કુશળ અભિયાનમાં નરેન્દ્ર મોદીને આંબવા મુશ્કેલ છે. નોટબંધી વખતે કે હરકોઈ ચૂંટણી વખતે હીરાબા/ કૅમેરા અને મોદીનો ખેલ અચૂક પડેલો આપણે જોયો છે. જેનાથી આપણામાંના ઘણાંને થાય કે હાકલા-પડકારા કરનારાઓ જેવો જ માત્ર આ જણ નથી, એમનામાં ઋજુ હૃદય પણ વસે છે! જો કે, એમની આવી મુલાકાત હીરાબા પૂરતી સીમિત હોય છે. જશોદાબહેનને એ આવા કોઈ ટાણે મળ્યાં હોવાનું યાદ નથી; છતાં માને નમતાં દીકરાને જોઈને ભારતીય સ્ત્રીઓનું હૃદય ગદ્ગદિત થઈ જાય એમાં બે મત નથી.
પરંતુ હકીકતમાં, મોદીજીનો માતૃપ્રેમ કેવો છે તે જોઈએ. માનનીય મોદીજી સત્તામાં આવ્યા પૂર્વે ગર્ભવતી મહિલાઓ માટે એક યોજના હતી. ‘માતૃત્વ લાભ યોજના’ આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને બે હપ્તામાં રૂ. ૬,૦૦૦/- મળતા હતા. પહેલો હપ્તો મહિલા ગર્ભ ધારણ કર્યા બાદ રજિસ્ટ્રેશન કરાવે ત્યારે મળતો હતો, બીજો હપ્તો બાળકનો જન્મ થાય ત્યારે મળે.
મોદીજીએ સત્તામાં આવતાવેંત જોયું કે ગર્ભવતી સ્ત્રીઓને મળતી આ રકમ જરા વધુ પડતી છે. તેથી એમણે એમાં એક હજાર ઘટાડી ૫,૦૦૦/- રૂપિયા કરી દીધા. આ છે મોદીજીનો વાસ્તવિક માતૃપ્રેમ! દેશની કરોડો મા માટેની એમની લાગણી! હજુ માત્ર હજાર રૂપિયા ઘટાડવાથી એ ન અટક્યા, તેઓએ બે હપ્તાના સ્થાને ત્રણ હપ્તામાં ૫,૦૦૦/- મળે તેવી વ્યવસ્થા કરી! હુજ પોતાની નામ જોડ્યા વિના ચાલે શી રીતે? ‘માતૃત્વ લાભ યોજના’નું નામ, યોગીજીની રીતેભાતે બદલવામાં આવ્યું. એનું નવું નામ બનાવવામાં આવ્યું ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’!
૧૫ જાન્યુઆરી ૨૦૧૮ના ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં આવેલ સમાચાર મુજબ આ યોજનાના નવીનીકરણના કારણે સરકારી મંત્રણામાં યોજના ફસાઈ જવાથી એક વર્ષમાં કેવળ બે ટકા લાભાર્થીઓને જ આનો લાભ મળ્યો! એક આર.ટી.આઈ.ના જવાબમાં સરકારે જણાવ્યું કે ૩૦ નવેમ્બર, ૨૦૧૮ સુધીમાં કુલ ૧૮,૮૨,૭૦૮ લાભાર્થીઓને ૧,૬૫૫ કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા. ખરી મજા તો હવેના આંકડામાં છે. નવીનીકરણની આ તઘલગીતુક્કા જેવી યોજનાનું ખોટવાવું સરકારી કારણોમાં હતું, પરંતુ લાભાર્થીઓ લાભ નથી લેતાં તેથી ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ની જાહેરાત, અલબત્ત સાહેબશ્રીના ફોટોગ્રાફ સાથે કરવામાં આવી એ જાહેરાતનો ખર્ચ ૬,૯૬૬/- કરોડનો છે! ૧,૬૫૫ કરોડની સહાયતા માટે જાહેરાત ૬,૯૬૬ કરોડની! એટલે જ રા’ફલેની જેમ કહેવાયું છે ‘મોદી હૈ, તો મુમકિન હૈ’!
રાજ્યવાર પ્રાપ્ત થતાં આંકડાઓ પણ આટલાં જ દુઃખદ છતાં રમૂજી છે. ઓરિસ્સામાં નવેમ્બર, ૨૦૧૮ સુધીમાં કેવળ પાંચ લાભાર્થીઓએ આ લાભ લીધો! એટલે કે કેવળ ૨૫,૦૦૦/- રૂપિયા જ! પરંતુ એની વિતરણની પ્રશાસનીય પ્રક્રિયામાં ૨૭૪ કરોડ રૂપિયા ખર્યાયા હતા! આમાં ગેરવહીવટ હશે કે ભ્રષ્ટાચાર એ તો કરનારાં જાણે.
આ આંકડાઓ, અને આવા અનેક આંકડાઓને ઉજાગર કરતું પુસ્તક ત્રણ માથાફરેલ વ્યક્તિઓએ તૈયાર કર્યું છે. પુસ્તકનું નામ છે. ‘વાદા-ફરામોશી’. સંજય બસુ, નીરજકુમાર અને શશિ શેખરે આ પુસ્તક તૈયાર કર્યું છે. સરકારી કામરાજ વિશે એમણે સેંકડો આર.ટી.આઈ. કરી અને એમાં મળેલ જવાબોને અહીં સંકલિત કરવામાં આવ્યાં છે. સરકારી જવાબોમાં સરકાર કેવી જુદાં જુદાં સ્તરે, જુદી જુદી યોજનામાં દેવાળું ફૂંકી રહી છે એનાં અહીં પુરાવા છે.
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 06
![]()


માર્ચ ૨૦૧૯ના ‘અભિદૃષ્ટિ’માં આચાર્ય એમ.કે. પટેલનો માહિતીપ્રદ લેખ ‘ડૉ. પી.જી. પટેલ’ વાંચ્યો. આમાંથી ફલિત થતા એક મુદ્દા વિશે લેખકને મેં પત્ર લખ્યો છે. મુદ્દો સમગ્ર શિક્ષણ જગતને તથા ગુજરાતી ભાષાના ગૌરવને સ્પર્શતો હોઈ જાહેરમાં મૂકવો આવશ્યક બને છે.
મહાભારતના કથાવસ્તુથી પરિચિત દરેક વ્યક્તિને ભગવદ્ ગીતા વાંચતી વખતે એક પ્રશ્ન અચૂક થતો હશે કે મહાભારતમાં ગીતા જેવી છે એવી શા માટે? મહાભારતમાં જે કથા અને ઉપકથાઓ છે એમાં ચિક્કાર રાજકારણ છે. ઉર્દૂ શાયર નિદા ફાઝલી કહે છે એમ મહાભારતના એક એક પાત્રની અંદર હજાર માણસ વસતા હોય છે. માણસના દિમાગની સંકુલતા તાગ ન મળે એવી છે. મહાભારતની મુખ્ય કથા ઉપ-કથાઓના સહારે ચાલે છે અને ઉપ-કથાના મુખ્ય કથા સાથે છેડા મળતા રહે છે. કમાલની ગૂંથણી છે અને એટલે તો મહાભારત નામનું મહાકાવ્ય વિશ્વસાહિત્યમાં સર્વોચ્ચ સ્થાને છે.
ના, ભગવદ્ ગીતા મહાભારતમાં પ્રક્ષેપણ એટલે કે પાછળથી કોઈએ ઉમેરણ કર્યું હોય એમ નથી લાગતું. ભગવદ્ ગીતા કૃષ્ણના મોઢે મહાભારતના રચયિતા વ્યાસે સંભળાવી છે અને તેની પાછળ હેતુ છે. ગીતા વ્યાસની જરૂરિયાત છે. મહાભારતમાં વ્યાસ ધર્મ અને અધર્મ (સ્વભાવ અથવા ફરજના અર્થમાં) સાથે કામ પાડે છે અને સોનીના ત્રાજવાની જેમ નાનકડો એક ગ્રામ જેટલો પણ અધર્મ કઈ રીતે ફળ આપ્યા વિના રહેતો નથી એ બતાવવાનું વ્યાસ ચુકતા નથી. કથા અને ઉપ-કથાઓમાં ધર્મ-અધર્મનું આટલું ઝીણું વણાટકામ કર્યા પછી પણ વ્યાસને શંકા થઈ હોવી જોઈએ કે વાચક આખું મહાભારત વાંચી લીધા પછી પણ ધર્મ-અધર્મ વચ્ચે વિવેક કરી શકશે ખરો? વાસનાઓ અને પૂર્વગ્રહોથી મુક્ત થવું બહુ અઘરું છે. તેમણે પોતે જ માણસની વિવેક કરવાની અ-ક્ષમતા વિષે કહ્યું છે: ऊर्ध्वबाहु र्विरौम्यैष न च कश्चित् शृणोति मे । અર્થાત્ હાથ ઊંચા કરી કરીને કહું છું, પણ મારું કોઈ સાંભળતું નથી. ગાંધીજી પણ તેમની જિંદગીનાં છેલ્લાં બે વરસમાં આમ જ કહેતા હતા : ‘મારું કોઈ સાંભળતું નથી.’ વ્યાસ અને ગાંધીજીની એક સરખી નિસબત હતી; વિવેક. જ્યારે આસક્તિ અને દ્વેષના પડળો આંખ પર ચડી જાય છે ત્યારે વિવેકનો ખો નીકળે છે. એટલે તો ગાંધીજીએ તેમના ગીતા પરના ભાષ્યને ‘અનાસક્તિ યોગ’ કહ્યું છે.