૨૩ ડિસેમ્બર, ૧૯૯૪ના દિવસે, સંયુક્ત રાષ્ટ્રિય સંઘે એમના ઠરાવ ૪૯/૨૧૪ મારફતે દર વર્ષે ૯મી ઑગસ્ટે આંતર-રાષ્ટ્રિય વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાનું ઠેરવ્યું.
આ વર્ષની ઉજવણીનો વિષય છે, ‘કોઈ પાછળ રહી ના જાય : આદિવાસી સમુદાયો અને નવા સામાજિક કરારની માંગણી’.
વિશ્વની ૭૦% વસ્તી વધતી જતી આવક અને ધનની અસમાનતા ધરાવતા દેશોમાં વસે છે. આમાં આદિવાસી સમુદાયોનો પણ સમાવેશ છે. આદિવાસી સમુદાયો આમે ય ગરીબીનો ઊંચો દર અને ભારોભાર સામાજિક-આર્થિક ગેરલાભનો સામનો કરી રહ્યાં છે. અસમાનતાનો ઊંચો દર સામાન્ય રીતે સંસ્થાગત અસ્થિરતા, ભ્રષ્ટાચાર, નાણાંકીય કટોકટી, વધતી ગુનાખોરી, ગરીબી તથા ન્યાય, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો અભાવ સાથે સંકળાયેલો છે. ગરીબી અને ધરખમ અસમાનતાઓ આદિવાસી સમુદાયો માટે તીવ્ર સામાજિક તણાવો અને સંઘર્ષો સર્જે છે.
ગરીબીને એના તમામ સ્વરૂપો અને પાસાઓ સહિત નાબૂદ કરવી અને અમાનતાને ઘટાડવી એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૨૦૩૦ના ટકાઉ વિકાસની કાર્યસૂચિના હાર્દમાં રહેલા છે. સમગ્ર સમાજ — માત્ર સરકારો નહીં પરંતુ સામાજિક કર્મશીલો, આદિવાસી સમુદાયો, સ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો — આ તમામની સંયુક્ત રાષ્ટ્ર અધિકારપત્ર (યુનાઈટૅડ નૅશન્સ ચાર્ટર) મુજબ “આપણે, સર્વ લોકો”ના હિતમાં નવા સામાજિક કરારની બાંધણી અને પુન:રચનામાં ભૂમિકા હશે.
આદિવાસી સમુદાયો અને સરકારો વચ્ચે સમજૂતી સ્થાપવામાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં આદિવાસી સમુદાયોની સહભાગિતાનો હક મહત્ત્વનું ઘટક છે. તેથી, આદિવાસી સમુદાયોની અર્થપૂર્ણ અને અસરકારક ભાગીદારી તથા એમની મુક્ત, જાગૃત અને પૂર્વ પરવાનગી મેળવીને નવા સામાજિક કરાર મારફતે આદિવાસી સમુદાયોને અસર કરતા બાદબાકીના વારસા અને હાંસિયાકરણને પડકારવા પડશે. પરિણામે ૨૦૩૦ની કાર્યસૂચિના ઉદ્દેશો પણ હાંસલ કરી શકાશે.
કોવિડ-૧૯ મહામારીએ વધતી જતી અસમાનતાઓની અસરો પર પ્રકાશ પાડ્યો છે અને નવા સામાજિક કરાર સંદર્ભે પુન:વિચારની તાતી જરૂરિયાત અંગે ચર્ચાને વેગ આપ્યો છે. તમામ લોકો અને આપણા ગ્રહ માટે કારગર એવી સામાન્ય બુદ્ધિની જરૂર ઊભી થઈ છે. મહામારીએ વધુ સમાનતા ધરાવતા અને ટકાઉ વિશ્વની પુન:રચનાની અનેરી તક સર્જી છે — એવું વિશ્વ જે સર્વ માટે યથાર્થ અને સમાવેશક સહભાગિતા તથા ભાગીદારી દ્વારા સમાન તકોને અવકાશ પૂરો પાડવા પર અને સર્વના હકો, સન્માન અને સ્વતંત્રતાનો આદર કરવા પર આધારિત હોય.વિશ્વભરમાં કોવિડ-૧૯થી અપ્રમાણસર અસર પામેલા બહુલ આદિવાસી સમુદાયો માટે, વધુ સારી પુન:રચના અને સામાજિક કરારોના પુન:વિચાર સંદર્ભે, એમનાં અવાજો, જરૂરિયાતો અને
ચિંતાઓને લક્ષમાં લેવાનો, એમની મુક્ત, જાગૃત અને પૂર્વ મંજૂરી મેળવવાનો અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના આદિવાસી સમુદાયોના હકોના જાહેરનામામાં માન્યતા પ્રાપ્ત આદિવાસી સમુદાયોના સામૂહિક અને વ્યક્તિગત હકોનો સમાવેશ હોવો આવશ્યક છે.
ચાલો, આજે વિશ્વ આાદિવાસી દિન નિમિત્તે આપણે સૌ આ આવકારદાયક પહેલમાં આપણું નાનું તો નાનું યોગદાન આપીએ અને આપણી માનવ ફરજ બજાવીએ. વિશ્વભરમાં વસતા વહાલાં આદિવાસી ભાઈ-બહેનોને વિશ્વ આદિવાસી દિનની શુભ કામનાઓ.
જય આદિવાસી! જય જોહાર!
સંદર્ભ: www.un.org
ફોટા : રૂપાલી બર્ક
e.mail: rupaleeburke@yahoo.co.in
![]()



ટોકિયો ઓલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં ભારતીય મહિલાઓએ જ લાજ રાખી છે. જો કે, જર્મનીને હરાવીને 41 વર્ષે પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ લખાય છે ત્યાં સુધીમાં ભારતના ખાતામાં 5 મેડલ જમા થયા છે, તેમાંથી ત્રણ મહિલાને મળ્યા છે. પ્રથમ સિલ્વર મેડલ વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો. બીજો બ્રોન્ઝ મેડલ બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ ભારત માટે મેળવ્યો. આ અગાઉ પણ સિંધુએ રિયો ઓલિમ્પિકમાં 2016માં સિલ્વર મેડલ અપાવ્યો હતો. સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સિંધુ પહેલી ભારતીય મહિલા બની છે ને એ રીતે તેણે સુશીલકુમારના રેકોર્ડની બરાબરી કરી છે. ત્રીજો મેડલ બોક્સિંગમાં લવલિના બોરગોહેને જીત્યો છે ને તે બ્રોન્ઝ લઈને ભારત આવશે.
કે મહિલા ટીમની ગોલકીપર સવિતાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 પેનલ્ટી કોર્નર દીવાલની જેમ રોક્યા તે થોડા દિવસોમાં જ દુનિયાએ જાણ્યું હશે, બાકી ઘણાંને તો નામની ખબર પણ નહીં હોય એમ બને. આ નામ કમાવવાનું જરા પણ સહેલું નથી. ઓલિમ્પિક સુધી પહોંચતામાં જ કેટલા ય ખેલાડીઓને ફીણ વળી જતાં હોય છે. કેટલા ય ખેલાડીઓ શક્તિ છતાં રાજ્યની સ્પર્ધા સુધી પણ પહોંચી શકતા નથી ને પ્રોત્સાહનના અભાવમાં વચ્ચે જ ક્યાંક અટવાઈ જતા હોય છે.
ભારતીય પહેલવાન રવિકુમાર દહિયાએ કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. જો કે, રવિની પહેલવાની સરળ રહી નથી. તેની સ્થિતિ એવી ન હતી કે તેને પહેલવાની પરવડે. ભાડાનાં ખેતરોમાં મહેનત કરનાર પિતા રાકેશે 60 કિલોમીટર દૂર આવેલાં સ્ટેડિયમમાં દીકરાને દૂધ માખણ પહોંચાડવામાં લોહીનું પાણી કર્યું છે, ત્યારે વર્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ સુધી પહોંચાયું છે. આ ઉપરાંત પણ એશિયન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ તથા 2015માં વર્લ્ડ જુનિયર રેસલિંગ ચેમ્પિયનશિપમાં રવિકુમારને સિલ્વર મેડલ મળી ચૂક્યો છે. આ બધું છતાં સરકારની નજર રવિ કે તેના ગામ પર ખાસ પડી નથી. તેના ગામમાં આજે પણ 3-4 કલાક જ વીજળી આવે છે. પાણી પણ પાણી વગરનું જ આવે છે એમ કહીએ તો ખોટું નથી.
મીરાબાઈ ચાનુ પણ મેડલ મેળવવા ખૂબ મથી છે. તે બે વર્ષ પોતાની માતાથી દૂર રહી છે. તેની ટ્રેનિંગ અમેરિકામાં થઈ. માતાએ તેને ખૂબ મોટિવેટ કરી છે. 26 વર્ષની ચાનુ હવે માતાને પૂરો સમય આપવા માંગે છે. તેનું લક્ષ્યાંક 2024ની પેરિસ ઓલિમ્પિક છે ને તે ગોલ્ડ પર નજર રાખીને બેઠી છે. જો કે, સૌથી વધુ સંઘર્ષ કદાચ મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલના ભાગે આવ્યો છે. ઘરમાં કોઈ જ ઇચ્છતું ન હોય કે છોકરી રમતમાં આગળ વધે, એવે વખતે ખેલાડી જીવને રમવું ને મરવું વચ્ચે બહુ ફરક રહેતો નથી. હરિયાણાનાં કુરુક્ષેત્રની રાની માટે તો ઘર જ કુરુક્ષેત્રથી ઓછું ન હતું. રાતના મચ્છરોનો ગણગણાટ ને ખોરાક પર માખીનો બણબણાટ હોય ત્યાં શાંતિ કેવીક હોય તે સમજી શકાય એવું છે. પિતા ગાડી હાંકતા ને મા લોકોનાં ઘરકામ કરતી. આ બધાંમાં પિતાની આવક હતી રોજના 80 રૂપિયા. માબાપ થાય એટલું કરતાં. બે મોટા ભાઈઓ પણ હતા, તેમાંનો એક દુકાનમાં ને બીજો સુથારીમાં મહેનત કરતો, પણ હોય જ એટલું કે વધારે કશું લાગે જ નહીં.
પણ તે કુપોષણનો શિકાર હતી. એવામાં તેને ભાંગેલી સ્ટિક હાથ લાગી ને એનાથી જ તેણે હોકીનાં શ્રીગણેશ કર્યાં. રાનીની વારંવારની વિનંતીઓ પછી તેને ટ્રેનિંગની છૂટ મળી. પણ કુટુંબને દીકરી હોકી રમે તે મંજૂર ન હતું. કુટુંબ તો એટલું જ જાણતું હતું કે છોકરીઓ તો ઘરકામમાં જ ખપે, તેને વળી સ્કર્ટ પહેરીને રમવાનું કેવું? રાનીએ કુટુંબને સમજાવ્યું કે રમવા જવા દો, જો તે સફળ ન થઈ તો કુટુંબ કહેશે તેમ જીવશે.