Opinion Magazine
Number of visits: 9458349
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવ સર્જિત ઘટનાઓ માટે પણ જવાબદાર તો ભગવાન જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|4 November 2022

ભગવાનમાં ન માનનાર એટલા પ્રમાણિક તો ખરા જ કે જે કૈં થાય તેનો દોષ તેઓ ભગવાન પર ઢોળતાં નથી ને જવાબદારી સ્વીકારે છે, પણ ભગવાનમાં માનનારા એટલા નિર્લેપ હોય છે કે પોતાનો વાંક હોય તો પણ, જવાબદારી ભગવાનને માથે નાખે ને ભગવાન એટલો ઉપકાર તો ભક્તો પર કરે જ કે એમણે પીવાનું ઝેર પોતે પી લે. મોરબીમાં બંધ તૂટે કે પુલ, મરે છે લોકો ને એને માટે જવાબદાર હોય તે ભગવાનને નામે છટકવાના પ્રયત્નો કરતા રહે છે. 30મી ઓક્ટોબરે મોરબીનો ઝૂલતો પુલ તૂટયો ને ચારસોથી વધારે લોકો પાણીમાં જઈ પડ્યાં. 26 ઓક્ટોબરે ખુલ્લો મુકાયેલો ઝૂલતો પુલ ચારેક દિવસમાં જ જળાશાયી થયો ને બધાંને નવાં વર્ષની જાણે ઉજાણી થઈ ગઈ ! આ અત્યંત દારુણ ઘટના ને કારણે 135 લોકોએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ઘાયલ થયા ને તંત્રો પહોંચે તે પહેલાં મોરબીવાસીઓએ જીવને જોખમે બચાવ કામગીરી શરૂ કરી માનવતા દાખવી, પણ, મોત પર મિજબાની ન થાય તો રાજકારણ લાજે, એટલે સૌએ પોતપોતાનાં પાનાં ઉતરવાં માંડ્યાં. આ ખેલ એટલે પણ ખેલાયો, કારણ ગુજરાતને માથે ચૂંટણી આવી છે ને સૌએ સત્તામાં આવવું છે એટલે જે સત્તામાં છે તે ટકી રહેવા અને બીજાને ન ઘૂસવા દેવા કમર કસે જ, તો જે સત્તામાં આવવા મથે છે તે પણ એડીચોટીનું જોર લગાવવામાં કોઈ કસર ન છોડે, તે પણ ખરું. એવરીથિંગ ઈઝ ફેર ઇન વોર એન્ડ લવ-ને ન્યાયે લવ જેવું તો ચૂંટણીમાં શું હોય, પણ ચૂંટણીને વોર કરી મૂકનારાઓ બધા જ હથકંડા અપનાવે એમાં નવાઈ નથી. એક તરફ ગાય-કૂતરાનું જુદું કાઢ્યું હોય તેમ સરકારે પ્રજાનું એટલું બધું કરી નાખ્યું છે કે પ્રજાને ખબર જ નથી પડતી કે આટલું બધું તે હોય એવું આશ્ચર્ય તેને થાય છે. હજારો કરોડના પ્રોજેક્ટ્સ છાશવારે જાહેર થતાં રહે તો પ્રજા અંજાય જ કે બીજું કૈં? ખરેખર આવા વિકાસથી પ્રજા ડઘાઈ ગઈ છે. આવું હોય ત્યારે પ્રજા સરકારને ફરી ચૂંટે એવો ભય વિપક્ષોને લાગે છે એટલે એ બીજું કૈં ન કરી શકે તો પણ એટલું તો કરે જ કે સરકારનાં કામો નકામા પુરવાર થાય. પુલ તૂટવામાં એવું પણ બહાર આવ્યું છે કે એક વિપક્ષે પુલ તૂટી પડે તેવું આગોતરું આયોજન કર્યું, એવા મેસેજ વહેતા થયા કે ગુજરાતમાં કશુંક એવું થવાનું છે જેનાથી સરકાર હાલી જશે ને ત્રીસમીએ પુલ એવો હાલ્યો કે સરકાર ખરેખર જ હચમચી ગઈ. વડા પ્રધાનથી માંડીને મુખ્ય મંત્રી સુધીના મોરબી પર મંડરાયા. એવું પણ ચર્ચામાં છે કે એક વિપક્ષી પાર્ટીના સભ્યોએ ઇરાદાપૂર્વક પુલ પર જ તેને તોડવાની નિર્લજ્જ પ્રવૃત્તિઓ કરી. આમાનું સાચુંખોટું તો બહાર આવે ત્યારે, પણ આપણે રાજનીતિ વગરના શ્વાસો લઈ શકીએ એવું હવામાન હવે રહ્યું નથી ને રડવાનું તો એનું ય છે.

રહી વાત પુલ તૂટવાની તો એમાં પુલ રીપેર કરનાર કંપનીથી માંડીને મોરબીની નગરપાલિકાના સંબંધિત અધિકારીઓ સહિત તમામની ગુનાહિત બેદરકારી કેન્દ્રમાં છે. પુલ રીપેર કરનાર ઓરેવા કંપનીની, બોર્ડની મંજૂરી વિના પુલ ખુલ્લો મૂકવાની ઉતાવળે 135 લોકોનાં મોત નીપજાવ્યાં છે. એ અંગે કોઈ જ પગલાં સંબંધિત કમિશનરે પણ લીધાં નથી તે દુ:ખદ છે. ટેવ પ્રમાણે વિપક્ષો નિષ્પક્ષ તપાસની માંગ કરે છે ને તપાસ મોટે ભાગે જવાબદારને બચાવવાની દિશામાં જ આગળ વધતી હોય તેવું લાગે છે. આખા દેશની રાજકીય ગતિવિધિ અત્યારે એવી છે કે વિપક્ષ ભેરવવા માંગે છે ને શાસકો બચવા માંગે છે. એમાં મજબૂત તો ભ્રષ્ટાચાર જ થતો હોય છે. પુલ તો હતો જ, તે ફક્ત રીપેર જ કરવાનો હતો. એના પર કોઈ ચાલવાનું જ ન હોય એવી નાજુકાઈથી તે રીપેર થયો. પુલ ચાલવા માટે પણ હોય એ જાણે કોઈને યાદ જ ન રહ્યું. જો કે ઓરેવાના એમ.ડી. જયસુખ પટેલે એવું કહ્યું કે રિકવાયરમેન્ટ્સ મુજબ, ચોક્કસ મટીરિયલથી જ રિનોવેશન કરવામાં આવ્યું છે. આ સાચું હોય તો પુલ ચાર જ દિવસમાં પાણીમાં બેસી પડે?

લોકો પણ અકરાંતિયાની જેમ ધસી ગયા ને પુલની મર્યાદાનો વિચાર કર્યા વગર જ ટિકિટો વહેંચવામાં આવી. એ તો સારું છે કે લોકો સેંકડોમાં હતા, હજારોમાં હોત તો હજારો ટિકિટો વહેંચી હોત કે ક્યાંક વિવેક પણ વાપર્યો હોત તે નથી ખબર. જો પુલ રીપેર થયો જ હતો તો પોલીસને કેબલ નબળો ને કટાયેલો કેમ દેખાયો? કેબલ બદલવાના હતા, તો એ બદલાયા કેમ નહીં? પોલીસે જ નિવેદનમાં કહ્યું છે કે 29 લાખનો ઓરેવાને ફેબ્રિકેશનનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. પુલ નવો જ રીપેર થયો હતો ને લોકો વધારે હતાં, છતાં કોઈને પણ લાઈફ જેકેટ્સ આપવામાં આવ્યાં નહીં, રીપેરિંગમાં સંકળાયેલા પેટા કોન્ટ્રાકટર પૈકીનાં 4 પાસે કોઈ ટેકનિકલ ડિગ્રી ન હતી. કોર્ટ સમક્ષ મુકાયેલા એફ.એસ.એલ. રિપોર્ટમાં સાફ જણાવાયું છે કે મેન્ટેનન્સ રીપેરિંગમાં પ્લેટફોર્મ્સ જ બદલવામાં આવ્યાં ને તંત્રની મંજૂરી વગર જ પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. આવું હોય ત્યાં પુલને ટકવાનું કયું કારણ રહે તે પ્રશ્ન જ છે. ઉપરથી ઓરેગાના મેનેજર દીપક પારેખ કહે છે કે આ આખી ઘટના એક્ટ ઓફ ગોડ છે.

એક્ટ ઓફ ગોડ? વાહ ! મેનેજરે કહ્યું છે કે આ વખતે ભગવાન રાજી નહીં હોય એટલે આ ઘટના સર્જાઈ. ખરેખર એમ જ લાગે છે કે ભગવાનની ઈચ્છાને કારણે જ પુલ તૂટયો છે. એણે જ તંત્રની મંજૂરી લેવાની ના પાડી હશે કે એણે જ રીપેરિંગ દરમિયાન કેબલ નબળો ને કટાયેલો રાખવાનું કહ્યું હશે. એણે જ કહ્યું હશે કે ટેકનિકલ ડિગ્રી ન હોય તેવો જ સ્ટાફ રાખવો. આમ તો ભગવાને ગીતામાં કહ્યું છે કે કર્મ કર અને ફળની આશા ન રાખ, પણ ભક્તો એવા હુંશિયાર નીકળ્યા કે બાજી જ પલટાવી દીધી. કર્મ કરવાનું ભક્તોએ હતું તે ભગવાન પાસે આવ્યું, એટલે કર્મ હવે ભગવાન કરે છે ને ફળ ભક્તો ખાય છે. ભગવાન પુલ તોડે છે ને ભ્રષ્ટાચારનાં ફળ ભક્તો ખાય છે. એ જ કેબલ કટાયેલો રાખે છે ને ટેબલ નીચેથી ફળ ભક્તો ચાખે છે. ભગવાનને ધરતીકંપનો શોખ જાગે તો એ મકાનો અને માણસોને જમીનદોસ્ત કરે છે. એને યુદ્ધના અભરખા થાય છે તો એ બે કે વધારે દેશોને લડાવે છે ને એમાં ભોગ નિર્દોષોનો લેવાય છે. આ નિર્દોષોનું લૉજિક પણ સમજવા જેવું છે. ભગવાનને ઉત્પાત કરવાનું મન થાય તો એમાં હોમવા માણસો લાવવા ક્યાંથી? રાજકારણીઓ તો એક માત્ર ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં વ્યસ્ત હોય, ઉદ્યોગપતિઓ મોંઘવારી વધારવામાં પડ્યા હોય, કંપનીઓ નફાના દાખલા ગણતી હોય, એટલે એ તો બલિનો બકરો ન બને. આ બધાંએ મળીને ભગવાન સાથે સોદો કર્યો. ભગવાને રેલ લાવવી છે, તો તણાવવા કોને? તો વ્યસ્ત ટોળકીઓએ કહ્યું, તમે નિર્દોષોને મારો. બહુ થાય તો અમે વળતર ફેંકીશું તો એનું કુટુંબ પણ આશ્વસ્ત થશે. ત્યારથી આગ લગાવવી હોય તો નિર્દોષોને જ ઝોંકવામાં આવે છે. પુલ તોડવો હોય તો નીચે દબાવા નિર્દોષો તૈયાર હોય છે. ટ્રેનમાં આગ લગાવવી હોય કે બે ટ્રેનને સામસામે અથડાવવી હોય તો નિર્દોષો ફાજલ જ છે. ભગવાને જે જે એરિયામાં હાહાકાર મચાવવો છે, ત્યાં તે નિર્દોષોને દોડાવે છે ને એમ ભગવાનનું મનોરંજન થતું રહે છે. એ જ રીતે 135 લોકોના જીવ ઝૂલતો પુલ તૂટવાથી ગયા. એ તો ભગવાનને જ મન થયું પુલ તોડવાનું એટલે એણે જ લોકોને પુલ પર દોડાવ્યાં ને પુલના કટકા થઈ ગયા. આવી મરજી ભગવાનની હોય તો એમાં કંપની કે મેનેજર શું કરે?

મોરબીનો આ ઝૂલતો પુલ રાજા વાઘજી રાવ / ઠાકોર દ્વારા 1877માં બનાવવામાં આવ્યો હતો. બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવાયેલ આ પુલનું ઉદ્ઘાટન 1879માં થયું હતું. 765 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા આ પુલને સમારકામ માટે થોડાં વર્ષ બંધ રખાયો. એની જળવણીની જવાબદારી ઓરેવા કંપનીને સોંપાઈ. માર્ચ 22થી 15 વર્ષ, એટલે કે 2037 સુધી પુલનો કરાર ઓરેવા અને નગરપાલિકા વચ્ચે થયો. બે કરોડને ખર્ચે સમારકામ પછી પુલ ઓરેવાના જયસુખ પટેલે ખુલ્લો મૂક્યો ને 30મીની સાંજે પુલ તૂટીને તારાજ થયો. જે પુલ રીપેરિંગ પહેલાં 150 વર્ષ ટક્યો તે રિપેરિંગ પછી પાંચ દિવસ પણ ન ટક્યો એમાં કેવળ બેદરકારી અને ભ્રષ્ટાચાર સિવાય બીજું કોઈ કારણ જણાતું નથી. આવું કૈં પહેલીવાર થયું નથી. જુલાઈ, 22ની બોટાદની બરવાળાની લઠ્ઠાકાંડની 43નો જીવ લેનારી ઘટના કે અમદાવાદના શ્રેય અગ્નિકાંડનો બનાવ કે 2019ની સૂરતની તક્ષશિલા બિલ્ડિંગમાં બનેલી 22 માસૂમોની રાખ પડવાની ઘટના કે રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની આગમાં 20 બળેલાં જીવોની ઘટના જેવી ઘટનાઓ બનતી જ રહે છે, ધરપકડો થતી રહે છે, સમિતિઓ નીમાતી રહે છે, વળતરના ટુકડાઓ ફેંકાતા રહે છે, તે કોઈના હાથમાં આવે છે તો કોઈના હાથ ખાલી જ રહે છે. આ પછી પણ આમ જ ચાલ્યા કરવાનું છે. એમાં જેનો કોલસો થયો તે થયો, બાકી કોઈનું કૈં બગડતું નથી. પહેલી અને પાંચમી ડિસેમ્બરે ચૂંટણી જાહેર થઈ છે એટલે મોરબીનો પુલ તૂટવાની વાતનું વહેલું પડીકું વળી જાય તો નવાઈ નહીં.

સાચું તો એ છે કે આપણને ચામડી જેવું જ ખાસ કૈં બચ્યું નથી. કોઈ પીડા, કોઈ આનંદ જાહેર હોય તો ઝડપથી ભૂંસાઈ જાય છે ને આપણે નવી લાશો પડે તેની રાહ જોવા લાગીએ છીએ. સાચું હવે આપણને બહુ સ્પર્શતું નથી ને જુઠ્ઠું એટલે સ્પર્શતું નથી, કારણ આપણી સંવેદનાઓ જ બુઠ્ઠી થઈ ગઈ છે. રાજકારણ અને ધર્મ – એ સિવાય તમામ ક્ષેત્રોમાં આપણે સંવેદનહીન જ પુરવાર થઈ રહ્યાં છીએ. આપણે રોબોટ્સ છીએ, જાણે ! કદાચ એ ય સજીવ થશે પણ આપણે નિર્જીવ જ રહીએ એવો કાળ આપણા પર આવ્યો છે.

માણસાઈ માણસમાં જ હોય છે ને કરુણતા એ છે કે એનામાં જ એ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 નવેમ્બર 2022

Loading

Elaben Bhatt: A Life Lived for Women, Work and Peace

SUDARSHAN IYENGAR|English Bazaar Patrika - Sketches|3 November 2022

Elaben Bhatt breathed her last on 2 November 2022 at the age of 89 years. She was quintessentially a Gandhian Volunteer. She was a critical observer, careful analyst, and innovative constructive worker who designed and demonstrated a world where feminine forces tried successfully to build a non-violent, dignified and nurturing society.

She had to struggle hard to make space in the men’s world of organised workers’ unions. After graduating from Surat’s MTB College, she obtained a degree in Law. She joined the Textile Labour Association (TLA) founded with the blessings of Mahatma Gandhi. She was inspired by Anasuyaben Sarabhai who worked with the textile labourers under Gandhiji’s tutelage. Elaben joined as head of the women’s wing of TLA. During her work, she realised that a large number of women were eking out a living as street vendors and were subjected to Municipal and police excesses creating hurdles in carrying out their business. Then there were a host of poor women who worked as home-based workers. Elaben realised that the TLA could not give the status of a union to such working women. This led to the foundation of the Self-Employed Women’s Association (SEWA), in 1972. The Golden Jubilee celebrations have begun and are in progress. Today SEWA is a National Trade Union with around 2.1 million poor self-employed women workers as members in 18 states contributing to the strong informal economy of India. Elaben and her associates have always been careful in boldly declaring that SEWA is a trade union and not a non-government organisation. The concept of women workers’ right to work in good working conditions for a dignified livelihood is rightly asserted. SEWA’s twin goals are full employment and self-reliance. It struggles for voice, visibility and viability.  Elaben worked as the General Secretary for 24 years and from 1996 onward SEWA has seen young and dynamic General Secretaries from among the women who had come together and organised.

Elaben soon realised that the women workers needed small amounts of credit to run their enterprises and the lending market was highly exploitative. Under Elaben’s leadership, young professional women founded the SEWA Cooperative Bank. It was a struggle to get recognition as a Bank from the Reserve Bank of India. SEWA’s strength and genuineness of the case led to amending the RBI rules. It is a rare feat for women workers in any country of the world.

A humble and polite person, Elaben was firm with steely nerves. She connected with the women of the world. She founded ‘Women’s World Banking’ with Esther Ocloo and Michaela Walsh in 1979 and was its Chairperson from 1980 to 1998. She also chaired HomeNet, International Alliance of Street Vendors, and was a Board member of Manchester-based Global Research Policy Network called Women in Informal Employment: Globalizing and Organizing (WIEGO). She was bestowed with honorary degrees from various universities including an honorary Doctorate degree in Humane Letters from Harvard University in June 2001. She was honoured with many awards including Ramon Magsaysay Award in 1977 and at home with Padma Bhushan in 1986.

Elaben was a member of the Planning Commission in the 1980s. Her vision was big and encompassed humanity. She provided a novel interpretation of Gandhiji’s Hind Swaraj. She had made a presentation to the UNDP before the Sustainable Development Goals appeared. She called it building a 100-mile community. Gandhi’s Hind Swaraj discussed self-reliant rural society based on nonviolence and love force. Elaben gave a modern meaning to it and coined a word for relating to the physical, social, economic, ecological and cultural environment within a radius of 100 miles and called it Anubandh. It means correlation. She understood deeply the problem of food security, violence, starvation and ecological imbalance that governments and prestigious international agencies were grappling with. But she called for a firm grip on the ground around and building an active relationship with the world around where people lived. Self-reliance for basic necessities of life food, clothing, shelter, education, health, banking and recreation all could be generated within 100 miles of one’s habitat. The approach she suggested was to be ethical and holistic so that natural resources could be equitably distributed and labour was fairly rewarded. Addressing a national convention once she said,

“While here, we are to have a dialogue on building nurturing economy in India. What we have in mind by ‘nurturing’ is: enhancing our daily life with nourishing food and better health. Ensuring soil that nurtures the earth that nurtures the living beings, investing in the human mind that nurtures knowledge and technology, and promoting investments that nurture the neighbourhood and the next generation. We will deliberate on how to promote ‘nurturing finance that eliminates violence and inequalities and bring peace to the people, society and nature.”

Elaben was appointed as Chancellor of Gujarat Vidyapith, Ahmedabad and President of the Sabarmati Ashram Preservation and Memorial Trusts (SAPMT) known as Sabarmati Gandhi Ashram during the last decade of her life. She was reluctant to take up the Chancellorship as she was succeeding Gandhiji, Sardar Patel, Dr Rajendra Prasad, Moraji Desai and other prominent people including her immediate predecessor Narayan Desai. She had a dream for Gujarat Vidyapith. She envisioned a new avatar of the Vidyapith. In it, she wanted Vidyapith to give up the run-of-the-mill higher education degree-distributing universities to an innovative centre for excellence in promoting Roti Pith, Khadi Pith, and Urja Pith. She wanted to educate youth with hands-on experience in producing food, and clothing with help of sustainable and clean energy technologies. Had she lived longer, her vision had chances of getting translated gradually into reality. She wanted to free Gujarat Vidyapith from a government grant receiving higher educational institution to a public-supported vibrant place for the youth of the country to learn to build a non-violent society based on her philosophy of Anubandh – Correlating Individual, society and nature.

As President of the Sabarmati Ashram, she envisioned a live memorial where most of the constructive activities taking place during Gandhiji’s times were revived. The Government of India and the Government of Gujarat came up with a grand plan to redevelop the Sabarmati Ashram Precinct spending hundreds of crores and making it a world-class memorial. She was not happy with such a proposal. As President of the Ashram, she wrote to the Government and said, “All efforts must be undertaken by the Sabarmati Ashram Redevelopment Project, both in terms of its planning and implementation would be consistent with the life and work of Gandhiji. It needs to ensure that this environment communicates to visitors Gandhiji’s call for attention to the last person, his idea of simplicity, economy and frugality in all matters and his respect for nature and each one of our fellow beings.”

Elaben’s motto was Women, Work and Peace. She said, “In my experience, women are key to building community. When we invest in women’s participation, we have an ally who wants a stable community and roots for her family. Each woman is not only a worker, but also a provider, a caretaker, an educator, a net-worker, and a vital forger of bonds in a community. Moreover, women’s participation brings constructive, creative and sustainable solutions to the community. I consider women’s participation and representation an integral part of building stable and peaceful communities.”

In Elaben’s departure, the world lost a wonderful global citizen who epitomized Gandhi’s nonviolent human being volunteering all her life for building a non-violent society with women at the helm of affairs.

e.mail : sudarshan54@gmail.com

Loading

જ્યાં માણસાઈનો મહિમા થતો હોય ત્યાં ગદગદ થાવ

રમેશ ઓઝા|Opinion - Opinion|3 November 2022

મૂળ ભારતીય ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન બન્યા ત્યારથી કેટલાક લોકો પોરસાતા થાકતા નથી. કોઈક સુનક ભારાતીય હોવા માટે ગર્વ અનુભવે છે તો કોઈક તેના હિંદુ હોવા માટે ગર્વ અનુભવે છે. જો ગર્વ જ લેવો હોય તો બ્રિટિશ પ્રજા માટે લેવો જોઈએ, જેણે એક અશ્વેત, એક ગેરખ્રિસ્તી અને મૂળમાં વિદેશથી આવેલા એક ગેરબ્રિટિશ પરિવારમાં જન્મેલા પુત્રને પોતાનો માન્યો. ગર્વ લેવો હોય તો ઋષિ સુનક માટે લેવો જોઈએ, જેણે પ્રજાનો સ્વીકાર રળ્યો. સ્વીકાર પામવો અને સ્વીકાર કરવો એ માણસાઈનાં અંતિમ અને ખરા માપદંડ છે. બાકી ધર્મ, ભાષા જાતિ વગેરેનાં અભિમાન મિથ્યાભિમાન છે.

કેટલાક વળી ઇન્ડિયન ઓરિજીન ગ્લૉબલ ટૅકઓવરની વાતો કરવા માંડ્યા છે. આ ચર્ચા પણ એક દાયકાથી ચાલી રહી છે અને કેટલાક લોકો કારણ વિના પોરસાય છે. જુઓ જગતની મોખરાની કહી શકાય એવી પંદર કરતાં વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓના સી.ઈ.ઓ. ભારાતીય છે, અમેરિકામાં દર ત્રીજો તબીબ ભારતીય છે વગેરે. આમાં પણ ગર્વ લેવો હોય તો એ લોકો માટે લેવો જોઈએ જેણે પોતાની કંપનીના સંચાલકની પસંદગી કરતી વખતી નાતજાત, દેશ કે ધર્મ નહોતા જોયા અને માત્ર આવડતની કદર કરી છે. ગર્વ લેવો હોય તો એ ભારતીયો માટે ગર્વ લેવો જોઈએ, જેણે મુસલમાનના ઘરમાં ડોકિયાં કરવામાં કે કોઈ નેતા કે બાપુના ભક્ત બનીને માંડવામાં આળોટવામાં આયખું નથી વિતાવ્યું, પણ પોતાની અંદર રહેલી શક્તિને પારખવામાં અને તેનો રચનાત્મક ઉપયોગ કરવામાં જિંદગીની સાર્થકતા જોઈ છે. તેમણે જગતના ચૌટે પોતાની જગ્યા બનાવી. ગર્વ લેવો હોય તો એ માણસ માટે ગર્વ લેવો જોઈએ જેણે મંદિરો બાંધવાની જગ્યાએ આઈ.આઈ.ટી., ઈસરો, આઈ.આઈ.એમ., એઈમ્સ, બી.એ.આર.સી. જેવી સંસ્થાઓ સ્થાપવાને પ્રાથમિકતા આપી. ઇન્ડિયન ઓરિજીન ગ્લૉબલ ટૅકઓવર જો ગૌરવ લેવા જેવી ઘટના લાગતી હોય તો એ જશના અધિકારી જવાહરલાલ નેહરુ પણ છે. ગ્લૉબલ ટૅકઓવર કરનારાઓ જવાહરલાલ નેહરુએ સ્થાપેલા આધુનિક યુગના આધુનિક મંદિરોની પેદાશ છે.

જો ગર્વ લેવો જ હોય તો વિશ્વમાં ચાલેલા અને ચાલી રહેલા માનવકેન્દ્રી બૌદ્ધિક વિમર્શને પણ આપવો જોઈએ જેણે બીજી બધી ઓળખોને ગૌણ ઠરાવીને કેવળ માનવીને કેન્દ્રમાં રાખ્યો અને તેના સ્વીકાર માટે મનના પરિઘને વિસ્તાર્યો. આ મનના પરિઘને વિસ્તરવાની જહેમત છે એ કોઈ નાનીસૂની ઘટના નથી. સોક્રેટીસ અને ગાંધી જેવાને પ્રાણ આપવા પડ્યા છે. પરિઘ-વિસ્તારની પ્રક્રિયા સામે પડકારો પેદા થતા જ રહે છે. આજે પણ થઈ રહ્યા છે. માટે જગત આખામાં માનવસમાજની યાત્રા એક દિશાની ધોરીમાર્ગે ચાલનારી નથી હોતી. એમાં અવરોધો આવે છે, દિશાંતરો થાય છે અને પીછેહઠ પણ થાય છે. ટૂંકો સ્વાર્થ ધરાવનારા લોકો પ્રજાને અવળી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરે છે અને તેમાં તેઓ ફિલસૂફીને જોડે છે. બ્રિટન અને યોરોપના કેટલાક દેશો જ્યારે સંસ્થાનોનું શોષણ કરતા હતા, ત્યારે તેમણે તેમાં ‘વ્હાઈટમેન્સ બર્ડન’ નામની ફિલસૂફી જોડી હતી. અમે અશ્વેત પ્રજાનું શોષણ કરવા માટે દેશો કબજે નથી કરતા, પણ ત્યાંની પ્રજાનો ઉદ્ધાર કરવા માટે કર્તવ્ય (વ્હાઈટમેન્સ બર્ડન) સમજીને ફરજ બજાવીએ છીએ.

માટે જ્યારે પણ કોઈ પ્રજાના ઇતિહાસ અને વર્તમાન ઉપર નજર કરો ત્યારે સમગ્રતામાં નજર કરતાં શીખવું જોઈએ. આ એ બ્રિટિશ પ્રજા છે જેણે ભારતનું અને બીજા દેશોનું બર્બરતાપૂર્વક શોષણ કર્યું હતું. બીજી બાજુ આ એ બ્રિટિશ પ્રજા છે જેણે દાદાભાઈ નવરોજીને મત આપીને આમની સભામાં ચૂંટ્યા હતા અને એ પણ ૧૮૯૨ની સાલમાં. આપણી લોકસભાની જેમ આમની સભા માટે નાગરિકો મત આપે છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. ૧૮૯૫ની સાલમાં ઇશાન લંડનના મજૂર વિસ્તારમાંથી આમની સભા માટે મંચેરજી ભાવનગરીએ ઉમેદવારી કરી હતી અને તેઓ ચૂંટાયા હતા. યાદ રહે, એ વિસ્તારમાં એક પણ ભારતીય મતદાતા નહોતો. આ એ બ્રિટિશ પ્રજા છે, જેના વિરોધ પક્ષના નેતા વિન્સ્ટન ચર્ચિલે ૧૯૨૦ની સાલમાં ગાંધીજીને નગ્ન ફકીર તરીકે ઓળખાવ્યા હતા અને બ્રિટિશ સામ્રાજ્યના પ્રતિનિધિ સામે ગાંધીજી એક આસને બેસે અને આંખમાં આંખ પરોવીને વાત કરે એને બ્રિટિશ સામ્રાજ્યનું અપમાન ગણાવ્યું હતું. બીજી બાજુ આ એ બ્રિટિશ પ્રજા પણ છે જેણે એની બેસન્ટ જેવાં અનેક લોકો આપ્યાં જેણે ભારતની પ્રજાનાં આઝાદીનાં સપનાંને અને તેના અધિકારને ટેકો આપ્યો. તેના માટે કામ કર્યું. આ એ બ્રિટિશ પ્રજા છે જેના એક પ્રતિનિધિ લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે પૂર્વના દેશોની બધી જ વિદ્યાશાખાઓનું બધું જ સંગ્રહિત જ્ઞાન જો એક જગ્યાએ એકઠું કરવામાં આવે તો એક કબાટ પણ ન ભરાય અને આ વળી એ જ બ્રિટિશ પ્રજા છે જેણે બનારસમાં અને કલકત્તામાં સંસ્કૃત કૉલેજો સ્થાપી, એશિયાટિક સોસાઈટી સ્થાપી અને એક લાખ કરતાં વધુ સંસ્કૃત-પ્રાકૃત-પાલી  પાંડુલિપી એકઠી કરી. એની વાચનાઓ તૈયાર કરાવી અને પ્રકાશનની વ્યવસ્થા કરી. આ એ બ્રિટિશ પ્રજા છે જેણે ભારતનાં અર્થતંત્રને જાણીબૂજીને ખતમ કરી નાખ્યું અને આ એ જ બ્રિટિશ પ્રજા છે જે પોતાના અર્થતંત્રને બચાવવા માટે એક એવા માણસની પસંદગી કરી છે જે નથી ખ્રિસ્તી, નથી શ્વેત કે નથી મૂળ બ્રિટિશ. ઊલટું ઋષિ સુનક ધાર્મિક હિંદુ છે અને પોતાની ધાર્મિકતા છૂપાવતા પણ નથી.

આનો અર્થ એ થયો કે પ્રજાકીય યાત્રા ક્યારે ય એક સરખી અને એક દિશાની હોતી નથી, પણ આપણી પોતાની યાત્રા એક સરખી અને એક દિશાની હોઈ શકે છે. નિર્ણય આપણે લેવાનો છે. ધારો તો ભૂંડણાં બનીને બીજાનાં કુકર્મોના ઉકરડા ખુંદવામાં કે પછી પોપટ બનીને બીજાએ શીખવાડેલા આત્મપ્રશસ્તિના ગુણગાન ગાવામાં આયખું વિતાવી શકો છો, અને ધારો તો પરિઘવિસ્તારનો પણ એક વિકલ્પ ઉપલબ્ધ છે જે એમ શીખવે છે કે ઘટનાની બાબતે ન્યાયાધીશ બનવું, પણ પ્રજાની બાબતે નહીં બનવું.

મેં કહ્યું ઘટનાની બાબતે ન્યાયાધીશ બનવું, પ્રજાની બાબતે નહીં. ક્યારે ય કોઈ પ્રજા અને ઓળખોના આધારે રચાયેલા પ્રજાસમૂહો નિર્દોષ હોતા નથી. એમાં સારા-નરસાપણું એમ બન્ને હોય છે. એવું નથી કે હિંદુઓમાં કોઈ નરસાપણું નથી અને મુસલમાનોમાં કોઈ સારાપણું નથી. બન્નેમાં બન્ને છે. નિર્ણય આપણે લેવાનો છે કે ઘટનાને આધારે નિંદા કે સ્તુતિનો નિર્ણય લેવો કે પ્રજા કોણ છે એ જોઇને? જે પહેલો માર્ગ અપનાવે છે એના પરિઘનો વિસ્તાર થાય છે અને તે ઉપર ચડે છે. સત્ય નાંદેલા, કમલા હેરીસ કે ઋષિ સુનક અને આવાં બીજાં અનેક ગ્લૉબલ ટૅકઓવર કરનારાઓ આ પહેલા માર્ગના પ્રવાસીઓ છે. ઋષિ સુનક માટે ગર્વ લેનારાઓ પાછા કમલા હેરીસ માટે લેતા નથી કારણ કે તે મૂળ ભારતીય હોવા છતાં ખ્રિસ્તી છે. જે બીજો માર્ગ અપનાવે છે એ લોકો ભૂંડાવતાર ધારણ કરીને ઉકરડે પહોંચે છે.

તો ભાઈ, ગદગદ થવું જ હોય તો જ્યાં માણસાઈનો મહિમા થતો જોવા મળે ત્યાં ગદગદ થાવ અને જો રોષ કાઢવો જ હોય તો જ્યાં માણસાઈનો લોપ થતો હોય એવી ઘટના જોઇને રોષ ઠાલવો. ઋષિ સુનકના વડા પ્રધાનપદની ઘટનામાં ગદગદ થવા જેવું એ છે કે બ્રિટિશ પ્રજાએ ઋષિનું કૂળ જોયા વિના તેમનો સ્વીકાર કર્યો અને ઋષિ સુનકે તેમનો સ્વીકાર રળ્યો. માટે પરિઘ વિસ્તારો. એમાં લાભ જ લાભ છે. જો કે, એક નુકસાન છે. મનગમતી અને તેને મમળાવવામાં આનંદ આપતી પૂર્વગ્રહોની ગાંઠો છૂટી જશે. આ પણ જલદી છૂટે નહીં અને છોડવું ગમે નહીં એવું એક વ્યસન છે.

કલ્પના કરો કે, તમારે તમારાં સંતાનને આ બેમાંથી કોઈ એક માર્ગ અપનાવવાની સલાહ આપવી હોય તો શી સલાહ આપો? પ્રશ્નથી ભાગવાનો પ્રયાસ નહીં કરતા, અહીં તમારા અંતરાત્મા સિવાય કોઈ સાંભળનાર નથી, માટે મનોમન કહો કે કયો માર્ગ તમારાં સંતાને અપનાવવો જોઈએ? કયો માર્ગ તેના માટે હિતકારી હોઈ શકે? તમારો ઉત્તર તમારાં સંતાનને ઊંચે ચડાવશે અથવા ઉકરડે પહોંચાડશે. તમે તમારાં સંતાનને ક્યાં જોવા ઈચ્છો છો?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 નવેમ્બર 2022

Loading

...102030...1,2071,2081,2091,210...1,2201,2301,240...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved