Opinion Magazine
Number of visits: 9458382
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

जो तोड़ने से भी न टूटे वह गांधी है

कुमार प्रशांत|Gandhiana|21 September 2022

गांधी सारी दुनिया में हैं – मूर्तियों में ! एक जानकारी बताती है कि कोई 70 देशों में गांधीजी की प्रतिमा लगी है. भारतीय सामाजिक-राजनीतिक जीवन में गांधी 1917 में प्रवेश करते हैं और फिर अनवरत कोई 31 सालों तक, अहनिर्श संघर्ष की वह जीवन-गाथा लिखते हैं जिसे हिंदुत्व की धारा में कु-दीक्षित नाथूराम गोडसे की तीन गोलियां ही विराम दे सकीं. लेकिन एक हिसाब और भी है जो हमें लगाना चाहिए: कितने देशों में गांधी-प्रतिमा को खंडित करने की वारदात हुई है ? संख्या बड़ी है. गांधी के चंपारण में,  मोतिहारी के चर्खा पार्क में खड़ी गांधी की मूर्ति पिछले दिनों ही खंडित की गई है. ऐसे चंपारण दुनिया भर में हैं. अमरीका में अश्वेतों ने भी, ‘ब्लैकलाइफ मैटर्स’ जुंबिश के दौरान गांधी-प्रतिमा को नुकसान पहुंचाया था. ऐसी घटनाओं से नाराज या व्यथित होने की जरूरत नहीं है. फिक्र करनी है तो हम सबको अपनी फिक्र करनी है जो लगातार गहरी फिक्र का बायस बनती जा रही है.

गांधी की प्रतिमाओं के खिलाफ एक लहर तब भी आई थी जब 60-70 के दशक में नक्सली उन्माद जोरों पर था. गांधी की मूर्तियों पर हमले हो रहे थे- वे तोड़ी जा रही थीं, विकृत की जा रही थीं, अपशब्द आदि लिख कर उन्हें मलिन करने की कोशिश की जा रही थी. तब यहां-वहां चेयरमैन माओ के समर्थन में नारे भी लिखे व लगाए जा रहे थे. मूर्तियों से लड़ने के इसी उन्मादी दौर में, बिहार के जमशेदपुर में गांधी की मूर्ति का विभंजन हुआ था.  तब जयप्रकाश नारायण ने अपनी गांधी-बिरादरी को संबोधित करते हुए लिखा था कि गांधी से इन लोगों को इतना खतरा महसूस होता है कि वे इनकी मूर्तियां तोड़ने में लगे हैं, इसे मैं आशा की नजरों से देखता हूं. यह हम गांधीजनों को सीधी चुनौती है जो अपनी-अपनी सुरक्षित दुनिया बना कर जीने लगे हैं. चुनौती नहीं तो गांधी नहीं, ऐसा भाव तब जयप्रकाश ने जगाया था जो शनै-शनै उस लहर में बदला जिसे इतिहास में जयप्रकाश आंदोलन या संपूर्ण क्रांति आंदोलन कहा जाता है.

आज गांधी के खिलाफ एक दूसरा ध्रुव उभरा है जो हिंदुत्व के नाम से काम करता है. नक्सली आज भी हैं. अपनी बची-खुची ताकत समेट कर नक्सली हमलों व हत्याओं की खबरें भी यहां-वहां से आती रहती हैं लेकिन यह साफ है कि राज्य की हिंसा अब उन पर भारी पड़ रही है. हिंसा का यह दुष्चक्र नया नहीं है बल्कि यही इसका शास्र है कि बड़ी हिंसा छोटी हिंसा को खा जाती है और छोटी हिंसा बड़ी बनने की तिकड़म में लगातार हमले करती रहती है. इन दो हिंसाओं के बीच समाज पिसता रहता है.

जब मैं हिंदुत्व की बात कहता हूं तब मेरा आशय अंध-संकीर्णता से है. यह संकीर्णता भी दुनिया भर में फैली है, बढ़ रही है. इंग्लैंड ने ऋषि सुनक की जगह लिज़ ट्रस को प्रधानमंत्री चुनना ऐसी ही संकीर्णता का ताजा उदाहरण है. कंजरवेटिव दल के सदस्य श्वेत चमड़ी व ब्रिटिश मूल की अवधारणा से चिपके हैं जबकि ब्रिटिश जनता ज्यादा उदारता से सोचती व बरतती है. सभी जानते हैं कि यदि ब्रिटेन में आज आम चुनाव हो जाए तो सुनक की जीत होगी. सुनक अच्छे प्रधानमंत्री होंगे कि ट्रस, सवाल यह है ही नहीं. सवाल यह है कि संकीर्णता फैल रही है कि उदारता ? लगता है कि सारी दुनिया में यह दौर संकीर्णता को सर पर उठाए घूम रहा है. यह संकीर्णता सत्ता की ताकत पा कर ज्यादा हमलावर व ध्वंसकारी होती जा रही है. इसी ने तो गांधी को गोली भी मारी थी न ! गोली से गांधी मरे नहीं; बहुत व्यापक हो गए. उनकी सांस्कृतिक व सामाजिक-राजनीतिक स्मृतियां भारतीय मन में जड़ जमा कर बैठ गईँ. संकीर्ण सांप्रदायिकता ने ऐसे परिणाम की आशा नहीं की थी. इसलिए अब सत्ताप्रेरित संकीर्णता उनकी उन सारी स्मृतियों को पोंछ डालना चाहते हैं जिससे उसकी क्षुद्रता-विफलता सामने आती है. गांधी के खिलाफ तब वामपंथियों ने चेयरमैन माओ का प्रतीक खड़ा किया था, हिंदुत्व वाले नाथूराम गोडसे का प्रतीक खड़ा करने में जुटे हैं. हम याद रखें कि इन सबके अपने-अपने गोडसे हैं. सब अपने प्रतीक को खड़ा कर रहे हैं लेकिन जो खड़ा नहीं हो पा रहा है और जिसे खड़ा करने में किसी की दिलचस्पी भी नहीं है वह है लोकतंत्र का आम नागरिक. गांधी इसी की हैसियत बनाने व बढ़ाने में जीवनपर्यंत लगे रहे.

गांधी होते तो आज, जब मैं यह पंक्ति लिख रहा हूं, 152 साल, 11 माह, 20 दिन के होते.  इतने साल आदमी कहां जीता है ! लेकिन गांधी जी रहे हैं तभी तो हम उनसे सहमत-असहमत ही नहीं होते रहते हैं, उनकी मूर्तियों पर हमला कर अपना क्रोध या अपनी असहमति व्यक्त करते हैं. गांधी न कभी सत्ताधीश रहे, न व्यापार-धंधे की दुनिया से और न उसके शोषण-अन्याय से उनका कोई नाता रहा, न उन्होंने कभी किसी को दबाने-सताने की वकालत की, न गुलामों का व्यापार किया, न धर्म-रंग-जाति-लिंग भेद जैसी किसी सोच का समर्थन किया. वे अपनी कथनी और करनी में हमेशा इन सबका निषेध ही करते रहे. वे कहते व करते इतना ही रहे कि हमारे निषेध का रास्ता हिंसक नहीं होना चाहिए. उनका तर्क सीधा था और आज भी उतना ही सीधा है कि जितने तरह के शोषण, भेद-भाव, गैर-बराबरी, ज्यादती चलती है, चलती आई है और आगे भी चल सकती है, उन सबकी जड़ हिंसा में है.

हिंसा का मतलब ही है कि आप मनुष्य से बड़ी किसी शक्ति को, मनुष्य का दमन करने के लिए इस्तेमाल करते हैं फिर चाहे वह शक्ति हथियार की हो कि धन-दौलत या सत्ता की या संख्या या उन्माद की. गांधी ऐसे किसी हथियार का इस्तेमाल मनुष्य के खिलाफ करने को तैयार नहीं होते हैं क्योंकि वे मानते हैं कि इससे मनुष्य व मनुष्यता का पतन होता है और जिसके खिलाफ हम होते हैं, वह बना ही नहीं रहता है बल्कि पहले से ज्यादा क्रूर व घातक हो जाता है. हिंसा हमारे निष्फल क्रोध की निशानी बन कर रह जाती है. इसलिए ही वे कहते हैं कि हिंसा बांझ होती है.

अहिंसक रास्ते से मनुष्य व मनुष्यों का समाज अपनी कमियों-बुराइयों से कैसे लड़ सकता है, और  कैसे अपनी सत्ता बना सकता है, इसका कोई इतिहास नहीं है. जो और जितना है, वह गांधी का ही बनाया है. तो गांधी एक संभावना का नाम है. कुछ लोग हैं ऐसे जो गांधी के बाद भी इस संभावना को जांचने और  सिद्ध करने में लगे हैं. इसलिए ही तो हम गांधी-विनोबा-जयप्रकाश का त्रिकोण बनाते हैं क्योंकि अहिंसक शोध की दिशा में इतिहास के पास कोई चौथा नाम है नहीं. हम कह सकते हैं कि इन चारों की अपनी मर्यादाएं व कमजोरियां भी हैं जैसी हर मानव की अौर हर मानवीय प्रयास की होती हैं. फिर ऐसे गांधी का और उनकी दिशा में की जा रही कोशिशों का ऐसा घृण्य विरोध क्यों है ? गांधी के प्रति धुर वामपंथियों का और धुर दक्षिणपंथियों का एक-सा द्वेष क्यों है ? यह द्वेष आज का नहीं, जन्मजात है. गांधी को अपने जीवन के प्रारंभ से तीन गोलियों से छलनी होने तक इनका घात-प्रतिघात झेलना पड़ा. ऐसा क्यों ? इसका कारण समझना किसी जटिल वैज्ञानिक समीकरण को समझने जैसा नहीं है हालांकि विज्ञान ही बताता है कि एक बार ठीक से कुछ भी जान-समझ लें हम तो जटिल या सरल जैसा कुछ नहीं होता है. जो जटिल है वह ज्ञात व अज्ञात के बीच की खाई है.

गांधी इस अर्थ में बेहद खतरनाक हैं कि वे कैसी भी गैर-बराबरी, किसी भी स्तर पर भेद-भाव, किसी भी तर्क से शोषण-दमन को स्वीकारने को तैयार नहीं है- इस हद तक कि वे इनमें से किसी की मुखालफत करते हुए जान देने को तैयार रहते हैं. दूसरी तरफ यही गांधी हैं कि जो किसी भी तरह बदला लेने या प्रतिहिंसा को कबूल करने को तैयार नहीं हैं. मानव-जाति ने प्रतिद्वंद्वी से निबटने के जो दो रास्ते जाने,माने और लगातार अपनाए भी हैं, वे इन्हीं बलों पर आधारित हैं- हिंसा-प्रतिहिंसा-बदला.  कहूं तो हमारी सभ्यता का सारा इतिहास इन्हीं तीन ताकतों का दस्तावेज है. कोई तीसरी ताकत भी हो सकती है जो इस दुष्चक्र से मनुष्यता को त्राण दिला सकती है, इसका अविचल दावा और उस दिशा में लगातार साहसी प्रयास हमें गांधी में ही मिलता है. गांधी से द्वेष का यही कारण है कि गांधी हमेशा, हर जगह उनकी जड़ ही काट देते हैं.

गांधी से वामपंथियों का विरोध या द्वेष इधर कुछ कम हुआ है. राजनीतिक सत्ता की छीनाझपटी में लगी दलित पार्टियों का गांधी के खिलाफ विषवमन कुछ धीमा पड़ा है तो सोच-समझ रखने वाले दलितों के बीच से सहानुभूति व समन्वय की कुछ आवाजें भी उठने लगी हैं. लेकिन इन सबके पीछे राजनीतिक परिस्थितिजन्य मजबूरी कितनी है और समझ में बदलाव कितना है, यह देखना अभी बाकी है. हम देख ही रहे हैं कि गांधी के अपमान व उनकी मूर्तियों के विभंजन पर इनकी तरफ से कोई खास प्रतिवाद आज भी नहीं होता है.

प्रतिवाद में जो आवाजें उठती हैं उनमें हायतौबा ज्यादा होती है. यह भी सच है कि ऐसी घटनाओं  के पीछे दिशाहीन सामाजिक उपद्रवी, शराबी-अपराधी किस्म के लोग भी होते हैं लेकिन यह भी सच है कि यह गांधी से विरोध-भाव रखने वाली राजनीतिक-सामाजिक शक्तियों का कारनामा भी है. यथास्थिति बनाए रखने वाली दक्षिणपंथी तथा हिंसा-द्वेष की लहर बहा कर उनकी जगह लेने में लगी वामपंथी ताकतों का यह वही खेल है जो गांधी को अपने हर कदम के इंकार में खड़ा पाता है. गांधी का यह इंकार इतना सशक्त, तार्किक व सीधा है कि 70 से अधिक सालों से लगातार अनुपस्थित होने पर भी वे गांधी की कोई सार्थक काट खोज नहीं पाए हैं सिवा छूंछा क्रोध प्रदर्शित करने के. यह असत का सत पर प्रहार है.

गांधीवालों में इससे क्रोध या ग्लानि का भाव पैदा नहीं होना चाहिए. मूर्तियों का यह प्रतीक-संसार सारी दुनिया में अत्यंत बेजान, अर्थहीन व नाहक उकसाने वाला हो गया है. हमारा हाल तो ऐसा है कि बुद्ध जैसे मूर्तिपूजा के निषेधक की मूर्तियों से हमने जग पाट दिया है. तो गांधी पर हम गांधी वाले रहम खाएं और  मन-मंदिर में भले उन्हें बसाएं, उनकी मूर्तियां न बनाएं. हम दृश्य-जगत में उनके मूल्यों की स्थापना का ठोस काम करें. गांधी सामयिक हैं, यह बात नारों-गीतों-मूर्तियों-समारोहों-उत्सवों से नहीं, समस्याओं के निराकरण से साबित करनी होगी. जो गांधी को चाहते व मानते हैं उनके लिए गांधी एक ही रास्ता बना व बता कर गए हैं : अपने भरसक ईंमानदारी व तत्परता से गांधी-मूल्यों की सिद्धि का काम करें ! इससे उनकी जो प्रतिमा बनेगी, वह तोड़े से भी नहीं टूटेगी. हम जयप्रकाश की वह चेतावनी याद रखें : “ गांधी की पूजा एक ऐसा खतरनाक काम है जिसमें विफलता ही मिलने वाली है.” इसलिए गांधी की हर विखंडित प्रतिमा दरअसल हमें विखंडित करती है और हमें ही चुनौती भी देती है.

(21.09.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
My Blog:
https://kumarprashantg.blogspot.com

Loading

ગાંધીજીએ આપેલી સનાતન ધર્મની વ્યાખ્યા

તુષાર ગાંધી (અનુવાદ - આશા બૂચ)|Gandhiana|21 September 2022

‘ઓપિનિયન’ના વાચકો પત્રકાર-લેખક અરુણ ગાંધીના પુત્ર અને મણિલાલ ગાંધીના પૌત્ર એટલે કે ગાંધીજીના પ્રપૌત્ર તરીકે તુષાર ગાંધીથી સારી રીતે પરિચિત હશે. તાજેતરમાં તેઓના બે પુસ્તકો ‘Let us kill Gandhi’ અને ‘Lost Diary of Kastur – my Baa’ની ભેટ આપણને મળી છે.

22મી સપ્ટેમ્બર રેંટિયા બારસ, ગાંધી જયંતી.

તે નિમિત્તે કેટલાંક લોકો તેમનાં પૂતળાં ઉપર કે રાજઘાટ ઉપર ફૂલોનો હાર પહેરાવવાની ચેષ્ટા કરશે.

મને તે પાવન દિવસે ચરખા પર સૂતર કાંતવાની સાથે, Manorama Newsમાં, 21 ઓગસ્ટ 2022માં પ્રગટ થયેલ તુષારભાઈના લેખનો અનુવાદ તેમની અનુમતિથી અહીં પ્રસ્તુત કરવાનું વધુ મુનાસીબ લાગે છે. આજના ભારતના માહોલમાં કદાચ હિન્દુ ધર્મની આ વ્યાખ્યાની સહુથી વધુ જરૂર છે. જો યુનાઇટેડ કિંગ્ડમમાં વસતા હિન્દુ અને મુસ્લિમ કોમનાં પહેલી અને બીજી પેઢીનાં માતા પિતાએ પોતાની બીજી કે ત્રીજી પેઢીનાં સંતાનોને પોતપોતાના ધર્મની સાચી ઓળખ આપી હોત, તો લેસ્ટરમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો ન થયાં હોત.

— આશા બૂચ

•••

મોહનદાસ ગાંધી – બાપુ અવારનવાર ગૌરવથી કહેતા કે તેઓ હિન્દુ છે; માત્ર હિન્દુ નહીં પરંતુ સનાતની હિન્દુ હોવાનો દાવો કરતા.

વર્તમાન સમયમાં આ પ્રકારનો દાવો આપણામાંના મોટા ભાગના લોકોના રૂંવાડા ઊભા કરી જાય. હાલના સંયોગોમાં ‘સનાતની હિન્દુ’ શબ્દ એક ડરામણું દૃશ્ય ખડું કરી દે તેવું બને. હિન્દુ ધર્મની વિભાવનાનું હિન્દુત્વની રાજકીય અને નીતિભ્રષ્ટ દૃષ્ટિકોણ દ્વારા અપહરણ થઇ ગયું છે.

ભારતે આઝાદી હાંસલ કરી તેના થોડા દિવસ પહેલાં સનાતન હિન્દુ ધર્મની વ્યાખ્યા બાપુએ આપેલી તે તેમના જ શબ્દોમાં જોઈએ:

“સનાતન હિન્દુ ધર્મ એ કોઈ કૂવામાંના દેડકા જેવો મર્યાદિત અને બંધિયાર ખ્યાલ નથી. તે સાગર જેવો વિશાળ છે. એવું અર્થઘટન કરીએ તો એ પૂરી માનવજાતિની માલિકી છે, પછી તે ભલે ગમે તે નામે ઓળખવામાં આવે.” એમ.કે. ગાંધી. “હરિજન”, 10 ઑગસ્ટ 1947

તેઓએ આ વિધાન ત્યારે લખ્યું, જ્યારે ભારતનું વિભાજન થયું અને નવા રાષ્ટ્રના નિર્માણ સમયે દેશ હિંસાથી સળગતો હતો, જ્યારે ઉન્મત્ત થયેલી પ્રજા ભારતના ચારેય ખૂણે કોમી દાવાનળની આગમાં ભડકે બળતી હતી અને દેશને તેના નવજન્મ સમયે જ ભરખી જશે તેવો ભય હતો.

ધિક્કાર અને હિંસા ભારતને ભરડો લઇ રહી હતી તેની નિંદા કરવાની સાથે જ ગાંધીજીએ હિન્દુ પ્રજાને યાદ અપાવતાં લખ્યું,

“હિન્દુ ધર્મ સહુથી વધુ સહિષ્ણુ ધર્મ છે. તેણે ઈસાઈ ધર્મના ઉદ્દભવ સમયે સિતમનો ભોગ બનીને ભાગીને આવેલા લોકોને આશ્રય આપેલો, બેની-ઇઝરાયેલ નામથી ઓળખાતી પારસી પ્રજાને પણ યાતનામાંથી ઉગારી શરણ આપ્યું. મને એવા હિન્દુ ધર્મના અનુયાયી હોવાનું ગૌરવ છે જે બધાને પોતાનામાં સમાવી લે છે અને સહિષ્ણુતાનો સ્તંભ છે.”

એમ.કે. ગાંધી. “હરિજન”, 30 નવેમ્બર 1947

આપણે એ યાદ રાખવું ઘટે કે આ સમય દરમ્યાન બાપુ ભારતમાં રહેનાર તમામ લોકોને હિન્દુ ગણતા હતા, પછી ભલે તેઓ બીજા ધર્મના અનુયાયી હોવાનો દાવો કરતા હોય.

“હિન્દુ ધર્મ સત્ય અને અહિંસાના મજબૂત પાયા ઉપર આધારિત છે, અને તેથી બીજા ધર્મના લોકો સાથે સંઘર્ષ થવાની તેમાં કોઈ ગુંજાઈશ નથી.”

એમ.કે. ગાંધી. “હરિજન”, 25 માર્ચ 1939

જ્યારે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ભભકા અને શાનથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારતના નાગરિકોને  દેશના ઘડવૈયાઓએ  જેને રાષ્ટ્રપિતા માન્યા હતા તેમના શબ્દોને યાદ અપાવવા જરૂરી છે.

મોહનદાસનો ઉછેર ખૂબ રૂઢિચુસ્ત ઉચ્ચ વર્ણના પરિવારમાં થયેલો, જેમાં હિન્દુ કુટુંબમાં પાળવામાં આવતા અસ્પૃશ્યતા સહિતના તમામ જૂનવાણી આચારો, પ્રતિબંધો અને નિયમોનું પાલન કરવામાં આવતું. મોહને અસ્પૃશ્યો મનાતા લોકો પ્રત્યેના અમાનવીય વર્તનથી થતા અન્યાય જોયા હતા. તેઓ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આવી પ્રથાઓ માટેની તેમની નફરત વધતી ગઈ અને યુવાન વયે આ પ્રથાઓનું ઉલ્લંઘન કરવાનો જાગૃતપણે નિર્ણય કર્યો. પણ આવી પ્રથાઓને વખોડવા છતાં પોતે હિન્દુ ધર્મનો ત્યાગ ક્યારે ય નથી કર્યો. જ્યારે દક્ષિણ આફ્રિકામાં તેઓ ક્રિશ્ચિયન કલર્જીની નિકટ આવ્યા અને તેમના ઉપર ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા માટે ખૂવ દબાણ આવ્યું ત્યારે તેઓ પોતાના ધર્મને ચુસ્તપણે વળગી રહ્યા અને કબૂલ કર્યું કે હિન્દુ ધર્મમાં ઘણી ખોડ અને ખામીઓ છે, પરંતુ પોતાનો ધર્મ છોડીને બીજો ધર્મ સ્વીકારવાનું કોઈ કારણ તેમને ન જડ્યું. જેમ જેમ તેમનો બધા ધર્મના મુખ્ય ગ્રંથોનો અભ્યાસ વધવા લાગ્યો તેમ તેમ તેમની ધર્મો વિશેની સમજ વિકસવા લાગી અને તેમને હિન્દુ ધર્મના સારની સાચી સમજણ લાધી.

“મારો ધર્મ હિન્દુ છે, જે મારે મન માનવતાનો ધર્મ છે અને હું જે ધર્મો વિષે જાણું છું તે બધાના ઉત્તમ અંશોનો તેમાં સમાવેશ થાય છે. મારા ધર્મ પરની શ્રદ્ધા સત્ય અને અહિંસા દ્વારા જળવાઈ રહી છે એટલે કે બહોળા અર્થમાં જોઈએ તો સર્વ પ્રત્યે પ્રેમ. હું ઘણી વખત મારા ધર્મને સત્યના ધર્મ તરીકે ઓળખાવું છું.”

એમ.કે. ગાંધી. ‘ફેલોશીપ ઓફ ફેઈથ’ – પાના નંબર 52

“મારી કલ્પનાનો હિન્દુ ધર્મ એ કોઈ સંકુચિત પંથ નથી. એ એક મહાન ઉત્ક્રાંતિ પામેલી પ્રક્રિયા છે જે કાળના ઉદ્ભવ જેટલી પુરાણી છે અને જે ઝોરોઅસ્ટર, મોઝીસ, ક્રાઈસ્ટ, મોહમ્મ્દ, નાનક અને અન્ય ધર્મોપદેશકોને સ્વીકારે છે, અપનાવે છે.”

એમ.કે. ગાંધી. “હરિજન”, 8 માર્ચ 1942

આજે હિન્દુ ધર્મને અનુસરનારાઓએ બાપુ જે ખરા હિન્દુ ધર્મમાં માનતા હતા, જેને તેઓ સનાતન હિન્દુ ધર્મ કહેતા હતા, તેનું પાલન કરતા હતા અને જેના માટે ગૌરવ અનુભવતા હતા તેને સમજીને તેનું પાલન કરવું જોઈએ; નહીં કે જેને રાજકીય હેતુસર કલુષિત કરીને નીતિભ્રષ્ટ, અસહિષ્ણુ અને હિંસક હિંદુત્વ તરીકે ફેલાવવામાં આવી રહ્યો છે તેને અનુસરવું.

બાપુના સમયમાં બે વ્યક્તિઓ હિન્દુ ધર્મનું પાલન કરનારી હતી, એક હતા મોહનદાસ ગાંધી, જેઓ સત્ય, પ્રેમ અને કરુણામાં સમાવિષ્ટ હતો તેવા સનાતન હિન્દુ ધર્મનું પાલન કરતા હતા. બીજો હતો નથુરામ ગોડસે, જે પોતાને સનાતની હિન્દુ કહેવડાવતો હતો અને ક્રૂર, વેરવૃત્તિથી ભરપૂર અને પાશવી વર્તન કરતો હતો જે આજે હિંદુત્વના નામે ઓળખાય છે. આ બંને વ્યક્તિઓમાં વિસ્તીર્ણ ભિન્નતા છે, આપણે તે કદી ન ભૂલવું જોઈએ.

e.mail : 71abuch@gmail.com

મૂળ અંગ્રેજી લેખ :

https://www.onmanorama.com/news/opinion/2022/08/21/mahatma-gandhi-definition-sanatan-hindu-dharma-tushar-gandhi-column.html

Loading

ડેથ ઓન ધ રોડ: દેશની પ્રગતિમાં તેના રોડ્સ રોડાં નાખે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 September 2022

તાજેતરમાં, દેશના 54 વર્ષીય અગ્રણી ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું રોડ દુર્ઘટનામાં અવસાન થયું, તે પછી કાર વાહકોની સલામતીને લઈને ફરીથી ઉગ્ર ચર્ચા શરૂ થઇ. મિસ્ત્રીનું અવસાન એટલું આઘાતજનક હતું કે સરકાર પણ સફાળી જાગી અને તાત્કાલિક અસરથી કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત કરી નાખ્યું (મિસ્ત્રી તેમની મર્સીડીઝ કારમાં પાછળ બેઠા હતા અને તેમણે સીટ બેલ્ટ પહેર્યો નહોતો).

કારની પાછલી સીટ પર બેલ્ટની આવશ્યકતાને લઈને દેશમાં ઘણી ચર્ચા થઇ, તેની સાથે બીજો મુદ્દો દેશના રોડની ગુણવત્તાનો પણ ઉઠ્યો. ભારતમાં રોડ દુર્ઘટનાઓ રોડની ડિઝાઈનથી લઈને તેની તૂટેલીફૂટેલી હાલત પણ કારણભૂત છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ એકત્ર કરેલા આંકડા મુજબ દેશમાં દર વર્ષે 1.5 લાખ લોકો રોડ પર મરી જાય છે, જેમાંથી ત્રીજા ભાગનાં મોત નેશનલ હાઇવે પર થાય છે. કેન્દ્રિય પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એકવાર કહ્યું હતું કે રોડ દુર્ઘટનાઓ અને તેમાં મૃત્યુનું મુખ્ય કારણ રોડની ડિઝાઈનમાં ત્રુટી, ખામીભર્યા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ, જંકશન્સની ત્રુટીપૂર્ણ બનાવટ, અપૂરતી રોડ સાઈન્સ અને માર્કિંગ્સ છે.

સાયરસ મિસ્ત્રીના કિસ્સામાં પણ, સાત સભ્યોની એક ફોરેન્સિક ટીમે સ્થળ-તપાસ કરીને તારણ આપ્યું છે કે ત્યાં બ્રિજની ડિઝાઈનમાં “ખામી”ના કારણે તેમની મર્સીડીઝ-બેન્ઝને અકસ્માત થયો હતો. કાર અને બાઈક્સના ઓનલાઈન ઓટોમોબાઇલ મેગેઝીન “ઓવરડ્રાઈવ”ના એડિટર બોબ રુપાણી લખે છે, “મને અમદાવાદ-મુંબઈ હાઈવેનો સારો પરિચય છે. એ દેશના સૌથી ખરાબ રીતે ડિઝાઈન કરેલા, ગીચ અને અરાજકતાથી ભરેલા હાઇવે પૈકીનો એક છે.”

ભારતમાં દાયકાઓથી રોડ્સની ગુણવત્તા એક રાષ્ટ્રીય મુદ્દો છે. ઘણા લોકોને એ ખબર નથી દેશની આર્થિક પ્રગતિમાં ઉત્તમ રોડ નેટવર્કનું યોગદાન બહુ અગત્યનું હોય છે. ચીને પાછલા દાયકાઓમાં જે તોતિંગ આર્થિક વિકાસ કર્યો છે, તેમાં તેણે બાંધેલા અનેક રોડ્સના યોગદાનની નોંધ લેવામાં આવતી નથી.

રિસર્ચ આધારિત રિપોર્ટ્સ પ્રકાશિત કરતા મૂળ ઓસ્ટ્રેલિયાના ઓનલાઈન વૈશ્વિક પોર્ટલના એક અહેવાલ અનુસાર, 2000ની સાલમાં ચીનમાં 50,000 કિલોમીટરના હાઇવે હતા. 2020ના અંતે તેમાં ત્રણ ઘણો વધારો થઇને તે 1,60,000 કિલોમીટર થઇ ગયા હતા. પૂરા અમેરિકામાં જેટલા આંતરરાજ્ય હાઇવે છે, તેના કરતાં 20% લાંબા હાઇવે ચીને બનાવ્યા છે. ચીનના કુલ રોડ્સમાં આવા રોડ્સની સંખ્યા 40% છે.

આ રિપોર્ટ અનુસાર, ભારતે પણ આ જ સમયગાળા દરમિયાન ત્રણ ગણા હાઈવે જોડ્યા છે, પરંતુ તેનું નેટવર્ક ઓછુ સંતોષકારક છે. તેની ગુણવત્તા ઉતરતી છે, તે સાંકડા છે, તેની સાર-સંભાળમાં દુર્લક્ષ સેવવામાં આવે છે અને દેશના સમગ્ર રોડ નેટવર્કમાં તેનો હિસ્સો મામુલી છે. આનું સીધું પ્રતિબિંબ બંને દેશોની આર્થિક પ્રગતિમાં જોવા મળે છે. 2014ના વિશ્વ બેંકના સર્વે અનુસાર, દસમાંથી એક ભારતીય કંપનીએ કહ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઊણપ તેમની પ્રગતિમાં મોટો અવરોધ છે. એટલા માટે જ ભારત હવે રોડ નેટવર્કમાં વિશાળ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે.

ભારતનું 5.9 મિલિયન કિલોમીટરનું રોડ નેટવર્ક ચીન કરતાં મોટું (4.6 મિલિયન કિલોમીટર) છે, પણ ગુણવત્તામાં તે ઉતરતું છે; એ નેટવર્કમાં માત્ર 3% રોડ્સ નેશનલ હાઈવે છે અને 75% હાઇવે માત્ર બે લેનવાળા છે. આ રોડ્સ ભરચક છે અને સમારકામ પાછળ પૂરતા પૈસા ફાળવાતા નથી. 40% રોડ્સ ગંદા છે અને 30%થી વધુ ગામડાંની બારમાસી રોડ્સ સુધી પહોંચ નથી. ભારતમાં રોડ્સ કેમ ખરાબ છે? એક અમેરિકન રિસર્ચ સમૂહ વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના કર્તાહર્તા માધવ પાઈએ, ‘ધ ઇકોનોમિસ્ટ’ મેગેઝિનને તેનાં ત્રણ કારણો સમજાવ્યાં હતાં.

એક, ઘણા ગરીબ દેશોએ તેમના રોડ્સ ધનિક દેશોની તર્જ પર બનાવ્યા છે. આ દેશોનો મોટા ભાગનો ટ્રાફિક મોટરો અને લોરીઓનો બનેલો છે. ભારતમાં મોટા ભાગનાં શહેરોનો 75% ટ્રાફિક મોટરસાઇકલ અને સ્કૂટર્સનો બનેલો છે. કારની સરખામણીમાં આ વાહનોને અકસ્માત થવાની શક્યતા 30 ગણી વધારે છે. છતાં, ભારતના રોડ્સમાં ટૂ-વ્હીલર્સ માટે અલગ લેન કરવામાં નથી આવતી.

બે, ડ્રાઈવિંગના શિક્ષણનો અભાવ. 2017ના એક સર્વે અનુસાર દસમાંથી છ ડ્રાઈવરોએ ડ્રાઈવિંગ ટેસ્ટ વગર જ લાઇસન્સ મેળવેલાં છે. દેશમાં ડ્રાઈવિંગ ટેસ્ટ કડક કરવામાં આવ્યાં છે તે સાચું, પરંતુ હજારો લોકો શોર્ટ-કટથી લાઈસન્સ મેળવે છે. 37% ટ્રક ડ્રાઈવરોએ કબૂલ કર્યું હતું કે મહાકાય ટ્રકોને ચલાવાની વિશેષ તાલીમ વગર જ તેમણે લાઈસન્સ મેળવ્યાં છે.

ત્રીજું કારણ સ્વાસ્થ્ય સેવાની ઊણપ છે. ધનિક દેશોની સરખામણીમાં ભારતમાં અકસ્માતમાં તાત્કાલિક સારવાર નથી મળતી એટલે મૃત્યુ વધુ થાય છે. શહેર બહાર ઈમરજન્સી સેવાઓની અછત છે. હોસ્પિટલોમાં ઘાયલ દરદીઓ માટે પૂરતી પથારીઓ નથી. દર એક હજાર દરદીઓએ એકથી પણ ઓછા ડોકટર ઉપલબ્ધ છે. ધરમ કરતાં ધાડ પડે તે ન્યાયે લોકો પોલીસના ‘લફડા’થી બચવા માટે થઈને અકસ્માતમાં મદદ કરતા નથી.

ભારત સરકારે આ ત્રણે સમસ્યાઓને ઉકેલવા માટે અનેક પગલાં ભર્યા છે, પરંતુ તેનાં ધાર્યા પરિણામો આવ્યાં નથી.

ભારતમાં સાર્વજનિક જગ્યાઓને લઈને લોકોમાં પણ ખાસ કદર નથી. કહેવાય છે કે ભારતના લોકો તેમની અંગત જરૂરિયાત માટે જેટલા જાગૃત છે, જાહેર જરૂરિયાતની વાત આવે ત્યારે “મારે શું?”ની માનસિકતા બનાવી રાખે છે. ભારતમાં રોડ જેવી સીધી-સાદી જરૂરિયાતમાં પણ છ પ્રકારના લોકો તેમનાં વિભિન્ન હિતો સાધતા હોય છે; રાજકારણીઓ, બાંધકામ વિભાગ, પ્રોજેક્ટના ઈજનેરો, રોડ જ્યાં બંધાતો હોય ત્યાંના સ્થાનિક લોકો, બાંધકામ કરનારી કંપની અને તેના કર્મચારીઓ.

આપણા શહેરમાં આપણે રોડની જે દશા જોઈએ છીએ તેના માટે આ છ લોકો જવાબદાર છે, કારણ કે રોડ બનાવવાના વિચારથી શરૂ કરીને તેને પૂરો કરવાની પ્રક્રિયા સુધી અલગ-અલગ સ્તરે સંડોવાયેલા લોકો આ કામને “માથાનો દુઃખાવો” ગણે છે અને “ગમે-તેમ” કરીને તે પતે અને જાન છૂટે તેની રાહ જોતા હોય છે. ઉપરથી નીચે સુધીની આવી માનસિકતામાં આપણને, સારો કે ખરાબ, રોડ મળે છે તે જ એક મોટો ચમત્કાર છે.

આશ્ચર્ય નથી કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયનો 2019નો અહેવાલ કહે છે કે 2018ના વર્લ્ડ રોડ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ 199 દેશોમાં રોડ દુર્ઘટનાઓના પગલે થતાં મૃત્યુમાં ભારતનો નંબર પહેલો છે. તે પછી ચીન અને અમેરિકા આવે છે.

(‘બ્રેકિંગ વ્યૂઝ’ કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2501,2511,2521,253...1,2601,2701,280...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved