હવે તો અહીં નાદ ઘેરો ઊઠવો જોઈએ,
પછી મુક્તિપથ સ્વપ્ન જેવો ખૂલવો જોઈએ.
ન મંદિર, ન મસ્જિદ, કશું કામ લાગે પછી;
પ્રતિક્ષા નકામી, ઇરાદો કૂંકવો જોઈએ.
રહો દૂર તો વાત ફોગટ, વારતા પાંગળી;
ભળાતો તમાશો કકડતો તૂટવો જોઈએ.
હવે હાથ જોડી ન યાચો, છે બધું આપણું;
હટાવી પહેરો, તરત હક ઝૂંટવો જોઈએ.
ન તોફાનો માનો, અસંતોષી નથી એમ તો,
હવે ક્રાંતિનો સ્વર સદાયે ઘૂંટવો જોઈએ.
કહે દોસ્ત, આ દેશમાં ક્યાં છે હવે માનવી,
બધે આગ છે, ઊઠ, પવનને કૂંકવો જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 09
![]()



હુતુ કોમોના દાયકા સુધી ચાલેલા આંતરવિગ્રહમાં બળાત્કારનો ભોગ બનેલી હજારો સ્ત્રીઓની સારવારની કામગીરી બજાવતા રહ્યા છે. નાદિયાના સ્વકથનમાં આઇ.એસે. તેની યાઝિદી કોમનાં ચલાવેલાં માનવસંહાર, અને તેની પોતાની યાતનાઓનાં નિરૂપણની વચ્ચે સહુથી મહત્ત્વનો દેખાય છે તેનો નારી-નિર્ધાર. નાદિયા આ દુનિયામાંથી સ્ત્રીઓનાં ટ્રાફિકિન્ગ એટલે કે તેમની લે-વેચ અને તેમની પરના યૌન અત્યાચાર માટે કારણરૂપ બનતું ધર્મઝનૂની રાજકીય માનસ નાબૂદ કરવાના મિશન સાથે કાર્યરત છે. એટલે જ તો તે કહે છે : ‘આઇ વૉન્ટ ટુ બી ધ લાસ્ટ ગર્લ વિથ અ સ્ટોરી લાઇક માઇન’.
નાદિયાની વ્યથાની આ કથા કરતાં ઇસ્રાઇલી અધ્યાપક યુવાલ નોઆ હરારીના ‘ટ્વેન્ટિ વન લેસન્સ ફૉર ટ્વેન્ટિએથ સેન્ચ્યુરિ’ પુસ્તકે હમણાં દુનિયાનું ધ્યાન ખેંચ્યું હોય એમ લાગે છે. ગયાં ત્રણ-ચાર વર્ષમાં પ્રખ્યાત બનેલા ચિંતક
તબીબી ક્ષેત્રને લગતાં બે વિશિષ્ટ પુસ્તકો જોવામાં આવ્યાં. તેમાંથી ‘હીલર્સ ઑર પ્રિડેટર્સ ? ધ હેલ્થકેઅર કરપ્શન ઇન ઇન્ડિયા’ તબીબોએ લખેલા એકતાળીસ લેખોનું 750 પાનાંનું સંપાદન છે. તેમાં મેડિકલમાં પ્રવેશથી માંડીને સરકારી હૉસ્પિટલોની બેદરકારીથી લઈને મેડિકલ કાઉન્સિલ સુધી તબીબી ક્ષેત્ર દુરાચારથી કેવું ખવાઈ ગયું છે તેની આધાર સાથેની માહિતી અને આ ક્ષેત્રને સાજું કરવાના ઉપાયો વિશે વાંચવા મળે છે. શીર્ષકમાં આવતા પ્રિડેટર્સ શબ્દનો અર્થ શિકારી પ્રાણી એવો થાય છે. પણ બધા ડૉક્ટરો એવા નથી હોતા એ હકીકત બતાવવા માટે સેવાભાવી તબીબી કાર્યો વિશેના થોડાક લેખો પણ અહીં વાંચવા મળે છે. ‘તબિયત : મેડિસિન ઍન્ડ હીલિન્ગ ઇન ઇન્ડિયા’ એ પદ્મભૂષણ સન્માનિત મુંબઈના વરિષ્ટ તબીબ ફારોખ ઉદવાડિયાના નવ લેખોનો સંચય છે. સામાન્ય વાચકો માટે લખાયેલા આ પુસ્તકના પાંચ લેખો તબીબી ક્ષેત્રના ઇતિહાસ પરના છે. તે ઉપરાંત અહીં તબીબી નીતિમત્તા, સારા ડૉક્ટરનું ઘડતર, તબીબી વિજ્ઞાન અને સંગીત વચ્ચેનો સંબંધ તેમ જ મૃત્યુ એ વિષયોને લગતા લેખો છે. પ્રસંગકથાઓ, કાવ્યપંક્તિઓ અને શૈલીને કારણે પુસ્તક વાચનીય બન્યું છે.
પૂનાના સમાજવાદી ‘સાધના પ્રકાશને’ બહાર પાડેલાં ‘ધ કેસ ફૉર રિઝન: અન્ડરસ્ટૅન્ડિન્ગ ધ ઍન્ટિ-સુપરસ્ટિશન મૂવ્હમેન્ટ’. પુસ્તકમાં રૅશનાલિસ્ટ ડૉ. નરેન્દ્ર દાભોલકરના ઓગણત્રીસ મરાઠી લેખોનો સુમન ઓકે કરેલો અનુવાદ છે. વૈજ્ઞાનિક અભિગમ ધરાવતાં સ્વસ્થ, સેક્યુલર અને સમતાવાદી સમાજની રચના માટે મથનાર ડૉ. દાભોલકરની કથિત ધર્મઝનૂનીઓએ 2013માં ગોળી મારીને હત્યા કરી. દાભોલકરે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (અંનિસ) થકી અસાધારણ કામ કર્યું જે અત્યારે પણ સારી રીતે ચાલે છે. પુસ્તકના પહેલા નવ લેખો અંધશ્રદ્ધા વિરોધી ચળવળનાં વૈચારિક પાયા અંગેના છે, પછીના વીસમાં ‘અંનિસ’ની અનેક મહત્ત્વની ઝુંબેશોની માહિતી છે.
નક્સલવાદ કહેતાં આપણી સામે છત્તીસગઢના બસ્તરનો હિંસાચાર આવે છે. પણ એ જ વિસ્તારમાં અબુજમાડ નામનો હિસ્સો છે જેમાં તેર હજાર જેવા આદિવાસીઓ હજુ સિવિલાઇઝેશનના સંપર્ક વિનાની અજબગજબની ‘નિર્મળ અને નિર્દોષ’ જિંદગી જીવે છે. તેનું ચિત્રણ ‘બસ્તર ડિસ્પૅચેસ : અ પૅસેજ ફ્રૉમ ધ વાઇલ્ડ’ પુસ્તકમાં મળે છે. માત્ર નરેન્દ્ર એવા નામધારી લેખક દિલ્હીની સેન્ટર ફૉર ડેવલપિન્ગ સોસાયટીઝની શિષ્યવૃત્તિથી 1980થી પાંચ વર્ષ આ અબુજમાડમાં આદિવાસીઓ સાથે રહ્યા. તેના સહવાસચિત્રો લેખકના પોતાના સહજ ચિંતન સાથે, અલબત્ત ઘણાં વર્ષો બાદ, આ પુસ્તકમાં મળે છે. અબુજમાડિયા આદિવાસીઓની ફક્ત પાચસો જેટલા શબ્દોની બોલી, તેમનું અને પ્રાણીઓનું સહજીવન, તારીખ-વારના અભાવ છતાં તહેવારોની નિયમિત ઉજવણી, સહિયારી જમીન જેવી કંઈ કેટલી ય નોખી-નિરાળી વાતો આ પુસ્તક વિશેના લેખમાં વાંચતા પુસ્તક વસાવવાની ઈચ્છા જાગે તે સ્વાભાવિક છે.
વીતેલાં વર્ષમાં આવેલાં રસપ્રદ પુસ્તકોની યાદી લાંબી થઈ શકે. બ્રિટિશ પત્રકાર ડીન નેલ્સનનું ‘જુગાડ યાત્રા : એક્સપ્લોરિન્ગ ધ ઇન્ડિયન આર્ટ ઑફ પ્રૉબ્લેમ સૉલ્વિન્ગ’ એ ‘જુગાડ’ વિષય પર લખાયેલું સંભવત: ચોથું પુસ્તક છે. પત્રકાર અને ટેલિવિઝન ઇન્ટર્વ્યૂઅર કરન થાપરનું ‘ડેવિલ્સ એડવોકેટ : ધ અનટોલ્ડ સ્ટોરી’ એ લેખકના મિત્રોનાં સંભારણાં અને તેમણે લીધેલા ઇન્ટર્વ્યુને લગતી વાતોનું સરસ ગદ્યમાં લખાયેલું પુસ્તક છે. રાજકારણમાં રસ ધરાવતાં પીઢ વાચકો માટે કેન્દ્ર સરકારના પૂર્વમંત્રી જયરામ રમેશના પુસ્તકનું નામ જ ઘણું કહી જાય છે – ‘ઇન્ટર ટ્વાઇન્ડ લાઇવ્ઝ : પી.એન.હક્સર ઍન્ડ ઇંદિરા ગાંધી’.
દીવાળી આવે એટલે પહેલાંના જમાનામાં અમારા શાહ-પરિવારોમાં ગૃહિણીઓ પાપડ મઠિયા થાપડા સેવો ખાજાપૂરી કળીના લાડુ સક્કરપારા સુંવાળી કે ઘૂઘરા બનાવે. છોકરાં ફટાકડા ફોડે. બાપદાદાઓ નફા-તોટાના હિસાબ માંડે, સરવૈયાં કાઢે. એમના જેવું દરેક ડિસેમ્બરમાં મીડિયાવાળા કરે છે. જીવનવ્યવહારનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં શું શું બન્યું તેના માંડી-ટીપીને સરવાળા કરે, સાર કાઢે, ને તેને જાહેર કરે. એથી ઝળહળતી સમાચાર-જ્યોત નાતાલની રોશનીના ચમક-ચમકારા વચ્ચે વિચારોને ઉત્તેજિત કરતી હોય છે.