પુસ્તક વાંચીને –
પેટ નથી ભરાતું!
કવિતા લખીને –
પેટ નથી ભરાતું!
વાર્તા ઘડીને –
પેટ નથી ભરાતું!
નાટકનો અભિન્ન અંગ બનીને –
પેટ નથી ભરાતું!
પ્રેમ કરીને, મેળવીને –
પેટ નથી ભરાતું!
કોઈની માટે રડીને, હસીને –
પેટ નથી ભરાતું!
કોઈને યાદ કરીને –
પેટ નથી ભરાતું!
કોઈને બહુ દિવસે મળીને –
પેટ નથી ભરાતું!
મળીને છૂટા પડીને –
પેટ નથી ભરાતું!
સાથે બેસીને –
પેટ નથી ભરાતું!
એકલા ચાલીને –
પેટ નથી ભરાતું!
ચાલ્યા પછી થોભીને –
પેટ નથી ભરાતું!
થોભ્યા પછી કશું શોધીને –
પેટ નથી ભરાતું!
તમે પેટ ભરાઇ ગયું, કોને કહો છો?
ખાવાથી ભરાય કે પીવાથી ભરાય એને?
કે પછી …
બાજુના ઘરમાં કોઈ ભૂખ્યું હોય અને
તમારા ગળેથી કોળિયો
નીચે ના ઊતરે –
એને!
Email: panchalbrijesh02@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 10
![]()


દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવાના પ્રયાસો નિષ્ફળ જતાં, સ્થાનિક દમનને ન્યાયી ઠેરવવાવાળી આંતરરાષ્ટ્રીય ષડયંત્ર વિશેની માન્યતાઓનો રાફડો ફાટ્યો છે. તો હવે પછીના સમયમાં આ માન્યતાઓ આ પૃથ્વીની બહારના પરિબળોનો હાથ પણ આમાં જોશે કે શું?
તેવીસમી માર્ચે (મંગળવારે) બરાબર નેવું વરસ થયાં ભગતસિંહની શહાદતને. જેમ જેમ વરસો વીતતાં જાય છે, એમનાં બલિદાની જીવનની પૂંઠે રહેલી કાલજયી અપીલ ખીલતી આવે છે. માનવમુક્તિ માટે શાહીવાદ સામેના સંઘર્ષની એમની અપીલ વિભાજનગત સરહદોને લાંઘીને બરકરાર છે. લાહોરમાં રાશિદ કુરૈશીના વડપણ હેઠળ ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન કાર્યરત છે, અને કોરોનાના કેર વચ્ચે માર્ગદર્શક નિયમો પાળીને ઓણ પણ જાહેર ઉજવણી થવી જોઈએ એ માટે એમણે અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.