કોરોનામાં શ્રમિકો યોગેશ જોષી|Poetry|31 July 2020 ઘરમાં રહે તો ભૂખ મારે ને બહાર નીકળે તો કોરોના. વતન ભણી જવા હાઈ-વે પર ચાલવા લાગે તો પોલીસ મારે. છેવટે શ્રમિકો નીકળી પડ્યા રેલના પાટે પાટે … ક્યાં લઈ જશે રેલના આ પાટા ?! સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2020; પૃ. 04