આ કોરોનાકાળમાં કેટલાક બોધ અને ઉપદેશની વાતો કે કથાઓ આપોઆપ સરજાય છે. એક બોધકથા મને આ મળી છે — રમૂજી છે ને રમૂજના હેતુથી કોઈને પણ કહી શકાય એવી છે :
એક માણસે લગભગ ૮ માસ લગી રોજ્જે લગભગ દરેકના FB પર જઈને like કર્યું. કોઈએ એને પૂછ્યું : તેં ભલા, like કરવા કોઈ જણને ભાડે રાખ્યો છે? : તો વ્યંગને ખડખડાટ હસીને એણે દબાવી દીધો, પણ ‘હા' કહ્યું. તે FB પરનાં likes-નો, એટલે કે, લોકમતનો, ચમત્કાર થયો.
ચમત્કાર એ કે એ માણસ માણસમાંથી કશેક પ્રમુખ બની ગયો !

Picture Courtesy: Logopond
હવે, જુદું એ બનવા માડ્યું છે કે ટ્રમ્પના તેમ જ ટ્રમ્પે કરેલા લોકશાહીના હાલ-બેહાલ જોઈને કેટલાક પ્રમુખ સ્વપત્નીની સલાહથી ચૂંટણી વગેરેની જંજાળમાંથી છૂટીને, ઘરભેગા થવા લાગ્યા છે.
પણ કોઈ કોઈ હજી યે પેલાની જેમ FB પર જઈને સૌ કોઈના મિત્ર થવા નીકળ્યા છે. પણ એ જ તર્ક અનુસાર શાસ્ત્રકારોને સમજાઈ રહ્યું છે કે એ કોઈ કોઈના મે'લ કરવત મોચીના મોચી જેવા બહુ બૂરા હાલ થવાના …
ભલે. પણ આમ, માણસ અને પ્રમુખ – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, સિલેક્શન ઍન્ડ ઇલેક્શન – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, સ્વમત, પર મત – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, માય વૉઇસ, માય વોટ – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, ડૅમેગોગી ઍન્ડ ડૅમોક્રસી – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, હું-શાહી અને લોકશાહી – એ ચક્ર ચાલ્યા કરે છે.
અને, આમ, નિત્શેનું eternal recurring-માં માનવું સાચું ને સાચું પડ્યા કરે છે.
આમાંથી બોધ તે શું વળી? દરેકે પોતાના ગજા પ્રમાણે કે જીવનની જરૂરતે કરીને જેટલો સારવી લેવો હોય એટલો સારવી લેવો. કેમ કે કોરોના-કોવિડને કોઈની પડી નથી, કેમ કે એ પણ કશાક અણજાણ પણ eternal recurring-નો જ આવિષ્કાર છે …
= = =
(January 6, 2021: USA)
![]()


ખાસ આભાર.
મારી નાડ તમારે હાથ … પ્રાર્થના ઘણા કલાકારોએ ગાઈ છે, પરંતુ આજે વાત કરવી છે વરિષ્ઠ ગાયિકા આદરણીય પૌરવી દેસાઈની. એમના કંઠે આ પ્રાર્થના નિખરી ઊઠી છે. પૌરવીબહેને ઘણી ભક્તિ રચનાઓ, સુગમ સંગીત તેમ જ રંગભૂમિનાં ગીતો-ગરબા ગાયાં છે. શાસ્ત્રીય સંગીતમાં ‘સંગીત અલંકાર’ થયેલાં પૌરવીબહેન કહે છે, "નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ, જે લગ્ન પછી વધારે સમૃદ્ધ થયું. દર શુક્રવારે પાંચ ભજન ગાવાનો અમારો નિયમ હતો. એ રીતે ભક્તિ ગીતો નાનપણથી જ કંઠસ્થ હતાં. મારી નાડ … ખૂબ ભાવસભર પ્રાર્થના છે. રાજકોટમાં પુષ્પા છાયા નામે રેડિયો સિંગર હતાં એમની પાસે પહેલી વાર હું આ ભક્તિગીત શીખી હતી. ગ્રેજ્યુએશન મેં જૂનાગઢમાં કર્યું અને માસ્ટર્સ ડિગ્રી મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી મેળવી. ૨૨ વર્ષની વયથી જ રેડિયો પર ગાવાનું શરૂ કરી દીધું હતું, જે ૭૫ વર્ષની વય સુધી ગાયું.
ગાંધી-વિનોબાના વિચારોથી રંગાયેલા અને નાનાલાલ વોરા તથા માવજીભાઈ વેદના હાથ નીચે ઘડાયેલા એવા મણિભાઈ સંઘવીએ પોતાના ગ્રામ સ્વરાજનાં સપનાંઓને સાકાર કરવા, આ વિસ્તારના વંચિતોને પગભર કરવા તથા ગ્રામ સ્વરાજની અનુભૂતિ કરાવવા સર્વોદય યોજના દ્વારા ૧૯૭૯માં અહીં વિવિધ કામોનો શુભારંભ કર્યો. ધીમે ધીમે પછી તો પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો રહ્યો. શિક્ષણ, પર્યાવરણસુરક્ષા, આરોગ્ય સુરક્ષા, લોક સંગઠનો દ્વારા લોકશક્તિ નિર્માણ કરવી, કુદરતી અને માનવસર્જિત આફતો વખતે અસરકારક કામગીરી કરવી તથા અનેકવિધ સેવાકીય કાર્યો કરવા એ સંસ્થાનું મુખ્ય પ્રવૃત્તિપુષ્પ બની રહ્યુ.


પણ આ સઘળી પ્રવૃત્તિઓ અને કાર્યોના યશના ખરા ભાગીદાર છે સંસ્થાના કર્મઠ કાર્યકરો, મદદરૂપ થતી અનેક નામી-અનામી સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટો અને મૂક રહીને દાન આપનાર આપ જેવાં સૌ સ્નેહી દાતાઓ. જેની પાસે દાન સિવાય કોઈ આવકનો સ્રોત નથી, કે નથી કોઈ કોર્પસ ફંડ ને તેમ છતાં આપ સૌ જેવા કેટલાં ય સ્વજનોના હૂંફાળા પ્રતિસાદથી આ સંસ્થાની પ્રવૃત્તિ આજ પર્યંત ચાલી છે એ આપ સૌની સદ્દ પ્રવૃત્તિઓ પરની શ્રદ્ધા સૂચવી જાય છે. કહે છે કે સઘળાં સારાં કામ હરિના છે, કુદરત આપણને હરિના હાથા બનાવે ને આવા હરિના કામ કર્યા કરીએ …