લખતા લખતા આંખેથી ટપક્યું બિંદુ,
શ્વેત સરોવર કાગળનું આવક ઊભું.
ધ્રુસક્તાં ચશ્માં મૌનમાં મઢેલા હીરા,
ઝરમર વાદળ્યું વરસી ગયું સ્પર્શનું.
શબ્દોને સ્પર્શુ જો વાય રહી છે લૂ.
પથ્થરોથી સખત આ શાહીનું ટીપું,
વાયરા લખતા નથી કાગળ ઉપર,
યુગોયુગ અવાજની-શબ્દ હું ઘૂંટું.
ખાલીપણા વચ્ચે કાગળની વાવ,
એક સુરંગ પાથરી હું સિંચુ સિંધુ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


ફેઈક એન્કાઉન્ટર શા માટે થાય છે? સત્તાના વિચાર સાથે સહમત ન થાય તેનો કાંટો કાઢવામાં આવે છે, અને કાંટો કાઢનારને ફેઈક એન્કાઉન્ટરમાં ગોળી મારી પુરાવાનો નાશ કરવામાં આવે છે. ગુજરાતમાં પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાના હત્યારાને ફેઈક એન્કાઉન્ટરમાં કાયમ માટે ચૂપ કરવામાં આવેલ ! તુલસી પ્રજાપતિનું ફેઈક એન્કાઉન્ટર એટલે થયું કે તે સૌહરાબુદ્દીનના ફેઈક એન્કાઉન્ટરનું રહસ્ય જાણતો હતો, એટલે પુરાવાનો નાશ કરવાની જરૂર લાગી હતી. ફેઈક એન્કાઉન્ટરથી પોલીસ અધિકારીઓ અને મુખ્ય મંત્રી 56 ઈંચની છાતીવાળા બની જાય છે ! ફેઈક એન્કાઉન્ટર પોલીસને, વાહવાહી અને વીરતા ચંદ્રક / રાષ્ટ્રપતિ ચંદ્રક અપાવે છે. સત્તા પક્ષ પોતાની નબળાઈઓ છૂપાવવા અને લોકોનો ગુસ્સો શાંત કરવા ફેઈક એન્કાઉન્ટર કરાવે છે !
એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં જોગાનુજોગ બે વાનાં એક સાથે બની આવ્યાં : અશોક વાજપેયી સુરેશ જોષી વ્યાખ્યાન સારુ વડોદરે હોવાના હતા અને વિષય પણ સોજ્જો એટલે કે એકદમ એકદમ સમસામયિક ચર્ચવાના હતા – લેખક ઔર સ્વતંત્રતા. ચિત્ત પણ રામ અમલમાં રાતુંમાતું હતું; કેમ કે કોરાના સહિતનાં કારણો ને પરિબળો સર કંઈક સ્થગિતવત્ પરિષદપ્રવૃત્તિ વર્ષા અડાલજા સાથેની મનહર મનભર સાંજની વાંસોવાંસ હવે નવઉઘાડને ઉંબરે હતી. એવામાં વડોદરા વ્યાખ્યાનના પૂર્વપ્રભાતે અશ્વિની બાપટની મુખપોથીમાં જોઉં છું તો સાર્ત્રનો નિબંધ પરચમની પેઠે લહેરાઈ રહ્યો છે, લેખકની જવાબદારી.