બોલો,
શું કરો છો?
કેમ? શું કરવાનું?
રાજધાનીમાં બેઠા છીએ.
માથે ફર ફર ફરકતા ઝંડાનો અવાજ
કાન પર ફરક્યા કરે છે
અને
આંગળીઓના નખ રોજેરોજ વધ્યા કરે છે.
આંગળીઓના વધતા નખ જોતાં જોતાં
બસ બેઠા છીએ !
ક્યારેક નખની ધાર કાઢીએ છીએ.
બેઠા છીએ, બસ !
ક્યારેક થાય છે કે લાવ,
નેઇલ પોલિશથી નખોને રંગી કાઢું,
રૂપેરી રંગે રંગી કાઢું,
ચમકતાં ચપ્પા જેવા !
ક્યારેક થાય છે કે …..
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 13 ઍપ્રિલ 2020
![]()


પ્રદેશ, ગરીબ-તવંગર કે ધર્મ કે પછી નાતજાતના ભેદ વિના સમગ્ર વિશ્વને ભરડામાં લઇ રહેલા કોરોના વાઇરસે આતંક મચાવીને લાખો લોકોને પોતાના રાક્ષસી પંજામાં લઈ લીધા છે. આવા મહાસંકટના સમયે એક બાજુ, માનવતાની સરવાણીઓ પણ દેખા દે છે અને બીજી બાજુ, એ મુદ્દે આંતરરાષ્ટ્રીયથી લઈને સ્થાનિક મંચ પર એકમેક પર દોષારોપણ કરવાનાં કે રાજકારણ ખેલવાનાં વરવાં દૃશ્યો પણ દેખા દે છે. સામાન્ય રીતે જે રાજનેતાઓ પર ભ્રષ્ટાચાર અને દુરાચારના આરોપ થતા હોય છે એ આવા માહોલમાં દાનશૂરા બનેલા જોવા મળે છે. જો કે મૂળે તો પ્રજાની સેવા સાટે મેવા બાબત દલા તરવાડીની ભૂમિકામાં કાયમ જોવા મળતા સત્તાપક્ષ કે વિપક્ષના રાજનેતાઓ અત્યારે પોતાના સાંસદનિધિ કે ધારાસભ્યનિધિમાંથી લાખો અને કરોડો રૂપિયા ફાળવવાનાં નિવેદનો કરીને પુણ્ય કમાઈ લેવાની સ્પર્ધામાં જોવા મળે છે.