તુલસીને ક્યારે કોઈ દીવો પ્રગટાવે એમ સાંજ જરા હળવે ઝુલાવે.
તરંગ-ઝરૂખે જે ઝુલતાં’તાં ગીત હવે, નજરુંના ગોખે ઝીલાવે.
કોરી કલમને કંકુમાં બોળી
રક્તભરી આંગળી ઝબોળી
સોળ સોળ મોસમની ભેગી રંગોળી
આથમણી કોરની સેંથી પૂરાવે
આજ નભનો નઝારો સજાવે…નજરુંના ગોખે ઝીલાવે ..
છપ્પર ફાડીને લઈ લેતો કીમિયાગર
ગબ્બર ગોખેથી દઈ દેતોયે જાદુગર
સરવર સમ છલકાવે તનમન
ચાહે શું કોઈ કૈં, એથી વધારે?
રંગીન ફુવારે ભીંજાવે…સાંજ આજ અંતર ઉજાસે …
તુલસીને ક્યારે કોઈ દીવો પ્રગટાવે એમ સાંજ જરા હળવે ઝુલાવે ..
હ્યુસ્ટન
http://devikadhruva.wordpress.com
![]()





1953માં લોકભારતી ઊભી કરવાની થઈ ત્યારે પણ આ જ મુશ્કેલી આવી. નાનાભાઈ કહે, ‘દવે છે ને, એ કરશે.’ ને દવેકાકા સણોસરામાં પણ પાંચેક વર્ષ રહ્યા. અહીં પણ પુષ્પાબહેનનો જાદુ ચાલ્યો. અહીંની બહેનોને તો તેઓ પ્રવાસે પણ લઈ જતાં. બહેનોએ ગામની બહારનું ભાગ્યે જ કંઈ જોયું હોય. રાત્રિશાળા પણ ચલાવતાં. ત્યારના ‘કોડિયું’ના અંકોના સંસ્થા-સમાચારમાં નાનાભાઈએ ‘પુષ્પાની રાત્રિશાળા’ની સહર્ષ નોંધ લીધેલી છે.





ગાંધીજીએ વિજ્ઞાનના ‘વિવેકપૂર્ણ ઉપયોગ’ની જે વાત કરી તે લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રનો આદર્શ છે. લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રે તમામ વિજ્ઞાનદિન ઉજવ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ જેવી સુંદર-અર્થપૂર્ણ થીમ પર દેશભરમાં જે 75 સ્થળે આખું અઠવાડિયું વિજ્ઞાન-સપ્તાહ તરીકે ઉજવાયું, તેમાં લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર પણ એક હતું. આ સપ્તાહ દરમ્યાન આ કેન્દ્રે ભાવનગર જિલ્લાનાં આઠ સ્થળે બ્રહ્માંડ અંગેનાં વ્યાખ્યાનો, આકાશદર્શન અને વિજ્ઞાનમેળા જેવા વિવિધ કાર્યક્રમો કર્યાં. હજારો વિદ્યાર્થીઓએ અને એમના શિક્ષકોએ ભાગ લીધો.
