‘હલો ….’
‘અલ્યા, કાશીબા આવ્યાં છે. તને બહુ યાદ કરે છે.’ પ્રવીણનો અવાજ હતો.
‘કાશીબા? આપણી કૉલેજવાળાં કાશીબા?’ મને આશ્ચર્યનો ધક્કો લાગ્યો.
‘કેવી રીતે આવ્યાં? એમની ઉંમર તો ..’
‘હું ઇન્ડિયા ગયો હતો. મારી સાથે પરાણે ખેંચી લાવ્યો છું. બીજી વાત પછી ..’ એણે ફોન મૂકી દીધો.
કાશીબાના હાથના રોટલા ખાઈને જ તો પ્રવીણ આજે શીકાગોનો મોટો શ્રીમંત ઉદ્યોગપતિ બની ગયો છે.
મારી સ્મૃિતમાં રહેલી કાશીબાની યાદ સળવળી ઊઠી. એમની સાથે કશું સગપણ તો નહોતું. ‘દર મહિનાની પહેલી તારીખે પૈસા લો અને તમારે રસોડે અમને જમાડો.’ બસ, આ અમારું સગપણ. અમે કુલ ચાર વિદ્યાર્થીઓ હતા. નવા નવા કૉલેજના પહેલા વર્ષમાં દાખલ થયેલા. સાંકળમુકડ ભાડાની એક રૂમમાં રહેતા અને સામે આવતી જિન્દગી વિશેના જાતજાતનાં રંગબેરંગી સપનામાં રાચતા રહેતા.
કાશીબાના રસોડા વિશે પ્રવીણે જ કહેલું એટલે અમે એમને મળવા પહોંચી ગયેલા. અમારા રૂમની નજીક જ હતાં. જગ્યા બહુ નાની હતી. એક જ રૂમ હોય એવું લાગ્યું. એક ખૂણામાં પિત્તળના બે સ્ટવ પડ્યા હતા. સ્ટવની બાજુમાં એક નાના ખોખામાં દીવાસળીની પેટી, સ્ટવની એકબે પીન અને સ્ટવ સળગાવવાનો કાકડો પડ્યાં હતાં. બાજુના પાણિયારા પર બે માટલાં અને પિત્તળનો ડોયો લટકતો હતો. બારણા પાછળના ખૂણામાં ગ્યાસતેલનો ડબ્બો અને પંપ મૂકેલા હતા. લાકડાનો એક પટારો દેખાતો હતો એમાં એમની બીજી બધી ઘરવખરી હશે એવું લાગતું હતું.
‘આવો, ભૈ ….’ કાશીબા એક કથરોટમાં લોટ ચાળતાં હતાં. એ બંધ રાખી એમણે લોટની એ કથરોટ અને ચાળણી બાજુમાં મુક્યાં અને અમને આવકાર્યા. અમે પલાંઠી વાળીને નીચે ગોઠવાઈ ગયા.
‘નમસ્તે કાશીબા ….’ કહી મેં શરૂઆત કરી. ‘કાશીબા, અમારે તમારા રસોડામાં જમવાની ગોઠવણ કરવી છે.’
‘તમારા ચાર જણ માટે ?’
‘હા,’ મેં કહ્યું.
‘ભૈ, ચાર જણાનું રાંધવાનું તો મારાથી નહીં પહોંચી વળાય. અત્યારે મારે ત્યાં બે જણ જમે છે. એમાંથી એક જણ ભણી રહ્યો છે, એટલે એ જવાનો છે. એની જગ્યાએ હું એક જણને જમાડું. બહુ તો બે જણાને. ચારે જણાને તો નહીં. પણ ભૈ, તમને અહીં મારે ત્યાં આવવાનું કોણે કહ્યું?’
‘એણે જ. જે ભણી રહ્યો છે એ પ્રવીણે જ. અમે એમને ઓળખીએ છીએ .. એ હવે અમેરિકા જાય છે.’
‘એ તો મને કહેતો હતો કે પરદેશ જવાનો છે!’
‘એ જ, પરદેશ એટલે જ અમેરિકા. ત્યાં ભણવા જવાનો છે.’
‘એ મૂઓ, ભણવામાં બહુ હોશિયાર. પણ ખાવા–પીવામાં જરાયે ધ્યાન નહીં. ધમકાવીને પરાણે મારે એની થાળીમાં મૂકીને ખવરાવવું પડે. ભૈ, ઊગતું શરીર હોય એટલે શરીરને બરાબર પોષણ તો આપવું જ પડે ને! આ ભાવે ને પેલું ન ભાવે એવું નાના છોકરા જેવું કંઈ ચાલે? ચાર વરસથી હું એને જમાડતી આવી છું; પણ મારે તો રોજનો જ કકળાટ.’
એમ કહીને કાશીબા એકાએક ગળગળાં થઈ ગયાં. એમના ‘મૂઓ’ શબ્દમાં પણ વહાલ હતું. આંખો ને નાક લૂછી આગળ બોલ્યાં, ‘એ જમવા નહીં આવે તે દહાડે મને ….’ અમે ગમગીન બનીને કાશીબા તરફ જોતાં જ રહ્યા.
‘ભૈ, બહુ હારુ…. એ તો જ્યાં જશે ત્યાં ભણીને નામ કાઢશે. મને કહ્યા કરતો હતો કે અહીંની કૉલેજમાં પણ પોતે પહેલા નંબરે પાસ થાય છે. ભૈ, છોકરો ભલો અને સીધો છે. નોકરી કે ધંધો કરીને બહુ કમાશે. ફક્ત એના ખાવા–પીવાનું ધ્યાન રાખે એવી બૈરી એને મળી જાય, એટલે બસ.’
કાશીબાને ત્યાં જમનારા છોકરાઓ માત્ર એમના ‘ઘરાક’ જ નહોતા તે આ વાતચીત દરમિયાન મેં કાશીબાને બરાબર ઓળખી લીધાં. એ માત્ર પૈસા માટે રાંધવાવાળાં ‘રસોયણ બાઈ’ નહોતાં. પૈસા લઈને જમાડવા કરતાં કાળજી વધારે રાખતાં. સાથે ‘વાત્સલ્ય’ અને ‘માતૃત્વ’ પણ પીરસતાં.
કાશીબા હા–ના કરતાં રહ્યાં અને સમજાવી–પટાવીને મેં અમારા ચારેનું જમવાનું એમને ત્યાં ગોઠવી દીધું. પહેલા મહિનાના પૈસા પણ આપી દીધા. કાશીબાએ અઠવાડિયાની વાનગીમાં શું શું જમાડશે તે અમને સમજાવી દીધું. એક કડક સૂચના પણ આપી દીધી. થાળીમાં સહેજ પણ એંઠું રાખીને અનાજ અને પૈસાનો બગાડ પોતે નહીં ચલાવી લે. ભાવે કે ન ભાવે, બધું જ ખાવાનું.
કાશીબાની મારા પર બહુ ઊંડી અને ઉમદા છાપ પડી. વિધવા હતાં. પચાસેકની ઉમ્મર, પ્રેમાળ અને સૌમ્ય ચહેરો. એકલે હાથે જિન્દગી સામે ટક્કર ઝીલી રહ્યાં હોય એવું લાગ્યું.
* * *
ચારેક મહિના વિત્યા. અમારું ભણતર બરાબર ગોઠવાઈ ગયું હતું. કાશીબાને ત્યાં જમવાનું તો અમે ધાર્યું હતું તેના કરતાં ક્યાં ય વધારે સારી રીતે જામી ગયું હતું. અમે ચારે જણા એકસાથે જમવા જઈ શકતા નહોતા. મને બે ત્રણ ટ્યુશનો મળી ગયાં હતાં. એટલે હું અનિયમિત થઈ ગયો હતો. પણ કાશીબા મારી થાળી બરાબર ઢાંકીને મારી રાહ જોતાં. હું પહોંચું કે સ્ટવ પર બધું ફરી ગરમ કરીને મને વહાલથી જમાડતાં.
એક સાંજે હું જમતો હતો.
‘અલ્યા, પેલો રમણ ગઈકાલે સાંજે જમવા ન્હોતો આયો. આજે બપોરે પણ નહીં દેખાયો. કમ નો આયો ?’ દાળ પીરસતાં કાશીબાએ પૂછ્યું.
‘કાશીબા, એને શરદી–તાવ છે. એટલે સૂઈ રહ્યો છે.’
‘સાવ ભૂખ્યો? પેલા બે જણા આવીને જમી ગયા; પણ મને કશું કહ્યું નહીં! તુંયે મૂંગો રહ્યો છું.’ કાશીબાએ મને તતડાવ્યો.
એમણે તરત બે ઢેબરાં બનાવી નાખ્યાં. ચોખાની બે પાપડી શેકી નાખી. અભેરાઈ પરથી નાનું થરમસ ઉતાર્યું. આદુનો ઉકાળો બનાવીને તેમાં ભર્યો.
‘આ લઈ જા. ગરમ ગરમ એને પીવરાવજે. મસાલાવાળાં થેપલાં અને આ પાપડીથી એનું મોઢું સારું થશે. પેટમાં રાહત થશે. તમારી રૂમમાં બામ કે એવી કોઈ દવા રાખો છો ? નહીંતર આ ડબ્બી લઈ જા. એના કપાળે ઘસજે. સાજે–માંદે એકબીજાની કાળજી રાખતા રહો. ચાર ભાઈઓની જેમ પ્રેમથી જીવો. બાકી આ દુનિયામાં બીજું કંઈ નથી.’
* * *
દર રવિવારે કાશીબા અમને મીઠાઈ જમાડતાં. વાનગીઓ પણ વધારે બનાવતાં; પણ પછી સાંજે રસોડું બન્ધ ! એમને એટલો આરામ મળતો. અમે સાંજે ભૂખ્યા ન રહીએ માટે અમને થોડી મીઠાઈ અને બીજું કોરું સાથે બાંધી આપતાં.
એક રવિવારની સાંજે બસમાંથી ઊતરીને હું મારી રૂમે જતો હતો. સામે કાશીબા મળ્યાં. બહુ જ અસ્વસ્થ લાગતાં હતાં. એક હાથમાં શાકભાજીની મોટી થેલી હતી. બીજા હાથમાં નાની થેલી હતી. તે થેલી છાતી સરસી દાબીને ઉતાવળે પગલાં માંડતાં હતાં.
‘કાશીબા, લાવો, આ શાકની થેલી મને આપી દો. હું આવું છું તમારી સાથે.’ પરાણે મેં થેલી લઈ લીધી. અમે કાશીબાની ઓરડીએ પહોંચ્યાં. કાશીબાએ ચાવી કાઢીને તાળું ખોલ્યું. મેં શાકની થેલી દીવાલ પાસે મૂકી. પેલી નાની થેલી કાશીબા ખીંટી ઉપર લટકાવવા જતાં હતાં; પણ થેલી નીચે પડી ગઈ. એમાંથી ફ્રેમ કરેલો એક ફોટો બહાર પડ્યો.
‘આ કોનો ફોટો છે, કાશીબા?’ ફોટો ઊઠાવતાં મેં પુછ્યું.
કાશીબા ધ્રૂસકે ચડી ગયાં.
‘બેટા આ મારો એકનો એક દીકરો હતો. એ અને એના બાપા બન્ને જણા એક ખટારાની હડફેટમાં આવીને ગુજરી ગયા. આજે હોત તો તારી ઉમ્મરનો હોત. આજે એનો જન્મ દિવસ છે. એટલે મંદિરે પગે લગાડવા લઈ ગઈ’તી.’
કાશીબાને ત્યાં જમતા બધા છોકરાઓમાં એમને એમના આ દીકરાનું પ્રતિબિમ્બ દેખાતું હશે. માટે જ આટલો પ્રેમ આપીને બધાને લાડથી જમાડતાં હશે.
આ સંસારમાં કાશીબા તો એકલાં જ હતાં.
સર્જક–સમ્પર્ક : 23834-Palomino Dr., Diamond Bar, CA 91765-USA
eMail: gunjan_gujarati@yahoo.com
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 398 –April 15, 2018
![]()


ઇન્ડિયન પંચ પછી લખનૌથી ઉર્દૂમાં ‘અવધ પંચ’ શરૂ થયું. ૧૮૫૬માં જન્મેલા મુનશી મહમ્મદ સજ્જાર હુસેને એ શરૂ કરેલું. તેનો પહેલો અંક ૧૮૭૭ના જાન્યુઆરીની ૧૬મીએ પ્રગટ થયો. ‘શૌક’ અને ‘વઝીરઅલી’ નામના બે ચિત્રકારો તેને માટે કાર્ટૂન તૈયાર કરતા. ‘શૌક’ના ઉપનામથી કાર્ટૂન તૈયાર કરનાર હકીકતમાં ગંગાસહાય નામનો એક હિંદુ ચિત્રકાર હતો. છેક ૧૯૩૬ સુધી તે ચાલુ રહ્યું હતું. ‘અવધપંચ’ના અનુકરણમાં લાહોરથી ‘દિલ્હી પંચ’ અને ‘પંજાબ પંચ’ નામનાં બે મેગેઝીન શરૂ થયાં.
પછી ‘પંચ’ આવ્યું ઉત્તર હિન્દુસ્તાનથી પશ્ચિમ હિન્દુસ્તાન. અંગ્રેજોનાં ભાષા, શિક્ષણ, રીતરિવાજ, રહેણીકરણી, વગેરે અપનાવવામાં પારસીઓ અગ્રેસર હતા. દાદાભાઈ અરદેશર શોહરી નામના એક પારસી સજ્જને ૧૮૫૪ના જાન્યુઆરીની પહેલી તારીખથી ‘પારસી પંચ’ નામનું અઠવાડિક શરૂ કર્યું. બરજોરજી નવરોજી તેના તંત્રી હતા. પહેલા અંકમાં ‘આ ચોપાનિયું કાઢવાની મતલબ’ નામના તંત્રીલેખમાં જણાવ્યું હતું: “જેઓ પોતાની જાહેર ફરજો બરાબર અદા નાહી કરશે તેઓના શોંગ કાઢી ચીતારેઆમાં આવશે કે તેઓની હશી થાએઆથી બીજાઓ કશુર ભરેલાં તથા નાલાએક કામો કરવાને આચકો ખાએ.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ડેમી ક્વોર્ટો સાઈઝનાં આઠ પાનાંનો અંક આવતો. વાર્ષિક લવાજમ ૬ રૂપિયા. દરેક કાર્ટૂનની નીચે (અને ઘણાં કાર્ટૂનની અંદર પણ) અંગ્રેજી અને ગુજરાતી, એમ બે ભાષામાં લખાણ મૂકાતું. પણ તેની એક ખાસિયત એ હતી કે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીને તે લખાણ મૂકાતું નહિ, પણ બંને ભાષાનું લખાણ સ્વતંત્ર રીતે તૈયાર થતું. એકંદરે ગુજરાતી લખાણ વધુ સચોટ લાગે તેવું રહેતું. માત્ર દસ મહિના ચાલ્યા પછી આ અઠવાડિક બંધ પડ્યું. પણ પછી ૧૮૫૭ની શરૂઆતથી નાનાભાઈ પેશતનજી રાણાએ અસલ નામ કાયમ રાખી તે ફરી શરૂ કર્યું. તે વખતે દાદાભાઈ એદલજી પોચખાનાવાલા અને નાનાભાઈ તેના જોડિયા અધિપતિ (તંત્રી) બન્યા. પણ તેમણે પણ માંડ એક વર્ષ સુધી તે ચલાવ્યું. ૧૮૫૮થી યુનિયન પ્રેસના સ્થાપક-માલિક નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમના ખાસ મિત્ર અરદેશર ફરામજી મૂસે તે ખરીદી લીધું. પણ એ જ વર્ષના જુલાઈની છઠ્ઠી તારીખે તે બંનેએ એ ચોપાનિયું મનચેરશા બેજનજી મેહરહોમજીના અને ખરશેદજી શોરાબજી ચાનદારૂને વેચી નાખ્યું. અને તેમણે એ જ વર્ષના નવેમ્બરની પહેલી તારીખે પચીસ વર્ષના એક યુવાન, નામે નશરવાનજી દોરાબજી આપઅખત્યારને વેચી દીધું.
પાંચેક વર્ષના ગાળામાં આટલી ઝડપથી માલિકો બદલાયા તે ઉપરથી એવું અનુમાન થઇ શકે કે ખરીદનારાઓમાંથી કોઈ ‘પારસી પંચ’ને સફળતાપૂર્વક ચલાવી શક્યું નહિ હોય. કારણ કમાઉ ચોપાનિયાને કોઈ વેચે નહિ. પણ આ બધા જે ન કરી શક્યા તે નશરવાનજી દોરાબજી આપઅખત્યાર કરી શક્યા. ૧૮૭૮ના જૂનની ૨૦મી તારીખે ૪૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ‘પારસી પંચ’ સફળતાથી ચલાવ્યું, એટલું જ નહિ તેને એક ગણનાપાત્ર સામયિક બનાવ્યું. આ નશરવાનજીની મૂળ અટક તો હતી ‘દાવર.’ પણ માત્ર ૨૧ વર્ષની ઉંમરે ૧૮૫૪ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી તેમણે ‘આપઅખત્યાર’ નામનું દર બુધવારે પ્રગટ થતું ચોપાનિયું શરૂ કર્યું, અને થોડા વખત પછી તેમણે ‘આપઅખત્યાર’ને પોતાની અટક બનાવી દીધી. તેમણે ૧૮૬૫ સુધી ‘આપઅખત્યાર’ ચલાવ્યું, અને પછી ૧૮૬૬ના પહેલા દિવસથી તેને ‘પારસી પંચ’ સાથે જોડી દીધું. નશરવાનજીના અવસાન પછી ૧૮૮૮માં નામ બદલાઈને ‘હિંદી પંચ’ થયું. નશરવાનજીના અવસાન પછી તેમના દીકરા બરજોરજી આપઅખત્યારે તે હાથમાં લીધુ ત્યારે તેમની ઉંમર પણ ૨૧ વર્ષની હતી. ૧૯૩૧ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે ૭૪ વર્ષની ઉંમરે બરજોરજીનું અવસાન થયું ત્યાં સુધી તેઓ ‘હિન્દી પંચ’ના માલિક અને અધિપતિ રહ્યા. બરજોરજી વિષે ‘પારસી પ્રકાશ’ લખે છે: “જાહેર સવાલો ઉપરની એમની રમૂજ, એમનામાં સમાયેલી ઊંચી કુદરતી બક્ષેસ અને ઓરીજીનાલીટીનો ખ્યાલ આપતી હતે.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ઘણાં વરસ રૂખ અંગ્રેજ-તરફી વધુ રહી હતી. પણ વખત જતાં તે ‘દેશી’ઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતું થયું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલી રંગભેદ વિરોધી ચળવળને વ્યંગ ચિત્રો દ્વારા તેણે સબળ ટેકો આપેલો. તેમાં દર અઠવાડિયે કોઈને કોઈ રાજકીય નેતાનું કાર્ટૂન પ્રગટ થતું. દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિન્દ રાનડે, બદરુદ્દીન તૈયબજી, ફિરોજશાહ મહેતા, નારાયણ ગણેશ ચંદાવરકર વગેરે નેતાઓનાં કાર્ટૂન તેમાં પ્રગટ થયેલાં. તેમાંનાં કાર્ટૂનો તરફ બ્રિટન અને યુરોપના લોકોનું પણ ધ્યાન ગયેલું. વિલ્યમ ટી. સ્ટીડે તેમના ‘રિવ્યુ ઓફ રિવ્યૂઝ’ માસિકના અંકોમાં ‘હિંદી પંચ’માંનાં ઘણાં કાર્ટૂન પુનર્મુદ્રિત કરેલાં. બીજી એક નોંધપાત્ર વાત એ છે કે ‘હિંદી પંચ’નો મુખ્ય ચિત્રકાર ગુજરાતીભાષી પારસી કે હિંદુ નહોતો, પણ મરાઠીભાષી હતો. બાજીરાવ રાઘોબા ઝાઝું ભણ્યો નહોતો કે નહોતી તેણે ચિત્રકલાની તાલીમ લીધી. પહેલાં તે હસ્તપ્રતોમાં ચિત્રો દોરતો. પછી કાર્ટૂન દોરતો થયો. અસલ લંડનના પંચના કાર્ટૂનિસ્ટ ટેનિયલે તેનાં કાર્ટૂન જોયા પછી કહ્યું હતું કે ‘આ માણસ તો મુંબઈનો ટેનિયલ છે.’ બાજીરાવ પછી તેના જ એક કુટુંબીજન કૃષ્ણાજી બળવંત યાદવ ‘હિન્દી પંચ’માં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા, અને ૧૯૩૧માં તે બંધ પડ્યું ત્યાં સુધી તેમાં કામ કરતા રહ્યા.
આજકાલ જે પ્રકારે એવું જાણવામાં આવે છે કે તાપમાન ચાળીસ ડિગ્રી છે કે પછી આ તાપમાન સતત સવાર, બપોર અને સાંજ બદલાતું રહે છે તેવી જ રીતે જનમાનસનાં આક્રોશને કેવી રીતે માપવો તે પણ એક પ્રશ્ન છે કારણ કે તે માપવા માટેનું કોઈ સાધન જ નથી. અને આજકાલ આંદોલન પણ પ્રાયોજિત થવા લાગ્યાં છે. આજ સુધી એ ઉકેલ જાણવા નથી મળ્યો કે અન્ના આંદોલનનાં સમયે ત્યાં હાજર લાખો લોકોના લંચ પેકેટ્સની વહેંચણી કોણે કરી અને તેનો ખર્ચ કોણે ઉઠાવ્યો. ભ્રષ્ટાચાર વિરોધી જયપ્રકાશ નારાયણનાં આંદોલનનાં પ્રાયોજક કોણ હતા, તેની પણ હજુ સુધી કોઈ ભાળ મળી નથી, પરંતુ, તે આંદોલને કેટલાક નેતાઓને જન્મ આપ્યો હતો અને તે પૈકી એક નેતા આજે ભ્રષ્ટાચારનાં આરોપ હેઠળ જેલમાં બંધ છે. આંદોલનોના ઇતિહાસમાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહનું સ્થાન મોખરે છે. પણ, આજકાલ હુલ્લડો કરાવવા કે પછી આંદોલન કરવું એ લગભગ એક જેવું જ થઇ ગયું છે. પરંતુ, હાલમાં દેશમાં જોવા મળેલ દલિત આક્રોશ પ્રાયોજિત નહોતો. રાષ્ટ્રીય કુંડળીમાં દલિત દમન વર્ષોથી જોવા મળી રહ્યું છે.