એક ઝલક મીઠી આપી ગઈ તું
તરસ પ્રેમની બહુ વધારી ગઈ તું.
ઘડીભર બોલીને ચાલી ગઈ તું
વાણીને મારી ચૂપ કરી ગઈ તું.
બે પળનો સંગાથ આપીને તું
મને સાવ એકલો કરી ગઈ તું
સહવાસ થોડીવારનો કરીને તું
મને તારી આદત પાડી ગઈ તું
એવી તો કેવી દૂર નાસી ગઈ તું
વિચારોમાં ય પાછી ના આવી તું.
એ-૧, ચંદન એપાર્ટમેન્ટ,દક્ષિણી સોસાયટી,મણિનગર, અમદાવાદ.
e.mail : mahulikarprasad@gmail.com
![]()


એક સમયે પોતાના અંગત મંત્રીને કોઈ પુસ્તક વાંચતાં જોઈ તે અંગે પૂછપરછ કરી ગાંધીજીએ કહ્યું હતું કે તેમણે એ પુસ્તકનાં વખાણ સાંભળ્યાં હતાં અને તે વાંચવાની ઇચ્છા પણ ધરાવતા હતા. એ પછી તેમણે ઉમેર્યું કે, આપણને આવી સાહ્યબી માટે સમય આપવાનો અધિકાર જ નથી. આપણી ક્ષણેક્ષણ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા જરૂરી લોકજાગૃતિ લાવવાના કાર્ય માટે ખર્ચવાની છે.