Opinion Magazine
Number of visits: 9743161
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

नये संविधान की मांग आखिर क्यों?

राम पुनियानी|Opinion - Opinion|1 September 2023

राम पुनियानी

डॉ बिबेक देबरॉय, प्रधानमंत्री नरेन्द्र मोदी की आर्थिक सलाहकार परिषद् के मुखिया है. जाहिर है कि वे सत्ता के केंद्र के बहुत नज़दीक हैं – शाब्दिक और लाक्षणिक दोनों अर्थों में. हाल में (15 अगस्त, 2023), उनका लेख देश के एक शीर्ष समाचारपत्र में प्रकाशित हुआ. इसमें उन्होंने देश के वर्तमान संविधान के बने रहने पर प्रश्न उठाया. उनके अनुसार, आज का संविधान वह संविधान नहीं है जिसे हमने स्वाधीनता के समय अपनाया था क्योंकि उसमें अनेक संशोधन हो चुके है. उनका यह कहना है कि चूँकि कार्यपालिका संविधान के मूलभूत ढांचे में कोई बदलाव कर सकती और चूँकि संविधान अब बहुत पुराना हो गया है, इसलिए हमें नया संविधान बनाना चाहिए. वे यह भी कहते हैं कि यह संविधान औपनिवेशिक विरासत है और वे इसके कई प्रावधानों पर प्रश्न उठाते हैं जिनमें समाजवाद, धर्मनिरपेक्षता, न्याय, समानता और स्वतंत्रता जैसे मूल्यों की स्थापना और संरक्षण से जुड़े प्रावधान शामिल हैं. प्रधानमत्री कार्यालय (पीएमओ) ने देबरॉय की राय से आधिकारिक रूप से अपने को अलग कर लिया है परन्तु भारतीय संविधान की उपयोगिता को शंका के घेरे में डालने और उसका विरोध करने का उद्देश्य पूरा हो गया है.

इसके पहले से भी दक्षिणपंथी चिन्तक और नेता यह कहते आये हैं कि भारत का संविधान गवर्नमेंट ऑफ़ इंडिया एक्ट 1935 पर आधारित है, औपनिवेशिक विरासत है और भारतीय मूल्यों को प्रतिबिंबित नहीं करता. सच तो यह है कि दक्षिणपंथी हिन्दू राष्ट्रवादियों को यह संविधान कभी नहीं भाया. यह संविधान गवर्नमेंट ऑफ़ इंडिया एक्ट 1935 की तर्ज पर नहीं बना है. यह संविधान की मसविदा समिति के अध्यक्ष डॉ बी.आर. अम्बेडकर ने नेतृत्व में करीब तीन वर्ष तक चली लम्बी बहसों और कठिन श्रम का नतीजा है. संविधान सभा के अध्यक्ष डॉ राजेंद्र प्रसाद और उसके अधिकांश सदस्य भारत के औपनिवेशिकता विरोधी संघर्ष में रचे-बसे थे. और इसी संघर्ष ने भारत के एक राष्ट्र बनने की प्रक्रिया के शुभारम्भ में महती भूमिका निभाई थी.

बहुलतावादी और समावेशी भारत के पैरोकारों के विपरीत, धार्मिक राष्ट्रवादियों ने इस संघर्ष से दूरी बनाए रखी और उन्होंने उन मूल्यों का भी विरोध किया जो इस संघर्ष से उपजे थे. सन 1949 के 30 नवम्बर को संविधान सभा ने संविधान को पारित किया. इसकी तीन दिन बाद, आरएसएस के मुखपत्र ‘द आर्गेनाइजर’ ने उसे ख़ारिज करते हुए ‘मनुस्मृति’ को संविधान की तौर पर अपनाए जाने की वकालत करते हुए एक सम्पादकीय लिखा. इसमें कहा गया था, “ किन्तु हमारे संविधान में प्राचीन भारत में हुए अनूठे संवैधानिक विकास का कोईउल्लेख नहीं हैं. मनु द्वारा विरचित नियमों का रचनाकाल स्पार्टा और पर्शिया में रचे गए संविधानों से कहीं पहले का है. आज भी मनुस्मृति में प्रतिपादित नियम पूरे विश्व में प्रशंसा पा रहे हैं और इनका सहज अनुपालन किया जा रहा है. किंतु हमारे संवैधानिक पंडितों के लिए यह सब अर्थहीन है”.

हिन्दू दक्षिणपंथ के उभार के साथ संविधान का विरोध बढ़ने लगा. अटलबिहारी वाजपेयी की सरकार के 1998 में सत्ता में आने के बाद संविधान की ‘समीक्षा’ के लिए वैंकटचलैया आयोग का गठन किया गया. परंतु इस आयोग का इतना कड़ा विरोध हुआ कि सरकार को उसपर अमल करने का इरादा त्यागना पड़ा.

संविधान के प्रति विरोध अलग-अलग तरीकों और मंचों से किया जाता रहा है. के. सुदर्शन ने आरएसएस का मुखिया बनने के बाद घोषणा की कि भारतीय संविधान पश्चिमी मूल्यों पर आधारित है और इसके स्थान पर भारतीय पवित्र पुस्तकों, जिनमें मनुस्मृति भी शामिल है, पर आधारित संविधान बनाया जाना चाहिए. उन्होंने कहा ‘‘हमें नया संविधान बनाने में सकुचाना नहीं चाहिए क्योंकि हम इसे पहले ही सौ से अधिक बार संशोधित कर चुके हैं”. उन्होंने यह भी कहा कि फ्रांस अपने संविधान का अब तक चार बार पुनरीक्षिण कर चुका है. उन्होंने कहा कि संविधान कोई पवित्र ग्रंथ नहीं है बल्कि वह हमारे देश के समक्ष उपस्थित अधिकांश समस्याओं की जड़ है.

समय-समय पर भगवा ब्रिगेड के अलग-अलग सदस्य इसी तरह की बातें कहते रहे हैं. हाल में जब विपक्ष ने इंडिया नाम से एक गठबंधन बनाया तब इस समूह के कई नेताओं ने इस आधार पर इसका विरोध किया कि भारत को इंडिया का नाम अंग्रेजों ने दिया था. भाजपा के एक राज्यसभा सदस्य नरेश बंसल ने तो संविधान में इस शब्द के उपयोग पर प्रश्नचिन्ह लगाते हुए कहा कि यह शब्द भारत की गुलामी का प्रतीक है.

संघ के महासचिव दत्तात्रेय होसबोले का मानना है कि भारतीयों के दिलोदिमाग को औपनिवेशिक मानसिकता से मुक्त करना आवश्यक है. ‘‘हमारे देश में यूरोपीय विचारों, प्रणालियों, आचरण और विश्वदृष्टि का कई दशकों से बोलबाला रहा है. स्वतंत्र भारत इनसे मुक्ति नहीं पा सका है.”

देबराय और संघ परिवार संविधान के विरोध के मुद्दे पर एकमत हैं. जहां संघ परिवार संविधान के ‘पश्चिमी चरित्र’ पर प्रश्न उठाता रहा है वहीं देबराय इससे भी आगे बढ़कर स्वतंत्रता, समानता, धर्मनिरपेक्षता, समाजवाद आदि जैसे मूल्यों पर प्रश्नचिन्ह लगा रहे हैं. इससे यह साफ है कि संघ परिवार को असली परेशानी किससे है. भारतीय संविधान के औपनिवेशिक चरित्र की दुहाई देना ठीक वैसा ही है जैसे पश्चिम एशियाई देशों में मुस्लिम ब्रदरहुड जैसी संस्थाएं स्वतंत्रता और समानता के मूल्यों का इस आधार पर विरोध कर रही हैं कि वे पश्चिमी हैं. देबराय और उनके जैसे अन्य लोग इस बात से दुःखी हैं कि हमारा संविधान विभिन्न जातियों, धर्मों और दोनों लिंगों के लोगों को समानता देता है.

संघ परिवार मनुस्मृति के युग को भारत का स्वर्णकाल बताता है क्योंकि उस काल में लैंगिक और जातिगत पदक्रम को धार्मिक और सामाजिक स्वीकृति प्राप्त थी. इसमें कोई संदेह नहीं कि औपनिवेशिक शासन में हमारे  समाज के ढ़ांचे में व्यापक परिवर्तन हुए और लैंगिक व जातिगत पदक्रम की समाज पर पकड़ कमजोर हुई. यही वह वक्त था जब श्रमिकों ने अपने संगठन बनाए (नारायण मेघाजी लोखंडे, कामरेड सिंगारवेल्लू). इसी दौर में भगतसिंह जैसे नेताओं ने शासक वर्ग द्वारा आम लोगों के शोषण के खिलाफ आवाज उठाई और यह साफ कर दिया कि इस शोषण को हमें खत्म करना होगा. औपनिवेशिक शासनकाल को हम केवल स्याह-सफेद के चश्मे से नहीं देख सकते. इससे देश का कुछ भला भी हुआ और कुछ बुरा भी. औपनिवेशिक ताकतों ने निःसंदेह देश को जमकर लूटा परंतु उन्होंने ऐसी संस्थाएं भी खोलीं जो महिलाओं और पुरूषों को समान अधिकार देतीं थीं. संघ परिवार और प्रधानमंत्री के आर्थिक सलाहकार वर्तमान संविधान के स्थान पर नए संविधान के निर्माण के पक्ष में भले ही अनेक तर्क दे रहे हों परंतु उन्हें सबसे अधिक परेशानी समानता के मूल्य से है जिसके पैरोकारों में भगतसिंह और अंबेडकर जैसी विभूतियां थीं और जो हमारे राष्ट्रीय आंदोलन के मार्गदर्शक सिद्धांतों में से एक था.

सन् 1990 तक भारत ने समानता की स्थापना के लिए संघर्ष किया. इस संघर्ष की धुरी था हमारा संविधान और इसमें मददगार थीं नेहरू की देश को आधुनिक बनाने की नीतियां. अब हम रिवर्स गेयर में चल रहे हैं. मंदिर और गाय राजनीति के केन्द्रक बन गए हैं और सभ्यतागत मूल्यों के नाम पर ब्राम्हणवादी मूल्यों को देश पर लादा जा रहा है. इससे हम वह सब खो बैठेंगे जो हमने दुनिया के सबसे बड़े जनांदोलन अर्थात भारत के स्वाधीनता आंदोलन से हासिल किया था.

संविधान का विरोध दरअसल देश को उस युग में वापिस ढकेलने की कवायद है जिसमें जाति, वर्ग और लिंग के आधार पर असमानता को धर्म की स्वीकृति हासिल थी.

30/08/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनलकम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/why-is-the-demand-for-a-new-constitution-rising-and-what-is-the-intention-of-the-saffron-brigade-article-by-ram-puniyani

Loading

શિક્ષકો, અધ્યાપકો નારાજ રહે એ માટે ગુજરાત સરકાર બહુ મહેનત કરે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 September 2023

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકારે શિક્ષણને અધોગતિનાં એવાં સ્તરે મૂક્યું છે કે તેની પડતી આપોઆપ જ થતી રહે. સરકાર કાન પણ, નિયમિતરૂપે અવળા જ પકડે છે. તેનું મૂળ કારણ તેની દાનત ખોરી છે તે છે. સરકાર શૈક્ષણિક લાયકાતમાં કોઈ બાંધછોડ નથી કરતી, ટેટ-ટાટની પરીક્ષામાં કોઈ કન્સેશન નથી આપતી ને આટલી કસરત કરાવ્યાં પછી કાયમી શિક્ષકની નિમણૂક કરવાની આવે છે, તો તેનાં ગાત્રો ગળવાં માંડે છે. બને ત્યાં સુધી કોઈને કશું વધારે ન અપાઈ જાય તેની તે સતત કાળજી રાખે છે. તેનાં મંત્રીઓ, સચિવો, અધિકારીઓ પૂરો પગાર લે છે. તેઓ રોજ પર નથી, પણ માસ્તરો તે રોજ પર, નહીં, તાસ પર રાખે છે. ચિત્ર-સંગીત શિક્ષકોનો ભાવ 50 રૂપિયા રાખે છે. વળી રાજીખુશીથી કોઈ આવવા તૈયાર ન થાય એ ઇરાદે ભાવતાલ નક્કી થાય છે. આનાં કરતાં તો મજૂરોનો રોજ વધારે હોય છે, પણ શિક્ષકોને ચામડી નથી, એટલે આવું ચાલે છે, તો તેમનું રૂંવાડું ય ફરકતું નથી. ઘેટાંબકરાં પણ અવાજ કરે છે, પણ શિક્ષકોને વાણી નથી. સરકારી સ્કૂલોનાં શિક્ષકો અંગૂઠા પકડીને ઊભા છે અને પીઠ પર ડેટા, પરિપત્રો, વસ્તી ગણતરી, રસીકરણ જેવી ઈંટો મુકાતી રહે છે, પણ તેમનો ઊંહકારો સંભળાતો નથી, એનો અર્થ એ થયો કે હજી ઈંટો વધે તો એ વફાદારી છોડવાના નથી. વફાદારીમાં કૂતરાનો નંબર બીજો આવે છે, કારણ પહેલે નંબરે હવે શિક્ષકો છે.

કેટલાક શિક્ષકો એટલા ચાલાક છે કે તેઓ ચામડી બચાવીને જવાબદારીઓમાંથી કેમ છટકવું તે જાણે છે, એટલે એમનો બોજ પણ બીજાની પીઠે ગોઠવાતો રહે છે. એમાંના ઘણાં પગાર મળે છે, તેટલાથી રાજી છે. એ જો વર્ગશિક્ષણ વગર મળતો હોય તો સોનામાં સુગંધ ભળે. એનું પરિણામ એ આવ્યું છે કે કેટલાં ય બાળકો શીખ્યાં વગર જ પાસ થતાં રહે છે. એ છેલ્લે બોર્ડની પરીક્ષાઓમાં અટકે છે. અહીં પણ 80માંથી 5 માર્ક આવે તો 21નું ગ્રેસિંગ અપાયાનું નોંધાયું છે. ભણવું, શીખવું હવે મહત્ત્વનું નથી, પાસ થવું જ મહત્ત્વનું છે ને તેની ગરજ વિદ્યાર્થી કરતાં શિક્ષણ બોર્ડની વધુ છે. આમ છતાં ગુજરાતમાં, ગુજરાતીના વિષયમાં દોઢ–બે લાખ વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પણ સરકાર ને સંસ્થાઓ માતૃભાષા દિવસ ઉમંગથી ઉજવે છે ને ગુજરાતી સ્કૂલો બંધ પણ થતી રહે છે. આપણે એટલાં અબૂધ છીએ કે ઉઠમણાં વખતેય ઉત્સાહ તો ઉજવણાંનો જ રાખીએ છીએ. દેખાડો એ આજનો રાષ્ટ્રીય રોગ છે.

2020માં નવી શિક્ષણ નીતિ દાખલ તો કરી દીધી, પણ એને અમલમાં મૂકનારું તંત્ર જૂનું અને રેઢિયાળ છે. પૂરતા શિક્ષકો વગર, કામચલાઉથી કામ લેવામાં કરકસર થતી હશે, પણ શિક્ષણનો દાટ વળે છે. અભણ આ સમજે છે, પણ સરકારે સમજવું નથી. એવું નથી કે સરકારને સમજાતું નથી, પણ બધી જ કંજૂસાઈ એ શિક્ષણમાં જ કરે છે. એમાં બને છે એવું કે કસર તો નથી થતી, પણ વચેટિયાઓ હોજરી ભરીને સરકારને જ ખાડામાં ઉતારે છે. એક દાખલાથી આ વાત સમજીએ. નગર પ્રથમિક શિક્ષણ સમિતિ, સુરતે એક જ હેતુ માટે આ વખતે બે પ્રકારના શિક્ષકો રાખ્યા. એકને 10,500નો પગાર ને એને જ એજન્સી રાખે તો 17,500નો ભાવ. આ વધારાના 7 હજાર શિક્ષકને મળતા હોત તો ધૂળ નાખી, પણ એ એજન્સીનું કમિશન ગણાયું. એટલે સરકારના 17,500 ખર્ચાય, તો પણ, શિક્ષકને તો 10,500 જ મળે, આમાં સરકારને લાભ ન હોય તો આવા વેપલા કરવાને બદલે સીધા કાયમી શિક્ષકો રાખવામાં શું વાંધો આવે તે સમજાતું નથી.

શિક્ષણતંત્રની માનસિકતા મનોરોગીની હોય તેમ તે છાશવારે એટલા તુક્કા લડાવે છે કે ઘણીવાર તો મનોરોગી તંદુરસ્ત લાગે. એક સવારે તુક્કો આવ્યો કે હવેથી શિક્ષા સહાયકો, વિદ્યા સહાયકો ન રાખવા, તેને બદલે માસ્તરો જ્ઞાન સહાયક તરીકે કોન્ટ્રાક્ટ પર રાખવા અને તેમને વધારે પગાર આપવો. બીજો તુક્કો એવો આવ્યો કે પ્રવાસી શિક્ષકો ન રાખવા, કારણ એ તાલીમી નથી. વર્ષો પછી સમજાયું કે પ્રવાસી શિક્ષકો તાલીમી નથી ! આ અખતરાઓ કોઈ પણ પૂર્વ વિચારણાનું પરિણામ નથી. સત્ર જૂનમાં શરૂ થયું, પછી મહિને, બે મહિને થયું કે ‘પ્રવાસી’ ને સ્વર્ગવાસી કરો, ત્યાં જ થયું કે જ્ઞાન સહાયકો નીમવામાં તો સત્ર પૂરું થઈ જશે, એટલે એ નિમણૂકો થાય ત્યાં સુધી ભલે પ્રવાસી શિક્ષકોની નિમણૂક થતી રહે. જ્ઞાન સહાયકોનું પણ ઠેકાણું પડ્યું નથી, એટલે આ યોજનાનો હવે વિરોધ શરૂ થયો છે. બન્યું છે એવું કે કરાર આધારિત આ નોકરી માટે ઉમેદવારોએ જ ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધો છે. એમને એવું છે કે જ્ઞાન સહાયકોની ભરતીનાં ફોર્મ ઉમેદવારો જ ન ભરે તો સરકારને કાયમી શિક્ષકો નીમવાની ફરજ પડે. બધાં જ જો ઉમેદવારી ન નોંધાવવાનું નક્કી કરે તો સરકારને વિચારવાની ફરજ પડે જ, પણ થોડાં પણ ફોર્મ ભરાય તો વિરોધનો અર્થ ન રહે. ખરેખર તો યોજનાનો જ સાર્વત્રિક વિરોધ થવો ઘટે, કારણ કરાર આધારિત આ યોજના મુજબ તો 11 મહિને કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય અને એમ થતાં કોઈને કાયમી કરવાનો પ્રશ્ન જ ન રહે. વધારે પગારની લાલચ આપીને રાજ્યમાંથી જ કાયમી નિમણૂકને દેશવટો આપવાનું સરકારે તર્કટ કર્યું છે. જો મંત્રીઓ, હોદ્દેદારો, અધિકારીઓ કાયમી નોકરીના પગાર, પેન્શન, રજા જેવા લાભો મેળવતા હોય તો શિક્ષકને કાયમી કરવામાં શું તકલીફ છે? કોઈ પણ કામચલાઉ શૈક્ષણિક યોજનાઓનો જડબેસલાક વિરોધ થવો જોઈએ અને જો યુનિયનો ગુજરી ન ગયાં હોય તો તેમણે યુદ્ધને ધોરણે આ મેટર હાથ પર લેવી જોઈએ. એટલું છે કે જ્ઞાન સહાયકનું ભૂત કાયમી રીતે ઘર કરી ગયું તો કાયમી શિક્ષક, ભૂતકાળની ભુતાવળ થઈને રહેશે.

સ્કૂલોમાં જ્ઞાન સહાયકનો પ્રશ્ન છે, તો ઉચ્ચ શિક્ષણમાં પણ ડખો નથી એવું નથી. ગુજરાત સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ કરવાની તજવીજ શરૂ કરી છે. રોગીને સનેપાત ઉપડે એથી વધુ ઝડપે સરકારને તુક્કાઓ ઉપડે છે. એમાં પણ નીતિ એકધારી અને એકસરખી નથી. ખાનગી યુનિવર્સિટીઓને તમામ નિયંત્રણોમાંથી મુક્ત કરીને બેફામ થવાની સગવડ સરકારે પૂરી પાડી છે, તેનાં મોનિટરિંગની વ્યવસ્થા પણ નથી રાખી, તો બીજે છેડે આમ પણ સરકારી દબાણ હેઠળ રહેતી સરકારી યુનિવર્સિટીઓને વધુ દબાણ હેઠળ લાવવાનો ઉદ્યમ કોમન એક્ટ હેઠળ શરૂ થયો છે. આ સરકારીકરણ એ હદનું છે કે તેનો વિરોધ કરવાની કોઈ પણ સ્વાયત્ત સંસ્થાને ફરજ પડે. આ એક્ટથી યુનિવર્સિટીની તમામ સ્વાયત્તતા ખતમ થાય એમ છે. એક જ રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓ બેફામ બને ને સરકારી વધુ શોષિત બને આ સ્થિતિ કોઈ રીતે યોગ્ય નથી. કેટલીક યુનિવર્સિટીઓ તો કોમન એક્ટ લાગુ થઈ જ ગયો છે એમ માનીને ડીનની. વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણીથી અલગ થઈ ગઈ છે ને લોકશાહી પદ્ધતિથી થનાર ચૂંટણીમાં ન માનતી હોય તેમ વર્તવા લાગી છે. કોમન એક્ટ લાગુ થાય કે ન થાય, સરકારી યુનિવર્સિટી રોજિંદી ગતિવિધિઓથી દૂર થાય એમાં જ ગુલામી માનસિક્તાને સ્વીકૃતિ અપાતી હોય એમ લાગે. આવું વર્તન તો કોમન એક્ટ કોઈ પણ સંજોગોમાં લાગુ થશે જ તેની આગાહી કરે છે.

એ જ કારણે કોમન યુનિવર્સિટી એક્ટનો, ઓલ ઇન્ડિયા સેવ એજ્યુકેશનનાં નેજા હેઠળ 20થી વધુ શૈક્ષણિક સંગઠનોએ, ગુજરાત યુનિવર્સિટી નજીક ધરણાં પ્રદર્શનો કરીને વિરોધ કર્યો છે, ત્યાં ઉપસ્થિત શિક્ષણવિદોએ કોમન એક્ટને ફાસીવાદી અને એટલે જ ‘ફાંસીવાદી’ ગણાવ્યો છે. સંગઠનોએ આ વિરોધ વ્યાપક કરવા અન્ય યુનિવર્સિટીઓ અને કોલેજોને પણ આહ્વાન આપ્યું છે. આ કોમન એક્ટ લાગુ કરવા રાજ્ય સરકાર અગાઉ પણ પ્રયત્ન કરી ચૂકી છે. એનો એકથી વધુ વખત વિરોધ થયો છે ને સરકારે નમતું જોખવું પડ્યું છે, પણ કોમન એક્ટ લાગુ કરવાનું ઝનૂન એટલું તીવ્ર છે કે વધુ એક વખત સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ કરવા સૂચનો મંગાવ્યાં છે. જુદી જુદી સંસ્થાઓ અને સંગઠનોએ સૂચનો મોકલ્યાં પણ છે. એ સૂચનોનો અમલ થયો કે કેમ તેની વિગતો તો બહાર આવી નથી, પણ એક્ટ લાગુ કરવાની સરકારને ઉતાવળ છે, ત્યારે અધ્યાપક મંડળ સહિતનાં વિવિધ સંગઠનોએ કોઈ પણ સંજોગોમાં યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ ન થાય એ માટે વિરોધ ચાલુ રાખવાનો રહે. એમ લાગે છે કે સરકારને ઉપદ્રવોમાંથી મનોરંજન મેળવવાની ટેવ પડી ગઈ છે. એ સાચું હોય તો સરકારે વિરોધ વેઠવાની તૈયારી પણ રાખવાની રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 સપ્ટેમ્બર 2023

Loading

“મજદૂર કા પસીના સુખને સે પહેલી ઉસકી મજદૂરી મિલ જાની ચાહીએ, જનાબ.”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 August 2023

રાજ ગોસ્વામી

તમે કેટલી વખત તમારા ઈસ્ત્રીવાળાને કહ્યું હશે કે બિલ બે દિવસ પછી લઇ જજે? તમે તમારા ફેરિયાને કેટલી વખત એવું કહ્યું હશે કે પેપરના પૈસા કાલે લઇ જજે? તમે તમારા કેબલવાળાને પણ એવું કહ્યું હશે કે કેબલના પૈસા આવતા બિલમાં સાથે આપીશ. આપણા ઘરે કામ કરવા આવતા કે સેવા પ્રદાન કરવા આવતા માણસોને તેમની મહેનત અને સેવાના પૈસાની ચુકવણીમાં ‘આજે નહીં પણ કાલે’ કરવાની આપણા સૌમાં સહજ વૃતિ હોય છે.

આપણને તેમાં અજુગતું લાગતું નથી. મહેનતના પૈસા ચુકવવામાં આમતેમ થાય એ બહુ મોટી વાત નથી અને કામ કરવાવાળા લોકો પણ લાંબા ગાળાના વ્યવસાયિક સંબંધોની જાળવણી માટે થઈને એ ચલાવી પણ લે છે, પરંતુ કોમ્યુનિસ્ટ વિચારધારામાં આ જ બાબતને મજદૂરોના શોષણ તરીકે જોવાઈ હતી.

આ વાતને, 1983માં આવેલી અમિતાભ બચ્ચનની બહુચર્ચિત ફિલ્મ ‘કૂલી’માં બહુ સરસ રીતે રજૂ કરવામાં આવી હતી. ‘કૂલી’ ફિલ્મ બચ્ચનના લગભગ ઘાતક કહી શકાય તેવા અકસ્માતના કારણે બહુ ચર્ચામાં રહી હતી. એ બોક્સ ઓફિસ પર સુપરહિટ પણ એટલે જ નીવડી કે અમિતાભ તેના શુટિંગ દરમિયાન જખ્મી થઈને મરતાં-મરતાં બચ્યા હતા.

26 જુલાઈ 1982ના રોજ બેંગલોર યુનિવર્સિટી કેમ્પસમાં, સહ-કલાકાર પુનિત ઇસ્સર સાથેના ફાઈટ-સીનમાં ટેબલનો ખૂણો તેમના પેઢુમાં એવો જબ્બર રીતે વાગ્યો હતો કે છ મહિના સુધી તે સારવાર હેઠળ રહ્યા હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અમિતાભ થોડી મિનિટો માટે ‘ક્લિનિકલી ડેડ’ પણ થઇ ગયા હતા. એ દિવસોમાં વડા પ્રધાન(ઇન્દિરા ગાંધી)થી લઈને આમ જનતા સુધી સૌએ તેમના જીવતદાન માટે અનેક પ્રાર્થનાઓ કરી હતી.

છ મહિના પછી, જાન્યુઆરી મહિનાથી, ફિલ્મના નિર્દેશક મનમોહન દેસાઈએ ‘કૂલી’નું શુટિંગ ત્યાંથી જ ફરી શરૂ કર્યું, જેમાં અમિતાભને જીવલેણ અકસ્માત થયો હતો. છ મહિના પછી ફિલ્મ રિલીઝ થઇ ત્યારે થિયેટરોના પડદા પર એ શોટ સ્થિર કરી દેવામાં આવ્યો હતો જ્યાં હીરોને પેટમાં વાગ્યું હતું. કહેવાની જરૂર નથી કે ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઇ હતી.

મૂળ સ્ક્રીપ્ટમાં અમિતાભ બચ્ચન ફિલ્મના વિલેન કાદર ખાનની ગોળીથી મૃત્યુ પામે છે, પરંતુ અકસ્માત પછી દેશના લોકોમાં અમિતાભ માટે એટલી બધી સહાનુભૂતિ હતી કે મનમોહન દેસાઈએ તેનો અંત બદલી નાખ્યો અને હીરોને હાજી અલીની દરગાહમાં અલ્લાહના નામે છાતી પર અનેક ગોળીઓ ઝીલીને જીવી જતો બતાવ્યો હતો. છેલ્લે, ઇકબાલ સાજો થઈને એ જ રીતે રેલવે હોસ્પિટલની બાલ્કનીમાં કૂલીઓ સામે આવે છે જે રીતે અમિતાભ બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર ચાહકો સામે આવ્યા હતા.

‘કૂલી’ ફિલ્મની રીલ-લાઈફ અને રીયલ-લાઈફ ભેગી થઇ ગઈ એમાં સિને પ્રેમીઓઓનું સમગ્ર ધ્યાન ફિલ્મના હીરો ઇકબાલ ખાન પર જ રહ્યું, પણ એમાં ફિલ્મની અમુક બારીક વાતો નજર બહાર રહી ગઈ. જેમ કે, ‘કૂલી’ ફિલ્મમાં કોમ્યુનિસ્ટ વિચારધારાનો હેવી ડોઝ હતો. મનમોહન દેસાઈ મસાલા ફિલ્મો માટે જાણીતા છે. ફિલ્મો બનાવાનો તેમનો મુખ્ય હેતુ દર્શકોનું મનોરંજન કરવાનો અને પૈસા કમાવાનો હતો.

તેમ છતાં, તેમની ‘કૂલી’માં પૂંજીપતિઓ અને શ્રમજીવીઓ વચ્ચેના સંઘર્ષને માર્મિક રીતે પેશ કરવામાં આવ્યો હતો. અમિતાભે ઘણી ફિલ્મોમાં એન્ગ્રી યંગ મેન અથવા વન-મેન આર્મીની ભૂમિકાઓ કરી છે, પરંતુ મનમોહન દેસાઈએ ‘કૂલી’માં પહેલીવાર તેને વર્કિંગ ક્લાસ હીરો તરીકે રજૂ કર્યો હતો. એક તો એ અનાથ છે. તેની માતા સલમા (વહીદા રહેમાન) સાથે મૂડીવાદી ખલનાયક ઝફર ખાન (કાદર ખાન) અન્યાય કર્યો છે. ઇકબાલ એક રેલવે કૂલીને ત્યાં ઉછરે થાય છે. એ કૂલી તરીકે મોટો થાય છે અને રેલવે પ્લેટફોર્મ પર એક ટ્રેનના આગમન વખતે તેને એ જ નાલાયક ઝફર અને તેના બદતમીઝ દીકરા વિકી(સુરેશ ઓબેરોય)નો ભેટો થાય છે. એ દૃશ્યમાં અમિતાભની પહેલીવાર ‘એન્ટ્રી’ થાય છે.

આ દૃશ્ય બહુ અગત્યનું છે. આ પહેલાં જ દૃશ્યમાં મનમોહન દેસાઈ ફિલ્મની વાર્તાના વર્ગ-વિગ્રહને નાટ્યાત્મક રીતે રજૂ કરે છે. કૂલીઓની જિંદગી કેવી છે તેનો પરિચય અહીથી થાય છે. ઈકબાલ તેમનો નેતા છે. ઝફર અને વિકી પૂંજીપતિઓના પ્રતિનિધિ છે. પ્લેટફોર્મ પર જ બંને વર્ગ વચ્ચે સંઘર્ષ થાય છે. ફિલ્મી બોલચાલની ભાષામાં આપણે જેને ‘નંબરિયાં’ કહે છે તે ટાઈટલ્સની શરૂઆત જ અમિતાભના ‘હડતાળ’ના આહ્વાન સાથે થાય છે.

પૂંજીપતિ બાપ-દીકરો એક કૂલી સાથે ગેરવ્યવહાર કરે છે અને ઇકબાલની આગેવાનીમાં કૂલીઓ પ્લેટફોર્મ પર હડતાળ કરે છે. એ વખતે ઇકબાલ એક યાદગાર સંવાદ બોલે છે; “મજદૂર કા પસીના સુખને સે પહેલી ઉસકી મજદૂરી મિલ જાની ચાહીએ, જનાબ.” અમિતાભના લાર્જર ધેન લાઈફ ચારિત્ર્યનાં કારણે આ સંવાદ બહુ ઓછા લોકોના ધ્યાનમાં રહ્યો હશે, પરંતુ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર એમાં સમાયેલો છે.

ફિલ્મના લેખક કાદર ખાને આ સંવાદ લખ્યો હતો. કાદર ખાન અભ્યાસુ લેખક હતા. તેમણે ઇસ્લામિક શાસ્ત્રો અને કોમ્યુનિસ્ટ સાહિત્ય સારું એવું વાંચ્યું હતું. ‘કૂલી’ ફિલ્મમાં કોમ્યુનિસ્ટ અને સૂફી પરંપરાનાં ઘણાં પ્રતીકોનો ખૂબસુરતીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમ કે, હાજી અલીની દરગાહના અંતિમ દૃશ્યમાં ઇકબાલ ‘શાહદા’ (લા ઈલ્લાહા ઇલ્લ લાહ) બોલતાં-બોલતાં ઝફરનો પીછો કરે છે. ઝફરને ધક્કો મારતી વખતે ઇકબાલ ‘તદબીર’ (અલ્લાહુ અકબર) બોલે છે. ઇકબાલના બાવડા પર કૂલીનો બેઝ છે તેમાં ઇસ્લામનો પવિત્ર નંબર 786 છે.

તેવી જ રીતે, ઇકબાલ જ્યારે વિકીના વૈભવી ઘરમાં તોડફોડ કરે છે ત્યારે તેની હાથમાં દાતરડુ અને હથોડો હોય છે. દાતરડુ અને હથોડો રશિયન ક્રાંતિ વખતે શ્રમજીવીઓ અને ખેડૂતોની લડતનું પ્રતીક હતું. ‘મધર ઇન્ડિયા’ નામની સુપરહિટ ફિલ્મ બનાવનારા મહેબૂબ ખાનની ફિલ્મ કંપનીના લોગોમાં દાતરડુ અને હથોડો હતો. એમની ફિલ્મોમાં પડદા પર લોગો ઉભરે ત્યારે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવતો – “મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂર-એ-ખુદા હોતા હૈ.”

મનમોહન દેસાઈએ એ જ પ્રતીકોનો ઉપયોગ કરીને ‘કૂલી’ ફિલ્મના પોસ્ટર્સમાં દાતરડુ અને હથોડો સાથે અમિતાભનું ચિત્ર મુક્યું હતું. બાકી હોય તેમ, કૂલી તરીકે તેનો લાલ યુનિફોર્મ કોમ્યુનિસ્ટ ક્રાંતિનો પણ રંગ હતો. અમિતાભને અકસ્માત ન થયો હોત અને મનમોહન દેસાઈએ લોકોને રીઝવવા માટે ફિલ્મનો અંત બદલ્યો ન હોત તો, શ્રમજીવી વર્ગના કલ્યાણ માટે શહીદ થઇ જતા નાયકના રૂપમાં ઇકબાલ અમર થઇ ગયો હોત.

મજાની વાત એ છે કે ‘કૂલી’નું નિર્માણ એ જ વખતે થયું હતું જ્યારે મુંબઈમાં સૌથી મોટી મિલ હડતાળ પડી હતી અને બે વર્ષ ચાલી હતી. ક્રાંતિકારી મજદૂર નેતા દત્તા સામંતની આગેવાનીમાં અઢી લાખ મિલ મજદૂરોએ કામ બંધ કરી દીધું હતું, જેના કારણે 8 લાખ લોકોને તેની સીધી અસર પડી હતી. એ હડતાળથી મુંબઈના સામાજિક-રાજકીય સમીકરણો બદલાઈ ગયાં હતાં.

મનમોહન દેસાઈએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે મુંબઈના વી.ટી. સ્ટેશન પર લાલ કૂર્તા, સફેદ ધોતી, બાવડા પર બિલ્લા અને મોઢામાં બીડીવાળા કૂલી જોયા હતા. એ લોકો એક સાથે પ્લેટફોર્મ પર બેસતા અને રાત પડે બધાના પૈસા એક ચાદરમાં ભેગા કરીને સરખા ભાગે પહેંચી દેતા. તેમણે અમિતજીને અમર, અકબરમાં એન્થનીમાં બૂટલેગર અને નસીબમાં વેઈટર બનાવ્યા હતા પણ કૂલીઓને જોયા પછી તેમને ઇકબાલનું પાત્ર સુજ્યું હતું.

એક રસપ્રદ વાત એ છે કે કાદર ખાને ઇકબાલ માટે જે સંવાદ લખ્યો હતો તે વાસ્તવમાં મહોમ્મદ પૈગમ્બરે કહેલી વાત છે. આજથી 1450 વર્ષ પહેલાં, અરબમાં ગુલામો પાસે મજદૂરી કરાવવામાં આવતી હતી ત્યારે, ઇસ્લામનો પૈગામ આપવાનું કામ કરતા હજરત અલીએ લોકોને સલાહ આપી હતી કે, “મજદૂરોની મજદૂરી તેમનો પરસેવો સુકાઈ જાય તે પહેલાં અદા કરી દો.” ઇસ્લામના અભ્યાસુ અને ખુદ પોતે દારુણ ગરીબીમાંથી મોટા થયેલાં કાદર ખાને એ વાતને ઇકબાલના મોઢે મૂકીને તેને અમર બનાવી દીધી હતી.

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 30 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0381,0391,0401,041...1,0501,0601,070...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved