'સાહેબ, હજી બી.એ.નું રિઝલ્ટ નથી આવ્યું, ત્યાં એમ.એ.નું ફોર્મ કેવી રીતે ભરું?'
'ભાઈ, બી.એ. પછી કરો તો વાંધો છે?'
•
કેટલાકને ડાયાબિટીસ હોય છે તો કેટલાકને દોઢ ડા'યાબિટીસ !
•
'સાહેબ, શું લાગે છે, ત્રીજી લહેર આવશે?'
'આવે પણ, કારણ મહેનત તો બધાં જ કરી રહ્યાં છે …'
•
'લગ્ન પછી માણસ શું કરે છે?'
'પસ્તાવો.'
•
'મેળાવડામાં 400ને છૂટ ને મરણમાં 40ને, તો મરણમાં 400ને બોલાવવા શું કરવાનું?'
'10 વખત મરવાનું.'
•
'રખાત અને પત્ની વિશે કૈં કહો.'
'રખાત જાણતી હોય છે કે પત્ની છે જ્યારે પત્ની ન પણ જાણતી હોય કે …'
•
'તમે પુન:લગ્નમાં માનો છો?'
'ના. તું?'
'રાહ જોઉં છું.'
•
'અલ્યા, પત્ની ગુજરી જાય તો તું બીજી કરે?'
'એની ક્યાં માંડે છે! મારા વાળી તો વિધવા પુનર્લગ્નનો લાભ લેવા વ્રત કરે છે.'
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ આપીને પૂછ્યું છે કે રાજદ્રોહને ગુનો ગણાવતા ભારતીય દંડ સંહિતાના સેક્શન ૧૨૪(એ)ને શા માટે રદ્દ કરવામાં ન આવે? આ કાયદાનો વ્યાપકપણે દુરુપયોગ થઈ રહ્યો છે. પહેલાં અંગ્રેજો દુરુપયોગ કરતા હતા, આઝાદી પછી ભારત સરકાર અને રાજ્ય સરકારો કરતી આવી છે અને અત્યારે હિંદુ રાષ્ટ્રવાદી સરકાર તેનો સૌથી વધુ દુરુપયોગ કરે છે. અંગ્રેજો કરતાં પણ વધુ, અભૂતપૂર્વ પ્રમાણમાં.
‘બ્લેક ડેથ’ તરીકે ઓળખાવાયેલી ચૌદમી સદીની બ્યૂબોનિક પ્લેગની મહામારીમાં સાડા સાતથી વીસ કરોડ લોકોનાં મોત થયાંનો અંદાજ છે. આ મહામારીમાં પણ માનવીના પૂર્વગ્રહો અછતા રહી શક્યા નહોતા. યુરોપમાં બ્યૂબોનિક પ્લેગના ફેલાવા માટે ખ્રિસ્તીઓએ યહૂદીઓને જવાબદાર માન્યા હતા. ખ્રિસ્તીઓએ ખૂબ મોટા પાયે યહૂદીઓને નિશાન બનાવી તેમના પર બર્બર હિંસા આચરી હતી. ઓગણીસમી સદીમાં અમેરિકાના પૂર્વ તટમાં કોલેરાની મહામારી ફેલાઈ ત્યારે ઇંગ્લિશ મૂળના પ્રોટેસ્ટન્ટોએ તેનો દોષ આઈરિશ મૂળના કેથલિક્સ પર ઢોળ્યો હતો. તેવું તે સમયના દસ્તાવેજોના આધારે સાબિત થયું છે.