
ભારતનાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ઓળખાણ આજની પેઢીને આપવી હોય તો? તો એ જ કે ઇન્દિરા એક તેજતર્રાર, દબંગ નેતા હતાં. એ દુર્ગા તરીકે જાણીતાં હતાં, તેમણે પાકિસ્તાનના ટુકડા કરી નાખ્યા હતા. તેમણે કૉંગ્રેસને પણ બે ફાડચામાં વહેંચી નાખી હતી. તેમણે દેશમાં કટોકટી લાદી હતી, લોકતંત્રનું ગળું દબાવી દીધું હતું અને સંવેધાનિક વ્યવસ્થાઓને નપુંસક બનાવી દીધી હતી. પિતા જવાહરલાલ નહેરુ પછી સૌથી લાંબો સમય (1966થી 1977 અને 1980થી 1984) સુધી શાસન કર્યું હતું. તેમના જ બે અંગરક્ષકોના હાથે તેઓ શહીદ થયાં હતાં.
ઇન્દિરા ગાંધી આ બધું તો હતાં જ, અને એ ઉપરાંત પણ ઘણું બધું હતાં. કેટલાક લોકો માટે તેઓ સંત હતાં, જેણે ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ બનાવી હતી. કેટલાક માટે એ શેતાન હતાં, જેમણે કટોકટી નામના પશુને દેશ ઉપર છોડી મૂક્યું હતું અને વિરોધીઓ ઉપર કચકચાવીને વેર લીધું હતું. ઇન્દિરા ઉપર ખૂબ લખાયું છે, અને હજુ ય લખાતું રહે છે. જેને બ્લેક એન્ડ વ્હાઇટ ચરિત્ર કહેવાય છે, તેવું ઇન્દિરાના કિસ્સામાં નથી. અલગ-અલગ લેખકો-પંડિતો ઇન્દિરાને પોત-પોતાના મૌલિક દૃષ્ટિકોણથી જુએ છે અને એ પરસ્પર વિરોધી દૃશ્યોમાંથી ઇન્દિરાનું એનિગ્મેટિક વ્યક્તિત્વ ઊભું થાય છે.
છેલ્લા એક મહિનામાં જ ઇન્દિરા ગાંધી ઉપર ત્રણ નવાં પુસ્તકો આવ્યાં છે અને જુલાઈમાં મધુર ભંડારકરની એક ફિલ્મ (ઇન્દુ સરકાર) રિલીઝ થઈ રહી છે. મે મહિનામાં ઇન્દિરાની જન્મ શતાબ્દી નિમિત્તે કૉંગ્રેસ પક્ષે ‘ઇન્ડિયાઝ ઇન્દિરા: અ સેન્ટેનીઅલ ટ્રિબ્યુટ’ પુસ્તક પ્રકાશિત કર્યું છે. બીજું પુસ્તક પત્રકાર સાગરિકા ઘોષનું છે ‘ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર’, જે ઇન્દિરાને જેમ્સ બોન્ડ અને બાહુબલીના ક્રોસ તરીકે પેશ કરે છે. ઇન્દિરાનું ત્રીજું ચરિત્ર કૉંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે લખ્યું છે, અને આ ત્રીજું પુસ્તક એટલું બધું મૌલિક છે કે અત્યાર સુધી ઇન્દિરા ઉપર લખાયેલાં તમામ પુસ્તકો(જેની સંખ્યા અંદાજે 35 છે)માં પહેલી વાર ઇન્દિરાને એક નવા આયામમાં પેશ કરવામાં આવ્યાં છે.
તમે અંગ્રેજીમાં ‘બાયોફિલા’ શબ્દ સાંભળ્યો છે? શબ્દ બહુ નવો છે. 1984માં (જે વર્ષે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી) અમેરિકન જીવશાસ્ત્રી એડવર્ડ વિલ્સને આ નામનું એક પુસ્તક લખ્યું હતું ત્યારથી એ શબ્દ વપરાશમાં છે. જેમ ફિલોસોફી શબ્દમાં ફિલોનો અર્થ પ્રેમ અને સોફીનો અર્થ જ્ઞાન થાય છે (જ્ઞાન માટેનો પ્રેમ), તેવી રીતે બાયોફિલોનો અર્થ થાય છે જીવ (બાયો) માટેનો પ્રેમ (ફિલો).
વિલ્સને કહ્યું હતું કે આપણી આજુબાજુમાં જે જૈવિક દુનિયા છે તેની સાથે દરેક વ્યક્તિના અચેતન મનમાં લગાવ હોય છે. પ્રકૃતિ સાથે, પશુ-પંખી-પાણી-વનસ્પતિ સાથે આપણે જોડાયેલા હતા, પરંતુ ઉત્ક્રાંતિ દરમિયાન મન-મગજનો વેગળો વિકાસ થતાં માનસિક સ્તરે એક અલગાવ પેદા થઇ ગયો અને પ્રકૃતિ સાથે પાછા એક થવાની કસક આપણી અંદર જીવતી રહી ગઈ. આ તડપ એટલે બાયોફિલા.
જયરામ રમેશે લખેલા જીવનચરિત્ર ‘ઇન્દિરા ગાંધી: અ લાઇફ ઇન નેચર’માં જે ઇન્દિરા બહાર આવે છે, તે આ બાયોફિલાની ફિતરતવાળાં ઇન્દિરા છે, જે અલગ, અજાણ્યાં અને અભિનવ છે. ઇન્દિરાનો પ્રથમ પ્રેમ પ્રકૃતિ હતી, અને રાજનીતિમાં તેઓ અનિચ્છાએ આવ્યાં હતાં. નિસર્ગ પ્રત્યેના એ ‘નેહડા’ને કારણે જ આ દેશના પર્યાવરણ તથા વન્ય સંબંધી કેટલા ય કાનૂનો ઇન્દિરાના કાર્યકાળ વેળા આવ્યા હતા, એ આ હેરત અંગે જ પુસ્તકની હાઇલાઇટ્સ છે.
‘વડાપ્રધાનો તો આવાં ગતકડાં કરતાં રહે’ એવું કહીને જો તમે ઇન્દિરાના આ ફિતૂરને ખારીજ કરી નાખતા હો તો જાણવા જેવું એ છે કે ઇન્દિરાનો પ્રકૃતિપ્રેમ દિલ્હીના સફદરજંગ રોડના બંગલામાંથી આવ્યો ન હતો, એ અલ્હાબાદના આનંદ ભવન અને દિલ્હીના તીન મૂર્તિ ભવનમાંથી આવ્યો હતો, જ્યાંથી પિતા જવાહરલાલ નેહરુએ ‘ગૂંગી ગુડિયા’ ઇન્દિરાને પત્રો લખ્યા હતા.
‘લેટર્સ ફ્રોમ ધ ફાધર ટુ હીઝ ડૉટર’ પુસ્તકમાં આવા ત્રીસ પત્રોનો સમાવેશ છે અને એમાં પાંચ પત્રો નૈસર્ગિક ઇતિહાસ ઉપર છે. ઇન્દિરાનો પ્રકૃતિ પ્રેમ જવાહરલાલ નેહરુ તરફથી આવ્યો હતો. 1973માં આ જ પુસ્તકની આવૃત્તિમાં પ્રસ્તાવનામાં ઇન્દિરાએ લખ્યું હતું, ‘આ પત્રોએ મને પ્રકૃતિને પુસ્તકની જેમ સાચવવાનું શીખવ્યું છે. મેં કલાકોના કલાકો પથ્થરો, છોડવા, જંતુઓ અને આકાશના તારાને ઓળખવામાં કાઢ્યા છે.’
ઇન્દિરા એક માત્ર ભારતીય પ્રધાનમંત્રી છે, જેમણે 1972માં સ્ટોકહોમમાં યુએન કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયર્નમેન્ટમાં સંબોધન કર્યું હતું અને લંડનના ‘ધ ગાર્ડિયન’ સમાચારપત્રના મતે, ઇન્દિરાએ પહેલીવાર ગરીબીનું એક મૂળ પર્યાવરણ પરિવર્તનમાં જોયું હતું. લોખંડી મહિલા તરીકે જાણીતાં ઇન્દિરામાં નિસર્ગની તડપ કેવી હતી, એની એક મિસાલ અમેરિકાના ફોટોગ્રાફર ડોરોથી નોર્મનને 1958માં લખેલા એક પત્રમાં મળે છે. ઇન્દિરાએ ડોરોથીને લખ્યું હતું, ‘મને આ બધું છોડીને સુદૂર કોઇ પહાડોમાં જતાં રહેવાનું મન થાય છે.’ બીજા જ વર્ષે 1959માં એમણે કૉંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું. તે પછી બીજા એક મિત્રને લખ્યંુ હતું, ‘હું આ આખું વર્ષ ચુપચાપ અને શાંતિમાં પસાર કરવાનું વિચારતી હતી ત્યાં આ નવી જવાબદારી આવી પડી છે.’
ઇન્દિરા પક્ષીવિજ્ઞાની સલીમ અલીનાં મિત્ર અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પેટ્રન હતાં. ઇન્દિરાના પ્રયાસથી જ દિલ્હી બર્ડ વૉચિંગ સોસાયટીની સ્થાપના થઈ હતી. એક પત્રમાં એ પિતા નેહરુને ઘેરા પીળા રંગના, ચમકતા બ્લુ શેડ્સવાળા પૂંછડીવાળા, ઘુમાવદાર ચોંચવાળા પક્ષીનું નામ પૂછે છે. જવાબમાં નહેરુ લખે છે, ‘તું મને કોઇ પક્ષીનું સંદિગ્ધ વર્ણન કરીને અહીં બેઠાં બેઠાં એનું નામ આપવાનું કહે છે! મારા જ્ઞાનમાં તારો આ વિશ્વાસ મર્મસ્પર્શી છે, પણ ઉચિત નથી.’
નહેરુએ ઇન્દિરાને જે પુસ્તકો વાંચવા આપેલાં, એમાં એક બેલ્જિયાઇ નાટ્યકાર-કવિ મૌરીસ મેટલિંકનું ‘ધ લાઇફ ઑફ ધ બી’ છે, જે મધમાખીનો આધાર લઈને જીવનની વાત કરે છે. એમાં નહેરુ લખે છે, ‘ઇન્દિરા પ્રિયદર્શિની, પાપુ કા બહુત, બહુત પ્યાર, નૈની જેલ, 10 ડિસેમ્બર 1930’. વળતા પત્રમાં ઇન્દિરા લખે છે, ‘વાંચવાની મજા આવી. મેં ‘ધ લાઇફ ઑફ ધ એન્ટ’ પણ શરૂ કરી છે. હજુ થોડાં પાનાં વાંચ્યાં છે એટલે બહુ કહી નહીં શકું.’
વર્ષો પછી ઇન્દિરાએ એક પત્રમાં મિત્રને લખ્યું હતું, ‘ફેબર બુક્સ ઑફ ઇન્સેક્ટસ’ અને મૌરીસનાં પુસ્તકોએ મારું ઘડતર કર્યું હતું.’ ઇન્દિરાની અંગત લાઇબ્રેરીમાં પણ આવાં ઘણાં પુસ્તકો હતાં, એમાં એક બ્રિટિશ ચિત્રકાર ઇ. જે. ડેટમોલ્ડનું ‘ધ બુક ઑફ બેબી બર્ડ્સ’ હતું. એમાં પહેલા પાને નહેરુના હસ્તાક્ષર અને તારીખ-5-12-29, કલકત્તા હતી. એક પુસ્તક ફ્રેન્ચમાં પતંગિયા ઉપર હતું. બીજું માછલીઓ ઉપર હતું. અર્જેન્ટિનિયન પ્રકૃતિવિદ્ વિલિયમ હેન્રી હડસનની આત્મકથા હતી તો છોડવાનો કુદરતી ઇતિહાસ ‘ફ્લાવરિંગ અર્થ’ હતો.
ઇન્દિરાનાં સખી અને હસ્તકળાને પ્રોત્સાહન આપનાર પુપુલ જયકરને એમણે એકવાર કહ્યું હતું, ‘મને ફૂલો કરતાં વૃક્ષો વધુ પસંદ હતાં. મને બચપણથી જ વૃક્ષો જીવન-દાતા લાગતાં હતાં. મને વૃક્ષ ઉપર ચઢવાનું, એમાં છુપાઈ જવાનું ગમતું. મેં એમાં જગ્યા બનાવી હતી, જ્યાં હું મારી ચોપડીઓ લઇને બેસી જતી. હું જ્યારે પૂણેમાં ભણવા ગઈ ત્યારે પણ ગમતાં વૃક્ષ ઉપર ચઢી જતી હતી. નીચે લોકો બૂમો પાડતા, ‘પેલી ક્યાં ગઇ?’ અને હું ઉપર જ બેસી રહેતી.’ ડિપ્લોમેટ અને વિદેશ સચિવ જગત મહેતાએ નહેરુ-ગાંધીના ખૂલી હવાના પ્રેમનો એક કિસ્સો કહ્યો છે. 1958માં 67 વર્ષના નહેરુ અને 41 વર્ષનાં ઇન્દિરાએ 15000 ફૂટની ઊંચાઇએ નાથુલા પાસથી પારો સુધી પાંચ દિવસ 105 કિલોમીટર ચાલીને ભુતાન સુધી એક ડિપ્લોમેટિક મિશનની આગેવાની લીધી હતી. આજના જે લીડરો ભારતની બરબાદી માટે નહેરુ-ગાંધીનાં નામનાં છાજિયાં કૂટે છે, એ લીડરો જો જંગલ-પહાડના રસ્તે ચાલીને વિદેશ યાત્રા કરે તો એમના શરીર, સ્વભાવ અને દુનિયાદારીમાં પણ ચાર ચાંદ લાગશે.
તા.ક. જયરામ રમેશના પુસ્તકનું વિમોચન થયું તે પ્રસંગે ઉપસ્થિત પ્રખ્યાત પર્વતારોહી મનમોહનસિંહ કોહલીએ કહ્યું કે એક વાર ઇન્દિરાએ એમને કહ્યું હતું, ‘પ્લીઝ, મને પહાડોની બેટી કહીને બોલાવો’.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 23 જુલાઈ 2017
![]()



આ મતલબની વાત હરિયાણાના બલ્લભગઢના ટૅક્સીવાળા જલાલ્લુદ્દિન ખાને કરી હતી. તેમના સોળ વર્ષના દીકરા જુનૈદને 22 જૂનના ગુરુવારે રેલવેના ડબ્બામાં લિન્ચ કર્યો. જુનૈદ દિલ્હીથી ઇદની ખરીદી કરીને ઘરે જઈ રહ્યો હતો. તેની સાથે તેના બે ભાઈઓ પણ હતા. સીટના મામલે મામૂલી બોલચાલથી શરૂ થયેલી વાત જુનૈદના ‘ગદ્દાર’ અને ‘ગાયનું માંસ ખાનારા’ હોવા સુધી પહોંચી. ટોળાંએ કેટલોક સમય તેમને માર્યા અને પછી છૂરીઓ ઘોંચી.
આજનો વિષય જે પ્રશ્ન રૂપે મુકાયો છે, તેનો ઉત્તર એક માર્મિક વાક્યમાં અપાયેલો છે. પ્રશ્ન છે : આર્થિક પ્રવાહો વિશેની આગાહી કેટલી ભરોસાપાત્ર હોય છે? ઉત્તર છે : આર્થિક આગાહીઓ એક જ કાર્ય કરે છે – તે જ્યોતિષશાસ્ત્ર આદરપાત્ર બનાવે છે. આમાં રહેલો વ્યંગ સ્પષ્ટ છે. આર્થિક આગાહીઓ ખોટી પડવાની બાબતમાં જ્યોતિષશાસ્ત્રને સારું દેખાડે છે, મતલબ કે આર્થિક આગાહીઓ જ્યોતિષશાસ્ત્રની આગાહીઓ જેટલી પણ સાચી પડતી નથી. પણ અર્થશાસ્ત્રીઓ જોશીઓથી એક બાબતમાં જુદા પડે છે. અર્થશાસ્ત્રીઓ એમની ખોટી પડેલી આગાહીઓની ચર્ચા કરે છે. વિશ્વબૅંક ઘણાં વર્ષોથી વાર્ષિક ધોરણે ‘વર્લ્ડ ડેવેલપમેન્ટ રિપોર્ટ’ પ્રગટ કરે છે. એક રિપોર્ટમાં તેણે પોતાની ખોટી પડેલી આગાહીઓની યાદી, તરત નજરે ચડે એ રીતે બૉક્સમાં પ્રગટ કરી હતી. જોશીઓ પોતાની સફળતા જ યાદ રાખતા હોવાથી પોતાની ભૂલોનું વિશ્લેષણ કરવાનો પ્રશ્ન તેમના માટે ઊભો થતો નથી. અર્થશાસ્ત્રીઓ પોતાની ભૂલો યાદ રાખે છે, કારણ કે એમાંથી એ શીખવા માગે છે.
પણ આ બધામાં એક અપવાદરૂપ અર્થશાસ્ત્રી હતા તે હતા બી.આર. શિનોય. (૩-૬-૧૯૦૫ • ૮-૨-૧૯૭૮) તેઓ મુક્તબજારની નીતિના પ્રખર હિમાયતી હતા. ૧૯૫૯-૬૧નાં વર્ષોમાં હું એમનો વિદ્યાર્થી હતો. ત્યારે પણ તે મુક્તબજારની નીતિની ચર્ચા વર્ગમાં કરતા અને જર્મનીના નાણાપ્રધાન લુડવીગ એરહાર્ડ દ્વારા મૂળ જર્મનમાં લખાયેલું પણ અંગ્રેજીમાં અનુદિત થઈને ૧૯૫૮માં પ્રગટ થયેલુ ંપુસ્તક ‘સ્પર્ધા દ્વારા સમૃદ્ધિ’ (Prosperity through Competition) વાંચવાની ભલામણ કરતા. એમની વાત એ વખતે કોઈએ ન સાંભળેલી તો પણ તેમને જે નીતિ ભારત માટે યોગ્ય લાગી, તેનો જાપ જપતા રહ્યા.
આના સંદર્ભમાં એક હકીકત નોંધવા જેવી છે. રાજ્યવાદ અને આર્થિક આયોજનના પ્રખર વિરોધી શિનોયને પંચવર્ષીય યોજના માટેની અર્થશાસ્ત્રીઓની પૅનલમાં સ્થાન આપવામાં આવ્યું હતું! નેહરુયુગમાં વૈચારિક મતભેદો પરત્વે જે સહિષ્ણુતા પ્રવર્તતી હતી, તેનું આ એક ઉદાહરણ છે. પણ આઈ. જી. પટેલે તેમનાં સંસ્મરણોમાં નોંધ્યું છે તેમ, પૅનલમાંના અર્થશાસ્ત્રીઓ તેમને સહેજે ગંભીરતાથી લેતા ન હતા. તેઓ તેમના વિચારોને હસી કાઢતા હતા. પણ ૧૯૯૧માં દેશે મુક્ત બજારની નીતિ અપનાવી, ત્યારે શિનોય સાચા સાબિત થયા. એ હયાત હોત તો તેમને સંતોષ થયો હોત. ૧૯૯૧માં અપનાવવામાં આવેલી નવી નીતિના અમલથી દેશમાં સધાયેલી આર્થિક બહુમતીએ જેની તરફેણ કરી હતી, તે રાજ્યવાદી આર્થિક આયોજનની નીતિનાં જે કંગાળ પરિણામો આવ્યાં, તેનાથી પણ આપણે પરિચિત છીએ.
બીજી બાજુ સત્તાવાર કહી શકાય એવો મત હતો, જે કદાચ બહુમતી અર્થશાસ્ત્રીઓનો પણ મત હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ સિસ્ટમના અધ્યક્ષપદે ૧૮ વર્ષ રહેલા ગ્રીનસ્પાને ભારપૂર્વક કહેલું કે અમેરિકા મકાનોના ભાવોના ફુગ્ગાથી પીડાઈ રહ્યું નથી. ઑક્ટોબર ૨૦૦૪માં એમણે એવી દલીલ કરી હતી કે મકાનોમાં સટ્ટાને અવકાશ નથી. એ દલીલમાં એ અભિપ્રેત હતું કે સટ્ટાખોરીથી જ ફુગ્ગો (‘બબલ’) આવી શકે. જૂન ૨૦૦૫માં તેમણે ફરીથી રાષ્ટ્રીયસ્તરે મકાનોના ભાવમાં બબલની શક્યતા નકારી કાઢી હતી, કેમ કે મકાનો માટેનું બજાર સ્થાનિક હોય છે.
પણ ગ્રીનસ્પાન અને તેમની નીતિની સફળતાના આ સમૂહગાનમાં ભારતીય અર્થશાસ્ત્રી રઘુરામ રાજને સૂર ન પુરાવ્યો. તેમણે અનિયંત્રિત નાણાકીય સંસ્થાઓ વચ્ચે વધેલી સ્પર્ધાએ બૅંકો માટે ઊભાં કરેલાં જોખમોનો નિર્દેશ કર્યો : જે પ્રથા વિકસી છે તેમાં બૅંકો પાસે રહેલી સંપત્તિ(એસેટ્સ)ની કિંમતો ઘટી જવાનું કે બૅંકો પાસે રહેલાં નાણાં ઘટી જવાનું મોટું જોખમ ઊભું થયું છે. તેમણે બીજાં જોખમોનો પણ ઉલ્લેખ કર્યો. દા.ત. બૅંકોના મેનેજરોને નફાના આધાર પર બોનસ અપાયા છે. આ પ્રથામાં મેનેેજરો જેમાંથી વધારે વળતર મળે છે એવાં જોખમી ધિરાણો વધુ પ્રમાણમાં આપવા પ્રેરાય છે. તેમણે એ પણ કહ્યું કે શેરબજારમાં આવતા આંચકાની તુલનામાં નાણાકીય સંસ્થાઓને લાગતો આંચકો અર્થતંત્ર માટે વધારે જોખમી છે.