Opinion Magazine
Number of visits: 9458151
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગર—189

દીપક મહેતા|Opinion - Opinion|25 March 2023

મુંબઈમાં રસ્તાનાં નામમાં ઝાડ, ડુંગર, બેકરી

વન મહાલ લેન બની ગઈ બેનહામ હોલ લેન       

 આપણા જ્ઞાની કવિ અખાની એક પંક્તિ છે : 

કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.

મુંબઈના રસ્તાઓની બાબતમાં પણ કેટલીક વાર આવું બન્યું છે. ગામદેવી વિસ્તારમાં બે રસ્તા આવેલા છે : એલેકઝાન્ડ્રા રોડ અને લેબર્નમ રોડ. પહેલી નજરે લાગે કે આ તો છે કોઈ અંગ્રેજોનાં નામ. હટાવો. પણ હકીકતમાં આ બે નામને કોઈ અંગ્રેજ સાથે લાગતું વળગતું નથી. એ બંને તો છે ઝાડનાં નામ. એલેક્ઝાન્ડ્રા એ તાડ કે નાળિયેરી જેવું ઝાડ છે. તો લેબર્નમ એ ગરમાળા જેવું ઝાડ છે, ભરચક પીળાં ફૂલોવાળું. એક જમાનામાં આ બંને રસ્તા પર તે-તે જાતનાં વૃક્ષો હતાં એટલે પડ્યાં આ બે નામ. થોડાં વરસ પહેલાં લેબર્નમ રોડનું તો નામ બદલવાની માગણી પણ થયેલી. જે રસ્તા પર ગાંધીજીનું સ્મારક મણિ ભવન આવેલું છે એ રસ્તાનું નામ કોઈ બ્રિટિશ અમલદારના નામ પરથી? પછી વળી કોક જાણકારે કહ્યું કે ભાઈ, લેબર્નમ એ તો એક ઝાડનું નામ છે, કોઈ અંગ્રેજનું નહિ.

જેના પરથી બે રસ્તાનાં નામ પડ્યાં છે તે બે ઝાડ એલેકઝાન્ડ્રા અને લેબર્નમ

તો કેટલીક વાર સાવ સીધા-સાદા નામ અંગે પણ લાંબી લાંબી ચર્ચા થાય છે. કોટ વિસ્તારમાં કાવસજી પટેલ સ્ટ્રીટથી પીઠા સ્ટ્રીટ સુધીના રસ્તાનું નામ હતું બાર્બર લેન. ઘણા લોકો તેને હજામ મહોલ્લો પણ કહેતા. બહુ દેખીતી વાત કે જેમ સુતાર ચાલ, જેમ લુહાર ચાલ, જેમ ભોઈ વાડો, તેમ બાર્બર સ્ટ્રીટ કે હજામ મહોલ્લો. એ રસ્તા પર હજામોની ઝાઝી વસતી એટલે આ નામ. બોમ્બે ગેઝેટ નામના એ વખતના અંગ્રેજી અખબારના ઓક્ટોબર સાત, ૧૯૦૭ના અંકમાં આર.પી. કરકરિયાએ આ પ્રમાણે લખ્યું. અને તરત બૂમાબૂમ થઈ કે આ રસ્તાનું નામ બદલો. પણ એ વખતે તો કંઈ થયું નહિ. ખુદ મ્યુનિસિપલ કમિશનર પી.આર. કેડલ તરફથી નામ બદલવાની દરખાસ્ત રજૂ થઈ. એક આડ વાત : કેડલ રોડ નામ આ કેડલસાહેબના નામ પરથી જ પડેલું. એ રોડનું આજનું નામ છે સ્વાતંત્ર્ય વીર સાવરકર માર્ગ. એ જ રસ્તા પર તેમનું રાષ્ટ્રીય સ્મારક પણ આવેલું છે. કેડલે જણાવ્યું કે કોટ વિસ્તારમાં રહેતા ઘણા નાગરિકોએ માગણી કરી છે કે બાર્બર લેનનું નામ વહેલી તકે બદલવામાં આવે. જો કે બનવા જોગ છે કે આ નામ હજામ લોકો પરથી નહિ, પણ એક જમાનામાં ત્યાં રહેતા મિસ્ટર બાર્બર નામના એક પોલીસ અધિકારીના નામ પરથી પાડવામાં આવ્યું હોય. છેલ્લાં કેટલાંક વરસોમાં મ્યુનિસિપાલિટીએ આ રસ્તાને ઘણો પહોળો કર્યો છે અને એટલે હવે તે ‘લેન’ રહી નથી. સાધારણ રીતે હું રસ્તાનાં નામ બદલવાની તરફેણ કરતો નથી. પણ આ કિસ્સામાં એ રસ્તા પર કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકોનાં રહેઠાણ આવેલાં છે. અને એ લોકોને આ નામ હીણપતભર્યું લાગે છે. એટલે આ નામ બદલવા લાયક છે એમ હું માનું છુ. એટલે હું આપ સૌ માનવંતા સભ્યો સમક્ષ દરખાસ્ત રજૂ કરું છું કે બાર્બર લેનનું નામ બદલીને બખ્તાવર સ્ટ્રીટ રાખવામાં આવે. ફારસી અને ગુજરાતી ભાષામાં ‘બખ્તાવર’નો અર્થ થાય છે ‘નસીબદાર.’

વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક

જ્યારે આ દરખાસ્ત રજૂ થઈ ત્યારે વી.એ. દાભોલકર નામના સભ્યે ‘સુખિયા સ્ટ્રીટ’ નામ સૂચવ્યું. ‘બખ્તાવર’ અને ‘સુખિયા’નો અર્થ તો ઘણે અંશે સરખો. પણ વધુમાં એ રસ્તા પર ડો. સુખિયા નામના એક કોર્પોરેટર રહેતા હતા. તો સર જમશેદજી જીજીભાઈએ Barbour Street નામ સૂચવ્યું. કારણ એ નામની જાણીતી કંપનીની દુકાન એ સ્ટ્રીટ પર આવી હતી. ઇન્ગ્લન્ડમાં ૧૮૯૪માં તેની સ્થાપના થઈ હતી. તેની શાખા આ લેન પર હતી. અલબત્ત, તેમાં વેચાતાં કપડાં કાં મોટા અંગ્રેજ અમલદારોને કે સર જમશેદજી જીજીભાઈ જેવા માલેતુજારોને જ પરવડે તેવાં હતાં. બીજાં નામો પણ સૂચવાયાં. પણ છેવટે હતા ત્યાંના ત્યાં.

પછી આર.ડી. કૂપર નામના પ્રતિષ્ઠિત નાગરિકે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લખેલા પત્રમાં જણાવ્યું કે હકીકતમાં આ વિસ્તાર ‘હજામ મહોલ્લા’ તરીકે જ ઓળખાતો હતો. અંગ્રેજોએ હજામનો અનુવાદ કરી નામ રાખ્યું બાર્બર લેન. તો બીજા એક વાચક એચ. સિબાલ્ડે લખ્યું કે હકીકતમાં અહીં જે મિસ્ટર બાર્બર રહેતા હતા તે પોલીસ ખાતામાં નહોતા, પણ એ વિસ્તારના એક જાણીતા ડોક્ટર હતા. મુંબઈના બારામાં નાંગરતાં વહાણોના ખલાસીઓની સારવાર માટે તેઓ જાણીતા હતા. ૨૦૦થી ૩૦૦ જેટલાં નાનાં વહાણો તો હંમેશ મુંબઈના બારામાં નાંગરેલાં રહેતાં. તેના ખલાસીઓની સારવાર કરીને એ ડોક્ટર મહિને ઓછામાં ઓછા સો રૂપિયા તો કમાતા. (એ જમાનામાં આ મોટી રકમ કહેવાય.) તેના જવાબમાં મિસ્ટર કરકરિયાએ લખ્યું કે આ ડોક્ટર બાર્બર તો છેક ૧૮૬૬માં અહીં રહેવા આવેલા. જ્યારે ‘બાર્બર લેન’ નામ તો તેનાથી કંઈ નહિ તો સો એક વરસ જૂનું છે. મને આ નામ ‘ધ બોમ્બે ગેઝેટ’ નામના અખબારના ૧૮૩૯ના અંકોમાં જોવા મળ્યું છે. આ બધી ચર્ચાનું પરિણામ એ આવ્યું કે એ નામ બદલાયું નહિ, અને બાર્બર સ્ટ્રીટ નામ એ વખતે તો કાયમ રહ્યું.

તો ક્યારેક અંગ્રેજ અમલદારો ‘દેશી’ નામ સમજી ન શકે તેથી પણ છબરડા થતા. ગિરગામ રોડથી ગિરગામ બેકરોડ તરફ જતા એક રસ્તાનું લોકોમાં પ્રચલિત નામ હતું બન (વન) મહાલ લેન. એ જમાનામાં અહીં વસ્તી નહિ જેવી. આ લત્તામાં ઝાડી ઝાંખરા પુષ્કળ. નજીકના ખેત વાડી વિસ્તારમાં ખેતરો. એ વખતે આ લેનમાં માત્ર એક જ બંગલો હતો, જેનું નામ હતું વન મહાલ. એટલે લોકો એ ગલ્લીને વન (કે બન) મહાલ લેન તરીકે ઓળખતા. પણ અંગ્રેજો આ નામનો અર્થ સમજી શક્યા નહિ એટલે તેમણે નામ આપ્યું બેનહામ હોલ લેન.

આવો હશે એ વન મહાલ?

તો આ નામ અંગે બીજી એક વાત પણ પ્રચલિત છે. ૧૮૯૦થી ૧૮૯૫ સુધી મિસ્ટર એકવર્થ મુંબઈના મ્યુનિસિપલ કમિશનર હતા. તેમનું વતન ઇન્ગ્લન્ડનું મેલવર્ન નામનું ગામ. અને ત્યાં તેઓ રહેતા હતા બેનહામ નામના બંગલામાં. એ જ વખતે તેમને બન મહાલ લેન પરના રહેવાસીઓના કેટલાક પત્રો મળ્યા. તેમને આ નામ જરા વિચિત્ર લાગ્યું. એટલે તેમણે બોમ્બે મ્યુનિસિપાલિટીને લખ્યું કે આ રસ્તાનું નામ બદલીને બેનહામ હોલ લેન કરી નાખો. પણ આ વાત માનવાનું મુશ્કેલ પડે તેમ છે. કારણ એક તો એ વખતે ભલે લોકશાહી નહોતી, પણ ઠોકશાહી પણ નહોતી. કોઈ પણ રસ્તાનું નામ બદલતાં પહેલાં કોર્પોરેશનમાં ચર્ચા થતી. જુદાં જુદાં નામો સૂચવાતાં. અને એ પછી પણ ઘણી વાર – જેમ બાર્બર લેનની બાબતમાં બન્યું તેમ – નામ બદલાતું નહિ.

તો ક્યારેક આજે આપણને સાવ મામૂલી લાગે એવી ઇમારત પરથી પણ રસ્તાનું નામ પડતું. આજના મુંબઈના નકશામાં પણ ગ્રાન્ટ રોડથી પરેલ (પરળ) રોડ સુધીના રસ્તાનું નામ છે બાપ્ટીઝ રોડ. ૧૯મી સદીમાં પણ એ જ નામ હતું. આ વિસ્તારમાં પારસીઓની વસ્તી ઝાઝી. એટલે કોઈને પણ થાય કે બાપ્ટી નામની કોઈ પારસી બાનુના નામ પરથી આ નામ પડ્યું હશે. પણ હકીકતમાં આ રસ્તા પર છે બાપ્ટી નામની બેકરી. એટલે તેના નામ પરથી એ રસ્તાનું નામ પડ્યું. આ નામવાળો રસ્તો જ નહિ, આ બેકરી આજે પણ હયાત છે – બાપ્ટીઝ નામે. અને તે જાણીતી છે તેનાં જાત જાતનાં કેક માટે.

વડાળાથી થોડે દૂર એક નાનકડી ટેકરી આવેલી છે, એન્ટપ હિલ. એનું નામ પણ કોઈ અંગ્રેજના નામ પરથી નથી પડ્યું. એક જમાનામાં આ વિસ્તારની ઘણી જમીન અન્તોબા નામના જમીનદારની માલિકીની હતી. તો વળી કેટલાક કહે છે કે આ નામ જમીનદારના નામ પરથી પડ્યું છે એ સાચું. પણ એ નહોતો હિંદુ, કે નહોતું એનું નામ અન્તોબા. એ તો હતો પોર્ટુગાલી, અને એનું નામ હતું એન્ટન. પણ હકીકતમાં એ હતો હિંદુ, નામ હતું અન્તોબા, અને આ વિસ્તાર ઉપરાંત ગિરગામ અને વરલી વિસ્તારમાં પણ તેની પાસે ઘણી જમીન હતી.

૧૯મી સદીના નકશામાં એન્ટપ હિલ

તો ક્યારેક એવું ય બન્યું છે કે મૂળના ‘દેશી’ નામને આપણે કોઈ અંગ્રેજનું નામ માની લીધું હોય અને એટલે આઝાદી પછીનાં વરસોમાં આપણે એ નામ બદલી નાખ્યું હોય. હોર્નબી રોડથી બજાર ગેટ સ્ટ્રીટ જતા એક રસ્તાનું નામ ગનબો સ્ટ્રીટ. એટલે કેટલાકે આ નામને બ્રિટિશ લશ્કરની તોપ (ગન) સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો. તો કેટલાકે માની લીધું આ ગનબો તો કોઈ અંગ્રેજનું નામ હશે. એટલે બદલો નામ. નવું નામ પાડ્યું રુસ્તમ સિધવા માર્ગ. હા, ગનબો સ્ટ્રીટ નામ આપેલું અંગ્રેજોએ. પણ એ નામ આપેલું એ સ્ટ્રીટ પર રહેતા એક જાણીતા હિંદુ ગણબા શેઠનું નામ કાયમ રાખવા. આ ગણબા શેઠ તે પ્રખ્યાત જગન્નાથ શંકરશેઠના પૂર્વજ. મૂળ વતન કોંકણ. ત્યાંથી કુટુંબ આવ્યું ઠાણે, અને પછી મુંબઈ. કોટ વિસ્તારમાં ગણબા શેઠ પોતાના મકાનમાં રહેતા. એટલે એ ગલ્લીનું નામ અંગ્રેજ સત્તાવાળાઓએ રાખ્યું ગણબા સ્ટ્રીટ. પછી ધીમે ધીમે અંગ્રેજો તેનો ઉચ્ચાર ‘ગનબો’ જેવો કરવા લાગ્યા. એટલે આપણે આઝાદી પછી માની લીધું કે આ નામ તો અંગ્રેજ લશ્કરની તોપો અહીં રહેતી એટલે પડ્યું છે. એટલે બદલીને કર્યું રુસ્તમ સિધવા માર્ગ. આ રુસ્તમજીનો જન્મ ૧૮૮૨માં હાલના પાકિસ્તાનના કરાચી શહેરમાં. પાકા કાઁગ્રેસી. કરાચી પોસ્ટ ઓફિસના એક ક્લાર્ક તરીકે કારકિર્દી શરૂ કરી. પહેલેથી રાજકારણમાં રસ. આઝાદી પછી બંધારણ સભાના સભ્ય તરીકે કાઁગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા. બંધારણના ખરડા પરની ચર્ચામાં મહત્ત્વનો ભાગ લીધો. ૧૯૫૭ના ડિસેમ્બરની ૨૮મી તારીખે અવસાન.

આપણામાં કહેવત છે કે જૂનું એટલું સોનું. પણ રસ્તાનાં નામની બાબતમાં આ વાત આપણે સ્વીકારી નથી. રસ્તાનાં નામ બદલવાં એ રાજકારણીઓની મનગમતી રમત છે. આવી બીજી કેટલીક રમતની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 માર્ચ 2023

Loading

1930 और 2023 

कुमार प्रशांत|Opinion - Opinion|25 March 2023

कुमार प्रशांत

लड़ाई मैदान में थी– एकदम आमने–सामने की ! युद्ध के इस मैदान से महात्मा गांधी ने देश से और वाइसराय से दो अलग–अलग बातें कहीं थी : देश से कहा कि अब साबरमती आश्रम लौटूंगा तभी जब आजादी मेरे हाथ में होगी– कुत्ते की मौत भले मरूं लेकिन आजादी बिना आश्रम नहीं आऊंगा; दूसरी तरफ वाइसराय को खुली चुनौती दी कि आपको अपना नमक कानून रद्द करना ही पड़ेगा! आग दोनों तरफ लगी थी, और ऐसे में किसीअमरीकी अखबार वाले ने ( आज के ‘मीडिया वाले’ जरा ध्यान दें !) ने पूछा, “ इस लड़ाई में आप दुनिया से क्या कहना चाहते हैं ?” तुरंत कागज एक की पर्ची पर गांधी ने लिखा : “आई वांट वर्ल्ड सिंपैथी इन दिस बैटलऑफ राइट एगेंस्ट माइट : मैं सत्ता की अंधाधुंधी बनाम जनता के अधिकार की इस लड़ाई में विश्व की सहानुभूति चाहता हूं !” 

पत्रकार भारत का कोई ‘राहुल गांधी’ नहीं था, सीधा अमरीका का था; लड़ाई चुनावी नहीं थी, साम्राज्यवाद के अस्तित्व की थी; लेकिन दिल्ली में बैठे वाइसराय ने या लंदन में बैठे उनके किसी आका ने नहीं कहा कि गांधी भारत के आंतरिक मामले में विदेशी हस्तक्षेप को बुलावा दे रहे हैं. 

ऐसा एक बार नहीं, कई बार हुआ कि गांधी ने भारत की आजाद की लड़ाई में दुनिया ने विभिन्न नागरिकों को उनकी भूमिका निभाने का आमंत्रण दिया. उन्होंने सारे ब्रितानी नागरिकों को, सारे अमरीकियों को खुला पत्रलिखा कि वे भारत की स्वतंत्रता के संघर्ष को ठीक से समझें तथा अपनी सरकारों पर दवाब डालें कि वह इस लड़ाई में हमारा समर्थन करे, क्योंकि सत्य व अहिंसा के रास्ते लड़ी जा रही इस लड़ाई से विश्व का व्यापक हितजुड़ा है. कभी कहीं से ऐसी चूं भी नहीं उठी कि गांधी को माफी मांगनी चाहिए कि उन्होंने विदेशी ताकतों को हमारे आंतरिक मामले में हस्तक्षेप के लिए आमंत्रित किया.

ऐसा नहीं है कि भारतीय जनता पार्टी व उस की सरकार को यह इतिहास मालूम नहीं है लेकिन उसे यह भी तो मालूम है कि इस इतिहास को बनाने में उस का कोई हाथ नहीं है. इस लिए प्रधानमंत्री से नीचे तक का कोई भी इस इतिहास का जिक्र नहीं करता है. वे लगातार वही राग अलापते हैं जो बार–बार हमें बताता है कि जिन्हें वह राग ही नहीं मालूम है, उन्हें गान कैसे समझ में आएगा ! 

राहुल गांधी ने लंदन में जो कुछ कहा, उसमें उनके माफी मांगने जैसा कुछ है ही नहीं; बल्कि वे माफी मांगेंगे तो बड़े कमजोर व खोखले राजनेता साबित होंगे; क्योंकि भारत के लोकतंत्र के जिस वैश्विक आयाम की बात उन्होंने वहां उठाई, उसने मेरे जैसे लोकतंत्र के सिपाहियों को मुदित किया कि राहुल हमारे लोकतंत्र के इस आयाम को समझते भी हैं, तथा उसे इस तरह अभिव्यक्त भी कर सकते हैं. यह छुद्र दलीय राजनीति का मामला नहींहै इसलिए पार्टीबाज इसे न समझेंगे, न समझना चाहेंगे. यह मामला सीधा लोकतंत्र की अस्मिता का है. भारतीय लोकतंत्र का यही वह आयाम है जिसे बांग्लादेश संघर्ष के वक्त जयप्रकाश नारायण ने सारी दुनिया से कहाथा : लोकतंत्र किसी देश का आंतरिक मामला नहीं हो सकता है. उसका दमन सारे संसार की चिंता का विषय होना चाहिए. 1975 में, चंडीगढ़ की अपनी राजनीतिक नजरबंदी के दौरान जयप्रकाश ने इंदिरा गांधी को पत्रलिख कर यही समझाना चाहा था. इंदिराजी ने उसे तब नहीं समझा था, राहुल गांधी को जरूरत लगती है कि लोकतंत्र का दम भरने वाले दुनिया के देश उसे अब समझें. लंदन में उनकी बात का यही संदेश था.  

भारत ने जब से संसदीय लोकतंत्र अपनाया है, उसके बाद से कोई 75 साल बीत रहे हैं कि वह इस रास्ते से विचलित नहीं हुआ है. उसके साथ या उससे आगे–पीछे स्वतंत्र हुए अधिकांश देशों ने लोकतंत्र का रास्ता छोड़कर कोई दूसरा रास्ता पकड़ लिया है. विचलन हमारे यहां भी हुआ है, लेकिन गाड़ी लौट कर पटरी पर आती रही है. आज हमारे लोकतंत्र का अंतरराष्ट्रीय आयाम यह है कि यहां यदि यह कमजोर पड़ता है या इसका संसदीयस्वरूप बदल कर कुछ दूसरा रूप लेता है तो संसार भर में लोकतंत्र की दिशा में हो रही यात्रा ठिठक जाएगी या दूसरी पटरी पर चली जाएगी. संसदीय लोकतंत्र के हमारे प्रयोग के अब अंतरराष्ट्रीय आयाम उभरने लगे हैं. हमारायह प्रयोग लोकतंत्र की तरफ नये देशों को खींचने का कारण बन रहा है. सत्ता के अतिरेक व सत्ताधीशों की सत्ता लोलुपता के खिलाफ सभी तरह के जनांदोलनों के प्रतीक गांधी बन जाते हैं, यह अकारण नहीं है. हमने अपनेलोकतंत्र की स्थापना व उसके संचालन में जहां गांधी की बेहद उपेक्षा की है वहीं हम भी व दुनिया भी यह समझ पा रही है कि गांधी लोकतंत्र की पहचान हैं. 

हम देख रहे हैं कि दुनिया भर में दक्षिण पंथ की लहर–सी उठी हुई है. वाम पंथ या उस जैसा तेवर रखने वाली सत्ताएं, संसदीय लोकतंत्र को तोड़–मरोड़ कर सत्ता पर अपनी मजबूत पकड़ बनाने में लगी सरकारें बिखर जा रही हैं और सत्ता पर सांप्रदायिक, धुर जाहिल–पुराणपंथी तत्व काबिज हो रहे हैं. ऐसे में हमारा संसदीय लोकतंत्र किसी प्रकाश–स्तंभ की तरह है. वही आशा है कि यह लहर लौटेगी तो संसदीय लोकतंत्र के किनारों पर ठौर पाएगी. 

लंदन में राहुल ने इसे हमारे लोकतंत्र का अंतरराष्ट्रीय संदर्भ बताते हुए पश्चिमी लोकतांत्रिक शक्तियों को आगाह किया कि अपना संसदीय लोकतंत्र बचने का हम जो प्रयास कर रहे हैं, उसे आप सही संदर्भ में समझें और उस के हित में खड़े हों. आज सब बाजार के आगे सर कटा–झुका रहे हैं. सबसे तेज अर्थ–व्यवस्था या ५ खरब की अर्थ–व्यवस्था जैसी बातों में किसी प्रकार का राष्ट्रीय गौरव दिखाने वाले लोग यह छिपा जाते हैं कि ऐसा कुछ पाने के लिए संसदीय लोकतंत्र की मर्यादा व प्रकृति के विनाश की लक्ष्मण–रेखा पार करनी होगी. इसकी इजाजत हम किसी को कैसे दे सकते हैं कि वह लोकतंत्र के मृत चेहरे को इतना सजा दे कि वह जीवित होने का भ्रमपैदा करने लगे ? हम मानवीय चेहरे वाला वह लोकतंत्र बनाना चाहते हैं जो अपने हर घटक को जीने का समान अवसर व सम्मान दे कर ही स्वंय की सार्थकता मानता है. यहां गति दम तोड़ने वाली नहीं, समरसता बनाने वालीहोगी – प्रकृति व जीवन के बीच समरसता !  

राहुल ने जो कहा उस के दो ही जवाब हो सकते हैं : भारत सरकार लोकतांत्रिक मानदंडों को झुका कर, खुद को उनके बराबर बताने का क्षद्म बंद करे. वह अपना लोकतांत्रिक व्यवहार व प्रदर्शन इतना ऊंचा उठाए किउसका अपना लोकतांत्रिक चारित्र्य उधर कर सामने आए. राहुल को तीसरा कोई जवाब दिया नहीं जा सकता है. 

1930 और 2023 के बीच इतनी बड़ी खाई नहीं बनाएं हम.

(25.03.23)                 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે? ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|24 March 2023

સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 23 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીને IPC કલમ-499/ 500 હેઠળ બદનક્ષી સબબ 2 વર્ષની સાદી કેદની સજા કરી છે. આ ચુકાદો 168 પેજનો છે. ચુકાદામાં ફરિયાદ પક્ષ તથા આરોપી પક્ષની લાંબી લાંબી દલીલો ટાંકવામાં આવી છે. પેજ-54 ઉપર કોર્ટ મુદ્દો ઉપસ્થિત કરે છે : “શું ફરિયાદ પક્ષ એ હકીકત નિ:શંકપણે પુરવાર કરે છે કે, આ કામના આરોપીએ પોતાના 13 એપ્રિલ 2019ના પોતાની ચૂંટણી સભામાં ભારતના વર્તમાન પ્રધાન મંત્રી મોદીને ચોરનું ઉપનામ આપી તેમ જ તેની સરખામણી આર્થિક ગુનેગારો જેવા કે નિરવ મોદી, મેહુલ ચોક્સી, લલિત મોદી તથા વિજય માલ્યા સાથે કરી ઉપસ્થિત જનમેદનીને એવું જાહેરમાં પૂછ્યું હતું કે ‘બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે?’ તેવી ટિપ્પણી કરેલ હતી તથા ફરિયાદી તેમ જ સમસ્ત મોદી સમાજની વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદા સાથે તેમ જ હાનિ પહોંચશે તેવી જાણકારી અને એવું માનવાના કારણ સાથે ઉપર્યુક્ત ગુનો કરી ફરિયાદીને સામાજિક અને શારીરિક તેમ જ માનસિક નુકશાન પહોંચાડેલ છે અને ફરિયાદીની બદનક્ષી થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી IPC કલમ-499/ 500 મુજબનો સજાને પાત્ર ગુનો કરેલ છે?” આ મુદ્દાનો નિર્ણય અદાલતે હકારમાં આપેલ છે.

પેજ-166 પર કોર્ટે, આરોપી રાહુલ ગાંધીની રજૂઆત નોંધી છે : ‘મેં જે કાંઈ ભાષણ આપેલું તે પ્રજાના હિતમાં, મારી ફરજના ભાગરૂપે આપેલ. મારે કોઈ પણ પ્રજા સાથે કોઈ ભેદભાવ નથી. તેમ જ હું મારા દેશની તમામ પ્રજાને ખૂબ પ્રેમ કરું છું.’ આરોપીના વકીલ કહે છે : ‘આરોપીનો કોઈ પણ જ્ઞાતિનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો; તેમ જ ફરિયાદીને કોઈપણ પ્રકારની વ્યથા/નુકશાન થયેલ નથી.’

IPC કલમ-499માં 10 અપવાદ છે; તેમાં પ્રથમ 3 અપવાદ જોઈએ. પ્રથમ અપવાદ : કોઈ એવી બાબતની બદનક્ષી કરે જે કોઈ વ્યક્તિના સંબંધમાં સત્ય હોય તો તે માનહાનિ નથી. લોક કલ્યાણ માટે સત્ય કહી શકાય. બીજો અપવાદ : લોક સેવકના આચરણ અંગે સદ્દભાવનાપૂર્વકની આલોચના માનહાનિ નથી. ત્રીજો અપવાદ : કોઈ જાહેર પ્રશ્નના સંબંધમાં કોઈ વ્યક્તિના આચરણ બાબતે, તેના શીલ બાબતે, સદ્દભાવનાપૂર્વક કંઈ કહે તો માનહાનિ નથી. આ ત્રણ અપવાદ આ કેસમાં શા માટે લાગુ પડતા નથી; તેની ચર્ચા કોર્ટે પોતાના લાંબા ચુકાદામાં કરી નથી.

પેજ-165 પર કોર્ટ નોંધે છે : “માત્રને માત્ર મોદી સમાજ કે જ્ઞાતિના લોકોની બદનામી થયેલ હોવાના કારણથી હાલની ફરિયાદ કરવામાં આવેલ નથી પરંતુ ફરિયાદીને પોતાને થયેલ વ્યથાના કારણે પણ હાલની ફરિયાદ કરવામાં આવેલ છે. વધુમાં આરોપી દ્વારા ભાષણમાં  નરેન્દ્ર મોદીને ચોરનું ઉપનામ આપીને તેમ જ તેમની સરખામણી આર્થિક ગુનેગારો સાથે જેવા કે નિરવ મોદી / લલિત મોદી / મેહુલ ચોક્સી / વિજય માલ્યા સાથે કરી ત્યાં તેઓનું ભાષણ રોકી શક્યા હોત. તેમ જ આ લોકો પૂરતી જ ભાષણમાં ચર્ચા કરી શક્યા હોત. પરંતુ આરોપીએ ઈરાદાપૂર્વક સમગ્ર ‘મોદી’ અટકધારી કે ‘મોદી’ નામથી ઓળખાતી વ્યક્તિઓનું ઈરાદાપૂર્વક અપમાન કરવા માટે ‘બધા ચોરના ઉપનામ મોદી કેમ હોય છે?’ તેવું ભાષણમાં જણાવેલ.” પેજ-167 પર કોર્ટ લખ્યું છે : “આરોપી સંસદસભ્ય છે. સંસદસભ્ય તરીકે તેમની પ્રજાને સંબોધન કરવાની બાબત ખૂબ ગંભીર છે, કારણ કે જ્યારે સંસદસભ્યની હેસિયતથી કોઈ વ્યક્તિ પ્રજાને સંબોધન કરતો હોય ત્યારે તેની ખૂબ વ્યાપક અસર પ્રજા પર પડતી હોય છે. અને તેના કારણે સદર ગુનાની ગંભીરતા વધુ છે. તેમ જ જો આરોપીને ઓછી સજા કરવામાં આવે તો પ્રજામાં પણ તેનાથી ખોટો મેસેજ જાય તેમ છે. અને બદનક્ષીના જે હેતુ છે તે હેતુ સર થશે નહીં. અને કોઈ વ્યક્તિ સહેલાઈથી કોઈ પણ વ્યક્તિની બદનક્ષી કરશે.”

સૌથી મોટો સવાલ એ છે કે ‘બધા ચોરના ઉપનામ મોદી કેમ હોય છે?’ એ શબ્દોમાં ફરિયાદી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાને ચોર શા માટે સમજી લીધેલ હશે? કોર્ટ પણ આવા તર્ક સાથે કઈ રીતે સહમત થઈ હશે? સાચો ચુકાદો તો કવિ કરસનદાસ માણેકે આપ્યો હતો : 

‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે? 

ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે ! 

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના, 

લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !’

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0611,0621,0631,064...1,0701,0801,090...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved