જીકુભાનો જેજેકાર
‘લ્યો આ રૂપિયા પાંચસો એક રાખો.’



http://zabkar9.blogspot.in/2012/12/blog-post.html
![]()
‘લ્યો આ રૂપિયા પાંચસો એક રાખો.’



http://zabkar9.blogspot.in/2012/12/blog-post.html
![]()
‘હેલો, આસારામ ટ્રેડિંગ? અગરબત્તીનાં દસ કાર્ટૂનનો શું ભાવ છે?’
‘સોરી. આ તો ‘આસારામ બાઝાર (ઇન્ડિયા) લિમિટેડ’ છે. તમારે અગરબત્તીનો પ્લાન્ટ નાખવો હોય તો બોલો. અમારી પાસે અમેરિકાની ટેકનોલોજી, જાપાનના એક્સપર્ટ, ચાઇનાનું રો મટીરીયલ અને ઇન્ડિયાનો મેનપાવર છે.’
‘પણ…’
‘તમને ખબર લાગતી નથી કે હવે અમારૂં સત્તાવાર કોર્પોરેટાઇઝેશન થઇ ગયું છે. રૂપર્ટ મરડોકની કંપનીએ અમારો ૨૭ ટકા હિસ્સો ખરીદી લીધો છે. એટલે કંઇ પણ આડુંઅવળું બોલતાં પહેલાં સત્તર વાર વિચારજો અને ઓસ્ટ્રેલિયા-અમેરિકાની કોર્ટના ધક્કા ખાવાની તૈયારી હોય તો જ બોલજો.’
‘પણ, પહેલાં જે સાધક પાસેથી હું અગરબત્તીઓ ખરીદતો હતો એ..’
‘એ અત્યારે ઇમ્પોર્ટન્ટ ઝોનલ મીટીંગમાં બેઠા છે, તેમના ઉપરી નેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં દિલ્હી છે અને તેમના બોસ સિલિકોન વેલી ગયા છે. અમારો બીજો ૧૩ ટકા હિસ્સો ત્યાંની એક કંપની ‘બિગફ્રોડ ડોટ કોમ’ ખરીદવા ઇચ્છે છે. હવે વધારે કંઇ પણ જાણવું હોય તો ગુજરાતીમાં સાંભળવા માટે ૧, સિંધીમાં સાંભળવા ૨ અને હિંદીમાં સાંભળવા ૩ દબાવજો. હરિ ઓમ.’
આ સંવાદ કાલ્પનિક છે. છતાં અત્યારની ગતિવિધી જોતાં ભવિષ્યમાં તે વાસ્તવિકતામાં ફેરવાય તો નવાઇ ન લાગવી જોઇએ. ધરમના નામે મોટા પાયે ધંધો થવામાં અત્યારે કશું બાકી નથી. પણ એ ધંધાનું કોર્પોરેટાઇઝેશન થાય, તે કલ્પના માટે હજુ અવકાશ છે. માત્ર ને માત્ર નફામાં રસ ધરાવતી કોર્પોરેટ કંપનીઓને ધરમના તગડા ધંધામાં રસ પડે એવી પૂરી સંભાવના પણ છે. કારણ કે તેમાં કોર્પોરેટ જગતના તમામ દાવપેચ ખેલી શકાય અને તેની તમામ કાર્યપદ્ધતિઓ અપનાવી શકાય એવી ગુંજાશ રહે છે. જેમ કે,
ચેઇન સ્ટોર્સઃ અત્યારે અમે ચાર ચર્ચ, છ મંદિર અને ત્રણ મસ્જિદ સાથે સ્પેસ-શેરિંગ બેસીસ પર એરેન્જમેન્ટ કરી છે. ત્યાં એક ખૂણામાં અમારાં સત્સંગ કેન્દ્ર -કમ-સ્ટોર હશે. ધીમે ધીમે અમે આખા ભારતમાં અમારા સ્વતંત્ર ચેઇન સ્ટોર્સ ખોલવા માગીએ છીએ. દરેક સ્ટોરમાં એક જ જગ્યાએથી જગતના બધા ધર્મોનાં પ્રતિક તથા વિધીવિધાનોમાં વપરાતી વસ્તુઓ મળશે.
અમારા ચેઇન સ્ટોરના મેમ્બરને ખાસ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે. કાર્ડ ત્રણ પ્રકારનાં હશે. પ્લેટિનમ કાર્ડ ધરાવતા ગ્રાહકો સીધા તેમના સંપ્રદાય કે પંથના મુખ્ય ગુરૂ સાથે- એટલે કે તેમના પી.એ. સાથે – વાત કરી શકશે. ગોલ્ડ કાર્ડ ધરાવતા લોકો માટે એક્ઝિક્યુટીવ લેવલના ધર્મપુરૂષો સાથે વાતચીતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સિલ્વર કાર્ડધારકો જે તે ધર્મના જાણકાર ગોર મહારાજનો નંબર જોડીને દક્ષિણા ચૂકવ્યા વિના સીધી વાત કરી શકશે. એ સિવાયના ગ્રાહકોની આઘ્યાત્મિક મંૂઝવણના ઉકેલ માટે અમારાં કોલ સેન્ટર તો ખરાં જ.
દેશભરમાં ફેલાયેલા અમારા બધા આઘ્યાત્મિક ચેઇનસ્ટોર એક જ કંપનીના હોવાથી તેમનું નામ ‘સબ કા માલિક એક’ રાખીએ તો કેવું રહેશે?
કોલાબરેશન, મર્જર એન્ડ એક્વીઝીશનઃ કહેવાય છે કે તંબુના માલિકને તેના જ તંબુમાંથી હડસેલી મુકતાં પહેલાં ઊંટે માલિક સાથે કોલાબરેશન કર્યું હતું. એ જ રીતે, મોટી માછલી નાની માછલીને ગળી ગઇ હતી? ના. એ તો નાની માછલીનું મોટી માછલીમાં મર્જર થઇ ગયું. કોર્પોરેટ ક્ષેત્રની આ મનગમતી રમત છે. લક્ષ્મી મિત્તલ કે ટાટા જેવા ભારતીયો આજકાલ પરદેશી કંપનીઓને પોતાનામાં ભેળવી રહ્યા છે, તો ધર્મના ક્ષેત્રે એવું શા માટે ન બને?
ભારતના સમૃદ્ધ સંપ્રદાયો વેટિકન સાથે ‘સ્ટ્રેટેજિક કોલાબરેશન’ દ્વારા ઇટાલી-ફ્રાન્સથી માંડીને બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં પોતપોતાની શાખાઓ સ્થાપી શકે છે. જરા કલ્પના તો કરોઃ ટીમ્બકટુ કે હોનોલુલુની ગલીઓમાં દેશી સંપ્રદાયોના જયજયકાર કરતાં પાટિયાં વાંચવા મળે તો કેવો વિશ્વવિજય થઇ જાય! અને આ ક્ષેત્ર એવું હશે, જેમાં ચીન કદી ભારતનો મુકાબલો નહીં કરી શકે.
ધન અને ધર્મસત્તાની બાબતમાં વેટિકન ભારતના સંપ્રદાયો-પંથો કરતાં જરાય ઉતરતું નથી. એટલે કોલાબરેશન પછી કશ્મકશ તો ઘણી થાય. પણ ત્યાં સુધીમાં ભારતનો – ખાસ કરીને ગુજરાતનો કોઇ ફિરકો તિબેટના દલાઇ લામા સહિત બીજા નાના-મોટા સમુહોને અનુયાયીઓ સહિત એક્વાયર કરી લે, અમુક બાવાઓને તેમની ‘ક્રિમિનલ લાયેબીલીટી’ સહિત ટેક ઓવર કરવામાં આવે અને સમૃદ્ધ ભક્તમંડળ ધરાવતા કથાકારોને પોતાના બોર્ડ મેમ્બર બનાવી દે, તો તેમની કંપનીના (શેરહોલ્ડર્સની જેમ) ‘ફેઇથહોલ્ડર્સ’ની સંખ્યા અને તાકાત ઘણાં વધી જાય. ત્યાર પછી વેટિકન સાથે કામ પાડવામાં – અને વખત આવ્યે તેની પર નજર બગાડવામાં સરળતા રહે.
વિદેશની લ્હાયમાં દેશને ભૂલી શકાય નહીં, એ ધરમ સહિતના સૌ ધંધાર્થીઓ સમજે છે. એટલે દેશમાં રાજ્યસ્તરે એકબીજા સાથે કોર્પોરેટ રમતો રમી શકાય. ધારો કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં બાપા અને દાદા વચ્ચે કોલાબરેશન હોય, તો પણ બાકીનાં માર્કેટ માટે બન્ને વચ્ચે સ્પર્ધા હોઇ શકે. મુક્ત બજાર થઇ ગયા પછી એકબીજાના અનુયાયીઓ તોડવા માટે મુક્ત મને પ્રયાસ કરવામાં કશો છોછ ન હોય. પ્રસાર માઘ્યમોમાં ફિરકાઓની જાહેરખબર આવતી થઇ જાય, જેમાં પરદેશમાં તેમની કેટલી શાખાઓ છે તેનો ખાસ ઉલ્લેખ હોય. ‘૫૬ દેશ. ૧૨૭ ભાષા. ૧ નામ. જય ભોગેશ્વર’ એવાં ચબરાકીયાં સૂત્રો કોઇ ફોન નેટવર્કની નહીં, પણ સંપ્રદાયોની જાહેરખબરમાં જોવા મળી શકે.
આઉટસોર્સિંગ અત્યારે સ્થિતિ એવી છે કે મોટા ભાગના ફિરકા પોતપોતાના વિરોધીઓને સીધા કરવા માટે કેટલાક ભક્તોનું શરીરબળ ખપમાં લે છે અથવા આ કામમાં ઉપયોગમાં લઇ શકાય એવા બળુકા પુત્રોને ભક્ત બનાવે છે. પરંતુ આખો ધંધો વૈશ્વિક થશે અને આંતરરાષ્ટ્રીય કાયદાકાનૂનનો મામલો આવશે, ત્યારે કોને ખબર? અમેરિકાનો નવો પ્રમુખ દીદી પાસે રાખડી ન પણ બંધાવે કે બાપાના આશીર્વાદ ન પણ લે. એ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બ્રાન્ડ ઇમેજની ખેવના કરતા ફિરકા ‘મસલ પાવર’નું આઉટ સોર્સિંગ કરી દેશે. વર્ષે એક વાર ‘ભાઇ’ સાથે કોન્ટ્રાક્ટ રીન્યુ કરી લીધો, એટલે આખું વર્ષ હાથ ખરડવાની જરૂર નહીં. દરમિયાન, કેટલાક ભાઇલોગ પણ અઘ્યાત્મ તરફ વળવાનું વિચારતા હશે- પોલીસના દબાણથી નહીં, પણ ધંધાના આકર્ષણથી. તેની શરૂઆત અત્યારથી થઇ જ ચૂકી છે. કેટલાક બાવાઓના ભૂતકાળ તપાસતાં તેની ખાતરી મળી જશે.
આઇપીઓઃ મોટી કંપનીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ- ટૂંકમાં પબ્લિક ઇશ્યુ કાઢે છે. તેના થકી લોકોના રૂપિયા ઉઘરાવીને, પોતાની આવડતથી લોકોના પૈસે પોતે ફૂલેફાલે છે. આ રિવાજ કોર્પોરેટ ક્ષેત્રનો છે? બિલકુલ નહીં. કોર્પોરેટ ક્ષેત્રમાં વારેઘડીએ આઇપીઓ કાઢી શકાતા નથી, જ્યારે અઘ્યાત્મમાં અલગથી આઇપીઓ કાઢવાની જરૂર પડતી નથી. પહેલેથી છેલ્લે સુધી તે લોકોના પૈસે જ ચાલે છે, છતાં લોકોને તેમાં શેર (ભાગ) આપવાનો હોતો નથી. આ રિવાજ એવો છે કે તેમાં કોર્પોરેટ ક્ષેત્રને અઘ્યાત્મનું અનુકરણ કરવાનું મન થાય.
![]()
ગોધરા – અનુગોધરાની સાતવરસીએ સરવૈયું તો શું કાઢીએ. જ્યાં સુધી રાજ્ય સરકારનો સવાલ છે, પહેલાં જે વાત કેન્દ્રીય પોટા સમીક્ષા સમિતિએ કહી હતી તે જ આ દિવસોમાં ગુજરાત હાઇકોર્ટે પણ કહી છે કે ગોધરાની નિર્ઘૃણ ઘટના કોઈ આતંકવાદી કાવતરાની ઘટના હોય એવું નથી. તે ગુનાઇત અને એથી આકરી સજાને પાત્ર અવશ્ય છે, પણ તમે જેને 'પ્રિવેન્શન ઑફ ટેરર' સારુ બનાવેલ કાયદો એટલે કે પોટા કહો છો એનો કેસ આ નથી.
મુદ્દે, પોટા સમિતિએ અને તે પછી સર્વોચ્ચ અદાલતે સુદ્ધાં આમ કહ્યા છતાં રાજ્ય સરકાર પોટાને વળગી રહી છે. એનો અર્થ જ એ થયો કે તે કાયદાના શાસન બાબતે બેપરવા છે – બલકે, એથી વિપરીત વલણને વરેલી અને વળગેલી છે. સર્વોચ્ચ અદાલતના આદેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના તપાસ હેવાલમાં, ૨૦૦૨ના બધા જ મુખ્ય કેસો બાબત (રાજકીય નેતૃત્વના દબાણથી) પોલીસે રફેદફે અગર પરબારા ફાઈલ કર્યાની કે પછી મેળાપીપણું દાખવ્યાની જે છબિ હમણાં માયા કોડનાની પ્રકરણમાં વધુ એક વાર માલૂમ પડે છે તેમાં પણ કાયદાના શાસન બાબતે રાજ્ય સરકારની ઉલાળ મુદ્રા રાબેતા મુજબ દેખાઈ આવે છે.
સરકાર અને સત્તાપક્ષનો આ રવૈયો તેમજ આ ભૂમિકા તપાસીએ ત્યારે સમજાઈ રહેતી વાત એ છે કે આ બધું જે ન બનવાનું બન્યું તે એમને પોતાની ચોક્કસ રાજકીય વિચારધારાને કારણે કદાચ ધર્મ્ય ને કર્તવ્ય જેવું લાગતું રહ્યું છે. મતમૃગયાનો મુદ્દો , બને કે, પછીથી ઉપસ્થિત થતો હોય – પણ 'આતતાયી'ના વધમાં ધર્મકર્તવ્ય જોતી માનસિકતા કદાચ પહેલી આવતી હશે.
જ્યાં સુધી સુશિક્ષિત ગુજરાતી વર્ગનો સવાલ છે, એનાં મનોવલણો જોકે વધુ તપાસ માગી લેતાં, ચિકિત્સાલય એટલાં જ ચિંતાજનક પણ છે. કૉંગ્રેસ કે બીજા પક્ષો બાબતે આ વર્ગમાં વિરોધ-અગર-વાંધા-લાગણી હોય તો ભલે હોય. વિકલ્પની શોધમાં ગુજરાતમાં બીજું કોઈ ન જડે અને માત્ર ભાજપ જ સક્ષમ લાગે તેમ હોય તો ભલે હોય. આ વર્ગે માત્ર એ એકબે સવાલના જવાબ, નાગરિક સમાજની દૃષ્ટિએ આપવા રહેશે : કાયદાના શાસનમાં તમે માનો છો કે કેમ. જો કાયદાના શાસનનું ઉલાળિયું કરવામાં કોઈ રાજકીય વિચારધારાકીય સમર્થન મળી રહેતું હોય તો તમને તેમાં વાંધો છે કે કેમ.
જો આટલા બે સીધાસાદા સવાલ ગુજરાતમાં અને બૃહદ્ ઉર્ફે એનઆરઆઈ ગુજરાતમાં ગુપચાવાઈ શકાતા હોય તો એનું કારણ સરકારી તેમજ સત્તાપરિવારી ધોંસ અને દોંગાઈમાં જ માત્ર નથી. જે સુખી, શિક્ષિત મધ્યમવર્ગ સામાન્યપણે વિચારક્ષમ લેખી શકાય એની સરળ ગાફેલિયત પણ આ સવાલોની ગુપચામણી વાસ્તે જવાબદાર છે.
તમે જુઓ કે ૨૦૦૨નું રાજકીયશાસકીય નેતૃત્વ અને આજનું રાજકીયશાસકીય નેતૃત્વ, બેઉમાં ફેર છે એમ આપણને કહેવામાં આવે છે. અને પછી ઉમેરવામાં આવે છે કે આ તો એક સીઈઓ ઉભરી રહ્યો છે, પણ તમે તમારા જૂના ખયાલો છોડી શકતા નથી. ભાઈ, તમે એ તો કહો મને કે જો ૨૦૦૨ના અને ૨૦૦૯ના નમો જુદા હોય અને એથી સ્વીકાર્ય બનતા હોય તો તે જ્યારે આજના જેવા નહોતા એટલે કે ૨૦૦૨માં પેશ આવ્યા એવા હતા ત્યારે એ તમને મારી પેઠે અસ્વીકાર્ય લાગ્યા હતા કે કેમ. જો ત્યારેય સ્વીકાર્ય હતા અને આજેય સ્વીકાર્ય હોય તો પછી એમનામાં ફેર શો આવ્યો. એટલું સમજાય છે કે સીઈઓ સ્વાંગ અગર તો વાઈબ્રન્ટનો વેશ હાલની તરાહ ને તાસીરમાં ઠીક બંધબેસતો આવે છે અને એની મોહનીમાં તમે ૨૦૦૨નું દાયિત્વ ભૂલી પણ જઈ શકો.
જેને હું વ્યક્તિફેરે 'સરળ ગાફેલિયત'નો અગર 'સપાટ સમજ'નો કિસ્સો કહેવું પસંદ કરું તેવી એક બીજી વાત પણ ગોધરાની સાતવરસીએ કરી લેવી જોઈએ. આ આખી ચર્ચાને બિનસાંપ્રદાયિકતા વિ. સર્વધર્મસમભાવમાં નાહક ગૂંચવી નાખવામાં આવે છે. અથવા તો, ગાંધીજીની ધર્મભાવનાની આડશ લઈને હિંદુત્વ રાજનીતિના ટીકાકારોને આંતરવામાં આવે છે. ભાઈ, તમને બિનસાંપ્રદાયિકતાથી ઓછું આવતું હોય તો જરૂર સર્વધર્મસમભાવની સમજમાં રોપાઈને વાત કરો. કશો વાંધો નથી. આમ પણ, રાજ્ય સાંપ્રદાયિક પક્ષપાત વગરનું એટલે કે બિનસાંપ્રદાયિક હોય અને સમાજના સ્તરે સર્વ ધર્મો વચ્ચે તેમજ સર્વ ધર્મો પરત્વે સદ્બાવ-સમભાવ પ્રવતતો હોય એ એક ઇષ્ટ વાત છે. ગયે મહિને મહુવામાં યોજાઈ ગયેલ ધર્મસંવાદ બાબતે બહાર આવેલી વિગતો વાટે આપણે જોયુંજાણ્યું તેમ ધર્મસંસ્થા પરત્વે તેમજ જે તે ધર્મ પરત્વે આલોચનાત્મક દૃષ્ટિબિંદુ શક્ય હોવાનું લૉજિક તો ધર્મવડાઓ સુદ્ધાં સ્વીકારે છે.
રાજ્ય સરકારે કાયદાના શાસન પરત્વે જે ઘોર અવજ્ઞા અને અવમાનના દાખવી તેની ચાલના સત્તાપક્ષના સાંપ્રદાયિક વલણમાં પડેલી હતી એવું જેમણે બિનસાંપ્રદાયિક ભૂમિકાએ ઊભીને કહ્યું એમણે શો ગુનો આચર્યો, કોઈ તો કહો. અગર તો, જેઓ એને વિકલ્પે સર્વધર્મસમભાવની ભૂમિકાએ ઊભીને વાત કરવાની હિમાયત કરે છે તેઓ રાજ્ય સરકાર અને સત્તાપરિવારની જવાબદારી નક્કી કરવામાંથી છટકી જવાનું લાઇસન્સ કઈ રીતે મેળવે છે, કોઈ તો કહો. અથવા, હું ગાંધીજીની ધર્મભાવનામાં માનવાનો દાવો કરતો હોઉં તેથી રાજ્યના અઘોર કૃત્ય પરત્વે આંખ-આડા-કાન કરવાનું કશું વાજબીપણું હોય તો તે મને કોઈ સમજાવો.
આ દિવસોમાં ખબર નથી, એ જોગાનુજોગ હોય કે સાભિપ્રાય, પણ આ દિવસોમાં એટલે કે ગોધરાની સાતવરસીએ જ મહુવામાં સદ્ભાવના પર્વ યોજાઈ રહ્યું છે. વિશ્વગ્રામ (સંજય તુલા)ની પહેલથી કેટલાક મહિના ઉપર મોરારિબાપુની ઉપસ્થિતિમાં અહિંસા, શાંતિ, કોમી સંવાદિતા બાબતે શરૂ થયેલ સહચિંતન દોરના નિચોડ રૂપે રચાયેલ સદ્બાવના ફોરમના ઉપક્રમે મળી રહેલ સદ્ભાવના પર્વની જુદી જુદી બેઠકોમાં નારાયણ દેસાઈ, મૌલાના વહીદુદ્દીનખાન, ચંદ્રશેખર ધર્માધિકારી, દિલીપ સિમીયન, નરોત્તમ પલાણ અને શરીફા વીજળીવાળા વગેરે માંડણી કરવાનાં હોઈ પેલી 'સરળ ગાફેલિયત' અને 'સપાટ સમજ'થી ઊંચે ઊઠવાની ગુંજાશ એમાં અવશ્ય છે. જો એકત્ર સમુદાય આ ગુંજાશને કાલવી નહીં શકે તો 'સદ્ભાવના' અને 'સમભાવ' જેવા શબ્દપ્રયોગો ખાલી ખાલી ખખડ્યા કરશે, અને છેલ્લાં સાત વરસથી આપણે ત્યાં જે પ્રજ્ઞાઅપરાધની પરંપરા જારી છે એને સારુ ભલે અભાનપણે પણ અંજીરપાંદની ગરજ સારશે. હમણાં નિર્દેશી તે ગુંજાશને કાલવવા સારુ આ પર્વના નિમંત્રકો (તુલાસંજય, મહમંદ શફી મદની, સત્યકામ જોશી, ફાધર વિલિયમ, રાંગ દીવેટીઆ, ડંકેશ-ભારતી) મહુવાની ચર્ચા વિગતો અને તારણનોંધ ગુજરાતસુલભ કરે તે ઈષ્ટ લેખાશે.
![]()

