ઊભી બજારે
રોળાતું એ સ્ત્રી ધન
અહીં તહીં
આસપાસ ચોપાસ
અનેક રાતોની રાતોમાં
વેરાય છે, ઢોળાય છે, વલોવાય છે,
ને પરંપરામાં ખોવાય છે
ત્યારે બસ – ત્યારે
ટૂંકી પડતી મારી આ
કલમ ટુંકાય છે અને
વ્યથા કથાઓમાં જ્યારે
વિસ્તરાય છે જીવનકથા
એમની – ત્યારે
સંવેદના –
બૂમ પાડતી પાડતી
મને ગળે વળગી પડી
કહે છે બસ કરો
બસ કરો રે, કલમઘસુઓ
હવે લખવાનું બંધ કરો
કારણ કે હું અહીં નથી
ક્યારે ય પણ હું ક્યાં ય ન હતી,
મરી ચૂકી છું
નામશેષ થઇ ચૂકી છું
બુઠ્ઠી બની ચૂકી છું
ધાર વગરની હા બિલકુલ ધાર વગરની
અને એટલે જ
મારું નામ
બદલાયું છે હવે
નિ:સંવેદના-
એક મરેલી
હા એક મરેલી
કઠણ કાળજાની
જાડી ચામડીની બની
ચૂકી છું અને એટલે જ
પેલી સ્ત્રી ઊભી બજારે
સતત રોળાય છે
ઢોળાય છે નિરંતર અવિરત
અને ખોવાય છે હા એ
અબળા તેની પરંપરામાં – વર્ષોથી ખોવાય છે
બસ, પરંપરામાં યથાવત.
તા. ૪-૩-૨૦૧૫
e.mail : koza7024@gmail.com
![]()


યોગાનુયોગ એવો છે કે અમેરિકામાં અને ભારતનાં બિહાર રાજ્યમાં એક જ સમયે ચૂંટણી યોજાઈ અને જે પરિણામ આવ્યાં એ લગભગ સમાન છે. સમાન કઈ રીતે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
અય મેરે વતન કે લોગોં જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની જેવી અમર રચનાના સુવિખ્યાત કવિ પ્રદીપજીના નામથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ એમનાં ધર્મપત્ની ભદ્રા પ્રદીપ, જે હંમેશાં એમનો જીવનાધાર અને પ્રેરણાસ્રોત રહ્યાં છે, એમના વિશે આપણને ઓછી જાણકારી છે. પાંચમી નવેમ્બરે એમનું શતાબ્દી વર્ષ શરૂ થયું એ નિમિત્તે પ્રદીપ દંપતીનાં કલાકાર અને કલાશિક્ષક પુત્રી મિતુલ પ્રદીપ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પ્રદીપજીએ એક સુંદર ગુજરાતી ગીત ગાયું છે. ૧૯૬૩માં રજૂ થયેલી ફિલ્મ ‘જીવણો જુગારી’માં આ ગીત લેવાયું હતું જેના શબ્દો હતા ; તારી જીવન ગાડી ચાલી રે, પ્રાણી કિયે રે મુકામે…! આ ગીતના ગીતકાર-સંગીતકાર હતા નિનુ મઝુમદાર. નિનુભાઈનો જન્મદિવસ નવમી નવેમ્બરે જ ગયો. એમાં પ્રદીપજીએ ગાયેલું આ ગીત મળ્યું એટલે વિચાર આવ્યો કે ‘હૈયાને દરબાર’માં આ ગીતની નોંધ લેવાવી જ જોઈએ. ગૂગલ સર્ચ કરીને ગીત સાંભળ્યું તો પ્રદીપજીનો એ જ મધુર અવાજ સાંભળવા મળ્યો જે આપણે આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી, ‘પિંજરે કે પંછી રે, દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ…’ જેવાં અમર ગીતોમાં સાંભળ્યો હતો.