ક્યાં કોઈ છે આસપાસ નજર તો કર,
હંગામી ધોરણે છે પણ ફરજ તો કર.
અકળાઈ અકળાઈને ક્યાં સુધી જીવવું,
આથમીને ઊગવાની શરૂઆત તો કર.
બંધ રાખીશ મુઠ્ઠી તો કંઈ નહિ દેખાય,
હાથ મિલાવવાની રજૂઆત તો કર.
સંબંધી મિત્રો આવશે પાછા તારી જોડે,
કંઈક બની જવાની ઈચ્છા પ્રગટ તો કર.
એકલો રહીશ કે ભેગો જીવન વીતી જશે,
એક જ્યોત પ્રગટાવી ઉંબરે ઉજાસ તો કર.
e.mail : ronakjoshi226@gmail.com
![]()



આજે ભલે પંડિત નહેરુનું ચરિત્ર્યહનન કરવાનો ઉદ્યોગ પૂરજોશમાં ચાલતો હોય પણ વાજપેયીને નહેરુ માટે દિલથી પ્યાર અને સન્માનની ભાવના હતી, એમાં કોઈ શંકાને સ્થાન નથી (વાજપેયી આજે હયાત હોત તો તેમણે આવી હરકતો માટે શું કહ્યું / કર્યું હોત તે વિચારવા જેવું છે). સન્માનની એ ભાવનાનો કે કિસ્સો ખુદ વાજપેયીએ સંસદમાં એકવાર કહ્યો હતો. એક ચર્ચામાં ભાગ લેતાં તેમણે કહ્યું હતું ;