
ઇ.સ.૧૮૬૫ :
ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, અને સંસ્કૃિતના અભ્યાસ, સંશોધન, અને સંવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ‘ફાર્બસ ગુજરાતી સભા’ની સ્થાપના ૧૮૬૫માં થઈ હતી. આજના ગુજરાત રાજ્યમાં પણ આ ક્ષેત્રે કામ કરતી આટલી જૂની સંસ્થાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલી છે.
હેતુઓ :
• ગુજરાતને લગતા તેમ જ ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવા અને તેમાંના જે મુદ્રિત સ્વરૂપમાં સરંક્ષણ યોગ્ય હોય તેમના સંશોધન કરવા અને પ્રસિદ્ધ કરવા.
• અનુકૂળતા પ્રમાણે સંસ્કૃત, અંગ્રેજી, પ્રાકૃત, ફારસી તેમ જ બીજી ભાષાઓનાં શિષ્ટ અને ઉપયોગી ગ્રંથોનાં ભાષાંતર-સંપાદન કરાવવાં.
• ગુજરાતી ભાષામાં રચાયેલા સ્વતંત્ર ગ્રંથોને ઉત્તેજન આપવું.
• ગુજરાતી ઇતિહાસ, ભાષા અને સાહિત્યને લગતાં સંશોધનાત્મક પ્રકાશનો હાથ ધરવાં.
• અનુકૂળ સંજોગો ઊભા થતાં સંશોધન કેન્દ્ર શરૂ કરવું.


![]()


મનમંજૂષામાં ૬૫-૬૭ વર્ષ પહેલાં બાળપણ અને નાનકડું ગામ ગલિયાણા અને પછી જસદણની સ્મૃિતઓ સચવાઈને પડી છે. ભાદર, ભાદર કાંઠે ધરોખડામાં, ઘેલો નદી અને તેની આજુબાજુએ પહાડો અને વનરાઈઓમાં અમારાં પગલાંની છાપ તો ભૂંસાઈ ગઈ હશે, પરંતુ હજુએ હૃદયમાં તો કોતરાઈને પડી છે. કેટલાંક કૂવાઓમાં તાગ લેવાં જતાં પથ્થરોએ છોલેલાં હાથપગમાંથી વહેલાં રુધિર પાણીમાં ભળ્યાં હશે અને ‘કોઈનું લોહી વહ્યું અહીંયાં ….’ જાણ્યા વગર તે કૂવાઓ પણ પૂરાઈ ગયા હશે.
ભગતસિંહને રોલમોડલ માનનારા યુવાનો ભાગ્યે જ તેમના નાસ્તિકપણાથી પરિચિત હોય છે, કારણ કે તેમના ઈશ્વર અને ધર્મ પ્રત્યેના અણગમાની ચર્ચા મોટા ભાગે ટાળવામાં આવે છે. આવતી કાલે ૨૩મી માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીને ૮૪ વર્ષ પૂરાં થશે. આ નિમિત્તે ભગતસિંહના વ્યક્તિત્વના આ અવગણાયેલા પાસા અંગે જાણીએ.