૨૦૧૭-૨૦૧૮માં સોશ્યલ મીડિયા પોસ્ટ કે ફોરવર્ડને કારણે ધરપકડ થઇ હોવાનાં ઓછામાં ઓછા ૫૦ કિસ્સા બન્યાં છે
છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશનાં રાજકારણની સ્થિતિ સંગીન બની છે અને તેનું કારણ છે કે પહેલાં પાનને ગલ્લે સિમિત રહેતી ચર્ચા હવે વૉટ્સએપ અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર પણ થવા માંડી છે. કાં તો લોકો વિરોધી હોય કાં તો તરફેણમાં હોય પણ જે રીતે તેઓ ચર્ચા કરતાં કરતાં લાગણીનાં જોર અથવા તો બોજનો ભોગ બની જાય છે તેને કારણે રાજકારણ છે એનાં કરતાં વધારે પેચીદું અને ‘ભયંકર’ લાગવા માંડે છે. આપણે ત્યાં મુખ્ય બે પ્રકારનાં લોકો જોવા મળે છે જે કાં તો બિંધાસ્ત વગર વિચારે પોતાનાં અથવા તો પોતે જેને ટેકો આપે છે તે પક્ષનાં વિચારોને ‘દે ધનાધન’ દીધે રાખે છે અને એટલા ખુન્નસથી પોતાની વાતને વળગે છે જાણે તેમની સાથે સંમત નહીં થનારા તમામને એમનું ચાલે તો ગોળીએ દઇ દે. ગોળીએ નથી દઇ શકતા એટલે તેઓ કાં તો ગ્રૂપમાંથી એક્ઝિટ થઇ જાય છે અથવા તો સોશ્યલ મીડિયા પર ‘અનફ્રેન્ડ’ થઇને દોસ્તી-યારીને ખતમ કરી દે છે. જેમને આ કાદવ-ઉછાળ પ્રવૃત્તિ ગમે છે એ લોકો સામસામે દલીલબાજી કરવાનું ચાલું રાખે છે, પછી ભલેને એમને એક ‘કોરમ’ થવા જેટલું ઑડિયન્સ પણ ન મળતું હોય.
હવે આ તો એક પ્રકારનાં લોકોની વાત થઇ, બીજાં પ્રકારનાં લોકો એવા છે જે સોશ્યલ મીડિયા કે ચેટ ગ્રુપ્સમાં ચાલતા મેસેજીઝ, શેર્સ, પોસ્ટ્સ અને ફોરવર્ડ્ઝને જોયા કરે છે ખરાં પણ તેમાં પ્રવૃત્ત ભાગ લેવાનું ટાળે છે. તેમનો પોતાનો મત સ્પષ્ટ હોય છે અને તેઓ બીજાને પોતાનો મત ગળે ઉતારવાની જહેમત કરવામાં નથી માનતા. આ બંન્ને મુખ્ય પ્રકારો વચ્ચે એક વધારાનો પ્રકાર છે જે નિરપેક્ષતા અને નિસ્પૃહતાથી પોતાને જે ગમતું હોય એ શેર કરે છે – શેર કરે એટલે કે એ લખાણ તેમનું પોતાનું નથી હોતું પણ પોતે જે વિચારો સાથે મેળ ખાય છે તેને બંધ બેસતું હોય છે. આવા લોકોને ટિપ્પણી કરવામાં કે પોતાના વિચારો થોપવામાં રસ નથી હોતો પણ પોતાની વાત રમૂજથી કે ગંભીરતાથી રજૂ કરી શકાતી હોય તેવી તમામ બાબતોને તેઓ બહુ સ્પષ્ટતાથી ‘શેર’ કરે છે જે તેમણે પોતે નથી લખી.
રાજકીય પક્ષો માટે સોશ્યલ મીડિયા કેટલો મોટો ફોર્સ બની ચુક્યો છે તેની વાત આપણે ગયા અઠવાડિયે કરી પણ મતદારો માટે રાજકારણની વાત આવે ત્યારે સોશ્યલ મીડિયા શું મહત્ત્વ રાખે છે તેની પણ ચર્ચા કરવી અનિવાર્ય છે.
તાજેતરમાં જ આવેલા એક સમાચાર અનુસાર અંગ્રેજી બોલી શકતા ૫૫ ટકા ભારતીયો પોતાનો રાજકીય મત ઑનલાઇન પોસ્ટ કરવામાં નથી માનતા. થોડાં વર્ષો પહેલાં જ્યારે બાળ ઠાકરેનું નિધન થયું અને બે છોકરીઓએ તેમના મૃત્યુ નિમિત્તે મહારાષ્ટ્ર બંધ હોવાની વાસ્તવિકતાની ટીકા કરી ત્યારે તેમની ધરપકડ થઇ હતી. આ તો એક ઘટના છે પણ એ પછી એક કરતાં વધારે વાર એવું પણ બન્યું કે શાસક પક્ષની ટીકા કરતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી પોસ્ટ કરનારાઓની ધરપકડ કે અટક કરાઇ. એક રિપોર્ટ અનુસાર ૨૦૧૭-૨૦૧૮ની વચ્ચે સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે લગભગ ૫૦ લોકોની ધરપકડ કરાઇ છે. આવા પ્રકારની ધરપકડમાંથી કોઇ બાકાત નહોતું તેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, રિક્સાવાળા, એક્ટિવિસ્ટ્સ વગેરે તમામનો તેમાં સમાવેશ થતો હતો. સોશ્યલ મીડિયાનો ઉપયોગ રાજકારણમાં છેલ્લા પાંચ વર્ષથી બળુકો બન્યો છે અને માટે જ મતદારો તેનો ઉપયોગ પોતાનું બળ વાપરવા ન કરે તેની તકેદારી પણ જાણે રખાતી હોય એવું લાગે છે. પરંતુ આમાં કોઇ એક પક્ષની વાત નથી કારણ કે ઑનલાઇન પોતાની વાત મુકનારાઓ કોઇ એક જ પક્ષનાં હોય એ જરૂરી નથી. બન્ને મુખ્ય રાજકીય પક્ષોનાં આઇ.ટી. સેલ જેટલાં પહેલાં ક્યારે ય નહોતાં એટલાં હવે એક્ટિવ અને એલર્ટ છે. કદાચ આ કારણે જ રોઇટર્સમાં આવેલા એક રિપોર્ટ અનુસાર અંગ્રેજી બોલનારા સમૂહનો સરવે કરતાં જાણવા મળ્યું કે સત્તાધીશોની આંખે ન ચઢે એ માટે તેઓ પોતાના રાજકીય અભિપ્રાયને ઑનલાઇન પ્લેટફૉર્મ પર વ્યક્ત નથી કરતા.
આમ પણ ઑનલાઇ પ્લેટફૉર્મ પર રાજકીય વિવાદ છેડવો એ સુરંગ બિછાવેલા મેદાન પર ચાલવા જેવી સ્થિતિ હોય છે. એક સંશોધન અનુસાર ઑનલાઇન એવા જ લોકો રાજકીય વિવાદનો મધપૂડો છંછેડે છે જેમને ખરેખર તો બીજા શું વિચારે છે તેની પરવા સુદ્ધાં નથી હોતી. તેમને ટ્રોલિંગની પણ પરવા નથી હોતી અને સોશ્યલ મીડિયાનાં ‘સમાજ’માં તેમને વિષે લોકો ‘જજમેન્ટ’ કે પૂર્વગ્રહ બાંધી લેશે એનાથી પણ તેમને કોઇ ફેર પડતો નથી. હવે આ પરિસ્થિતિનું એક ભયસ્થાન એ છે કે એવાં લોકો પણ હોય છે જેમને ‘રિજેક્શન’નો ડર હોય છે. પોતે રિજેક્ટ ન થઇ જાય એટલે જેની હોહા વધારે છે તેની સાથે જોડાઇ જવુંની ગાડરિયા પ્રવાહની વૃત્તિ તેમને વધારે માફક આવે છે. આમ થાય તો અંતિમવાદી જૂથોનું કદ વધી જાય પછી ભલેને હોબાળો કરનારાંની સંખ્યા બહુ મોટી ન હોય. પરિણામ એવું પણ આવે કે આના પગલે રાજકીય ધ્રુવીકરણ વધી જાય.
વધારેને વધારે ભારતીયો હવે ઑનલાઇન છે. ગ્રામીણ મત કોઇપણ ચૂંટણી માટે સૌથી અગત્યનાં હોય છે ત્યારે સ્માર્ટફોન ધારક ગામડાંનો હોય અને શહેરનો હોય ત્યારે પણ ઘણાં સમીકરણો બદલાઇ જાય છે. શહેરનો સ્માર્ટ ફોન ધારક વિવેકબુદ્ધિ વાપરવાનું પસંદ કરે તે સ્વાભાવિક છે. તે પ્રો અને એન્ટી બંને પ્રકારની માહિતી મેળવે ત્યારે તેને ‘ફેક્ટ ચેક’ કરવાની સૂઝ હોય છે. ગામડાંનાં માણસ માટે હાથમાં સ્માર્ટફોન હોવાનું એક્સાઇટમેન્ટ જ એટલું બધું હોય છે કે તેને ‘હાઉ ઇઝ ધી જોશ?’વાળી વાતમાં જોશ જ દેખાય છે અને ફોરવર્ડ્ઝ કે પોસ્ટ શેર કરતી વખતે તેને હોશનો ઉપયોગ કરવાની જરૂર નથી લાગતી. આ સ્થિતિમાં ફેક ન્યુઝનાં ફેલાવા સહિત ગરીબ-સામાન્ય માણસની ધરપકડ જેવા કિસ્સા સામાન્ય બની જાય છે. લાઇવ મિન્ટ વેબ પોર્ટલ પર એક રિપોર્ટમાં સાવ નિર્દોષતાથી કંઇક પોસ્ટ કે ફોરવર્ડ થઇ ગયું હોવાને કારણે જેમને રાજકારણ કે ભક્તિવાદ કે વિરોધાનાદ સાથે કંઇ જ લેવા દેવા ન હોવા છતાં જેલની હવા ખાવી પડી હોવાનાં વિગતવાર કિસ્સા નોંધાયા છે. આ બિચારા માણસો પોલીસનો ત્રાસ વેઠીને આવે પછી તેમની આસપાસનો સમાજ તેમનો બહિષ્કાર કરવા માંડે છે અને અને તેમને તો પોતાનો કહેવાતો ‘ગુનો’ પણ સમજાતો નથી. ગામડાંનો માણસ આ આખી ય વસ્તી એકલો પડે છે તો શહેરનો માણસ રાજકારણની ચર્ચામાં સંબંધ બગાડવામાં એક્સપર્ટ બન્યો છે. સાહેબની વાતનો વિરોધ થાય કે નહેરુને સવાલ કરાય તો ગ્રુપમાંથી નિકળી જવાનાં અથવા તો કુટુંબનાં સભ્યોને બ્લોક કરી દેવાનાં કિસ્સા તો આસપાસનાં વર્તુળમાંથી જ પૂરતાં મળી જાય એમ છે.
વળી ફેક ન્યુઝ અને ખોટી માહિતીને પગલે રાજરમત કરાતી હોવાનો પ્રશ્ન માત્ર ભારત પૂરતો સિમીત નથી કારણ કે વિદેશમાં પણ આ મુદ્દો સળગતો રહે છે. આ બધાંની વચ્ચે સોશ્યલ મીડિયા પર રાજકીય મનોરંજનનો અસ્ખલિત પ્રવાહ વહેતો હોય છે. કુનાલ કામરા, વરુણ ગ્રોવર જેવા સ્ટેન્ડઅપ કોમિક્સ હોય કે પછી આકાશ બેનર્જી અને ધ્રુવ રાઠી જેવાં ભારતીયો બહુ નક્કર હકીકતોને ઉત્તમ કટાક્ષ સાથે રજૂ કરે છે. તેઓ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાબિત થાય છે. જે લોકો તરફી કે વિરોધી કે પછી સત્ય હકીકત લોકો સુધી લાવવાનાં એક માત્ર હેતુને પાર પાડવા માગે છે તેઓ શાંતિથી પોતાનું કામ કરતાં રહે છે. એવાં કેટલાંક લોકો પણ છે જેમની પોસ્ટ્સને પગલે ફેસબુકે તેમનું એકાઉન્ટ બ્લૉક કરી દીધું હોય પણ પછી ફરી તેમને જીવતદાન મળે છે અને તેઓ પોતાની વાત કોઇપણ પ્રકારનાં સંકોચ વગર કહે છે.
વળી આપણે ત્યાં એવાં લોકો પણ છે જે બરખા દત્ત જેવાં જર્નાલિસ્ટને બેહૂદી તસવીરો મોકલે છે અને પછી ઝડપાય પણ છે.
વિદેશમાં પણ વિવાદાસ્પદ પોસ્ટને પગલે ધરપકડ થવાનાં કિસ્સા થયાં છે. જેમ કે નોર્થ લેન્કશાયરનાં માર્કસ મીચાને પોતાનો પાળેલો કૂતરો નાઝી સેલ્યુટ કરે છે એવા વીડિયો પોસ્ટ કર્યાં અને તેને જેલભેગો કરાયો. ૨૦૧૭માં બર્લિન પોલીસે હેટ પોસ્ટ, ધમકીઓ, રંગભેદ જેવી પોસ્ટને પગલે ૩૬ જણનાં ઘરે રેડ પાડી હતી. આ એવી ઘટના હતી જેમાં ધ્રુવિકરણને રોકવાનો પ્રયાસ હતો જે સરાહનીય છે. હવે આનાંથી વિપરીત કિસ્સા જોઇએ તો ૨૦૧૮ની સાલમાં ટર્કિશ સત્તાધીશોએ નોર્થેવેસ્ટ સિરિયન ડિસ્ટ્રીક્ટ અફ્રિનમાં કરેલી લશ્કરી પહેલની ટીકા કરનારા અને શાંતિની માંગ કરનારા લોકોની મોટી સંખ્યામાં ધરપકડ કરી હતી. જોર્ડનમાં પણ સોશ્યલ મીડિયા પર સરકારની ટીકા કરનારાઓની ધરપકડ થઇ હોવાના કિસ્સા પહેલાં બની ચુક્યાં છે. આ બધાંની વચ્ચે અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમ જેવા બે સશક્ત રાષ્ટ્રોની વાત કરીએ તો એ સ્પષ્ટ છે કે ત્યાં લોકો પોતાના રાજકીય વિચારો વ્યક્ત કરતાં જરા ય પાછી પાની નથી કરતા.
સેલફોનનો સ્માર્ટ ઉપયોગ કરવાને મામલે ભારત કાં તો ક્યાંક કાચો પડે છે અથવા તો પછી વધુ પડતી સમજણનું દોઢ ડહાપણ બધું ડહોળી નાખનારું સાબિત થાય છે. રાજકીય બાબતોને મામલે પ્રજા વિવેકબુદ્ધિને પ્રાધાન્ય આપે તો પ્રધાનો વધુ પડતા લાભ કે વધુ પડતા ફટકા, બંન્નેમાંથી બચી જઇ શકે એ ચોક્કસ.
બાય ધ વેઃ
રાજકીય બાબતને લગતી પોસ્ટ કે ફોરવર્ડ્ઝને કારણે ધરપકડ થઇ હોવાના કિસ્સા એવા જ દેશોમાં છે ત્યાં સરકાર અંતિમવાદી માનસિકતા ધરાવે છે જે ઉપરનાં બનાવો પરથી પણ સમજી શકાય છે. આપણે ત્યાં લિન્ચીંગનાં વીડિયો વાઇરલ થાય છે તો કશું નથી થતું પણ ભૂલથી સરકારની ટીકા થાય તો જેલના સળિયા ગણવા પડે છે. વળી એમાં એવું નથી કે ખુદ સાહેબને તેનાથી ફેર પડે છે કારણ કે તેઓ આ બધાથી પર છે અને તે પોતાના આઇ.ટી. સેલને પ્રચાર-પ્રસાર માટે જ કામે લગાડે પણ નાની જગ્યાઓએ કાયદો-વ્યવસ્થા જાળવનારાઓ બની બેઠેલા ઠેકેદારો છે અને આમ તેઓ લોકોને રંજાડીને ‘દેશભક્તિ’નો ખોંખારો ખાઇને ખુશ રહે છે. બાકી દરેક પક્ષ પોતાના આઇ.ટી. સેલના ઉપયોગથી શું કરવા ધારે છે અને શું કરી શકે છે તેને માટે ગયા અઠવાડિયાની વાત વાગોળવી રહી અને વિગતે સમજવું હોય તો ફ્લેટ સ્ક્રીનની પેલે પાર જઇને મુદ્દાને ૩૬૦ ડિગ્રીમાં સમજવો પડે.
સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2019
![]()


ઓગણીસમી માર્ચે શોપિયાનના રહેવાસી ઇરફાન રમઝાન શેખને જે શૌર્યચક્રથી નવાજવામાં આવ્યો, તે અશોક ચક્ર અને કીર્તિ ચક્ર પછીના ક્રમે આવતું શાંતિ સમયનું વીરતા સન્માન છે. ઇરફાનને તે ડિફેન્સ ઇન્વેસ્ટિચર સેરિમની એટલે કે રક્ષા અલંકરણ સમારોહમાં આપવામાં આવ્યું. શહીદ જવાનોનાં માતા કે પત્ની, વિશેષ કામગીરી બતાવનારા સેના અધિકારીઓ અને સૈનિકોનું ગૌરવ કરવા માટે આ વાર્ષિક સમારંભ યોજાતો હોય છે. તેમાં લશ્કરની ત્રણેય પાંખોના વડાઓ ઉપરાંત વડાપ્રધાન સહિત અનેક અગ્રણીઓ હાજર રહેતા હોય છે. તેમાં આ વર્ષનાં પચાસ સન્માનિતોમાં ઇરફાન શેખ એક માત્ર બિનલશ્કરી નાગરિક છે.
સ્વીડનની પંદર વર્ષની છોકરી ગ્રેટા થુનબર્ગ પ્રદૂષણમુક્ત દુનિયાનું સ્વપ્ન સેવી રહી છે. ચૌદમી માર્ચે તેના નામની ભલામણ વિશ્વમાં શાંતિકાર્ય માટેનાં નોબલ સન્માન માટે કરવામાં આવી. નવમા ધોરણમાં ભણી રહેલી ગ્રેટાએ પર્યાવરણ બચાવવા માટેની માગણી સાથે ગયાં વર્ષે 20 ઑગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી સ્વીડનનાં પાટનગર સ્ટૉકહોમમાં સંસદના દરવાજે ધરણાં કર્યાં. તેનું પોસ્ટર હતું ‘સ્કૂલ સ્ટ્રાઇક ફૉર ધ ક્લાઇમેટ’. વળી તેણે પોતાની સાથે પર્યાવરણને લગતી પત્રિકાઓ અને ભણવાનાં પુસ્તકો રાખ્યાં હતાં. ગ્રેટા શાળાના સમય દરમિયાન હડતાળ પર બેસતી અને શાળાનો સમય પૂરો થતાં ઘરે જતી. શાળા તેની સામે પગલાં લે તો તેના માટે ગ્રેટા તૈયાર હતી. ગ્રેટાની હડતાળમાં તેના એક શિક્ષક બેન્જામિન વૅગનર પણ ‘કપાતા પગારે અને પરિણામો માટેની તૈયારી સાથે’ જોડાયા હતા. ગ્રેટાનાં માતાપિતા હડતાળના વિરોધમાં હતાં. પણ તેમણે કહ્યું, ‘અમે એના મંતવ્યને માન આપીએ છીએ.’ નોંધવું જોઈએ કે સ્વીડન માત્ર આર્થિક સમૃદ્ધિમાં જ નહીં, પણ એકંદર માનવઅધિકાર તેમ જ સ્ત્રીઓ અને બાળકોના અધિકારોની જાળવણીની બાબતમાં પણ દુનિયામાં અગ્રતાક્રમે છે.
શાંતિપ્રિય સ્વીડને 1814 બાદ યુદ્ધ કર્યું નથી. મબલખ પાણી, ખનિજો અને 65% જેટલો વનવિસ્તાર ધરાવતા આ દેશમાં શસ્ત્રો, મોટરો અને અનેક ઉદ્યોગોને કારણે માથાદીઠ આવક બહુ ઊંચી છે. પણ ગયાં એકાદ દાયકામાં ઐયાશી અને વિનાશકારી વિકાસ વધતાં રહ્યાં છે. તેને પગલે દાવાનળ, પ્રદૂષણ અને ગરમીમાં વધારા જેવી માઠી અસરો દેખાઈ રહી છે. ડિસેમ્બર 2015ની પેરિસ ક્લાઇમેટ ચેઇન્જ કૉન્ફરન્સ બાદ સ્વીડનની સરકારે પર્યાવરણની જાળવણી માટે કડક કાયદા ઘડ્યા, પણ તેની ખાસ અસર દેખાઈ નથી. આ ચિંતાજનક પરિસ્થિતિ તરફ ગ્રેટા દેશના રાજકીય વર્ગોનું ધ્યાન દોરવા માગતી હતી એ વાત તેણે હડતાળ માટે પસંદ કરેલાં વ્યૂહાત્મક સમય પરથી સમજાય છે. તેની હડતાળનો છેલ્લો દિવસ સ્વીડનની સંસદીય ચૂંટણી માટેનો દિવસ હતો ! તે કહે છે : ‘શાળામાં પર્યાવરણ જાળવવા માટે કોશિશ કરવાનું શીખવવામાં આવે છે. પણ એમાંથી કંઈ નક્કર ન થતું હોય તો શાળાએ શા માટે જવું એમ પણ મને થાય છે. એટલા માટે એક વિદ્યાર્થી તરીકે હડતાળ પાડીને આ સમસ્યા તરફ દેશ ચલવનારાઓનું ધ્યાન દોરવું એ મને નૈતિક ફરજ લાગે છે.’
આપણી માતૃભાષા ગુજરાતીમાં ફાગણનો મહિમા તહેવાર સ્વરૂપે તો છે જ પરંતુ એ અનેક ગીતોમાં પણ ગવાયો છે. ફાગણ ફોરમતો આયો, રસિયો ફાગણ આયો, ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, ફાગણની કાળઝાળ સૂક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું … જેવાં ઉત્તમોત્તમ ગીતોની પંગતમાં બેસી શકે એવું આજનું આ ગીત આજ મારા હૈયામાં … કાવ્ય અને સંગીત બંને દૃષ્ટિએ અદ્ભુત છે. પ્રથમ પંક્તિ છે, આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે, પિચકારી મારો નહિ ગિરીધારી લાલ રે …!
સુરેશ દલાલનું કાવ્ય હોય અને ક્ષેમુ દિવેટિયા જેવા સંગીતકારે એ સંગીતબદ્ધ કર્યું હોય પછી ગીતનો મહિમા અપરંપાર જ હોય ને! રાધા-કૃષ્ણના પ્રેમની નાજુક અભિવ્યક્તિ દર્શાવતા આ ગીતમાં રાધા કહે છે કે હે ગિરિધારી, મારા હૈયામાં તો ફાગણ બારેમાસ મહેકતો-ચહેકતો રહે છે. એટલે મને રંગવાની કોઈ જરૂર નથી. તારા કાળજાના કેસૂડે મારા અંતરની ડાળ ઝૂલે છે અને તારી આંખના ઉડતા ગુલાલમાં મારો રોમેરોમ રંગાય છે. મારે ક્યાં દુન્યવી રંગથી રંગાવું છે? મને તો ફક્ત એક જ રંગ પ્રિય છે, એ છે પ્રેમનો ગુલાબી રંગ. એટલે જ એ કહે છે કે રાધિકાનો એક રંગ, તારું તે વહાલ, પિચકારી મારો નહિ ગિરિધારી લાલ …!
આ ગીતમાં સરસ રંગ પૂરનાર વરિષ્ઠ ગાયિકા માલિની પંડિત નાયક કહે છે, " ‘સંગીત સુધા’માં આ ગીત ગાવાનો મને મોકો મળ્યો એ મારા માટે ગર્વની વાત છે. હું ‘શ્રુતિ વૃંદ’ સાથે જોડાયેલી હતી એટલે ક્ષેમુભાઈ પાસે આ ગીત થોડું ઘણું તો શીખી જ હતી. એ વખતનાં ગાયિકા મૃદુલા પરીખ પણ આ ગીત ગાતાં. એટલે ગીતનો ટ્રેક તો તૈયાર જ હતો. ક્ષેમુકાકાએ મને મોકલી આપ્યો. નાની મોટી બારીકીઓ સાથે ગીતની તૈયારી મારે જ કરવાની હતી. એ સમય દરમિયાન સંગીતકાર પરેશ નાયક સાથે પરણીને હું મુંબઈમાં સ્થાયી થઇ હતી. તેથી ગીત તૈયાર કરવામાં એમના માર્ગદર્શનનો મને ખાસ્સો લાભ મળ્યો. ગૌરાંગ વ્યાસની મ્યુઝિક અરેન્જમેન્ટ પણ એટલી સરસ હતી કે ટ્રેક પર ગાવાની મને ખૂબ મજા આવી હતી. મારી ઓળખ સમાન ગીત બની ગયું હતું. શાસ્ત્રીય રાગ આધારિત ગીત તૈયાર કરવામાં ક્ષેમુકાકાની માસ્ટરી હતી. એમના ગરબા પણ એ વખતે ખૂબ વખણાતા. ગરબામાં પણ એવા પ્રયોગો કરે કે એ નિત્યનૂતન લાગે. એક પ્રયોગ તો બહુ વિશિષ્ટ હતો જેમાં એક લોકઢાળ સામે એક શાસ્ત્રીયતા ધરાવતો ગરબો હોય અને બે લીડ સિંગરો આ બંને પ્રકાર ગાય તથા કોરસ એ ઝીલે. મહામૂલો વારસો એ મૂકી ગ યા છે.