ન પરણવાના ફાયદા
1. ડબલબેડનો ખર્ચો થતો નથી.
2. રોટલી બળતી નથી ને ડબલરોટીથી ચાલી જાય છે.
3. થિએટરમાં આખી ફિલ્મ જોવાય છે.
4 . સ્વતંત્રતા, સ્વાવલંબન અકબંધ રહે છે.
5. કોઈ કચરાપોતાં કરાવતું નથી.
6. સાળી, સાડી ને માળી ઘરમાં ઘૂસતાં નથી.
7. પૂરો સમય નોકરી થઈ શકે છે.
8. ઉજાગરા ઘટે છે એટલે વહેલાં ઊઠી જવાય છે.
9. વર-દાન, કન્યા-દાન ન રહેતાં ના-દાન રહે છે.
10. જાન નીકળતી નથી એટલે જાન બચે છે.
11. પાર્ટી પ્લોટ, રિસેપ્શન ને બૂફેથી બચાય છે.
12. છૂટાછેડાનો ભય રહેતો નથી.
13. સ્કૂટરની પાછલી સીટ કોઈને પણ માટે ખાલી રહે છે.
14. 'જૂઠ બોલે કૌઆ કાટે' સિલેબસની બહાર રહે છે.
15. કોઈ મોબાઈલ જોઈ લેશે એવો ભય રહેતો નથી.
16.. એડમિશન એ જ મિશન – એવું રહેતું નથી.
17. છેવટે કૈં હોતું નથી કે 'વિલ' કરવું પડે.
18 . કોણ, કોની સાથે કેવી વાત કરે છે એવી ચિંતા રહેતી નથી.
19. બીજી વાર લગ્નની તક રહે છે, કારણ પહેલીવાર કર્યાં નથી.
20. ગમે ત્યાંથી વાસણ આવવાની બીક લાગતી નથી.
21. અડધું અંગ હોતું નથી એટલે લકવો પણ અડધો જ થાય છે.
22. ઘરનું ખાવાથી તબિયત બગડતી નથી.
23. ઘરમાં જ સેફટી અને સેઇફ 'ટી' મળી રહે છે.
0
પરણવાના ફાયદા
1. ડબલબેડ સાસરેથી આવતો હોય છે.
2. ફૂલકાંથી ફૂલીને ફાળકા થઈ જવાય છે.
3. થિયેટરમાં શું જોયું એ યાદ જ આવતું નથી.
4. એકલપેટો જ સ્વતંત્ર, બાકી વિના સહકાર નહીં ઉદ્ધાર !
5. વાસણ ધોવાં કરતાં કચરાપોતાં કરવાં સહેલાં છે.
6. ઘર'વાળી' 'કાઢીએ' તો સાળી પણ અડધું ઘર'વાળી' કાઢે.
7. 'ઘરવાળી જ પૂરા સમયની હોય તો નોકરીનું કામ ખરું?
8. ઉજાગરા થતા હોય તો ઊઠી જવાનો ભય નથી રહેતો.
9. વરદાન, કન્યાદાનનો લાભ મળતાં ખાનદાન વિકસે છે.
10. જાન નીકળે છે તો 'જાન' આવે પણ છે.
11. પાર્ટી પ્લોટ જ બીજા ઘણા પ્લોટનું નિમિત્ત બને છે.
12. છેડા છૂટવાના ભયે છેડા ગાંઠવાના ય નહીં?
13. સ્કૂટરની સીટ પર એક પણ ન બેસે તે કરતાં એક તો બેસે !
14. જૂઠ બોલે કૌઆ હવે કાટતા નથી, ખાટે છે.
15. મોબાઈલ બીજું જોતું નથી, બીજાનું પણ કોઈ જોઈ લેને !
16. એડમિશનનું મિશન ન રહે તો બેડમિશનનું રહેશે.
17. વ્હેર ધેરીઝ એ 'વિલ' ધેરીઝ એ વે.
18. ખોટો રૂપિયો પાછો જ આવે. એની ચિંતા ન કરવી.
19. પહેલાં લગ્ન જ સાહસ છે, બીજાં દુસ્સાહસ !
20. ગમે ત્યાંથી આવે, વાસણ ખખડયાં વગર રહેતું નથી.
000
e.mail : ravindra21111946@gmail.com
(બુધવારની 'સંદેશ'ની કોલમ)
![]()


जमीयत उलेमा-ए-हिंद के एक धड़े के अध्यक्ष और भारतीय मुसलमानों की सशक्त व विवेकसम्मत आवाज़ मौलाना महमूद मदनी साहब से मैं कहना चाहता हूं कि अभी-अभी देवबंद में की गई आपकी तक़रीर न देश के हित में थी, न मुसलमानों के और न विवेक के. क्रोध और असहायता मनुष्य को इस कदर कमजोर कर देती है कि वह खुद खुद को संभाल नहीं पाता है. ऐसा ही उस रोज मदनी साहब के साथ भी हुआ.
આમ તો લગ્ન એક વ્યવસ્થા છે. એમાં લગ્નોત્સુક સ્ત્રીપુરુષો ધાર્મિક વિધિથી કે કોર્ટ પદ્ધતિથી લગ્નગ્રંથિથી જોડાય છે ને પતિપત્ની તરીકે રહેવાનું-જીવવાનું શરૂ કરે છે. એટલે લગ્નમાં સૌથી પ્રથમ જોડાય છે વર અને કન્યા. ઉંમર લાયક વર અને કન્યા લગ્ન માટે રાજી હોય તે પહેલી જરૂરિયાત છે. આ રાજીપામાં વર અને કન્યાનું કુટુંબ પણ જોડાય છે તો લગ્નવિધિ કુટુંબની સંમતિથી સંપન્ન થાય છે. જો કોઈ એકનું કુટુંબ રાજી ન હોય તો પણ લગ્ન શક્ય છે ને કોઈ કુટુંબ રાજી ન હોય તો પણ વરકન્યા લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે. ટૂંકમાં, લગ્ન માટે પહેલી જરૂર છે વર અને કન્યાની. વર કે કન્યાનું કુટુંબ આમાં ન જોડાય તો પરણનારાંઓએ શરૂઆતમાં કુટુંબની ખફગી વહોરવી પડે છે. પછી એવું બને છે કે વિરોધ નરમ પડે છે ને કુટુંબો નજીક આવે છે, તો એવું પણ બને છે કે છેવટ સુધી કોઈ કુટુંબો નજીક નથી જ આવી શકતાં. કહેવાનું એ છે કે લગ્ન માટે વરકન્યા રાજી હોય એ પહેલી જરૂરિયાત છે ને એ પછી કુટુંબી જનોનો સાથ જરૂરી થઈ પડે છે. લગ્નથી વરકન્યા તો નજીક આવે જ છે, પણ બે કુટુંબો ને ક્યાંક તો બે સમાજ પણ નજીક આવે છે. જ્ઞાતિમાં લગ્નો હજી થાય છે, પણ જ્ઞાતિ બહાર પણ લગ્નોનું પ્રમાણ વધ્યું જ છે. એવું પણ છે કે ધર્મો જુદા હોય તે પણ લગ્ન કરે છે. એવા સમાજ પણ ક્યારેક નજીક આવ્યા છે. એટલે લગ્નમાં ભલે શરૂઆતમાં બે વિજાતીય વ્યક્તિઓ અનિવાર્ય હોય, પણ પછી કુટુંબો, સમાજ ને ધર્મ પણ એમાં સંડોવાય છે. આવાં લગ્નો કુટુંબો ગોઠવતાં હોય તો એ પ્રેમલગ્નો પણ હોઈ શકે છે, એમાં બીજું બધું પછી ઉમેરાય છે, પણ ત્યાં સર્વ પ્રથમ જરૂરી બને છે પ્રેમ. આમાં લગ્ન પછી છે ને પ્રેમ પહેલાં છે. એવું પણ બને છે કે પ્રેમ, લગ્ન સુધી ન પહોંચે. કુટુંબ કે સમાજ કોઈક કારણે લગ્ન માટે રાજી નથી જ થતાં. એ પ્રેમીઓના હાથમાં છે કે બધું બાજુએ મૂકીને પરણવું અથવા કુટુંબ કે સમાજને રાજી રાખવા પ્રેમનું બલિદાન આપવું. પ્રેમ લગ્ન સિવાય એરેન્જ્ડ મેરેજ પણ કુટુંબો કરાવે છે.