આ મુશ્કેલ સમયમાં, ચાલો, પાછા જઈએ મારા ને આપણા પ્યારા કવિ રુમિ પાસે.
ભાવાનુવાદ : સુમન શાહ

સાંભળો, રુમિ કેટલું તો આશ્વાસક કહે છે :
બધાં પાણીને જમ્પી જવા દે – તારા પોતામાં જ જોઈશ ચાંદ-તારાને ઝલમલતા …
વિચારો, એ કેટલું તો ઉપકારક કહે છે :
તારા અન્તરમનને ઢંઢોળે એવા દરેક સંદેશને ઝીલજે.
તને ડરાવે ને તારામાં ઉદાસી ભરી દે એ બધાંને મેલજે બાજુ પર.
તને દુ:ખ આપે ને તને મૉત ભણી ધકેલે એને પણ મેલી દેજે કોરાણે.
હવે, રુમિનાં આ ૪ કાવ્યોથી આજના દિવસને અર્થવતો કરીએ.
૧
મેં ઈશ્વરને પૂછ્યું : મારી આ આંખોનું શું કરું?
કહે : એને માર્ગ જોતી રાખ
મેં પૂછ્યું : મારી વૃત્તિનું શું કરું?
કહે : એને બળતી રાખ
મેં પૂછ્યું : શું કરું મારા આ હૃદયનું?
તો કહે : જણાવ મને કે એમાં શું સંભર્યું છે તેં
મેં કહ્યું : દુ:ખ ને પીડા
તો ઈશ્વરે કહ્યું :
જીવી જા એની સાથે
કેમ કે ઘા
એવી જગ્યા છે જ્યાંથી
અજવાળું તારામાં દાખલ થવાનું છે
+ + +
૨
હું જ છું તારો ચાંદ ને તારી ચાંદની
હું જ છું તારાં પુષ્પોનો બગીચો ને
હું જ છું તારું પાણી
તને ઝંખતો ઝંખતો
જો ને
આમ જ પ્હૉંચી ગયો
નથી પગમાં જૂતાં કે નથી છાતીએ કામળો
મારી એ જ ઇચ્છા છે
તારાં લાલનપાલનને સારુ
તારી ચિન્તાઓના નાશને સારુ
તું બસ
હસ
તું બસ
પ્રેમ કર
+ + +
૩
મારું હૃદય મને કહૅ કે
તારી પાસેથી
એક ચુમ્બન જોઈએ છે મને
હા પણ
એની પ્રાઇસ છે તારું જીવન આખું
હૃદય તો મારું
આનન્દથી
ઉછળી પડ્યું
ને કહૅ
પ્રાઇસની કોને પડી છે યાર !
+ +
૪
કાવ્યો તો છે કાળાંભમ્મર વાદળ
ને હું છું પાછળ સંતાયેલો ચન્દ્રમા
તું મને વાદળથી ન વાંચ
વાદળની પાછળ છે
એને વાંચ …
એ છે
ઝળહળતો ચન્દ્રમા
= = =
(April 27, 2020 : Ahmedabad)
![]()


ભારતમાં શીતળા માતાને ઓરી-અછબડા, ફોડલાની દેવી કહેવાય છે. ભારતમાં ૨૦૦ વર્ષ સુધી ઓરી-અછબડાની બીમારી રહી હતી. (૧૯૮૦માં વિશ્વ આરોગ્ય સંગઠને પૃથ્વી પરથી તેની સંપૂર્ણ નાબૂદીની જાહેરાત કરી હતી). એ ચેપી રોગ હતો, અને તેમાં બાળકોની ચામડી બળતી હતી અને ગરમ ફોડલા થતા હતા. રોગની કોઈ વૈજ્ઞાનિક સમજ ન હતી, એટલે તેને દેવી માતાનો પ્રકોપ માનવામાં આવતો હતો, અને દેવીને પ્રાર્થના કરવાથી શરીર ઠંડું થાય છે, તેવી માન્યતાથી રોગનું નામ શીતળાનો રોગ અને તેનો ઉપચાર કરાવનાર દેવીનું નામ (શીતળ પરથી) શીતળા માતા રાખવામાં આવ્યું હતું. સ્કંધપુરાણમાં હાથમાં લોટો, પંખો અને ઝાડું ધારણ કરીને ગદર્ભ પર બિરાજમાન દેવી તરીકે શીતળા માતાની કલ્પના કરવામાં આવી છે.
બીજી અને છઠ્ઠી સદીની વચ્ચે. રોમન સામ્રાજ્યમાં અનેક મહામારીઓ ફેલાઈ હતી. ઇસુ પૂર્વે ૧૬૫થી ૧૮૦ વચ્ચે અને ૫૪૧થી ૫૪૨ વચ્ચે યુરોપ અને એશિયામાં પ્લેગનો રોગ પ્રસર્યો હતો. પહેલામાં ૫૦ લાખ લોકો અને બીજામાં ૫ કરોડ લોકો માર્યા ગયા હતા. એમાંથી ભારતમાં દક્ષિણ એશિયાની પહેલી દેવી ‘હરીતી’નો ‘જન્મ’ થયો હતો. પ્રથમ સદીમાં આજના પેશાવરની આસપાસનો વિસ્તાર ગાંધાર કહેવાતો હતો (મહાભારતમાં જેના રાજા શકુની હતા. ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી આ પ્રદેશની હતી), અને ત્યાં બૌદ્ધ પરંપરામાં ‘હરીતી’ની પૂજા શરૂ થઇ હતી. તે રાક્ષસી હતી અને નવજાત શિશુઓને ઉઠાવી જઈને તેમને ખાઈ જતી હતી. બુદ્ધે તેની ભ્રષ્ટ મતિને ઠીક કરી, પછી હરીતી ઓરી-અછબડાથી શિશુઓનું રક્ષણ કરનારી દેવી બની ગઈ.
વર્તમાન વિશ્વમાં વિજ્ઞાનનો વિકાસ ચરમ પર છે. નવા નવા વૈજ્ઞાનિક સંશોધન અને શોધખોળોએ સાંપ્રત વિશ્વને એક ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે. માહિતી અને સંચારક્રાંતિના આ યુગમાં માનવજાતને અનેક ભૌતિક સુખ સગવડોનું વરદાન વિજ્ઞાને આપ્યું છે, તો સાથે કડવી વાસ્તવિકતા એ પણ છે કે, કેટલીક શાપરૂપ ઘાતક ઘટનાઓ પણ તેમાંથી નીપજી છે. મહાન વેજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના મતે માણસ મન અને હૃદયથી સ્વસ્થ, તંદુરસ્ત કે મનદુરસ્ત હોય તો જ વિજ્ઞાન વરદાન બને ! નહિ તો વિજ્ઞાન વિનાશકારી પણ બને ! માણસ દુર્યોધનની જેમ ધર્મ જાણતો હોવા છતાં તેમાં પ્રવૃત્ત થઇ શકતો નથી.