આજથી સ્વીટ્ઝર્લેન્ડમાં દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું વાર્ષિક સંમેલન શરૂ થશે. આ સંમેલનમાં દુનિયાના મોટા ભાગના દેશના અગ્રણીઓ મળશે અને અર્થતંત્ર, વ્યાપાર, વૈશ્વિક સમસ્યાઓ, રાજકીય મુદ્દાઓ વગેરે અંગે મોટી મોટી ચર્ચાઓ કરાશે પછી પાર્ટીઓ માણશે. દેશના વડાઓ સ્વીટ્ઝર્લેન્ડની સફરનો લુત્ફ ઉઠાવાશે અને મોજશોખ કરીને સ્વદેશ સીધાવી જશે.
આ બેઠકમાં આર્થિક બાબતો કેન્દ્રમાં હશે, પણ કમનસીબે તેમની ચિંતાનો વિષય દુનિયાભરના આમ આદમીની આર્થિક સંકડામણ નહીં હોય! અને એટલે જ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના આવાં સંમેલનોનો ઘણા સભાન નાગરિકો અને બૌદ્ધિકો દ્વારા વિરોધ થતો આવ્યો છે. આ વખતે દાવોસ ખાતે સંમેલન શરૂ થાય તેના આગલા દિવસે જ બ્રિટનની દાતા સંસ્થા ઓક્સફામ દ્વારા 'વર્કંિગ ફોર ધ ફ્યુ : પોલિટિકલ કેપ્ચર એન્ડ ઇકોનોમિક ઇનઇક્વાલિટી' નામનો અહેવાલ પ્રસિદ્ધ કરીને દુનિયામાં વધતી આર્થિક અસમાનતા તરફ રાજકીય-આર્થિક વડાઓનું ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી છે.
આ અહેવાલમાં અનેક દેશોની ૧૯૮૦થી ૨૦૧૨ દરમિયાનના સમયગાળાની આર્થિક વિગતોનું વિશ્લેષણ કરીને કેટલાંક તારણો રજૂ કરવામાં આવ્યાં છે, જે ચોંકાવનારાં છે. વિકસિત અને વિકાસશીલ એમ બન્ને પ્રકારના દેશોમાં કઈ હદે આર્થિક અસમાનતા વધી રહી છે, તેનો વિસ્તૃત ચિતાર આ અહેવાલમાં વ્યક્ત કરાયો છે. આ અહેવાલનું શીર્ષક પણ ઘણું સૂચક છે – વર્કિંગ ફોર ધ ફ્યુ, જેનો અર્થ થાય, અમુક લોકો માટે જ બધું કાર્ય કરવામાં આવે છે!
આ અહેવાલમાં શબ્દો ચોર્યા વિના જણાવાયું છે કે આજકાલ સરકારો અમીરો, મૂડીપતિઓ અને ઉદ્યોગપતિઓના હાથની કઠપૂતળી બની ગઈ છે. સરકાર મૂડીપતિઓનાં હિતો તરફી જ નિર્ણયો લે છે, કાયદા ઘડે છે અને અમીરોને જ વધારે અમીર બનાવે છે. આમ, લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર પણ સાધારણ લોકો માટે નહીં પણ અમુક ખાસ લોકો માટે જ કામ કરતી હોય છે. આપણા દેશમાં સાંસદો પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછતાં હોવાનો પર્દાફાશ થયો હતો, જેણે આ અંગે પુરાવો પૂરો પાડેલો છે.
આ અહેવાલમાં તીવ્ર બનતી આર્થિક અસમાનતા દર્શાવતાં કેટલાક આંકડા પણ રજૂ કરાયા છે. વિશ્વમાં એક ટકા અમીર લોકો પાસે દુનિયાની અરધી વસતી કરતાં વધારે સંપત્તિ છે. દુનિયાના માત્ર ૮૫ અમીર લોકો પાસે જેટલી સંપત્તિ છે, એટલી સંપત્તિ દુનિયાની અરધી ગરીબ વસતી પાસે પણ નથી! છેલ્લાં પચીસ વર્ષમાં ગણતરીના લોકો પાસે જ ધન-સંપત્તિ કેન્દ્રિત થતી ગઈ છે, તેનો આ પુરાવો છે. દુનિયામાં એક તરફ સંપત્તિની રેલમછેલ છે તો બીજી તરફ બે ટંકનું ખાવાનાં પણ સાંસા છે. અમીર વધુ અમીર બનતો જાય છે અને ગરીબ વધુ ગરીબ. આર્થિક અસમાનતાની ખાઈ દિવસે દિવસે વધી રહી છે અને હવે તો વિકરાળ બની ગઈ છે. આરબ વસંત હોય કે ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ આંદોલન હોય કે પછી આપણા દેશમાં વકરતો નક્સલવાદ હોય, આ બધાનાં મૂળમાં આખરે તો તીવ્ર આર્થિક અસમાનતા અને આર્થિક અન્યાય જ કારણભૂત છે.
લોકશાહી દેશોમાં સ્વતંત્રતા છે, પણ સમાનતા નથી અને એટલે જ અશાંતિ, અસ્થિરતા અને અંધાધૂંધીને આમંત્રણ મળતું હોય છે. આર્થિક અસમાનતાને કારણે અનેક સામાજિક સમસ્યાઓ પેદા થાય છે. આ અહેવાલમાં દાખલા-દલીલ સાથે આર્થિક અસમાનતાના ઉપાય પણ દર્શાવ્યા છે, આશા રાખીએ કે દાવોસમાં મળનારા નેતાઓ એ અંગે સકારાત્મક રીતે વિચારશે. આર્થિક અસમાનતાનો ઉકેલ કાઢવામાં નહીં આવે તો પછી કોઈ સરકાર કે વ્યવસ્થા પણ અમીરને ધોળા દિવસે લૂંટાતો બચાવી શકશે નહીં!
http://www.sandesh.com/article.aspx?newsid=2903068
![]()


ગીત-ગઝલ-અછાંદસ-સૉનેટ-આખ્યાન જેવાં પદ્ય સ્વરૂપોની સાથેસાથે વાર્તા-નવલકથા-નાટક-સ્ક્રીપ્ટલેખન જેવા ગદ્ય સ્વરૂપોમાં રમમાણ રહેતા ડૉ. ચિનુ મોદી 'ઇર્શાદ'ને એક સર્વાંગી સાહિત્યકાર રૂપે સહુ કોઈ સુપેરે જાણે છે. આ બહુમુખી પ્રતિભાએ પોતાની કલમને માત્ર સાહિત્યની શતરંજના ચોકઠામાં જ કેદ નથી કરી રાખી, પરંતુ સમયાંતરે કૉપિ, કૉલમ જેવા સ્વરૂપોમાં પણ ઝબોળી રાખીને સમૂહ માધ્યમોની અનેક સૃષ્ટિમાં તેના થકી રંગોભર્યા છે. સાહિત્યકાર તરીકે આગવું નામ-કામ-દમામ ધરાવતા ડૉ. ચિનુ મોદી કૉપિરાઇટર તરીકે પણ સફળ રહ્યા છે. તેમના અનેક જિંગલ, સ્પોટ આજે પણ લોકજીભે છે. તો આવો, ડૉ. ચિનુ મોદીની સાહિત્ય સિવાયની એક અનોખી માધ્યમ સૃષ્ટિમાં લટાર વિશે એક આછેરો ખયાલ મેળવવા તેમની સાથે કરેલો એક વિશિષ્ટ વાર્તાલાપ માણીએ.
રેમઠ શરૂ થયું અને 'રે' નો પહેલો અંક આદિલે ડિઝાઇન કર્યો. રાવજીનું કાવ્ય પહેલી વાર સારા સામયિકમાં પહેલું છપાયું. દોઢ ડાહ્યા આનું આ દોઢ માસિક. રેનો તંત્રી-પ્રકાશક હું. ૧૬, જિતેન્દ્ર પાર્કથી એ પ્રગટ થાય. હું ૧૯૬૩-૬૪ માં કપડવણજ હતો અને જે સામયિક ૧૬, જિતેન્દ્ર પાર્કથી પ્રગટ થતું એ રેના પહેલા પાના પર એવી લાઇન પ્રકટ થઈ કે 'રેમાં પ્રકટ થતી કૃતિઓ અમે સમજીએ છીએ તે માની લેવું નહીં.' અને મારામાંના અધ્યાપકે તેનો વિરોધ કર્યો. તો 'રે' સારંગપુર ચકલાથી શરૂ થયું. 'રે' દોઢ વર્ષ ચાલ્યું. આજે પણ જોશો તો સિતાંશુ યશશ્ચંદ્ર, દિલીપ ઝવેરી, રાજેન્દ્ર શુક્લ એ સહુ. લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સૂરી, મનહર મોદી સાથે ઉપસ્થિત છે. હજી રમેશ પારેખનો પરિચય કોઈને નહોતો. હું 'શ્રીરંગ'નો સંપાદક હતો ત્યારે રમેશ પારેખ 'યાયાવર'ની એક ગઝલ 'ચશ્માના કાચ પર' મને પોસ્ટમાં મળી અને મેં રમેશને લખ્યું તારી ગઝલ 'કૃતિ'માં છાપીએ ત્યારે કૃતિ સામયિક શરૂ થઈ ગયેલું. અને રમેશનો તરત જવાબ આવેલો 'છાપો છાપો, બાપલા'. 'રે'ના અંકમાં મુખપૃષ્ઠ ભૂપેન ખખ્ખર, જેરામ પટેલ, પિરાજી સાગરા જોવા મળશે. આદિલ મન્સૂરીનાં તમામ તોફાનો 'રે'ના મૃખપૃષ્ઠને અને 'રે'ના અંકોને ચકડોળે ચડાવતા. દિવાળી અંક આખેઆખો કોરો કાઢવામાં આવ્યો. એક અંકમાં રે-વીટીઓ તૈયાર થઈ ગઈ છે તેવી જાહેરાત કરવામાં આવી. ઘોડાની નાળ ચંદ્રક તરીકે આપવાની જાહેરાત, પુત્તમત્તાય પુત્તાલ ઘોસાલ (એટલે વાંઝણી રાંડનો) તથા સુરેશ જોશીએ સંયુક્ત રીતે નિર્ણય કરીને મુનિશ્રી બામ એકસો એકને આપેલો. આ બધી 'કુમાર ચંદ્રક' અને 'રણજિતરામ ચંદ્રક'ની મશ્કરી હતી. એક અંક પર 'ફિર વહી દિલ લાયા હૂં' એવી પંક્તિ છાપવામાં આવી. 'રે'નો છેલ્લો અંક હિટલર અંક તરીકે બહાર પડ્યો, જે પ્રબોધ પરીખે સંપાદિત કર્યો હતો. આ અંકમાં લાભશંકરે લખ્યુંં 'ગાંધીને હું ચાહી શકતો નથી અને હિટલરને ધિક્કારી શકતો નથી.'