દસ ટકા એવું તો એમને સાંભળવું ય ગમતું નથી.
તમે પંદર કે પચીસ ટકા કહો.
અરે પચાસ ટકાયે પણ ખરીદવી છે કોને ?
શા માટે ?
ચોપડી વળી.
ચોપડીની વાત થાય છે.
ચોપડી કંઈ ખરીદીને વંચાય ?
કવિ કે લેખક કઈ વાડીમાં પરસેવો પાડવા જાય છે ?
આકાશેથી ઊતરે એમનેમ.
ખાતર પાણી કંઈ નહીં.
નકરી મોજમાં લખવાનું.
એના તો વળી પૈસા હોય ?
રૂપિયાથી તોળીને એ આકાશી પદારથને હલકો કરી દેવો ?
તો પછી લેખક બિચારો ધરૂજતો ફફડતો
આવે મારે દ્વાર.
કંઈ ખોટું કરતો હોય એવા ભાવથી થમાવી દે
એનું જતનથી ઉછેરેલું બાળ તમારા હાથમાં.
મફત ભેટ.
મફતમાં મળેલી વસ્તુનાં શાં મૂલ?
જરીક આમતેમ ઉથલાવી
કે ફગાવે ઊંચે માળિયે.
કાં રમે છોકરાં.
પસ્તીવાળો તો છે જ.
“ચોપડી રે બાઈ ચોપડી
કેવાં તમારાં મૂલ?”
“આમ રઝળીએ રેઢિયાળ
આમ અમે અમૂલ.”
નર્મદાનગર, જિલ્લો ભરૂચ
e.mail : ramnikagravat@@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 14
![]()


ભારત સરકારે પણ કોરોના વાઈરસની તક ઝડપીને મીડિયાનું મોઢું બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન રઝળી પડેલા લોકોને રાહત મળવી જોઈએ એવી માગણી કરતી બે પિટિશન સર્વોચ્ચ અદાલતે દાખલ કરી છે અને સુનાવણી ચાલી રહી છે. અરજકર્તાઓએ અદાલત સમક્ષ માગણી કરી છે કે કાં તો ભારતનાં શહેરોમાં સ્થાયી રહેણાક અને રોજગાર નહીં ધરાવતા પ્રવાસી મજદૂરોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે અને કાં તેમને કોરોનાનો ચેપ ન લાગે તેવી સુરક્ષિત જગ્યાએ ભોજન અને બીજી દવા જેવી જીવનજરૂરિયાતની ચીજો પૂરી પાડવામાં આવે.