, નિમ્ન નહિ. એટલે, શબ્દવૈભવ, વાક્યસંરચના, લય-લહેકા-કાકૂનું સૌંદર્ય, અલંકારો, પ્રતીકો, ધ્વનિ, વ્યંજના, પદાન્વય એવી ભાષાકીય ઉપલબ્ધિનો સમુચિત ઉપયોગ કરવો જ રહ્યો. સાહિત્યની ભાષા વ્યવહારની ભાષાથી ભિન્ન છે એવું લોકોને સમજાવું જોઈએ. વ્યવહાર ચલાવવા માટે તો બસો-પાંચસો શબ્દો જ પૂરતા છે. પણ પેલા સમાનાર્થી શબ્દોની દીર્ઘ આવલિ હોય તો તે આપણી ઉપલબ્ધિ છે. સરળતાનું સૌંદર્ય ચોક્કસ હોય છે, પરંતુ અર્થઘન સાહિત્ય માટેની અનેક પ્રયુક્તિઓનો પણ મહિમા કરવો જ રહ્યો. એનો ઉપહાસ ન હોય. ભારતીય કાવ્યશાસ્ત્ર ધ્વનિ, અલંકાર, રસ ઈત્યાદિ વિશેની એક અત્યંત સમૃદ્ધ સંપદા ધરાવે છે તેને અત્યારના ‘લોકપ્રિય’ શબ્દથી હાનિ પહોંચી શકે છે. હજારો વર્ષની ભાષાકીય કે સૌંદર્યશાસ્ત્રીય પરંપરાને સમજ્યા વિના માત્ર લોકોને ગળચટ્ટી વાતો કરીને જે ‘લોકપ્રિય’ થવા મથે છે તે સમગ્ર ભાષાકીય પરંપરાના અપમાન સમાન છે. આપણે એટલું સમજી લઈએ કે સાહિત્યકારનું લોકપ્રિય હોવું એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ જે પોતાની ગરિમાથી નીચે ઉતરીને લોકોને રીઝવે છે તે તો હીન પ્રવૃત્તિ છે. સાહિત્યના સર્જકને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. લોકપ્રિય તો છે વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, તુલસી, કબીર, નરસિંહ વગેરે. લોકપ્રિયતા એ સારો જ શબ્દ છે, પરંતુ માત્ર લોકપ્રિય થવા માટે જ મથામણ કરવામાં આવે તો સાહિત્ય અને સમાજ માટે ચોક્કસપણે હીન પ્રવૃત્તિ કહી શકાય. જે લોકરુચિને ઘડીને સહજ સમાદર પામે તે જ લોકપ્રિય કહેવાય. આપણે ‘લોકપ્રિય’ શબ્દને લાંછન ન લગાડીએ તો સારું.

[સંપાદકીય, ‘શબ્દસર’ સામયિક; ફેબ્રુઆરી, ર૦૧૮]

Loading

नहीं मदनी साहब, नहीं !

कुमार प्रशांत|Opinion - Opinion|7 June 2022

जमीयत उलेमा-ए-हिंद के एक धड़े के अध्यक्ष और भारतीय मुसलमानों की सशक्त व विवेकसम्मत आवाज़ मौलाना महमूद मदनी साहब से मैं कहना चाहता हूं कि अभी-अभी देवबंद में की गई आपकी तक़रीर न देश के हित में थी, न मुसलमानों के और न विवेक के. क्रोध और असहायता मनुष्य को इस कदर कमजोर कर देती है कि वह खुद खुद को संभाल नहीं पाता है. ऐसा ही उस रोज मदनी साहब के साथ भी हुआ.

मैं जानता हूं कि मुल्क में इन दिनों हवा ऐसी बह रही है या कि बहाई जा रही है कि संयम व संतुलन रखना आसान नहीं रह गया है. मैं यह भी जानता हूं और मुझे उसकी गहरी शर्म भी है कि हमारा मुस्लिम समाज इन दिनों गहरे तनाव में जी रहा है. वह डरा हुआ भी है, सशंकित भी है और इन दोनों से उपजने वाली असहायता का भाव उसमें घर करता जा रहा है. ऐसी मनःस्थिति में कोई व्यक्ति रहे या समाज, वह आक्रामक दीखने की कोशिश करता ही है. हमला ही उसे हथियार लगने लगता है. ऐसा ही हमारे मुसलमान समाज के साथ हो रहा है. लेकिन क्या हो रहा है और क्या होना चाहिए, यदि इसका विवेक हम खो देंगे तो वह देश व समाज भी खो देंगे जिसके नाम पर यह सारा कुछ रचा जा रहा है. नाजुक दौर में लचीला मन बहुत ज़रूरी होता है.

मदनी साहब ने अपनी तकरीर में कहा : “हम ज़ुल्म सह लेंगे लेकिन मुल्क पर आंच नहीं आने देंगे.” यह कहते हुए वे इतने भावुक हो उठे कि उनकी आवाज़ रुंध गई, आंसू निकल पड़े. उन्होंने जो कहा और उनके जो आंसू बहे, आज हमें उनकी ज़रूरत है. यह भावुक अहसास यदि मुल्क के हर वाशिंदे के दिल में हो तो बात ही क्या ! मुल्क पर कैसी भी आंच तभी आती है जब मुल्क हमारी नजरों में नहीं रहता है. मदनी साहब ने ही आगे कहा : “मुश्किल को झेलने के लिए हौसला और ताक़त चाहिए.” उन्होंने अपने श्रोताओं को आगाह भी किया: “मुल्क में नफरत के खिलाड़ियों की संख्या कम है. यदि हम भी उन जैसे ही हो जाएंगे तो वे जीत जाएंगे.” यही तो सारा खेल है मदनी साहब कि वे सबको अपने जैसा बनाना चाहते हैं. अतिवादियों को ऐसे लोगों और ऐसे समाज से हमेशा परेशानी होती है जो मुल्क को देखता है और इंसान को समझता है. इसलिए अतिवादियों की कोशिश होती है कि हर आदमी सन्निपात में रहे ! जो होश में नहीं है उसे भीड़ में बदल लेना आसान होता है. इधर समाज भीड़ में बदला और उधर लगाम अतिवादियों के हाथ में आई ! इस खेल में जब सत्ता भी शामिल हो जाती है तब भीड़ निर्द्ंद्व हो कर आदमियों का शिकार करने लगती है.

इसलिए मुश्किल में मदनी साहब ही नहीं हैं, मुल्क का हर बाहोश आदमी मुश्किल में है. सत्ता जब समाज का भरोसा खो देती है तब जैसी आपाधापी मचती है, हमारा मुल्क वैसी कगार पर ला खड़ा किया गया है. सत्ता के सच और समाज के सच की दूरी लगातार बढ़ती जा रही है. यह ख़तरनाक दौर है. एक कदम फिसला, एक पल को आपने आपा खोया, एक जगह जीभ फिसली और बेड़ा तर्क ! यह इतना ख़तरनाक दौर है. इसलिए मदनी साहब ने जब यह कहा कि ‘ मुसलमान देश की एकता के लिए जान देता आया है और जान देता रहेगा’ तब वे उधर भटकने लगे जिधर अतिरेकी जमात हमें ले जाना चाहती है.

मदनी साहब जैसे क़द्दावर शख़्स को अब हिंदुस्तानी से छोटी किसी ज़बान में बात करनी ही नहीं चाहिए. मुसलमान ने नहीं, हर हिंदुस्तानी ने मुल्क की एकता के लिए जान दी है, और आज भी वही अपनी गर्दन आगे कर रहा है. जिन्होंने न तब गर्दन आगे की थी, न आज कर रहे हैं वे हिंदुस्तानी नहीं हैं. ऐसे लोगों में हिंदू भी हैं, मुसलमान भी हैं, और दूसरे धर्मावलंबी भी. यह बात हजार-हजार कंठों बोलनी चाहिए कि ऐसे सभी अतिवादी संकीर्णता के सिपाही थे जिन्होंने मुल्क की गर्दनें कटवाईं, देश के टुकड़े करवाए, गांधीजी को गोली मारी तथा दंगे-फसादों के रास्ते कुर्सी पानी चाही. हम वो नहीं हैं.

मदनी साहब यह कैसे कह गए कि हमें मौक़ा मिला था पाकिस्तान जाने का लेकिन हम नहीं गए ? यह तो अधूरा सच है. बाजवक्त मुसलमानों की तरफ़ से ऐसी बात कही जाती है. कभी ऐसा कह लेने में और सुन लेने में हर्ज भी नहीं है लेकिन आज के माहौल में यह सच्चाई बयान करनी चाहिए कि मौका सिर्फ़ मुसलमानों को नहीं मिला था कि वे पाकिस्तान चले जाएं, मौक़ा हिंदुओं को भी मिला था कि वे सारे  मुसलमानों को खदेड़ कर पाकिस्तान भेज दें. लेकिन तब हिंदुओं ने जिन्ना की नहीं, गांधी की बात सुनी जो अपनी सांसों का अंतिम तार संभाले, हर गली-नुक्कड़ से एक ही बात बोल रहे थे : दो राष्ट्रों का सिद्धांत हमने नहीं, जिन्ना साहब ने कबूल किया है. उनकी मानने वाले जितने जाना चाहें पाकिस्तान चले जाएं लेकिन जो हिंदुस्तान में रहना चुनेंगे वे पूरे हक, सम्मान व वफादारी के साथ भारत में रहेंगे और भारतीय कहलाएंगे. पागलपन के उस दौर में भी हिंदुओं के बहुमत ने गांधी की सुनी. मदनी साहब आप और दूसरे मुसलमान यहां रह सके, इसकी पूरी सच्चाई यह है. इसलिए नहीं जाने वाले मुसलमानों ने इस मुल्क पर अहसान नहीं किया, इस मुल्क की भली-बुरी क़िस्मत से अपने को जोड़ा.

इतना ही नहीं, ऐसे मुसलमान भी थे जो पाकिस्तान चले गए, वहां की हवा देखी-भाली और फिर भारत लौट आए जैसे वे मुल्क नहीं, तफ़रीह की जगह चुन रहे थे. लेकिन गांधीवाले हिंदुओं ने उनको भी जगह दे दी. इसलिए पहचान करनी ही हो तो  हिंदुओं-मुसलमानों के नाम करना सही नहीं है; करना ही हो तो गांधीवाले और जिन्नावाले जैसा विभाजन करें. मुझसे पूछेंगे मदनी साहब तो मैं कहूंगा कि साहब, अब ऐसी भाषा व ऐसी सोच को हम इतिहास में ही दफन कर दें और हिंदुस्तानी से छोटी किसी पहचान की बात ही न करें.

इसलिए मदनी साहब ने जब कहा कि अगर किसी को हमारा मज़हब, लिबास, तहज़ीब पसंद नहीं है तो वे ख़ुद कहीं और चले जाएं, तो वे जिन्ना वालों के जाल में फंस गए. जिन्नावाले हमें बात-बात पर कहते हैं कि पाकिस्तान चले जाओ, तो क्या हम भी उनसे ऐसा ही कहें ? फिर तो हम सब गांधी को छोड़ कर जिन्ना वाले ही बन गए न ! नहीं मदनी साहब, नहीं, जो हमें पाकिस्तान जाने को कहते हैं, हम उन्हें भी हिंदुस्तान में ही रहने देना चाहते हैं – सिर्फ़ उनका सर बदलना चाहते हैं. जहर निकल जाए तो कोई सांप खतरनाक नहीं होता है. अच्छा सपेरा यही तो करता है न !

हम उनसे हर कदम पर लड़ रहे हैं जो इतिहास-संस्कृति की ज़हरीली व्याख्या कर भारतीय समाज को गंदले तालाब में बदलना चाहते हैं. फिर हम यह कैसे मान सकते हैं कि शरीअत अंतिम बात है ? समान नागरिक क़ानून की उनकी मांग के पीछे यह चोर छिपा है कि बहुमत हमारा है, तो हमारे पक्ष का क़ानून बनेगा. ऐसे में जब हम शरीअत को अपरिवर्तनीय बताते हैं तो हम उनका ही पक्ष मजबूत करते हैं. हमें बेझिझक कहना चाहिए कि हम भी समान नागरिक क़ानून चाहते हैं क्योंकि यही हमारे संविधान की आत्मा भी है. लेकिन यह समान नागरिक क़ानून कौन बनाएगा, कैसे बनाएगा, उसकी संवैधानिक वैधता कैसे प्रमाणित होगी यह सब तो कोई सामने रखे. हवा में तलवारबाज़ी किसी मतलब की नहीं होती.

हम इस मुश्किल दौर को साथ रह कर ही पार कर सकेंगे.

(06.06.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

સ્વથી જોડાયેલો માણસ છું :

મૂકેશ પરીખ|Opinion - Opinion|7 June 2022

હવે પડવા, ગબડવા કે આખડવાનો ડર નથી મને,
હું  સ્થિર થયા પછી લડખડાયેલો માણસ છું.

બગડી જશે આકાર એ ચિંતાનો વિષય નથી હવે,
હું બધી બાજુએથી ગોબાયેલો માણસ છું.

નવું કોઈ મિલન થશે એ અભિલાષા નથી હવે,
હું દશેય દિશાઓથી તરછોડયેલો માણસ છું.

ધક્કામુક્કીથી સાવ ટેવાઈ જ ગયો છું હવે,
હું સહુ દ્વારા એક હડસાયેલો માણસ છું.

મનાવવાની કોશિશ વ્યર્થ જ નીવડશે હવે,
‘મૂકેશ’ હું તો સ્વથી જોડાયેલો માણસ છું.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mai : mparikh@usa.com

Loading

...102030...1,3621,3631,3641,365...1,3701,3801,390...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved