Opinion Magazine
Number of visits: 9670255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું વિચારવું

અનુવાદ : નંદિતા મુનિ|Poetry|23 December 2022

આજે મનની મોજથી, પ્રિય કવિ રૉબર્ટ બ્લાયના એક ગમતા કાવ્યનો ગુજરાતી અનુવાદ. મૂળ અંગ્રેજી કાવ્યનું શીર્ષક છે : ‘Things to Think’.

શું વિચારવું

પહેલાં ક્યારે ય ન વિચાર્યું હોય, એ રીતે વિચારો.

ફોન રણકે, તો વિચારો,

કે

તમે પહેલાં ક્યારે ય ન સાંભળ્યો હોય એવો વિશાળ કોઇ સંદેશ આવ્યો છે –

યેટ્‌સની સો પંક્તિઓ કરતાં પણ વિશાળ.

વિચારો, કે

તમારા દ્વાર પર કોઇ લાવે છે

એક રીંછ, જે કદાચ

ઘાયલ અને પાગલ છે;

કે પછી,

કોઇ સરોવરમાંથી બહાર આવે છે

એક મોટું મૃગ –

એનાં શૃંગ પર એ લાવે છે એક બાળક :

તમારું પોતાનું બાળક, 

જેને તમે ક્યારે ય દીઠું નથી.

કોઇ દરવાજો ખખડાવે,

તો વિચારો,

કે

તમને કોઇ અદ્‌ભુત વસ્તુ આપવામાં આવશે :

તમને કહેવામાં આવશે,

કે

તમને ક્ષમા આપવામાં આવી છે,

– કે

બધો સમય મહેનત કરવી જરૂરી નથી,

– કે

એવું નક્કી થયું છે કે તમે આરામથી લંબાવશો

તો કોઇ મરી નહીં જાય.

Loading

કાયમી ક્ષણ 

ઉમેશ સોલંકી|Poetry|23 December 2022

કલાકો દિવસો વરસો વીત્યાં

છતાં

ફૂલતી સંકોચાતી ફૂલતી સંકોચાતી દિવસરાત ન થાકતી

મગજની નસોમાં દોડતી-ચાલતી

ક્ષણ એક બની ગઈ કાયમી

થાય ઘણીવાર

ફાટી જશે ખોપડી કે પડી જશે ખોપડીમાં તિરાડ.

વળી

ક્ષણ કાયમી

ઊતરી આવે હૃદયમાં કોઈકોઈ વાર

અને, લઉં શ્વાસ

ભીતર કશું ન વરતાય

ઉચ્છ્વાસ

હૃદયનો અવકાશ બહાર ખેંચી જાય

અવકાશ 

જર્મનના વાડકામાં પડે ધડામ

શું થાય?

વાડકામાં એકાદ ગોબો વધી જાય.

e.mail : umeshsol@gmail.com

Loading

મન્તવ્યજ્યોત (૨૨) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : વાચકપરસ્તી 

સુમન શાહ|Opinion - Literature|22 December 2022

સિદ્ધ સર્જક-કલાકાર પણ એટલી અપેક્ષા તો રાખે જ છે કે એની કલાને કોઈક માણે પ્રમાણે અને બે શબ્દ પ્રશંસાના પણ લખે.

પરન્તુ જો એને સક્રિય સહૃદય કે સમ્યક સમીક્ષક ન મળે, તો?

કેટલીક વાર એવું બને છે કે સમીક્ષક મળે પણ સર્જકના રસલક્ષી આશયને – ઍસ્થેટિક વોલિશનને – પ્રમાણવામાં નિષ્ફળ જાય બલકે પોતાની માન્યતાઓને જ આગળ કર્યા કરે.

વિશ્વ સમગ્રમાં થયેલી શેક્સપીયરની સમીક્ષાઓએ એના શબ્દને સમજવામાં તેમ જ એની કલાને માણવા-પ્રમાણવામાં ભરપૂર મદદો કરી છે. શેક્સપીયરની કીર્તિના અનર્ગળ પ્રસરણમાં એ સમીક્ષાઓનો પણ મોટો ફાળો છે.

પરન્તુ એના સમકાલીન વિદ્વાનો એને પૂરતો ન્યાય નહીં આપી શકેલા. રૉબર્ટ ગ્રીન એક નૉંધપાત્ર નાટ્યકાર જરૂર હતા પણ પોતાના સાથીઓની કડવી ટીકા કરવામાં એટલા જ પાવરધા હતા. બધાઓએ શેક્સપીયરને ‘અપસ્ટાર્ટ ક્રો’ ગણી કાઢેલા. કાગડો, આપણે જાણીએ છીએ કે કો’કનું ચોરી લેતો હોય છે. પરન્તુ ક્રિયાપદ તરીકે પ્રયોજાય તો એનો અર્થ થાય, બડાશ હાંકે છે. શેક્સપીયરને ‘અપસ્ટાર્ટ ક્રો’ કહીને એની વેગવંત ગતિશીલતાને તો નિશાન બનાવાયેલી પણ ગ્રીને શેક્સપીયરનાં સર્જનોમાં વાગાડમ્બર છે એવો આક્ષેપ મૂકેલો, એટલે લગી કહેલું કે એમની કૃતિઓ સાહિત્યજગતની ઉત્તમ કોટિમાં બેસવાને લાયક નથી.

આજે સાહિત્યજગતની ઉત્તમ કોટિનો પ્રારમ્ભ શેક્સપીયરથી થાય છે !

જોહ્ન ડ્રાયડન અને બેન જોહ્નસન (જોહ્નસન પોતે નાટ્યકાર હતા ને સ્પર્ધાભાવ અનુભવતા’તા) એ બન્ને વિવેચકો શેક્સપીયરની સૃષ્ટિની નવતાને પ્રમાણી શકેલા નહીં. જોહ્નસન જુદા જ પ્રકારના નાટકના હિમાયતી હતા. એમણે કહેલું કે નાટકની ભાષા લોકો વાપરે છે એ સ્તરની હોવી જોઈએ. એ બન્નેની દૃષ્ટિએ નાટકની ચિરકાલીન પરમ્પરાઓનું શેક્સપીયર ઉલ્લંઘન કરતા’તા. મુખ્ય ફરિયાદ એ હતી કે શેક્સપીયર કૉમેડી અને ટ્રેજેડીનું મિશ્રણ કરી નાખે છે તેમ જ સ્થળ અને કાળની એકતાઓની સુ-વ્યાખ્યાયિત શિસ્ત પણ નથી જાળવતા. એ વિવેચકોએ એટલે લગી કહેલું કે શેક્સપીયરે અર્થ વગરનાં નર્મમર્મ શ્લેષ અને સંદિગ્ધતા પ્રયોજીને ભાષાને ભ્રષ્ટ કરી નાખી છે. વગેરે.

સમીક્ષકો સરખા ન મળ્યા હોય, ભલે. પરન્તુ વાચકસમાજની તુષ્ટિને લીધે પણ સર્જકોને કદાચ સારું લાગી શકે, એ તુષ્ટિ પણ એક રીતે આવકાર્ય ગણાય. પણ શેક્સપીયરનો જમાનો રૂઢિચુસ્ત હતો. સ્ત્રીપાત્રો જુવાનિયા છોકરાઓ ભજવતા. દાખલા તરીકે, ડેસ્ડેમોના ભજવતા છોકરાને કલ્પી જુઓ, મલકી પડાશે. પ્રેક્ષકો અભિનેતાઓને ‘જૂઠા’ ગણતા, એટલું જ નહીં, શાન્તિપ્રિય સમાજ માટે ખતરારૂપ સમજતા.

શેક્સપીયર અને એના સમકાલીનો

Pic courtsey : Wikimedia Commons

લોકો ક્રિસ્ટોફર માર્લો કે બેન જોહ્નસન જેવા લોકપ્રિય લેખકોને પસંદ કરતા. ૧૭મી સદીમાં, લગભગ ૮૦ વર્ષ પછી, “હૅમ્લેટ” પહેલી વાર ભજવાયું ત્યારે દૃશ્ય બદલાયું. લોકપ્રિયોની ભૂરકીથી પ્રજા હમેશાં અંજાયેલી રહે છે. એ ભજવાયું પછી વાચકો ‘ટુ બી ઑર નૉટ ટુ બી’ એકમેકને લખતા અને પૂછતા થયેલા.

એલિઝાબેથન પ્રેક્ષકો તાળીઓ પાડે ખરા પણ મોટેથી ‘બૂઉઉ’ કરીને વખોડે પણ ખરા, ક્યારેક સડેલાં ફળો ફૅંકે. નાટક ન ગમ્યું હોય તો હાથે ચડે એ ફર્નિચર પણ ફૅંકે; કરાય એટલું નુક્સાન કરે. કેટલાક પ્રેક્ષકો કૉમેડી નાટક સમાપ્ત થાય એટલે રંગભૂમિ પર પ્હૉંચી જાય અને પાત્રો જોડે નાચવા પણ માંડે !  

સમજી શકાય છે કે શેક્સપીયરને પેલા સમીક્ષકોનો અને આવા પ્રેક્ષકોનો સામનો કરતાં કેટલી અને કેવી વીતી હશે.

એવા વિપરીત સંજોગો હોય ત્યારે સર્જક-કલાકારે કરવું શું? મારી દૃષ્ટિએ સાક્ષરની મોટામાં મોટી કસોટી જ એ છે કે ત્યારે એ શું કરશે. વિવેચકોને તાબે થઈને તેઓ ઇચ્છે એવું લખવા માંડશે? પ્રેક્ષક કે વાચકની માગણીઓને વશ થઈને સસ્તું સસ્તું લખવા માંડશે? કહેવાય છે કે પાણી પોતાની સપાટી શોધી લે છે. પણ શું સાક્ષરે સમકાલીનો સૂચવે એ સપાટી શોધી લેવી જોઈશે?

રાજનેતાઓ કહેતા હોય છે : અમે તો પ્રજાના જ છીએ, પ્રજાના સેવક છીએ : છાપાં અને મીડિયા હમેશાં દાવો કરે છે – અમે અદના આદમીની દરકાર કરનારા છીએ : કોઈ કોઈ અધ્યાપકો કહેતા હોય છે : અભ્યાસક્રમમાં અઘરું ન રાખો, વિદ્યાર્થી બચારો બેહાલ થઈ જશે : ઘણા સાહિત્યકારો પણ આ જ માનસિકતા ધરાવતા હોય છે, કહેતા હોય છે – હું તો વાચકોને સમજાય એવું જ લખું છું, વાચક જ મારું સર્વસ્વ છે.

એને વાચકની ખુશામત કહેવાય; વાચકપરસ્તી કહેવાય; સર્જક માટે એ વસ્તુ ખતરનાક છે; સાક્ષરજીવને શોભે નહીં. પ્રેમચંદની જેમ કોઈ સાહિત્યકાર આપોઆપ વાચકપ્રિય થાય તો એવું પરિણામ આવકાર્ય છે, પણ સંકલ્પ કરીને વાચકપ્રિય થવા નીકળેલો સર્જક ભીંત ભૂલે છે. એ અવળે માર્ગે ચડી જશે. સર્જકમાંથી લેખક અને લેખકમાંથી લહિયો થઈ જશે.

કેમ કે સાહિત્ય કે કલામાત્ર એના વાચક શ્રોતા પ્રેક્ષક કે દર્શકની રુચિને, એના ગમાઅણગમાને, એની માગણીઓને, સંતોષવા કે પુષ્ટ કરવા માટે નથી. કલાને નામે વેપાર માંડી બેઠેલાઓનો કિસ્સો જ જુદો છે.

કલા એક વિશિષ્ટ પ્રકારનો અપરિચિત નિત્યનૂતન આલોક છે. કલાકાર એનો સર્જક છે, તેથી એ તત્સમ વૃત્તિનો માણસ ન હોઈ શકે, સ્થિતસ્ય સમર્થનમ્ કરનારો ન હોઈ શકે. એ ‘ના’ પાડનારો છે, અવાજ કાઢનારો છે, બંડ પોકારનારો છે, કેમ કે વિદ્રોહ એનો સ્વ-ભાવ છે.

એનાં સર્જન, વ્યક્તિ કે સમાજના ચિરપરિચિત રૂપોનો ધ્વંસ કરે છે. સામાન્ય જનને ખબર નથી હોતી કે પોતે જેને જીવે છે એ વિચારો અને વિચારસરણીઓ તેમ જ ભાવો ભાવનાઓ લાગણીઓ કે ઊર્મિઓ એનાથી કેટલાં તો ટેવવશ જિવાય છે અને એ કેટલાં જર્જરિત થઈ ગયાં છે. એને એ પણ ખબર નથી હોતી કે પોતે જે ભાષામાં વ્યવહાર કરે છે તેના શબ્દો અતિ અને અક્કલ વગરના વપરાશને કારણે કેવા તો નિષ્પ્રાણ થઈ ગયા છે બલકે પોતે શબ્દો સાથે કેટલો તો યથેચ્છ વિહાર કરે છે, કેટલો તો વ્યભિચાર કરે છે.

એ સઘળાને વિશે સત્ કલા અને કલાકાર મનુષ્યને રસાનન્દસહ જાગ્રત કરે છે, સાવધ કરે છે.

સાક્ષરજીવનું એથી જુદું જીવનકર્મ ન હોઈ શકે.

= = =

(December 22, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2951,2961,2971,298...1,3101,3201,330...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved