Opinion Magazine
Number of visits: 9667106
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવ્યાં છે

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|5 August 2023

જન્મતારીખ : ૦૧–૦૨–૧૯૪૬; વતન : સોજિત્રા

અભ્યાસ : એન્થ્રોપોલોજી, દિલ્હી યુનિવર્સિટી

પત્ની : ડૉ. ભારતીબહેન પટેલ; પુત્ર : આનંદવર્ધન યાજ્ઞિક; પૌત્રી : અક્ષરા

શોખ : ગુજરાતના લોકજીવનનાં વિવિધ પાસાંનો અભ્યાસ, જૂનાં પુસ્તકો એકઠાં કરવાં.

પ્રિય લેખકો : પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી. એ સિવાય અભ્યાસની દૃષ્ટિએ બીજા અનેક લેખકો વાંચ્યા–ગમ્યા હોય. મધ્યકાલીન સાહિત્ય વધારે વાંચ્યું છે.

પ્રિય સાહિત્ય : આત્મકથાઓ (ઇન્દુલાલ યાજ્ઞિક અને સુમંત મહેતાની આત્મકથા વિશેષ પ્રિય)

ઉર્વીશ કોઠારી

બેસ્ટસેલર પુસ્તક ‘શેપિંગ ઓફ મોડર્ન ગુજરાત’ના સહલેખક તરીકેની સૌથી તાજી ઓળખ ધરાવતા અચ્યુત યાજ્ઞિક છેલ્લા ત્રણેક દાયકાથી ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમના કૌટુંબિક સંસ્કાર કર્મકાંડી બ્રાહ્મણના. તેની પર રામમનોહર લોહિયાના સમાજવાદનો રંગ ચડ્યો. એટલે ‘ગુજરાત સમાચાર’માં દસ વર્ષની નોકરી દરમિયાન યુનિયન પ્રવૃત્તિ અને કામદાર સંઘની પ્રવૃત્તિઓ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા. ગુજરાતી પત્રકારત્વમાં એક દાયકો વિતાવ્યા પછી અચ્યુતભાઈ મુક્ત થયા. ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’(સુરત)ના સંશોધનપત્ર ‘અર્થાત્’ના સ્થાપક-સંપાદક બન્યા. પાંચેક વર્ષ સુધી ‘ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ વીકલી’ જેવા પ્રતિષ્ઠિત સામયિક માટે ગુજરાતમાં રહીને કામ કર્યું. ‘લોકાયન’ પ્રોજેક્ટથી તે સમાજકાર્ય સાથે સંકળાયા અને ‘સેતુ – સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શન’ની સ્થાપના કરીને સમાજકાર્યમાં ઝંપલાવ્યું. તેમના શબ્દોમાં કહીએ તો, “સાહસ કરી શકું એવી સ્થિતિમાં હતો, એટલે સાહસ કર્યું.” બૌદ્ધિક પ્રતિભા અને સંશોધક તરીકેનું ઊંડાણ તેમના પુસ્તકમાં જ નહિ, તેમની સાથેની વાતચીતમાં પણ સતત (તેમના મુક્ત હાસ્યની જેમ) પ્રગટતું રહે છે. તેમની સાથેની વિશેષ મુલાકાતના અંશો અત્રે પ્રસ્તુત છે :

સાહિત્યનો સમાજ સાથેનો નાતો તૂટી ગયો છે, એવી ફરિયાદ ભૂકંપ અને ૨૦૦૨નાં રમખાણો પછી તીવ્ર બની છે. આવું થવાનું શું કારણ?

સાહિત્ય હોય કે સામાજિક પ્રવૃત્તિ, તેમાં પડેલા માણસે ડી-લર્નિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. કૌટુંબિક વારસાને લીધે જે ભાષા અને સમજ પ્રાપ્ત થઈ હોય તેનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવો જોઈએ કારણ કે બહુજન સમાજ સાથે સંકળાવાનું છે. એ પ્રક્રિયા ન થાય, તો બહુજન સમાજ સાથે સીધું સંધાન થઈ શકતું નથી. સાહિત્યમાં લેખકોએ પોતાના પરિવેશની બહાર જવાનો પ્રયાસ ન કર્યો. ગાંધીયુગમાં શહેરના ભણેલાગણેલા લોકોને પોતાના પરિવેશની બહાર ખેડા કે બારડોલીના ખેડૂતો સાથે વાત કરવાનો સંબંધ ઊભો થયો, પણ આઝાદી પછી એ પ્રક્રિયા અટકી ગઈ. આઝાદી પછીના સાહિત્યને હું ‘માસ્તરિયું સાહિત્ય’ કહું છું. તે ચારસો-પાંચસો અધ્યાપકો-પ્રાધ્યાપકોનું સાહિત્ય થઈ ગયું છે. એ લોકો જ વાંચે અને એ જ સમજે. લોકમાનસ સાથેના તંતુવિચ્છેદની વાત પણ રસિકલાલ પરીખે સાહિત્ય પરિષદના અધ્યક્ષપદેથી ૧૯૬૪-૬૫માં કરી હતી. બીજું કારણ એ કે સાહિત્યનો ઇતિહાસ સાથેનો સંબંધ તૂટી ગયો. તેના સંયુક્ત પરિણામ તરીકે ઘોર વ્યક્તિવાદ ઊભો થયો, જેને ‘રે મઠ’ની પ્રવૃત્તિ કહેવામાં આવે છે, તેમાં પણ ઘોર વ્યક્તિવાદ હતો. વર્તમાન અને ભૂતકાળ સાથેનો સંબંધ તૂટી જતાં સાહિત્યકારો સ્વકેન્દ્રી બની જાય છે અને રોગિષ્ટ મનોદશા ઊભી થાય છે. અત્યારનું આપણું સાહિત્ય રૂગ્ણ મનોદશાનું પરિણામ છે.

કનૈયાલાલ મુનશીએ જે લખ્યું તેને ઇતિહાસ કહેશો?

મુનશીએ ગુજરાતની અસ્મિતાના તેમના ખ્યાલને પોષે એવું ઇતિહાસમાં જે હતું એ લીધું. ચૌલુક્ય સમયને તેમણે ઊંચી પાયરી પર મૂકી આપ્યો. નવલકથા હોય તેમાં છૂટછાટ તો લઈ શકાય, પણ મુનશી-ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓના પરિણામે ગુજરાતનું એક દર્શન એવું ઊભું થયું, જે હિંદુ ભૂતકાળની વાત કરતું હતું. મુસ્લિમ શાસન શરૂ થયું તેના પહેલાંના સમયની ચર્ચા કરતું હતું. દાખલા તરીકે, આજે અમદાવાદને કોઈ સંબંધ હોય તો એ જૂના અમદાવાદની સ્થાપના સાથે છે. તેને ઐતિહાસિક રીતે સોલંકીસમય સાથે કોઈ સંબંધ નથી. પણ (નવલકથાઓ પછી) પ્રવૃત્તિ એવી થઈ કે અમદાવાદને સોલંકીસમય કે ચૌલુક્ય સમય સાથે જોડી દેવામાં આવે છે. બીજી રીતે એવું પણ કહેવાય કે આ પ્રકારની નવલકથાઓને કારણે ગુજરાતમાં પ્રતિવાદ ન હતો એ પ્રગટ્યો.

નર્મદે ‘જય જય ગરવી ગુજરાત’ ગાયું હતું …

અચ્યુત યાજ્ઞિક

નર્મદે કરેલી ગુજરાતી અસ્મિતાની વાત ભાષાકીય અને ‘શું શાં પૈસા ચાર’ના સંદર્ભમાં હતી. નર્મદથી પહેલાં પ્રેમાનંદે ‘ગરવો દેશ ગુજરાત’ લખ્યું છે, પણ કયું ગુજરાત એ પ્રેમાનંદે કહ્યું નથી. મુનશી-ધૂમકેતુની નવલકથાઓમાં જે ગુજરાત આવે છે, એ મુસ્લિમોના આગમન પૂર્વેનું છે એટલે કે ગુજરાતની બહુવિધતાનો એમાં સ્વીકાર નથી. ‘કરણઘેલો’માં નંદશંકર મહેતાએ પણ એવું કર્યું છે. એ વખતે સવાલ થાય છે કે તમે કયા ગુજરાતની વાત કરો છો? એ ગુજરાતની જેમાં સુરત, અમદાવાદ, જામનગર અને ભુજ પણ નહોતું? એ પ્રકારના સાહિત્યમાં, ગુજરાતની સંસ્કૃતિમાં રહેલા સમન્વયની વાત આગળ ન વધી. સાહિત્યમાં ઇતિહાસ આવ્યો, પણ વિશિષ્ટ રીતે આવ્યો. તેમાં ઇતિહાસબોધ ન આવ્યો.

પુસ્તકમાં વર્તમાન પરિસ્થિતિ માટે તમે બૌદ્ધિક ગરીબીને જવાબદાર ગણાવી છે. એના માટે જવાબદાર કોણ?

એક તો આપણી વણિકવૃત્તિ. અત્યારે અમદાવાદની એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટમાં પોણો લાખ હસ્તપ્રત છે. કોબામાં એક લાખ હસ્તપ્રત છે. ગુજરાતમાં હસ્તપ્રતોનો મોટો ભંડાર છે. જૈન મુનિઓ જિનવિજયજી અને પુણ્યવિજયજીએ પ્રયત્નો કરીને આ ભંડાર એકઠો કર્યો. તેનાથી એ ખજાનો સચવાયો અને અત્યારે સુરક્ષિત છે. એની વારસા તરીકે વાત કરવાની – ગૌરવ લેવાનું પણ તેને આગળ લઈ જવાનું શું? ‘હસ્તપ્રતો વાંચનારા કેટલા?’ એવું પૂછીએ, તો એનો જવાબ મળતો નથી કારણ કે તેના માટે જૂની ગુજરાતી, પ્રાકૃત અને અપભ્રંશનો અભ્યાસ કરવો પડે અને તેમાં મુદ્દાનો સવાલ આવીને ઊભો રહે: ‘એમાંથી મળે શું?’

અત્યારના સમાજમાં સંપ્રદાયોનું વર્ચસ્વ ઘણું છે. સમાજ પર અસર વિશે બહુ સાંભળવા મળતું નથી.

હિંદુત્વની વાત થાય છે, ત્યારે સંઘ પરિવાર અને તેના જુદા જુદા સભ્યોની જ ચર્ચા થાય છે. તેને કારણે હિંદુત્વને ગુજરાતમાં આગળ લઈ જવામાં સંપ્રદાયોના પ્રદાનની વાત થતી નથી. આ સંદર્ભમાં ત્રણ મુદ્દા અગત્યના છે : (૧) પહેલાં ભક્તિ આંદોલનમાં સમન્વયની વાત હતી. નવા સંપ્રદાયોથી એ તત્ત્વ કોરાણે મુકાઈ ગયું. (૨) સાયન્સ-ટેક્નોલૉજીમાં નકારાત્મક પરિણામોની ચર્ચા નહિ કરવાની. ઉપરથી, તેમને સિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અણુબોમ્બથી વધારે અધાર્મિક બીજું શું હોઈ શકે? પણ એ અધાર્મિક છે એવું કહેવાતું જ નથી, એટલે સંપ્રદાયોના લોકો એવા મહાન ભારતની કલ્પના કરે છે, જે ખરેખર પશ્ચિમની નાની આવૃત્તિ છે. (૩) ઉપભોક્તાવાદની પણ ચર્ચા નહિ કરવાની. તેના કારણે, મધ્યમવર્ગને બહુ મજા પડી ગઈ.

આ ત્રણેય રીતે એક એવો નવો હિંદુવાદ અને હિંદુધર્મ ઊભો કર્યો, જે તેની પ્રશિષ્ટ પરંપરાથી દૂર થઈ ગયો.

એટલે કે અત્યારના હિંદુત્વનો હિંદુ ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો.

કુટુંબની દૃષ્ટિએ અમારા કુળદેવતા રામ છે. મેં કોઈ દિવસ રામચંદ્રજીના હાથમાં ધનુષ્ય અને બાણ હોય એવી મૂર્તિ જોઈ નથી. આખા ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે, નવા રામ ઊભા કરવામાં આવ્યા. તેમના હાથમાં ધનુષ્યબાણ મૂકી દેવામાં આવ્યું. વિશ્વ હિંદુ પરિષદ લંકાદહનની વાત કરીને કહે છે કે આતતાયીઓ – રાક્ષસોનું દહન કરવું જોઈએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેવું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહિ કરવાની. અત્યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્યમ વર્ગની જીવનપદ્ધતિ સાથે મેળ બેસી જાય છે. તેમના મનમાં કોઈ શંકા થતી નથી. જે ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ-મહાભારત જેવા મહાગ્રંથોમાંથી ચૂંટેલી વસ્તુ મૂકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે. એ ભ્રમ તોડવાનો પ્રયત્ન કરનાર માટે વાદવિવાદનો કોઈ અવકાશ રહેતો નથી. મારામારી જ થાય છે. સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્તો કાઢનારી પ્રજા તરીકેની છબિ સાથે તેને ક્યાં ય મેળ ખાતો નથી.

બીજી અગત્યની વાત એ છે કે અત્યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગલા કરવામાં આવે છે, એવા ભાગલા પહેલાં હતા જ નહિ. વસતી ગણતરી કે મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્ય અસરોએ આવા ભાગલામાં મોટો ભાગ ભજવ્યો. એ સંસ્થાનવાદની નીપજ છે. એ રીતે, અત્યારનો હિંદુવાદ પણ સંસ્થાનવાદની નીપજ છે. એ આપણી ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસૂફીનું તત્ત્વ પકડીને પુનઃજીવિત કરાયેલો નથી.

હિંસાના જનીન ગુજરાતીઓમાં ક્યાંથી આવ્યા?

પુસ્તકમાં આંકડા અને નક્શા સાથે અમે તારવ્યું છે કે જે વિસ્તારોમાં ભ્રૂણહત્યાનું પ્રમાણ ઊંચું છે, કૌટુંબિક હિંસા જ્યાં વધુ છે ત્યાં ૨૦૦૨માં કોમી હિંસાને છૂટો દોર મળ્યો, દા.ત. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, નડિયાદ … હિંસા એક સ્વરૂપે વ્યક્ત થતી નથી. એ વખતે મને કોઈએ પૂછ્યું, ‘ગુજરાતીઓ આટલા બધા હિંસક થઈ ગયા છે?’ મેં કહ્યું, ‘જે પોતાની પુત્રીને મારી શકે એ કોઈને પણ મારી શકે.’

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતાં, બાકીના ગુજરાતમાં મોટા પાયે હિંસાચાર થયો નથી. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે આ વાત ભૂલી જવાય છે અને છાપ એવી ચાલ્યા કરે છે કે સમગ્ર ગુજરાતમાં હિંસાચાર થયો.

કોમી હિંસા પછી ‘ગુજરાતને બદનામ કરવાની સાજિશ’ જેવો શબ્દપ્રયોગ સાંભળવા મળે છે …

પોતાની અંદર ઝાંકીને જોવું ન હોય, તો એ બહુ સહેલો રસ્તો છે. ગુજરાતીઓ પોતાનું આત્મવિશ્લેષણ કરવા માટે તૈયાર નથી. તેમાં માધ્યમો પણ આવી જાય છે. જાહેર જીવન સાથે સંકળાયેલા તમામ પરિબળો એક યા બીજી રીત રાજકારણીઓએ ઊભી કરેલી ભ્રમણાને પોષે છે. ૨૦૦૨માં જે કંઈ બન્યું, એ ગુજરાતમાં જ બન્યું છે. આઝાદી પછીનું સૌથી મોટું કોમી રમખાણ ૧૯૬૯માં ગુજરાતમાં જ થયું. બિનસત્તાવાર આંકડા પ્રમાણે અઢી-ત્રણ હજાર માણસો તેમાં મરી ગયા હતા. તેની તપાસ માટે નિમાયેલા રેડ્ડી તપાસપંચના અહેવાલનું શું થયું? તેની પર ચર્ચા કે અમલ કેમ ન થયો? આપણી પાસે વિશ્લેષણાત્મક અભિગમ નથી એટલે સ્લોગન-શાઉટીંગ અને પેમ્ફ્લેટીઅરિંગની (સૂત્રોચ્ચાર-પત્રિકાયુદ્ધની) બહાર નીકળી શકતા નથી. એનો પડઘો અખબારમાં પડે છે. માધ્યમોમાં આવે ક્યાંથી? કૂવામાં હોય તો હવાડામાં આવે ને? કૂવો તો સમાજ છે.

ભૂમિકાની નિષ્ફળતા બાબતે ગુજરાતી અને અંગ્રેજી મીડિયા વચ્ચે તમે તફાવત પાડો છો?

ગુજરાતી માધ્યમો એ જ મધ્યમ વર્ગ થકી ચાલે છે, જે મધ્યમ વર્ગ આ પરિસ્થિતિ માટે કારણભૂત છે. મધ્યમ વર્ગની આશા-આકાંક્ષાઓ ગુજરાતના ભદ્ર વર્ગની આશા-આકાંક્ષાઓ જેવી જ છે. નીતિની વાત નહિ કરવાની! એટલે શેરબજારમાં જે કંઈ થાય એમાં તેમને કશું ખોટું લાગતું નથી. શેરબજારમાં સટ્ટો કરનારા પણ ગુજરાતીઓ છે. તેની ચર્ચા કોઈ કરતું નથી. ફરી ઇતિહાસબોધની વાત પર આવી જઈએ છીએ. અંગ્રેજી માધ્યમો અતિસરળીકરણનો ભોગ બને છે. સમગ્ર ગુજરાતમાં હિંસાચારની છાપ ઊભી થઈ, તેનું કારણ એ કે અંગ્રેજી માધ્યમોને ગુજરાતની સામાજિક પરિસ્થિતિ વિશે ખબર નથી. ગુજરાતમાં કોઈ મોટી ઘટના બને ત્યારે આવતા અંગ્રેજી અખબારોના પ્રતિનિધિઓ અતિસરળીકરણનો ભોગ બને છે. તેમણે પ્રચલિત કરેલી છાપ રાષ્ટ્રીય કક્ષાએ આગળ ચાલે છે. પણ પત્રકાર તરીકે આખી વસ્તુનો વિચાર કરો : બીજા રાજ્યમાં જઈએ ત્યારે આપણી પણ અતિસરળીકરણ જ કરીએ. પત્રકારત્વની કેટલીક સીમાઓ ત્યાં આપોઆપ આવી જાય છે. તેમાં ઇરાદાનો પ્રશ્ન નથી આવતો. ‘બદનામ કરવાની સાજિશ’ જેવી વાત તો નેતાઓ પોતાના બચાવ માટે ઉપજાવી કાઢે છે.

ગુજરાતને અન્યાયવાળી વાતમાં કેટલું તથ્ય છે?

ગુજરાત-મહારાષ્ટ્ર સંયુક્ત હતાં અને મુંબઈ જ્યારે રાજધાની હતી ત્યારે એવું લાગતું હતું ખરું, પણ કયા ગુજરાતને અન્યાય થાય છે? ગુજરાતના ભદ્ર સમાજને જ્યારે લાગે છે કે ‘અમને અન્યાય થાય છે’ ત્યારે એ ‘સમગ્ર ગુજરાતને અન્યાય થાય છે’ એવું વાતાવરણ ઊભું કરે છે. દા.ત. નર્મદા બંધની વાત કરીએ. તેમાં સમગ્ર ગુજરાતની વાત કરતાં એ ભૂલી જવાય છે કે દરેક સાતમો ગુજરાતી આદિવાસી છે અને દરેક દસમો ગુજરાતી મુસલમાન છે. આદિવાસીઓના દૃષ્ટિકોણથી આખો મુદ્દો જોઈએ તો, ધરોઈનો બંધ બાંધ્યો, એ આદિવાસી વિસ્તારમાં. તાપી-દમણગંગામાં પણ આદિવાસી વિસ્તારોમાં વિસ્થાપન થયું. દરેક સાતમો ગુજરાતી જે છે, તેના દૃષ્ટિકોણથી પણ ગુજરાતની ચર્ચા ન થવી જોઈએ? એ ચર્ચા નથી રાજ્યકર્તાઓ કરતા કે નથી મધ્યમ વર્ગ કે નથી વિશ્વવિદ્યાલયોમાં આવી ચર્ચા થતી કે એક જ સમાજ પાસેથી બલિદાનની અપેક્ષા શા માટે રાખવામાં આવે છે! આમ, ગુજરાતનો ભદ્ર વર્ગ પોતાના હિતને સમગ્ર ગુજરાતના હિત તરીકે ખપાવીને એ મુદ્દો આગળ કરે છે અને આખી વાત એવી રીતે મૂકવામાં આવે છે, જાણે પેલા લોકો ગુજરાતી જ નથી.

ગુજરાતની વર્તમાન હાલતમાં કાઁગ્રેસની ભૂમિકા કેવી રીતે જુઓ છો?

માધવસિંહ સોલંકી મુખ્ય મંત્રી હતા ત્યારે મેં લખ્યું હતું, ‘કાઁગ્રેસે અન્ય પછાતોને ‘ઇલેક્શનાઇઝ’ કર્યા, પણ પોલિટિસાઇઝ’ કર્યા નહિ.’ (ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્યા, પણ રાજકીય પ્રવાહમાં આણ્યા નહિ.) તેને કારણે અન્ય પછાતમાંથી જે નેતાગીરી ઊભી થવી જોઈએ, એ ન થઈ એટલે સવર્ણ મધ્યમ વર્ગ સામે કોઈ પડકાર ન રહ્યો. એ સવર્ણ મધ્યમ વર્ગે પોતાના હિતોની રખવાળી માટે હિંદુત્વનો ઉપયોગ કર્યો. દરમિયાન દલિત અને આદિવાસી સમાજમાંથી પણ એક મધ્યમ વર્ગ ઊભો થયો. તેમણે પોતાની ઓળખ અને અસ્મિતાવાળી ભૂમિકા ન લીધી, પણ ‘સમન્વય’ની ભૂમિકા લીધી. ‘સમન્વય’ એટલે હિંદુત્વ સાથે જોડાઈ જવું! ૧૯૮૧-૧૯૮૫માં સવર્ણ-દલિત સામસામે અને મુસ્લિમો શાંત હતા. એ ત્રિકોણિયા પરિસ્થિતિનું ૧૯૯૦ આવતાં આવતાં ધ્રુવીકરણ થયું અને હિંદુ-મુસ્લિમો સામસામે થઈ ગયા. પછાતો તરફથી સવર્ણોને પડકાર ઊભો થયો જ નહિ અને પડકાર ઊભો થાય તે પહેલાં સવર્ણોએ હિંદુત્વને નામે પછાતોનો ઉપયોગ કરી લીધો. આ ઘટનાક્રમ માટે કાઁગ્રેસ પૂરેપૂરી જવાબદાર હતી. ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ અને સાંપ્રદાયિકતા ઊભાં થયાં તેમાં કાઁગ્રેસનો પણ ફાળો છે. અત્યારે વિશ્લેષણ થતું નથી એટલે હંમેશાં સંઘ પરિવારનું નામ લેવાય છે. કાઁગ્રેસ જો એનો ધર્મ ના ચૂકી હોત, તો ગુજરાતની આ પરિસ્થિતિ ન હોત. આજે ગુજરાતમાં ફેશન પડી ગઈ છે કે બધામાં સંઘ પરિવારનું જ નામ લેવાનું. એમાં સંઘ પરિવારને મજા પડી ગઈ છે. બધી ક્રેડિટ એમને મળી જતી હોય, તો શું ખોટું?

સ્વૈચ્છિક સંસ્થાઓ (એન.જી.ઓ.) સામે ગંભીર ફરિયાદો થાય છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે તમે શું માનો છો?

૧૯૮૦-૮૫ના ગાળામાં ત્રણ પ્રકારના લોકો ભેગા થઈને દેશના કે સમાજના પ્રશ્નોની ચર્ચા કરતા હતા : (૧) સામાજિક આંદોલનો કે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો, (૨) માધ્યમોના લોકો અને (૩) વિદ્યાસંસ્થાઓ-સંશોધન સંસ્થાઓના લોકો. એવા તબક્કે જે સંસ્થાઓ ઊભી થઈ, તેના લોકોના રાજકીય સંસ્કારો અગાઉ થઈ ચૂક્યા હતા. વિશ્લેષણ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ તેમનામાં હતી. ૧૯૮૫થી ૧૯૯૦ સુધીમાં એન.જી.ઓ.માં પ્રોફેશનલિઝમ આવવા લાગ્યું. ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં કે બીજી કોલેજમાં ભણીને બહાર પડેલા લોકો આવતા થયા. તેમની પાસે અગાઉના લોકો જેવું વ્યાપક રાજકીય શિક્ષણ નહોતું. વ્યાપક સમાજ કે સંસ્કૃતિની દૃષ્ટિએ નહિ, પણ સમાજકાર્યની દૃષ્ટિએ જ એ વિચાર કરતા હતા. કોઈ તબીબ આવે, તો એ ખાલી હેલ્થનો જ વિચાર કરે. તેના પરિણામે સામાજિક સંસ્થાનો દાયરો નાનો થતો ગયો. જેમ માધ્યમોમાં અતિસરળીકરણની વાત કરી, એવું જ અતિસરળીકરણ અહીં થયું. વ્યક્તિગત માન્યતા પ્રમાણે કહું તો ભરયુવાનીમાં આ બધી પ્રવૃત્તિઓ ‘ધર્મ’ લાગે છે. પછી ‘એ બધાનો ધર્મ નથી’ એવું લાગતાં એને ‘સ્વધર્મ’ માનતા થઈએ છીએ. પછી પણ જાતજાતના અનુભવો થાય અને તેની મર્યાદાઓ નજીકથી જોવા મળે, ત્યારે થાય છે કે હવે આ ‘આપદ્દધર્મ’ છે. પચીસ વર્ષથી હું સમાજકારણમાં છું અને ધર્મથી શરૂ કરીને આપદ્દધર્મ સુધી આવી ગયો છું. હવે તેમાં એટલું જ જોવાનું હોય છે કે મોટી કટોકટી ઊભી થઈ છે. તેમાં આપણાથી જે થઈ શકે એ કરવાનું.

પ્રગટ :’સંવાદ’, ‘મહેફિલ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; રવિવાર, 30 ઍપ્રિલ 2006; પૃ. 03
મુદ્રાંકન સૌજન્ય : સુજાત પ્રજાપતિ

Loading

बहुसंख्यकवादी राजनैतिक एजेंडा और भारतीय मुसलमान

राम पुनियानी|Opinion - Opinion|4 August 2023

राम पुनियानी

भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा ने पार्टी की जो नयी राष्ट्रीय कार्यकारणी घोषित की है, उसमें एक जानेमाने पसमांदा मुसलमान, अलीगढ़ मुस्लिम विश्वविद्यालय (एएमयू) के पूर्व कुलपति तारिक मंसूर को तेरह उपाध्यक्षों में से एक नियुक्त किया गया है. भाजपा की केरल इकाई के एक नेता पी. अब्दुलकुट्टी, जो पिछली कार्यकारिणी के सदस्य थे, को भी पुनार्निर्युक्ति दी गयी है. इस समय भाजपा का फोकस राष्ट्रीय स्तर पर पसमांदा मुसलमानों को महत्व देने पर है. पसमांदा सबसे पिछड़े मुसलमान है, जिनमें से अधिकांश दलित या ओबीसी हैं. वे समाज और मुस्लिम समुदाय में सामाजिक-आर्थिक दृष्टि से सबसे निचले पायदान पर हैं.

भाजपा अलग-अलग दौर में मुसलमानों के विशिष्ट तबकों में अपनी पैठ बनाने का प्रयास करती रही है. इस समय, पार्टी का एक भी सांसद मुसलमान नहीं है परन्तु पूर्व में उसने मुसलमानों को राज्यपाल (सिकंदर बख्त) और केंद्रीय मंत्री (शाहनवाज हुसैन और मुख़्तार अब्बास नकवी) नियुक्त किया है. मोदी हाल में एक बोहरा मस्जिद में पहुंचे जहाँ उन्होंने घोषणा की कि बोहरा उनकी परिवार का हिस्सा हैं. वे समय-समय पर अजमेर में ख्वाजा मोईनुद्दीन चिश्ती की दरगाह पर चादर भी चढ़ाते रहे हैं.

पिछले कुछ समय से भाजपा पसमांदा मुसलमानों को लुभाने में लगी हुई है. इस साल, उत्तर प्रदेश में स्थानीय संस्थाओं के चुनाव में उसने कुछ पसमांदा मुसलमानों को अपना प्रत्याशी बनाया था और उनमें से कुछ चुनाव जीते भी हैं. सन 2022 की जुलाई में भाजपा की एक अहम बैठक हैदराबाद में हुई थी. उसमें मोदी ने भाजपा कार्यकर्ताओं से कहा था कि वे पसमांदा मुसलमानों में अपनी पैठ बनाएं. उन्होंने यह भी कहा था कि मुस्लिम समुदाय एकसार नहीं है और पसमांदा, मुसलमानों का पिछड़ा तबका है. तभी से पसमांदा मुसलमानों को पार्टी की छतरी तले लाने के प्रयास चल रहे हैं.

भाजपा इस समुदाय को लुभाने के लिए यह कह रही है कि मोदी की नीतियां किसी धर्म के लोगों के साथ भेदभाव नहीं करतीं और पसमांदा मुसलमान भी मोदी सरकार की ‘विकास योजनाओं’ के उतने ही ‘लाभार्थी’ हैं जितने अन्य समुदाय. इस बीच कई जानेमाने मुसलमानों, जिनमें पूर्व उप-राज्यपाल नजीब जंग, पूर्व मुख्य चुनाव आयुक्त एस.वाई. कुरैशी, जनरल ज़मीरुद्दीन शाह, शाहिद सिद्दीकी और सईद शेरवानी शामिल थे, ने आरएसएस मुखिया मोहन भागवत को एक चिट्ठी लिखकर उनसे ‘मेलमिलाप संवाद’ के लिए समय माँगा. एक महीने के इंतजार के बाद उन्हें संघ प्रमुख के दरबार में आने की इज़ाज़त मिली.

इन प्रमुख मुसलमानों ने भागवत से ‘मुस्लिम समुदाय के प्रति बढ़ती नफरत’ और उनके साथ ‘बुलडोज़र न्याय’ पर बात की. यह भी कहा कि मुसलमानों को जिहादी और पाकिस्तानी कहा जाता है. भागवत का जवाब था कि हिन्दू भी गौहत्या और उन्हें काफिर कहे जाने से आहत महसूस करते हैं. इस ‘संवाद’ के बाद, आरएसएस के प्रमुख नेताओं, जिनमें मुस्लिम राष्ट्रीय मंच के मुखिया इन्द्रेश कुमार, कृष्ण गोपाल और राम लाल शामिल थे, ने 22 सितम्बर 2022 को आल इंडिया इमाम आर्गेनाइजेशन के मुख्य इमाम उमर अहमद इल्यासी से मुलाकात की. इल्यासी ने उम्मीद जाहिर की कि इस बातचीत से सांप्रदायिक सौहार्द में वृद्धि होगी.

इन संवादों का भारतीय राजनीति पर क्या असर पड़ा है? यह महत्वपूर्ण है क्योंकि भारतीय राजनीति की दशा और दिशा मुस्लिम अल्पसंख्यकों को प्रभावित करती है. संघ परिवार के कई लेखक जिनमें राम माधव और पूर्व भाजपा नेता सुधीन्द्र कुलकर्णी शामिल है, ने सितम्बर 2018 में दिल्ली के विज्ञान भवन में भागवत के तीन व्याख्यानों के बाद तर्क दिया था कि आरएसएस बदल रहा है. भागवत ने कहा था कि हिन्दुओं और मुसलमानों का डीएनए एक ही है, मुसलमानों के बिना हिंदुत्व अधूरा है आदि, आदि.

सच क्या है? सच यह है कि किसी भी राजनैतिक संगठन, भले ही वह खुद को सांस्कृतिक संगठन बताता हो, के दावे का सच इससे जाहिर होता कि वह और उसके साथी संगठन किस तरह की राजनीति करते हैं और कौनसे मुद्दे उठाते हैं. भागवत स्वयं भी गौमांस और गौमाता का मसला उठाते रहे हैं. पिछले कुछ दशकों में यह एक भावनात्मक मुद्दा बन गया और इसके चलते न केवल मुसलमानों को अत्याचार और दमन का शिकार होना पड़ रहा है वरन ग्रामीण अर्थव्यवस्था भी पटरी से उतर गयी है. ऐसा क्यों है कि बीफ को हिंदी पट्टी में तो मुद्दा बनाया जा रहा है पर केरल, पूर्वोत्तर और गोवा में नहीं? ऐसा क्यों है कि किरण रिजुजू जैसे नेता खुलकर कहते हैं कि बीफ उनके खानपान का हिस्सा है? और ऐसा क्यों है कि अटलबिहारी वाजपेयी जैसे शीर्ष नेता बीफ खा सकते हैं?

सच यह है कि नफरत की राजनीति के सबसे बड़े शिकार पसमांदा ही हैं. अल्पसंख्यकों, विशेषकर मुसलमानों के खिलाफ नफरत संघ की शाखाओं और शिशुमंदिरों और भाजपा के आईटी सेल द्वारा फैलाई जा रही है. नफरत से हिंसा फैलती है, हिंसा से ध्रुवीकरण होता है और ध्रुवीकरण के कारण मुसलमान अपने-अपने मोहल्लों में सिमटते जा रहे हैं. पसमांदा मुसलमान साम्प्रदायिक हिंसा से सबसे अधिक पीड़ित हैं.

पिछले कुछ समय से बुलडोजर भी न्याय करने लगे हैं. संघ और भाजपा के प्रवक्ता कहते हैं कि जो कुछ हो रहा है वह कानून के मुताबिक है. जाहिर है कि यह सच नहीं है. इसके अलावा संध का शीर्षतम नेतृत्व यह प्रचार कर रहा है कि मुसलमान बहुसंख्यक बन जाएंगे. हम सबको याद है कि कुरैशी ने अपनी पुस्तक ‘पापुलेशन मिथ’ मोहन भागवत को भेंट की थी. इसमें इस मिथक को तर्कसंगत ढंग से गलत सिद्ध किया गया. कुछ समय पहले भागवत ने भी अपरोक्ष रूप से यह कहा था कि देश की मुस्लिम आबादी अन्य समुदायों की तुलना में तेजी से बढ रही है.

नफरत फैलाने के नए-नए तरीके ढूंढ़े जा रहे हैं. कोरोना जेहाद की बातें हुई हैं और अब टमाटर की कीमतों में बढ़ोत्तरी के लिए भी मुसलमानों को दोषी ठहराया जा रहा है. कुछ समय पहले हमें बताया गया कि मुस्लिम महिलाओं के साथ न्याय करने के लिए यूसीसी लागू की जाएगी. मजे की बात यह है कि यूसीसी का पहला मसविदा भी तैयार नहीं है. इसके पहले एनआरसी और सीएए के नाम पर मुसलमानों को मताधिकार से वंचित करने के प्रयास हुए थे. इसके विरोध में मुस्लिम महिलाएं सड़कों पर उतर आईं थीं और शाहीन बाग पर ऐतिहासिक विरोध प्रदर्शन आयोजित किया गया था.

इस बीच हिन्दुओं और मुसलमानों के बीच की खाई को गहरा करने वाली कई फिल्में रिलीज हुई हैं जिनमें कश्मीर फाईल्स, केरेला स्टोरी और 72 हूरें शामिल हैं. सरसंघचालक से लेकर प्रधानमंत्री तक ने इन फिल्मों की तारीफ की और भाजपा नेताओं ने थोक में इनके टिकट खरीदकर लोगों को दिखाईं ताकि नफरत के जहर को ज्यादा से ज्यादा फैलाया जा सके.

कुल मिलाकर संघ का मूल चरित्र वही है जो पिछले सौ सालों से रहा है. भाषा और शब्द बदल गए हैं परंतु हिन्दू राज का एजेंडा वही है. पसमांदा मुसलमानों को केवल चुनावों में लाभ के लिए इस्तेमाल किया जा रहा है. यह मुसलमानों को बांटने की रणनीति का हिस्सा भी है. सच यह है कि चाहे पसमांदा हो या अशरफ – सभी मुसलमान संघ और भाजपा की नीतियों के शिकार बन रहे हैं. पसमांदा मुसलमानों के प्रति सहानुभूति का प्रदर्शन एक नए प्रहसन से ज्यादा कुछ नहीं है. 

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
02/08/2023
https://www.navjivanindia.com/opinion/be-it-pasmanda-or-ashraf-all-muslims-on-the-target-of-the-agenda-of-rss-and-bjp-article-by-ram-puniyani

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૩) 

સુમન શાહ|Opinion - Literature|4 August 2023

સુમન શાહ

આજે, આચાર્ય વામન વિશે —

એમનો સમય છે, આશરે ૮-મી સદી. એમના ગ્રન્થનું શીર્ષક છે, “કાવ્યાલંકારસૂત્રવૃત્તિ”.

પોતાના ગ્રન્થનો તેમ જ કાવ્યપદાર્થનો મહિમા કરતાં વામન કહે છે કે – મારો ગ્રન્થ “કાવ્યાલંકારસૂત્રવૃત્તિ” અલંકારયુક્ત કાવ્યનું ફળ છે !

કવિયશ કે કવિને પ્રાપ્ત થનારી કીર્તિને વિશેની વામનની માન્યતા રસિક છે : તેઓ કહે છે કે એક સુન્દર કાવ્ય કવિ અને પાઠકને પ્રીતિ તેમ જ કીર્તિના હેતુસર દૃષ્ટ – ઐહિક – અને અદૃષ્ટ – મામુષ્મિક – બન્ને પ્રકારનાં ફળ આપે છે. આ વિષયમાં સંગ્રહરૂપ સ્વલિખિત શ્લોકો નીચે મુજબ છે એવી ઘોષણા સાથે વામને ગ્રન્થનો શુભારમ્ભ કર્યો છે.

એમની દૃષ્ટિએ કાવ્યરચનાની સુ-પ્રતિષ્ઠા જ યશપ્રાપ્તિનો માર્ગ છે. ઉમેરે છે કે, તેથી, અકીર્તિનો માર્ગ કુકવિત્વ છે. એટલે લગી કહે છે કે વિદ્વાનો કવિકીર્તિને યાવચ્ચન્દ્રદિવાકરૌ અને અકીર્તિને આલોકહીન અન્ધકારમય નર્કસ્થાનની દૂતી ગણે છે. એટલે, કીર્તિની પ્રાપ્તિ માટે અને અકીર્તિના નાશ માટે શ્રેષ્ઠ કવિઓએ મારા આ ગ્રન્થ “કાવ્યાલંકારસૂત્રવૃત્તિ”-નું અધ્યયન કરીને તેને હૃદયંગમ કરવું જોઈશે. સમગ્ર ગ્રન્થમાં આવું એમનું એક શક્તિશાળી કાવ્યમીમાંસક તરીકેનું આવકાર્ય ઍટિટ્યૂડ જોવા મળે છે.

કહે છે, સંસારમાં કવિઓ બે પ્રકારના છે : અરોચકી એટલે કે વિવેકી. અને, સતૃણાભ્યવહારી એટલે કે અવિવેકી. વામન પ્રશ્નોત્તરની રીતે શાસ્ત્રાર્થ કરે છે. વિવેકી-અવિવેકી એટલે શું? વિવક્ષિત શું છે? તો ઉત્તર આપે છે કે ‘અરોચકી’-થી ‘વિવેકિત્વ’ સમજવાનું અને ‘સતૃણાભ્યવહારી’-થી ‘અવિવેકિત્વ. અરોચકી વિવેકી અને વિવેચનાશીલ હોય છે તેથી કાવ્યશિક્ષા પામવાની પાત્રતા ધરાવે છે અને સતૃણાભ્યવહારી અવિવેકી છે અને વિવેચનાશીલ નથી હોતા તેથી કાવ્યશિક્ષાને પાત્ર નથી.

પરન્તુ જો તમારું શાસ્ત્ર ભણવાથી એની અવિવેકશીલતા દૂર થઈ જાય તો એને પણ કાવ્યશિક્ષા આપવી જોઈએ ને? ગ્રન્થકાર રૂપે વામન કહે છે કે – એ ખરું પણ એનો સ્વભાવ એ-નો-એ જ રહેશે. જો એમ હોય તો એમ ન કહેવાય કે તમારું શાસ્ત્ર સર્વનું અનુગ્રાહક નથી? વામન કહે છે, કોણ એમ માને છે? હું નથી માનતો, એ સર્વનું અનુગ્રાહક નથી જ. એ માત્ર વિવેકશીલ અધિકારી વ્યક્તિઓ માટે છે. સૂત્રમાં કહું કે ‘નન્વેવમ્ ન શાસ્ત્રમ્ સર્વત્રાનુગ્રાહિ સ્યાત્’. ઉમેરે છે, આ વિષયમાં ઉદાહરણ આપું : નિર્મલી (એક વિશિષ્ટ વૃક્ષનું ફળ) જળને સ્વચ્છ કરી દે પણ કીચડને નહીં – ન કતકમ્ પંકપ્રસાદનાય. 

સામાન્યપણે કાવ્યહેતુ ‘વ્યુત્પત્તિ’ ગણાય છે એને વામન ‘કાવ્યાંગ’ કહે છે. કાવ્યનાં અંગો એટલે કે સાધનો.

વામન ‘લોક’-ને પહેલું અંગ ગણે છે. મતલબ એ કે કવિને સ્થાવર-જંગમ લોકવ્યવહારોનું જ્ઞાન હોવું જોઈએ. તેઓ એને કાવ્યસર્જનના કૌશલ માટે જરૂરી લેખે છે.

હું દાખલા તરીકે કહું કે સ્થાવરનું જ્ઞાન એટલે કે કવિને ખબર હોવી જોઈએ કે પૃથ્વી સૂર્ય ચન્દ્ર કે પૃથ્વી પરના ઉપખણ્ડો શું છે; બ્રાઝિલ ક્યાં છે; નાયગરા શું છે કે શ્રીલંકાની રાજધાની શું છે કે મધ્યપૂર્વના દેશો કોને કહેવાય. જંગમ્-નું જ્ઞાન એટલે એ દરેકમાં જિવાતા માનવજીવનની, રીતરસમોની પણ એને આછીપાતળી પણ સાચી જાણ હોવી જોઈએ. બને કે એવી જાણ અનુભવજન્ય ન હોય પણ કવિની વિદ્વત્તાને પ્રતાપે હોય. સામ્પ્રત ગુજરાતી કવિતામાં આ ‘લોક’-જ્ઞાન કેટલું એ પ્રશ્ન છે !

વામન ‘વિદ્યા’-ને બીજું અંગ કહે છે અને એને કાવ્યસર્જનના કૌશલ માટે જરૂરી લેખે છે. વિદ્યામાં ૧૪ વિદ્યાઓ અને ૧૮ ભેદો સહિતની બધી જ વિદ્યાઓ સમજવાની. ‘શબ્દસ્મૃતિ’ એટલે કે વ્યાકરણ, ‘અભિજ્ઞાનકોશ’ એટલે કે કોશ, ‘છન્દોવિચિતિ’ એટલે કે પિગંળ, અને ૬૪ કલાઓ અને ૧૪ ઉપકલાઓના કલાશાસ્ત્રનો તથા વાત્સાયન વગેરે વિદ્વાનોથી પ્રણીત કામશાસ્ત્રનો ઉમેરો કરીને વામને ‘વિદ્યા’ સંકેતને વધુ સ્પષ્ટ કર્યો છે.

વધુ સમજીએ, શબ્દસ્મૃતિ : કવિઓએ શબ્દના વ્યાકરણસંગત સાધુત્વનો નિશ્ચય કરવો જોઈએ, એટલે કે વ્યાકરણની ભૂલ વગરના શબ્દો પ્રયોજીને એ પ્રકારની શુદ્ધિ કરવી જોઈએ.

વધુ સમજીએ, અભિજ્ઞાનકોશ : વાક્યમાં પ્રયોજાયેલા શબ્દને ‘પદ’ કહેવાય. કોશનું જ્ઞાન ન હોય તો આ લઉં કે ન લઉં એવો પદ બાબતે સંદેહ થવાનો. કોશથી કવિઓએ પદનો યથાયોગ્ય નિર્ણય કરીને એવા સંદેહનું નિવારણ કરવું જોઈએ. આજના આપણા કવિઓને આ સંદેહ થાય છે ખરો? થતો હોય તો તેનું નિવારણ કરે છે ખરા? શેનાથી?

વધુ સમજીએ, છન્દોવિચિતિ : છન્દના જ્ઞાનથી આ છન્દ પ્રયોજું કે ન પ્રયોજું એવા છન્દપરક સંશયનું નિવારણ થાય છે. આમ તો, વામન કહે છે, કાવ્યસર્જનના અભ્યાસથી છન્દોનો પરિચય થઈ જાય છે, તેમછતાં, માત્રિક છન્દો પ્રયોજવાના હોય ત્યારે સંશય થઈ શકે છે, માટે, છન્દોવિચિતિ જરૂરી છે. આજના આપણા કવિઓએ છન્દ છોડી દીધા છે, ભલે, પણ એમને છન્દોવિચિતિના આ બધા લાભથી વંચિત હોવાનું દુ:ખ છે ખરું?

વધુ સમજીએ, કલાશાસ્ત્ર : ચિત્ર નૃત્ય ગાયન વગેરેના જ્ઞાનનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને કલાશાસ્ત્ર કહેવાય છે. આજે આપણે એને લલિત કલાઓ અને તેના જ્ઞાનને કલાશાસ્ત્ર અથવા સામાન્યપણે ઍસ્ટેથિક્સ કહીએ છીએ. એ જ્ઞાનને કાવ્યસર્જન માટે જરૂરી ગણનાર વામન સરસ કહે છે કે એ જ્ઞાન વડે કવિઓએ કલાતત્ત્વને સમજવું જોઈશે. એના અભાવમાં સરખું સર્જન અસંભવ છે. આપણે પણ કહીએ જ છીએ ને કે કલા શું છે એ જાણ્યા વિના લખાપટ્ટી કર્યા કરવાનો કોઈ અર્થ નથી !

વધુ સમજીએ, કામશાસ્ત્ર : વામન નિખાલસતાથી જણાવે છે કે કાવ્યના વિષયવસ્તુમાં કામોપચારનું બાહુલ્ય હોય છે. સાચું છે, પણ સામ્પ્રત ગુજરાતી કવિતમાં ભાગ્યે જ કામોપચારની લીટી પણ જોવા મળે ! કામોપચાર એટલે કામપરક વ્યવહારો. હવે, એનું નિરૂપણ જો વાત્સ્યાયન-પ્રણીત ‘કામસૂત્ર’ આદિ શાસ્ત્રીય ગ્રન્થોના જ્ઞાન વિના થાય, તો કેવું થાય? શાસ્ત્રનો નિર્દેશ કરીને વામન કદાચ એ નિરૂપણોને સમુચિત રાખવા કહે છે – એટલે કે એમાં શાસ્ત્રબોધ પણ હોય અને એમાં કામપરક વિશુદ્ધ ઊંચાઈ પણ હોય.

આ વાતો પછી મારે સવિશેષે એ કહેવું છે કે આચાર્ય વામન રીતિ-સમ્પ્રદાયના પુરસ્કર્તા છે. ભરત મુનિ, અભિનવગુપ્ત કે આનન્દવર્ધન રસાનુભૂતિને લક્ષ્ય કરનારા અનુભવવાદી છે; ભામહ, દણ્ડી કે કુન્તક અલંકાર કે વક્રોક્તિને લક્ષ્ય કરનારા માધ્યમ કહેતાં ભાષાવાદી છે, રાજશેખર રસાનુભૂતિ પામનારી ભાવયિત્રી પ્રતિભાનો પરામર્શ કરીને કાવ્યમીમાંસામાં ભાવકની મહત્તા સ્થાપનારા છે, તો વામન કાવ્યસર્જનની રીતિને લક્ષ્ય કરનારા, ફૉર્મને લક્ષ્ય કરનારા, રીતિવાદી છે.

એમની દૃષ્ટિએ રીતિ કાવ્યનો આત્મા છે – રીતિરાત્મા કાવ્યસ્ય. વિશિષ્ટ પ્રકારની પદરચના રીતિ છે -વિશિષ્ટા પદરચના રીતિ: અને, એ વિશેષ શું? તો કહે છે -વિશેષો ગુણાત્મા. એ પછી એમણે ગુણોનું વર્ણન કર્યું છે.

= = =

(08/03/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0381,0391,0401,041...1,0501,0601,070...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved