વિપુલભાઈ લેખ [બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું] ખૂબ ગમ્યો. ફરીથી મારી પોતાની અસ્મિતા વિશે વિચારમાં પડી ગઈ. મને તો વળી એક વધારાની મથામણ પણ ખરી. મારી માતૃભાષા કચ્છી અને છતાં ય શૈક્ષણિક ભાષા ગુજરાતી. મારા મત પ્રમાણે આપણાં જેવાં ગુજરાતીઓ ઘણા બધા વારસાને લીધે જ આપણે જ્યાં વસ્યાં છે ત્યાં આનંદથી રહીએ છીએ. કદાચ તે દેશના સંસ્કારો સાથે એકમય નથી થઈ ગયાં, પણ એ દેશની અન્ય આતંકવાદીઓની જેમ બબૂરી હાલત નથી કરી કે નથી કદી એનું બૂરું ઈચ્છ્યું.
પેટલીકરે જે વાત પૂર્વ આફ્રિકાનાં ગુજરાતીઓ વિશે કહી હતી, એવી જ વાત કોઈ Western journalistએ ભારતીઓ વિશે કહી છે. એણે કહ્યું કે ‘હું ભારતમાં બંગાળીને મળ્યો, ગુજરાતી, પંજાબી, રાજસ્થાની વગેરેને મળ્યો, પણ હું કોઈ ભારતીયને ન મળી શક્યો.’
વળી [શાંતિ જેવાં] એવાં પણ લોકો હોય છે જે પોતાની અસ્મિતા કોઈ પણ વારસા સાથે ન જોડતાં ‘હું છું તે જ છું’ એ રીતે ઓળખતાં હોય છે. ત્યારે હું ભાટિયા, કચ્છી, ગુજરાતી, ભારતીય, જંગબારી, ટાન્ઝાનિયન, યુગાન્ડન, કેનિયન અને બ્રિટિશ – દરેક પ્રાંત કે દેશની અસ્મિતાના ઉચ્ચ ગુણોનાં પલ્લામાં બેસી, જ્યારે પણ મોકો મળે ત્યારે તેમની જયગાથા માણું છું અને બ્રિટિશપણામાં રાચું છું.
સ્નેહ સહિત
ભદ્રા
![]()


આ ગીત વિશે અનિલ જોશીએ સરસ સ્મૃતિઓ વહેંચી. "ઘણાં વર્ષ પહેલાં મારું અતિ લોકપ્રિય ગીત, ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો …’ મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ (નાથાભાઈ જોશી) હતા. મને સપનામાં ઘણી વાર પંક્તિ સૂઝે જે હું સવારે ઊઠીને તરત ટપકાવી લઉં. આ ગીતની પંક્તિ ગોંડલની અમારી અગાસીમાં સૂઝી હતી. એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો. સાંજનો સમય હતો. ભાઈ બહારની પરસાળમાં સૂતા હતા. હું એમની પાસે જઈને બેઠો. ભાઈ કહે : ‘કવિતા લખાય છેને? સંભળાવ.’ મેં ભાઈને ‘મારી કોઈ ડાળખી…’માં ગીત સંભળાવ્યું. આખું ગીત સાંભળ્યા પછી ભાઈ થોડી વાર મૌન થઇ ગયા. થોડીવારે મને કહ્યું, ‘અનિલ, હવે તું એવું ગીત લખ કે મારી સહુ ડાળખીમાં ભરપૂર પાંદડાંઓ છે છતાં મને પાનખરની બીક નથી લાગતી. આપણી પાસે કશું જ ના હોય તો પછી એની બીક શું કામ લાગે? આપણી પાસે બધો જ વૈભવ હોય છતાં એ જતો રહેવાની બીક ના લાગે એની જ મજા છે.’ એ દિવસોમાં હું યંગ હતો. મેં એવું ગીત લખવાનાં ખૂબ ફાંફાં માર્યાં પણ લખી શક્યો નહિ. ભાઈની ગેરહયાતીમાં એવું ગીત અનાયાસે લખાયું તે ભાઈને અર્પણ કર્યું હતું. એ ગીત છે :
મારા તરફ આંગળી ચીંધીને મારી ઓળખ આપતાં કહ્યું, ‘જુઓ, પેલા મારી કોઈ ડાળખીવાળા ભાઈ પણ મોલમાં આવ્યા છે.’ અહીં મેં જોયું કે મારું નામ જ ગીતમાં ઓગળી ગયું છે. લોકો ગીતની પંક્તિથી જ મને ઓળખે એ પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતનો જાદુ છે. પુરુષોત્તમ નૈસર્ગિક કલાકાર છે. એના સ્વરાંકનમાં ચતુરાઈ નથી. બેગમ અખ્તર પણ એમની કલાને સન્માન આપે. સલામત-નજાકતઅલી પણ પુરુષોત્તમના ચાહક.
કૉલેજ શરૂ થવાનો સમય સવારના દસનો હોય અને માંડ ત્રીસ-બત્રીસ કિલોમીટરનું અંતર બસમાં કાપવાનું હોય, બસોની સારી સુવિધા હોય એ સંજોગોમાં ઘેરથી કલાકેક વહેલા નીકળીએ તો ચાલે. પણ સમાજશાસ્ત્રના વિષય સાથે એમ.એ.નો અભ્યાસ કરી રહેલી સોનલ સોલંકી સવારના છ વાગ્યે ઘેરથી નીકળી જતી. તેણે નડિયાદ પહોંચવાનું અને એ માટેની બસ કઠલાલથી પકડવાની. આ બંને નગર વચ્ચે માંડ ત્રીસેક કિલોમીટરનું અંતર. પણ સોનલનું ગામ નવા મુવાડા, જે ખરેખર તો ગામ નહીં, પણ છૂટાંછવાયાં ઘરોની વસાહત કહી શકાય. મુખ્ય માર્ગથી છ કિલોમીટરના અંતરે આવેલા પોતાના ઘરથી સડક પર પહોંચીને રીક્ષા પકડીને કઠલાલ જવા માટે તેણે ખેતરો ખૂંદીને આવવું પડે. આટલું ઓછું હોય એમ તેના એક પગે જન્મજાત ખોડ હોવાથી, ધીમી ચાલે તેણે ચાલવાનું. નવા મુવાડાથી કઠલાલ અને ત્યાંથી નડિયાદ પહોંચે એ પછી પણ નડિયાદના બસ સ્ટેશનથી પોતાની કૉલેજ આ રીતે જ ચાલતા જવાનું. તેના પિતાજી નાના ખેડૂત. સંતાનોમાં સોનલ સૌથી મોટી, એટલું જ નહીં, ઘરમાંથી કોઈ આટલે સુધી ભણ્યું જ નથી. આટલું ભણેલી યુવતીને પોતાના સમાજમાંથી યોગ્ય મૂરતિયો મળવો મુશ્કેલ. આમ છતાં, વિપરીતતાઓ સામે ઝઝૂમવાનો ભાર ન સોનલને કે ન તેના કોઈ કુટુંબીને. આ રીતે જ તેણે બી.એ.માં ફર્સ્ટ ક્લાસ મેળવેલો. આ વરસે લેવાયેલી એમ.એ.ની પરીક્ષામાં તો તેનો સમગ્ર સરદાર પટેલ (એસ.પી.) યુનિવર્સિટીમાં નંબર આવ્યો.