આહ!
એક ચિત્કાર સાથે …
એ નીચે બેસી પડી …
બે હાથોમાં માથું પકડી ..
આંખોમાં ઝળહળિયાં ..
હોઠ ભીડી ..
દર્દને સહેવાની કોશિશ વચ્ચે …
હ્રદય પર સહ્ય બોજ સહેતી
પ્રસ્વેદથી તરબતર …
એ દર્દ ને પીડાની પરાકાષ્ઠાએ
આસપાસ નજર ફેંકી
પણ ..
ત્યાં તો હતું ..
તમાશબીન ટોળું
માણસાઈના મૃત્યુની વાત કહેતું ..
જુગુપ્સા આશ્ચ ર્ય.. કે સવાલો લઈ આવેલું ..
હમદર્દી ઈન્સાનિયત
કે અનુકંપા દયા કરુણા ભૂલાવી
ભૂખ્યા વરુઓની લાલસા લઈ
જીભ લબલબાવતું …
નહોર કાઢી ફાડી ખાવા તૈયાર …
નિસહાય લાચાર એ કળસતી રહી ..
શ્વાસના સંબંધ સુધી …
આંખોમાં આજીજી
મદદની અપેક્ષા એ
મોઢે ફીણ વળ્યાં.
અને
દમ તોડ્યો …
એ તમાશબીન સામે …
કદાચ ઉત્કૃષ્ટ દર્દ પીડાને નામે
તાળીઓ મળી જાય ….
**
e.mail : kiranpiyushshah@gmail.com
![]()


વીર નર્મદ યુનિવર્સિટીમાં એવો નિયમ છે કે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ આપવા. એટલે કે વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો તેના માર્ક્સ કપાય. આ નિયમ રાજ્યની બીજી યુનિવર્સિટીઓમાં નથી. તેમાં ખોટો જવાબ હોય તો માર્ક્સ કપાતા નથી. ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં માર્ક કપાય ને એ જ રાજ્યની બીજી યુનિવર્સિટીમાં ન કપાય એ યોગ્ય છે? એક જ રાજ્યની બધી યુનિવર્સિટીમાં આવી અતંત્રતા વહેલી તકે દૂર થવી જોઈએ. કમસે કમ પીએચ.ડી. લેવલે બધી યુનિવર્સિટીઓમાં એકવાક્યતા હોય એટલી સાદી વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગ ન કરી શકે? બીજી વિચિત્રતા વીર નર્મદ યુનિવર્સિટીમાં એ પણ છે કે પીએચ.ડી. એન્ટ્રન્સ એકઝામમાં પરીક્ષાનાં પેપર્સ યુનિવર્સિટી પરત લઈ લે છે. બધી પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર વિદ્યાર્થીને આપી દેવાતાં હોય તો વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આપી દેવાનો શો વાંધો છે એ સમજાતું નથી. કેટલાક અધ્યાપકોને આ અંગે પૂછતાં એ જાણવા મળ્યું કે આ અંગે વિદ્યાર્થી યુનિયનો અને યુનિવર્સિટી અંગે વાટાઘાટો ચાલે છે ને એનો સુખદ ઉકેલ આવે એમ લાગે છે.