Opinion Magazine
Number of visits: 9663812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધ લંચ બોક્સ: કભી કભી ગલત ટિફિન ભી સહી જગહ પહોંચ જાતા હૈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 October 2025

રાજ ગોસ્વામી

“કભી કભી ગલત ટ્રેન ભી સહી જગહ પહોંચા દેતી હૈ.” નવાસવા ફિલ્મ નિર્દેશક બનેલા રિતેશ બત્રાની 2013માં આવેલી ડેબ્યુ ફિલ્મ ‘ધ લંચ બોક્સ’નો સાર આ એક ડાયલોગમાં આવી જાય છે. ફિલ્મમાં, એકાઉન્ટન્ટની નોકરીમાંથી નિવૃત્ત થવાની અણી પર સાજન ફર્નાન્ડીઝ(ઈરફાન ખાન)ને, તેનો ટ્રેઈની અને મુંબઈની ટ્રેનમાં હમસફર અસલમ શેખ (નવાઝુદ્દીન સિદ્દીકી જ્યારે આ વાક્ય કહે છે છે ત્યારે, સાજન માર્મિક રીતે તેની સામે જુવે છે. તેને લાગતું હોય છે કે આ વાત કેટલી સૂચક છે! તેના જીવનમાં ટ્રેનની નહીં, લંચ બોક્સની અદલાબદલી થઇ ગયેલી છે.

સાજનની ઓફિસમાં તેના ટેબલ પર રોજ એક ‘ગલત’ ટિફિન આવે છે. ઇલા (નિમ્રત કૌર) નામની એક ગૃહિણીએ તેના પતિ માટે ટિફિન બનાવ્યું હોય છે, પણ ડબ્બાવાળાની ભૂલના કારણે તે સાજન પાસે પહોંચી જાય છે. બંનેને ‘ગલતી’નો અહેસાસ છે, છતાં તેમને એમાં મજા આવવા લાગે છે, અને ટિફિનની દોસ્તીને આગળ ધપાવે છે. સતત કામમાં વ્યસ્ત મુંબઈ શહેરમાં બે એકલવાયા જીવ ‘ગલત’ ટિફિનના કારણે એકબીજાના ‘લોંગ ડિસ્ટન્સ’ દોસ્ત બને છે.

‘ધ લંચ બોક્સ’ પ્રેમ અને સંબંધો દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાની વાર્તા છે. તે સાજન અને ઇલાને બે એવા લોકો તરીકે રજૂ કરે છે, જેમને માનવીય હૂંફની જરૂર હોય છે, અને જેની તેમના જીવનમાં અનુપસ્થિતિ છે. બંને અકસ્માતે એકબીજાના પરિચયમાં આવે છે અને સન્મુખ મળ્યા વગર ચિઠ્ઠીઓ મારફતે એકબીજાના જીવનને ઊંડાણપૂર્વક સ્પર્શે છે અને પ્રભાવિત કરે છે. તેઓ બંને એકબીજાને જીવનમાં ફેરફાર કરવા માટે પણ પ્રેરિત કરે છે- સાજન તેની નોકરી છોડી દે છે અને ઇલા તેના પતિને.

આ ફિલ્મ એ વાતને સમજાવે છે કે પ્રેમ એકબીજાને મળીએ તો જ થાય તે જરૂરી નથી. કદાચ આ પહેલી હિન્દી ફિલ્મ છે જેમાં ‘પ્રેમી-પ્રેમિકા’ને એકબીજાનું મોઢું પણ ખબર નથી અને ફિલ્મના અંતે પણ ‘ખાધું, પીધું ને રાજ કર્યું’ના બદલે, ‘ફરી ક્યારેક મળીશું’ના આશાવાદ સાથે બંને પોતપોતાના અલગ રસ્તા પર વળી જાય છે.

સાજન અને ઇલા વચ્ચે જે સંપર્ક થયો હતો તે મળ્યા વગર અને કોઈ ફોન કોલ વગર હતો. સાજનની પત્નીનું વર્ષો પહેલા અવસાન થયું હતું. તેની રોજિંદી દિનચર્યામાં લોકલ ટ્રેન અને બસમાં ઓફિસ જવાનું, કંટાળાજનક કામ કરવાનું અને ઘરે પરત ફર્યા બાદ પત્નીને યાદ કરવાનું છે. તેનું જીવન એક સીધી લીટીમાં ચાલતું રહે છે. 

ઇલાનું જીવન પણ રૂટિંન છે. ઘરકામથી દિવસ શરૂ થાય છે અને ઘરકામમાં પૂરો થાય છે. પતિને તેનામાં રસ નથી. ઇલા પતિમાં રસ પેદા કરવા ટિફિનમાં રસ નાખે છે. ઇલા મધ્યમ વર્ગીય પરિવારની સ્ત્રી છે એટલે ખાસ બોલતી નથી અને ભાવનાઓ વ્યક્ત કરવા માટે ભોજનનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, ગુસ્સામાં હોય તો મરચું વધારે નાખી દેતી, તનાવમાં હોય તો મીઠું. બદનસીબે કે સદનસીબે, તેનું ટિફિન પતિના બદલે સાજનના ટેબલ પર પહોંચી જાય છે. સાજન ભોજન મારફતે તેની લાગણીઓને પારખે છે.

ટિફિનની અદલાબદલીથી પરેશાન ઇલાને તેના ઘરમાં ઉપલા માળે રહેતી આંટી (ભારતી આચરેકર) એક આઈડિયા આપે છે; ખાવાની સાથે એક ચિઠ્ઠી મૂક કે ભૂલ થઇ ગઈ છે! સાજન ટિફિન ખાય છે’ વળતો જવાબ લખે છે. બીજા દિવસે આ ક્રિયા દોહરાવામાં આવે છે. અને એ રીતે તેમની વચ્ચે ‘લંચ બોક્સ’ પ્રેમાલાપ ચાલુ થાય છે.

ઇલા તેના શુષ્ક જીવનની વાતો કહેતી એક ચિઠ્ઠીને ટિફિનમાં મુકતી હતી અને સાજન તેના જવાબમાં તેના એકલવાયા ક્લાર્કગીરીવાળા જીવનની. બંને લંચ બોક્સ દ્વારા તેમની ખુશી અને દુઃખ વ્યક્ત કરે છે. એ રીતે બંને એકબીજાની લાગણીઓને સમજવા લાગે છે. તેમની વચ્ચેનું આ વિશેષ બંધન માત્ર એક લંચ બોક્સ અને તેની અંદરની ચિઠ્ઠીઓથી બનેલું છે. કદાચ તેમના માટે તે પ્રેમ કરતાં પણ અધિક હતું.

રસપ્રદ વાત એ છે કે ફિલ્મના કોઈ પણ પાત્રો ફોન પર વાત કરતાં જોવા નથી મળતાં. નિર્દેશક રિતેશ બત્રાએ જાણીજોઇને મોબાઈલ ફોનને દૂર રાખ્યો હતો. તે તેમના કિરદારોને સ્વાદિષ્ટ ટિફિન સાથે જોડવા માંગતા હતા. ટિફિન ભૂખનું, સ્વાદનું પ્રતિક છે. બંનેના જીવનમાં તેનો અભાવ છે. ટિફિન મુંબઈની વિશેષતા છે. તે કામ કરતા પતિની વ્યસ્તતા અને મજબૂરીનું પ્રતિક છે. ઇલાના પતિ ઇલામાં ઓછો અને કામમાં વધુ રસ છે. 

મુંબઈ શહેર અનેક યુગલો સાથે આવી ક્રુરતા આચરતું હોય છે. આ ફિલ્મમાં મુંબઈ પણ એક કિરદારના રૂપમાં છે. અટવાયેલો ટ્રાફિક, લોકલ ટ્રેનો અને બસોમાં હકડેઠઠ ભીડ, લાંબી રાહ જોતા લોકો એક પ્રકારનો તનાવ અને થાક પેદા કરે છે. ફિલ્મમાં પાત્રોની સાથે દર્શક તરીકે આપણે પણ મુંબઈની આ ક્રુરતાને અનુભવીએ છીએ.

એ જ ટિફિન ઇલા અને સાજનના સંબંધને મીઠો પણ બનાવે છે. ફોન વગર પણ તેમનો લગાવ ઘનિષ્ઠ બને છે. સાજન અને ઇલાને એકબીજા સાથે વાત કરવા માટે વોટ્સએપ મેસેજ અથવા ફોન કોલ્સની જરૂર નહોતી, તેમનો સંબંધ કંઈક અલગ અને સુંદર હતો, જે પરંપરાગત પત્ર લેખન મારફતે નીખર્યો હતો.

જો કે ઇલા આખરે માણસ છે. જેમ જેમ તેમનો સંબંધ ગાઢ થતો જાય છે, ઇલામાં એ ઇચ્છા બળવત્તર બનતી જાય છે કે તે એકવાર તેના અજાણ્યા હમસફરને મળે. સાજનની મુશ્કેલી અલગ જ છે. તે નિવૃત્ત થઇ રહ્યો છે, તેની ઉંમર થઇ ગઈ રહી છે, વાળોમાં સફેદી આવી રહી છે, ચહેરા પર કરચલીઓ વળી રહી છે. ઇલા તેને જોઇને ડરી જશે અથવા નિરાશા થઇ જશે તો? 

પત્રો દ્વારા, સાજન ઇલાને જણાવે પણ છે કે તે તેના કરતાં ઘણો મોટો છે, પરંતુ ઇલાને તેનાથી કોઈ ફરક પડતો નથી. હકીકતમાં, તેમનો સુંદર સંબંધ શરીર અને વયની સીમાઓથી આગળ છે. નિર્દેશક રિતેશ બત્રા આ સંબંધને ખૂબ જ સુંદર રીતે પડદા પર લાવ્યા છે. સાજનને ઇલાની જવાનીનો ડર લાગે છે. સાજન કાયમ અદૃશ્ય રહ્યો છે, અને હવે ઇલાને સામે આવીને ખુદને ‘જોવા’થી ડરે છે. 

બંને એક રેસ્ટોરન્ટમાં મળવાનું ગોઠવે પણ છે, પરંતુ સાજન ઇલાની સન્મુખ નથી થતો. પાછળથી ઇલાને અસલમ શેખ પાસેથી ખબર પડે છે કે તેનો ‘ભોજનકર્તા’ નિવૃત્ત થઈને નાસિક જવા નીકળી ગયો છે. ઇલા તેને નામે વિદાઈ સંદેશો લખે છે કે તેણે તેના પતિ રાજીવને છોડી દઈને તેની દીકરી યશ્વી સાથે ભૂતાન જતા રહેવાનું નક્કી કર્યું છે.

ટ્રેનમાં નાસિક જઈ રહેલો સાજન અચાનક મન બદલી નાખે છે અન પાછો મુંબઈ તરફ વળે છે. ફિલ્મમાં અંતે, ઇલા તેની દીકરી સ્કૂલેથી પાછી આવે તેની રાહ જોતી હોય છે, અને સાજન ટિફિનની અદલાબદલી કરનારા ડબ્બાવાળા સાથે ઇલાના ઘર તરફ ચાલતો જાય છે. બંનેને ભેગા થતા નથી બતાવાયા, પણ વાર્તાનો અંત સૂચવે છે કે બંનેના રસ્તા પાછા ભેગા થઇ રહ્યા છે. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 08 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

एक जूते से जो बात शुरू हुई …

कुमार प्रशांत|Opinion - Opinion|8 October 2025

कुमार प्रशांत

जूता चलाने वाले ने जब अपना काम कर दिया तब, जिन पर जूता फेंका गया था उन्होंने जूते को जूते की जगह दिखा कर, अपूर्व संयम दिखाते हुए अपना सामान्य काम शुरू कर दिया. हमारे सर्वोच्च न्यायाधीश भूषण रामकृष्ण गवई ने ऐसा करके हम सबका सर गर्व से ऊंचा कर दिया. हमारे देश की बड़ी कुर्सियों पर आज जैसी क्षुद्रता से भरे लोग बैठे हैं, उसमें गवई साहब का यह स्थिरचित्त व्यवहार स्वप्नवत् लगता है.

गुलीवर को लिलिपुट में भी ऐसे ‘छोटे’ लोग नहीं मिले होंगे, जैसे हमें मिले हैं. छोटा या नाटा होने में और ‘क्षुद्र’ होने में बहुत बड़ा फर्क है जिस फर्क को इन दिनों जुमलेबाजी से ढकने की चातुरी दिखाई जा रही है. लेकिन क्षद्म भी इतना चरित्रशून्य नहीं होता है कि बहुत वक्त तक क्षद्म चलने दे. देखिए न, आज एक जूते ने उसे तार-तार कर दिया है. अब जो नंग सामने आई है उसे प्रधानमंत्री का मौका देख कर, बड़ी देरी से ‘एक्स’ पर जारी किया बयान भी नहीं ढक पा रहा है. वह जूता और प्रधानमंत्री का यह बयान कि “ यह हर हाल में निंदनीय है और इससे हर भारतीय क्रुद्ध हो उठा है और ऐसे काम की कोई जगह नहीं है” एक सा-ही दिखाई देता है. आज से आधी शति पहले, 1973 में लोकनायक जयप्रकाश ने जो कहा था वह आज की सरकार से ऐसे चिपकता है जैसे इनके लिए, कल ही कहा गया हो : “ देश के राजनीतिक नेतृत्व की नैतिक हैसियत जब एकदम से बिखर जाती है तब सभी स्तरों पर अनगिनत बीमारियां पैदा हो जाती हैं.”

इसलिए ही सारे देश को क्षुद्रता का डेंगू हुआ है. क्यों ? देश के आज के राजनीतिक नेतृत्व की नैतिक हैसियत एकदम बिखर गई है याकि देश के आज के राजनीतिक नेतृत्व ने नैतिकता को जूता समझ कर किसी पर फेंक दिया है. अब उसके पास न नैतिकता बची है, न जूता ! वह नंगे सर व नंगे पांव सारे देश में, सभी स्तरों पर अनगिनत बीमारियां फैलाने में जुटा है. यह जूता किसी दलित पर नहीं फेंका गया है. जिस पर फेंका गया वह संयोग से दलित है. सच यह है कि यह असहमति पर फेंका गया वह जूता है जो इस सरकार व इस पार्टी के सभी लोग देश पर लगातार फेंकते आ रहे हैं. घृणा इनके दर्शन की संजीवनी बूटी है. इनकी रोज-रोज की जुमलेबाजी देश को मूर्ख बनाने की बाजीगरी है.

गवई साहब हमारे सर्वोच्च न्यायाधीश हैं. सभी कह रहे हैं, लिख रहे हैं कि वे दलित हैं. कोई यह क्यों नहीं कह रहा है कि न न्याय की कोई जाति होती है, न न्यायाधीश की ? जब दिल व दिमाग से जाति-धर्म-संप्रदाय-लिंग-भाषा-प्रांत की लकीरें मिट जाती है तब न्याय का ककहरा लिखने की शुरुआत होती है. इसलिए हमें कहना चाहिए कि हमारे गवई साहब न दलित हैं, न सवर्ण हैं. वे हमारी न्यायपालिका के सर्वोच्च न्यायमूर्ति हैं. हम इतना ही जानते हैं और उनकी योग्यता का मान करते हैं. हम संपूर्ण न्यायपालिका को भी ऐसे ही देखना चाहते हैं. हमारी चाह आप जानना चाहें तो वह यह है कि सारा देश, संसार के सारे इंसान ऐसे ही हों; न हों तो ऐसे ही बनें, और उन्हें ऐसा बनाने में हम सब अपने मन-प्राणों का पूरा बल लगाएं.

हमें गहरा खेद है कि जिसका जूता था उन वकील राकेश किशोर के पास अब वह जूता भी नहीं रहा. एक वही जूताग्रस्त मानसिकता तो थी उन जैसों के पास ! पिछले 10-12 सालों में इस सरकार ने देश के हर नागरिक के हाथ में यही मानसिकता तो थमाई है कि अपना जूता दूसरों पर फेंको ! प्रधानमंत्री से ले कर उनका पूरा मंत्रिमंडल यही करता है; उनकी पार्टी का अध्यक्ष अपनी पूरी पार्टी को साथ ले कर यही करता है. अपना-अपना स्वार्थ साधने के लिए दूसरे कई छुटभैय्ये भी हैं जो इनके साथ हो लिए हैं. बात पुरानी है लेकिन एकदम खरी है कि तुम वही होते हो जिनके साथ तुम रहते हो.

यह गवई साहब पर भी उतना ही लागू होता है जितना चंद्रचूड़ साहब पर होता था.  चंद्रचूड़ साहब ने प्रधानमंत्री के साथ मिल कर गणपति वंदना करना जरूरी समझा तो गणपति ने उन्हें ‘मूषक’ बना दिया. अब वे यहां-वहां, हर जगह यह बताते-कहते घूम रहे हैं कि मैं ‘मूषक’ नहीं बना था. लेकिन सौ-सौ चूहे वाली बिल्ली हमने-आपने भी देखी तो होगी ! सो चंद्रचूड़ साहब कहते कुछ हैं, हमें सुनाई कुछ दूसरा ही देता है, दिखाई कुछ तीसरा देता है.

गवई साहब ने मुख्य न्यायाधीश बनते ही कहा था कि वे आंबेडकर को माथे पर धर कर चलते हैं. हमने कोई एतराज नहीं किया, हालांकि होना तो यह चाहिए कि उनके व दूसरे किसी भी न्यायमूर्ति के माथे पर संविधान ही हो- न गांधी हों, न आंबेडकर ! लेकिन अब हमें दिखाई कुछ और भी देता है. गवई साहब सरकारी ‘मूषकों’ के साथ, उनके उड़नखटोले में या उनकी गाड़ी में यहां-वहां बेज़रूरत घूमते हैं; सरकारी होने का कोई भी फायदा वे छोड़ते नहीं हैं. न्यायमूर्ति की सबसे ऊंची कुर्सी से वे भी वैसी ही गोलमोल बातें करते हैं जैसी बातें उस कुर्सी से हम अक्सर ही सुनते रहे हैं. किसी भी मुकदमे के दौरान फैसलों से इतर न्यायाधीश जो टिप्पणियां करते हैं, वे बहुत मतलब की नहीं होती हैं. विष्णु की मूर्ति के संदर्भ में गवई साहब की वह टिप्पणी भी न जरूरी थी, न निर्दोष थी.

हमारी न्यायपालिका आज भी ऐसे ही चल रही है जैसे देश में कुछ भी असामान्य नहीं है. जिस संविधान व लोकतंत्र की वजह से ही न्यायपालिका का अस्तित्व है, उस पर रोज-रोज हमले हो रहे हैं, यह हमें दिखाई देता है, अदालतों को नहीं. अदालतों के पास समय बहुत थोड़ा है और हमारा लोकतंत्र बहुत नाज़ुक दौर से गुजर रहा है. वह गुजर ही न जाए, इसकी तत्परता गवई साहब की न्यायपालिका के व्यवहार व आचार में दिखाई नहीं देती है.

संवैधानिक महत्व के मुद्दों को, नागरिक स्वतंत्रता के सवालों को प्राथमिकता के आधार पर सुना जाए और न्यायपालिका को जो भी कहना हो, वह स्पष्ट शब्दों में कहा जाए, ऐसा नहीं हो रहा है. ऐसा रवैया संविधान को मजबूत नहीं बनाता है, आंबेडकर को जिंदा नहीं करता है. बिहार में केंद्र सरकार के इशारे पर चुनाव आयोग ने ‘सर’ का जो ढकोसला खड़ा किया था, उसने चुनावी न्याय को सर के बल खड़ा कर दिया है. उसे न्यायपालिका की सीधी फटकार क्यों नहीं मिली ? ऐसा लगता है कि चुनाव आयोग व सर्वोच्च न्यायालय के बीच चूहे-बिल्ली का खेल चल रहा है. आधार कार्ड को मतदाता का न्यायसम्मत प्रमाण मानने की बात को जिस कठोरता से अंतिम तौर पर कह देने की जरूरत थी, गवई साहब की अदालत वैसा नहीं कह सकी. इसलिए आयोग रह-रह कर आधार कार्ड का माखौल उड़ता है और कहता है कि आप आधार दो या न दो, हमारे बताए दस्तावेज तो देने ही होंगे ! यह मतदाता का अपमान है, न्यायपालिका की खुली अवमानना है.

अब चुनाव आयोग ने न्यायालय को नया ‘शह’ दिया है. उसने  बिहार के मतदाताओं की अंतिम सूची प्रकाशित कर, चुनाव की तारीखें घोषित कर दी है. यह अदालत को उसकी औकात बताने की कोशिश है. हम सभी जानते हैं कि ज्ञानेश कुमार के ‘ज्ञान’ के पीछे सरकार अभय-मुद्रा में खड़ी है. यह एक चीफ की, दूसरे चीफ को सीधी चुनौती है. आयोग ने यह भी घोषित कर दिया है कि बिहार को निबटा कर हम देश को भी इसी तरह ठिकाने लगाएंगे. देश के मतदाताओं के सर पर ‘सर’ की तलवार लटकी हुईं है. चुनाव आयोग ‘चंद्रचूड़’ बना हुआ है. वह बात का भात पका भी रहा है व खिला भी रहा है.

जूते की बात छोड़िए, लोकतंत्र पर सीधा हमला खरीदे व जुटाए जिस बहुमत की आड़ में हो रहा है, वह बहुमत है ही नहीं. इसके जितने प्रमाण कोई नागरिक जुटा सकता है, उतने प्रमाण सामने रख दिए गए हैं. अब जो काम बचा है वह न्यायपालिका का है, क्योंकि संविधान ने उसे ही यह जिम्मेवारी दी है तथा यही उसके होने की सार्थकता भी है कि वह लोकतंत्र के साथ खड़ा रहे. आज के दौर में यह सबसे आसान काम है. आसान इसलिए है कि आपके पास एक किताब है जिसे आंबेडकर का लिखा संविधान कहते हैं. बस उस किताब को खोलिए और उसके आधार पर सही या गलत का फैसला कीजिए. न एक शब्द बदलना है आपको, न कुछ अलग या नया लिखना है.

आप वह मत करिए जो आपके कमजोर प्रतिनिधियों ने पहले किया है. संविधान ने नहीं कहा है कि आपको संतुलन साधना है, कि आपको बीच का रास्ता निकालना है. सत्य या न्याय संतुलन से नहीं, संविधान के पालन से सिद्ध होता है. चंद्रचूड़ साहब ने अपनी असलियत ढकने के लिए एक बौद्धिक तीर चलाया कि हमारा संविधान नहीं कहता है कि हमारे जजों की निजी आस्थाएं नहीं होनी चाहिए. हां, हमारे संविधान ने ऐसा नहीं कहा है लेकिन चंद्रचूड़ साहब बड़ी चतुराई से यह छिपा गए कि संविधान ने साफ शब्दों में कहा है कि आपकी निजी आस्थाओं की छाया भी आपके फैसलों पर नहीं पड़नी चाहिए. यह आसान नहीं है, तो जज बनाना इतना आसान कहां है ! जिस तरह सड़क पर चलता हर ऐरा-गैरा जज नहीं बन सकता, ठीक उसी तरह बड़ी शिक्षा पा कर या विदेशों से डिग्री ला कर या किसी पूर्व जज का परिजन होने से कोईं जज नहीं बन जाता. जज की कुर्सी पर बैठने से भी लोग जज नहीं बन जाते. यह योग्यता व पात्रता संविधान के साथ खड़े होने की आपकी हिम्मत से आती है. चंद्रचूड़ साहब याद करें तो उन्हें याद आएगा कि आपातकाल में उनके पिता समेट 5 जज थे जिनमें से 4 ने संविधान को रद्दी की टोकरी में फेंक कर, सरकार की खैरख्वाही की थी. भारतीय न्यायपालिका का मुंह उस दिन जो काला हुआ, वह दाग आज तक नहीं धुला है. चन्द्रचूड़ों ने उसे और भी कला कर दिया है. किसी सरकार के पक्ष या विपक्ष में फैसला देने की बात नहीं है, जो लिखा हुआ संविधान देश की जनता ने आपको सौंपा है, उसका पालन करने की बात है.

जूता चला यह बहुत बुरा हुआ. लेकिन यही जूता वरदान बन जाएगा यदि इसने हमारी न्यायपालिका को नींद से जगा दिया. जूता चलाने की असहिष्णुता जिसने समाज का स्वभाव बना दिया है, वह अपराधी पकड़ा जाए, इसके लिए सन्नद्ध व प्रतिबद्ध न्यायपालिका अपनी कमर सीधी कर खड़ी हो, तो जूते का क्या, वह फिर से पांव में पहुंच जाएगा. 

(08.10.2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

કન્યાદાન

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|8 October 2025

લેખકના બે શબ્દ :

નવલિકા ‘કન્યાદાન’નું કથાનક એક સત્યઘટના પર આધારિત છે. સાસુ-સસરાએ પુત્રવધૂનું, દીકરી માનીને કન્યાદાન કર્યું. સમાજમાં આવી ઘટના બહુ જુજ બને છે. પુત્રવધૂનું કન્યાદાન કરનાર એ મહાન માતાપિતાને વંદન, અને તેમના ઋણ સ્વીકાર સાથે હું આ નવલિકા પ્રકાશિત કરું છું. નવલિકામાં આવતાં પાત્રોનાં નામ અને પ્રસંગો કાલ્પનિક છે.

°

સુમનભાઈ અને મીનાબહેન આંખમાં ઝળઝળિયાં સાથે બેઠાં હતાં. દેવીના લગ્નની વિધિ ચાલી રહી હતી. આંખોમાંથી આસું ધોધની જેમ વહેવાં માટે બળવો કરી રહ્યાં હતાં, પણ સુમનભાઈ અને મીનાબહેને નક્કી કર્યું હતું કે જ્યાં સુધી દેવીના લગ્ન સંપન્ન ન થઇ જાય, અને સ્વસુરગૃહે પ્રસ્થાન ન કરે ત્યા સુધી આંખમાંથી એક પણ અશ્રુનું ટીપું પડવા દેવું નથી. બંને હૃદયથી અને મનથી આ લડાઈ લડી રહ્યાં હતાં. દિલમાં દેવીના લગ્ન પ્રસંગનો ઉમંગ હતો, સાથે છાને ખૂણે એક દુઃખ ભરી ઘટના પણ પડી હતી.

દેવીના લગ્ન સારી રીતે સંપન્ન થઇ ગયાં. સુમનભાઈ અને મીનાબહેને નિરાંતનો શ્વાસ લીધો. મન, હૃદય પરથી બોજ હળવો થયાની પ્રતિતિ થઇ. કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો, સુમનભાઈએ જોયું તો દેવી કારમાં બેસવાને બદલે એકલી તેની પાસે આવી રહી હતી. મનમાં ધ્રાસકો પડ્યો કે શું થયું હશે? દેવી એકલી કેમ આવે છે? જમાઈ સુરેશ કેમ ક્યાં ય દેખાતા નથી?

દેવીએ આવીને એટલું જ કહ્યું, “તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમારા જમાઈ સુરેશની રજા લઈને તમને મળવા અને કહેવા આવી છું કે દશ દિવસ પછી હું અહીંયા આવીશ. તમે મને વચન આપ્યું છે એટલે તમારે બંનેએ મારી સાથે જ આવવાનું છે. મેં તમારા માટે મારા ફ્લેટની બાજુમાં જ અત્યારે તો ફ્લેટ ભાડેથી લીધો છે. તમારે ત્યાં મારી સાથે પણ સ્વતંત્ર રીતે રહેવાનું છે. તમને ફાવી જાય પછી ફ્લેટને ખરીદી લઈશું. સુરેશની પણ આ જ ઇચ્છા છે.”

“પણ, દીકરી …”

“પણ કે બણ કંઈ નહીં,” એમ કહીને દેવી ચાલવા માંડી, કારમાં બેસીને શ્વસુરગૃહે વિદાઈ થઇ ગઈ. સુમનભાઈ અને મીનાબહેન આસું ભરી આંખે દેવીને વિદાઈ થતી નીરખી રહ્યાં. સુમનભાઈ અતીતમાં ખોવાઈ ગયા.

સુમનભાઈનો પુત્ર અજય આઈ.ટી. એન્જીનિયર હતો; ફૂટડો અને તરવરિયો યુવાન હતો. કોઈને પણ ગમો જાય એવો અજય હતો. એક દિવસ સુમનભાઈએ કહ્યું, “અજય, અમે તારી માટે એક કન્યા જોઈ રાખી છે. મને અને તારી મમ્મીને ગમી છે. તું તેને મળી લે પછી તારા નિર્ણય પર અમે આગળ વધીશું.” 

“પપ્પા, તમને અને મમ્મીને ગમી હોય તો પછી મારે શું જોવાનું. મમ્મીને વધારે સમય તેની સાથે રહેવાનું હોય. મમ્મી સાથે સેટ થઇ જાય એટલે મારી સાથે ચોક્કસ સેટ થઈ જશે.”

“ના બેટા, આ તારી જિંદગીનો સવાલ છે. તારી મમ્મીને વધારે સાથે રહેવાનું છે એ સાચું પણ તારી તો એ જીવનસંગિની બનવાની છે. વળી `દેવી`… હા, બેટા તેનું નામ દેવી છે એ પણ આઈ.ટી. એન્જીનિયર છે. અત્યારે કોઈ જોબ કરતી નથી આગળ ઉપર તમારા બંનેની ઇચ્છા; અમને તો દેવી જોબ કરે કે ના કરે કોઈ વાંધો નથી.” 

અજયે દેવીને જોઈ; બંને એ પ્રાસ્તાવિક વાતો કરીને વડીલોને પોતાની ઇચ્છા જણાવી દીધી. દેવી અને અજયના ધામધૂમથી લગ્ન થઇ ગયા. દેવી મીનાબહેન, સુમનભાઈ તેમ જ અજય સંગાથે પૂરેપૂરી સેટ થઇ ગઈ હતી. સુમનભાઈ અને મીનાબહેનનું જીવન સુખરૂપ વિતી રહ્યું હતું; અચાનક નિયતિએ કરવટ બદલીને કોરોના અજયને ભરખી ગયો. સુમનભાઈએ અજયની સારવારમાં કોઈ કચાશ રાખી નહોતી, પણ નિયતિ પાસે બધાં લાચાર હતાં.

એક દિવસ મીનાબહેને સુમનભાઈને કહ્યું, “નિયતિએ આપણી પાસેથી અજયને છીનવી લીધો પણ દેવીની તો લાંબી જિંદગી છે. અત્યારના સામાજિક માહોલમાં એકલી સ્રીને રહેવું કેટલું મુશ્કેલી ભર્યું છે, એ આપણે સૌ જાણીએ છીએ. આપણે દેવીને ખરાબ ન લાગે એમ તેને પિયર જવું હોય તો પૂછી જોઈએ. દેવીને જોઈએ મારો જીવ બળે છે.”

“તારી વાત સાચી છે પણ હું નથી માનતો કે દેવી પિયર જવા માટે તૈયાર થાય. અત્યારે પણ એ આપણી માતાપિતા જેવી જ સેવા કરે છે. દેવીને આ વાત પૂછશું તો ચોક્કસ તેને ખરાબ લાગશે. હું દેવીને દુભવવા નથી માંગતો; છતાં તું કહે છે તો પૂછી જોઈશું; અને નહીંતર પછી આપણે એમ કરીશું; દેવી પણ આઈ.ટી. એન્જીનિયર છે જો તેને જોબ કરવી હોય તો પૂછી જોઈશું; જેથી તેનું મન પણ બહારની દુનિયા સાથે રહેવાથી ધીમે ધીમે સ્વસ્થ થઇ જશે.”

“દેવી, બેટા મારે તારી સાથે એક વાત કરવી છે.”

“હા, બોલોને પપ્પા, શું વાત છે?”

“બેટા, તારી સામે લાંબી જિંદગી પડી છે.તું અહીંયા રહીને કંઈ નહીં કરી શકે એટલે જો તારે પિયર જવું હોય તો….”

“અરે! અરે! પપ્પા, તમે આ શું બોલ્યા? શું મારી સેવામાં કે તમારું ધ્યાન રાખવામાં કોઈ કમી રહી ગઈ છે. અજય મને તમારી જવાબદારી સોપીને ગયો છે. એટલે આ વાત તો તમે ક્યારે ય વિચારશો જ નહીં; મારા માટે આ જ પિયર અને સાસરું છે.”

“તો એક વાત માનીશ; મારા મિત્રને આઈ.ટી. ફર્મ છે. તું આઈ.ટી. એન્જીનિયર છો; તેની ફર્મમાં જોબ કર જેથી તારું મન પણ સ્વસ્થ થાય. અમને પણ અમારી દીકરી કંઈક કરે છે એમ લાગે.”દેવીએ જોબ જોઈન કરી દીધી.

એક વખત સુમનભાઈને બાળપણનો મિત્ર મળવા આવ્યો; બંને ઘણાં સમય પછી મળ્યા હતા.”અરુણ, તને મળીને ખૂબ આનંદ થયો. કેમ ચાલે છે? બાળકો શું કરે છે?”

“સુમન, મારી તો તું વાત પૂછવી રહેવા દે. વિધિએ અમને એવી જોરદાર થપાટ મારી છે કે તેની કળ હજી વળી નથી. તું તો જાણે છો કે મારા પુત્ર સુરેશના લગ્ન મેઘા સાથે થયા હતા. ત્યારે તું કંઈક મુશ્કેલીમાં હોવાથી લગ્નમાં આવી શક્યો નહોતો. કોરોના કાળે તો ભલભલાના ઘરને તારાજ કરી દીધા હતા. તેમાં મારા સુરેશની પત્ની મેઘા ભોગ બની ગઈ હતી. ત્યારે આ રૂચિ છ મહિનાની હતી. અમે સુરેશને બીજા લગ્ન માટે સમજાવ્યો પણ તેનું કહેવું એવું હતું કે બીજી `મા` રૂચિને સારી રીતે ન સાચવે તો એટલે એ લગ્નની હા પાડતો નથી.”

“અરુણ, તારી જેવી જ અમારી પરિસ્થિતિ છે. મેં પણ અજયના દેવી સાથે લગ્ન કર્યા હતા. અજયને પણ કોરોના ભરખી ગયો. મારા અજયને કોઈ સંતાન નહોતું. દેવી, મારી પુત્રવધૂ, દીકરી બનીને અમારી સાથે જ રહે છે. એ આઈ.ટી. એન્જીનિયર છે. મારા મિત્રની ફર્મમાં જોબ કરે છે.”

“સુમન, તું ખોટું ન લગાડતો. એક વાત કહું, દેવી અને સુરેશ, બંનેએ પોતાના જીવનસાથી ગુમાવ્યા છે. બંનેની લાંબી જિંદગી છે. આપણે તો ખર્યું પાન કહેવાઈએ; જો બંને લગ્ન માટે સંમતિ આપે તો સાત વ્યક્તિનાં જીવન સુધારી જાય.”

“અરુણ, તારી વાત છે તો વિચારવા લાયક; એમ કર તું સુરેશ સાથે વાત કરી જો અને હું દેવી સાથે વાત કરી જોઉં; ઈશ્વરને કરવું હશે તો સૌ સારા વાના થશે.”

“દેવી બેટા, મારે તને એક વાત કહેવી છે.”

“તો પપ્પા, એમાં તમારે મને પૂછવાનું હોય. બોલો તમે શું વાત કરવા માંગો છો.”

“બેટા, વાત એવી છે કે તને પૂછવું પડે. તું અમારી વાતનો કોઈ અવળો અર્થ ન કરતી. આ તો અમે રહ્યાં ખર્યું પાન એટલે તારા ભવિષ્યની ચિંતા થાય.” એમ કહીને સુમનભાઈએ તેના મિત્ર અરુણની અને તેના દીકરા સુરેશની વાત કરી. પછી જવાબ માટે દેવી સામે બંને જોઈ રહ્યાં.

“પપ્પા, તમે આટલા સમય પછી આ વાત કરો છો એટલે તમે મારા માટે ખૂબ વિચાર્યા પછી વાત કરતા હશો. મને વાંધો નથી, પણ પહેલાં હું સુરેશજીને મળવા માંગું છું. મારી અમુક શરતો છે એ તેમને માન્ય હોય તો હું આગળ આ બાબતે વિચારીશ. પપ્પા, આજ સુધી મેં માતાપિતાને દીકરીને વળાવતા જોયા છે. તમારી જેવા કોઈક વિરલ માતાપિતા હશે કે જે પુત્રવધૂને દીકરી તુલ્ય માનીને કન્યાદાન કરવા તૈયાર થાય. બાકી તો સમાજમાં એવા ઘણા દાખલા મળે છે કે પુત્રવધૂને હડધૂત કરીને કાઢી મૂકે, બદનામ કરે કે પછી અગ્નિસ્નાન કરાવી દે છે. તમને હું વંદન કરું એટલાં ઓછા છે.”

“બેટા, તે શરતની વાત કરી, કેવી શરત, બેટા? સંબંધમાં કોઈ શરત ન હોય.”

“તો પપ્પા, આ વાત અહીયા જ પૂરી થાય છે.”

“ના બેટા, હું અરુણ સાથે વાત કરી જોઇશ.”

સુરેશ અને દેવીની મિટિંગ ગોઠવાઈ; દેવીએ કહ્યું, કે “આપણે એક બીજાની ઘણી વાતથી પરિચિત છીએ. મારે તમને મારી બે શરતની વાત કરવી છે; જો તમને એ મંજૂર હોય તો આગળ વધીએ.”

“હા, તમારી શરત તો કહો. મારી કોઈ શરત નથી.”

“પહેલી શરત કે હું મારા ભૂતકાળના સાથી અજયને ભૂલી શકી નથી. હજીપણ તેની સ્મૃતિઓમાં ખોવાઈ જાઉં છું અને તેની સાથે વર્તમાનને માણી લઉં છું. આ બાબતે તમારે ક્યારે ય કોઈ ટીકા ટિપ્પણ કે કોઈ વિરોધ નહીં કરવાનો.”

“ઓકે, હું પણ મેઘાને ભૂલી શક્યો નથી. આપણે સાથે રહીને આપણા અતિતને માણીશું. એક બીજાના સહકારથી એ દુષ્કર પળને ભૂલવાનો પ્રયત્ન કરીશું. તમારી બીજી શરત શું છે?”

“મારી બીજી શરતમાં મારા `સાસુ-સસરા` કે જેને મેં મારા `માતાપિતા`નું સ્થાન આપ્યું છે એ મારી નજીક રહેશે, અને તેની દરેક જવાબદારી મારી રહેશે. તેમના માટે આપણા ઘરની નજીક એક ફ્લેટ ખરીદી લેવાનો અને તેના પૈસા હું આપીશ. આ બાબતે આપણે ક્યારે ય કોઈ ચર્ચા નહી કરીએ.”

“અરે! આ તો બહુ સહેલી શરત છે. આપણા ફ્લેટની બાજુમાં જ ફ્લેટ ખાલી છે અને વેચાઉ છે એ આપણે ખરીદી લઈશું.”

દેવીએ કહ્યું, “પપ્પા, મને સુરેશ સાથે લગ્ન કરવા કોઈ વાંધો નથી, પણ તમારે મને એક વચન આપવું પડશે અને તો જ હું લગ્ન માટે હા કહીશ.”

“બોલ, દીકરી .. બોલ, મારે શું વચન આપવાનું છે.”

“પપ્પા, હું અહિંયાથી લગ્ન કરીને વિદાઈ થાઉં ત્યારે તમને હું જે કહું એ તમારે કરવાનું. ના નહીં કહેવાની.”

“પણ તું કહે તો ખરી મારે શેની ના નહીં કહેવાની.”

“પપ્પા, પરીક્ષા પહેલાં પેપર ફોડવું એ ગુનો બને છે. હું એ ગુનો કરવા માંગતી નથી.

“ઓકે, બેટા, તું કહે તેમ કરશું.”

દેવી અને સુરેશના લગ્ન વડીલોની હાજરીમાં સંપન્ન થઇ ગયા ને દેવીએ સુમનભાઈ પાસેથી લીધેલું વચન પાળવાનું સુમનભાઈને કહીને સાસરે જતી રહી.

સુમનભાઈએ મીનાબહેનને કહ્યું “કે આપણા પર ભવના પુણ્ય છે કે જતાં જતાં આપણી દીકરી આપણા ઘડપણને પણ સુરક્ષિત કરતી ગઈ.”

“આપણે તો આપણી ફરજ બજાવી, પણ દેવીએ તો ત્રણ ઘરને ઉજાળી દીધા.”

સુમનભાઈએ જોયું તો તેના હાથમાં દેવી એક ચબરખી મૂકતી ગઈ હતી; વિદાઈ સમયે ખબર નહોતી પડી … ચબરખીમાં લખ્યું હતું,

“મમ્મી-પપ્પા જન્મોજનમ તમે જ મારા જન્મદાતા, માતાપિતા બનો એવી પ્રભુને પ્રાર્થના. બાકી આજના જમાનામાં પુત્રવધૂ વિષે તો કોઈ વિચારતું જ નથી; જ્યારે પુત્રવધૂનું માતાપિતા બનીને કન્યાદાન કરવું એ તો દૂરની વાત થઇ ગઈ……વધુ નહી લખી શકું … પ્રણામ.

સુમનભાઈ અને મીનાબહેનની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. સુમનભાઈએ આકાશ સામે જોયું તો તેને લાગ્યું કે અજય પણ ખુશ હતો … 

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...116117118119...130140150...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved