સાહિત્યકારને ઇનામો કોણ આપી શકે? કોની પાસેથી ઇનામો સ્વીકારવાં? એ વાત સહુએ ઘણી ખીલે બાંધવા જેવી લાગે છે.
મહાવીરસ્વામીનું જીવનચરિત્ર લખવા માટે પૈસાદાર જૈન કોમે મોટાં ઇનામની લાલચ આપી છે. ‘જૈન’ પત્ર પૂછે છે : ‘આવી લાલચોથી મહાન પુરુષોની ભાવનાઓને મહત્તાપૂર્વક રજૂ કરતું પુસ્તક તૈયાર થઈ શકે કે? પૈસાની લાલચથી નહીં, પણ અંતરની તાલાવેલીથી જ મહાન સર્જનો થઈ શકે.’
ગુજરાત પાસે રણજિતરામ સુવર્ણચંદ્રક છે, તે પછી મહિડા ચંદ્રક થયો. સુરતવાસીઓએ નર્મદચંદ્રકની યોજના કરી. છેલ્લે ‘કુમાર’ માસિકમાં વર્ષ દરમિયાન અનુકૂળ લેખો લખનારને માટે કુમારચંદ્રક યોજાયો છે.
એક વાત સરૂપ ચંદ્રકો પરત્વે કહેવા જેવી છે. મુદ્દો આ છે, કે ચંદ્રકની પ્રતિષ્ઠાને આપણે કેવી રીતે આંકીએ તો સારું? ચંદ્રક એની વિરલતાએ કરીને વધુ શોભે કે વિપુલતાએ? ધારો કે આ રીતે વધુ સામયિકો ચંદ્રકદાન આપતાં બની જાય. સંસ્થાઓ પોતપોતાના ચંદ્રકો કાઢવા માંડે, વ્યક્તિઓ પણ એ મારગે ચાલવા લાગે તો? વર્ષે સોએક રૂપિયાના ખર્ચે ચંદ્રકદાતા તરીકેની નામના ખાટવાનો હિસાબ મૂકનારા વધી નહીં પડે?
ચંદ્રક તો એક ગૌરવચિહ્ન છે. ચંદ્રકોની સંખ્યા વધારવાથી સાહિત્યની ગતિ વધારી શકાય એવું લાગતું નથી. પાંચ-સાતને બદલે એકાદ-બે જ ચંદ્રકો હોય, અને એના વડે વિભૂષિત બનનાર વ્યક્તિનું નામ પડતાં અનેક હૃદયો એ કક્ષાએ પહોંચવાની આકાંક્ષાએ સ્પંદાયમાન બની રહે, સમસ્ત ‘પ્રજાને મન એ ચંદ્રકાર્યણવિધિ મહાપર્વ બની રહે, એવા કોઈ આદર્શ પર આપણે ચંદ્રકને આસન આપીએ તો ઠીક નહીં?’
કોઈ પણ સાહિત્યકારની સાહિત્યસેવા જો જન્મમહોત્સવની અધિકારી હોય, તો પછી હજાર-પંદરસો માણસોની વચ્ચે એની ક્ષણિક ‘પ્રસ્તુિતના અર્થહીન જલસાથી સંતોષ લેવો એ હાંસી છે. એની કૃતિઓ જ ગુજરાતનાં ઘરોઘરમાં સંઘરાતી જાય તેવી ભાવના પ્રસરવી ઘટે છે. એનાં પુસ્તકોની કલાવંત આવૃત્તિ સસ્તેભાવે વેચવી ઘટે છે. કવિ બોટાદકરની અજરામર જયંતી તે એનાં પુસ્તકોનો અવિરત ઝુકાવ છે. સાહિત્યકારની કૃતિઓનો કલા રમ્ય અને સસ્તો પ્રચાર એટલે જ એની સાચી જયંતી.’’
જયંતીઓ, સુવર્ણમહોત્સવો એ સાહિત્યકારો, કલાકારો કે શિક્ષણકારોનાં જીવનના થાક ઉતારવા માટે ને તેમનામાં શુભેચ્છકોની સહાનુભૂતિનું નવું બળ રેડી એમના પગને પ્રોત્સાહિત કરવા માટે જરૂરનાં બને છે. શુભચિંતકોનું મંડળ જો સમણું હશે, તો આવા ઉત્સવોની મર્યાદાનું પાલન કરવામાં જ પોતાના સન્માનપત્રનું રૂપ સમજશે. અતિશયતા જેવી બીજી એકેય હાંસી નથી.
પારિતોષિકો, ચંદ્રકો આપવાનો અધિકાર ફક્ત વિદ્યાપીઠોને અથવા લોકમાન્ય સાહિત્યસંસ્થાઓને જ હોઈ શકે. સાહિત્યકારને જો સ્વમાન જેવી કોઈ ભાવના હોય, તો તેઓએ ઇતર પ્રવૃત્તિ ઇનામી પ્રથાઓનો વિરોધ કરવો જોઈએ. એમાં સાહિત્યનું અપમાન રહેલું છે.
(‘પરિભ્રમણ : નવસંસ્કરણ, ખંડ-૧’માંથી સંકલિત કરનાર મહેન્દ્ર મેઘાણી)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 17
![]()


હસમુખભાઈ સાથેની મારી ઓળખાણ ભરત નાટ્યપીઠમાં જ.ઠા.ને કારણે થયેલી. ભરત નાટ્યપીઠ સંસ્થા ત્યારે પૂરબહારમાં હતી. ત્યાં હું જતો આવતો હતો. એક મિટિંગમાં જ.ઠા.એ હસમુખભાઈનો મને પરિચય કરાવ્યો. ત્યારે હું એમનાથી ખાસ પ્રભાવતિ થયો ન હતો. પણ એ મિટિંગમાં મેં એમની દલીલો સાંભળી. તે વેળાએ ચોક્કસ જ પ્રભાવિત થયો હતો. ગુજરાતમાં નાટક છે એવો એમનો વિશ્વાસ, એ સામેની ખોટી કાગારોળો, નટ અને પ્રેક્ષકો વચ્ચે દેખાતો દંભી સંબંધ, કુશળ ડાયરેક્ટર એટલે શું વગેરે અંગેની એમની દલીલો, આક્રોશો ઇત્યાદિ કોઈને પણ પ્રભાવિત કરે એવા હતા. પછી તો પરિચય ઉત્તરોત્તર વધતો ગયો. એક દિવસ મેં જ.ઠા. સમક્ષ હસમુખભાઈનાં વખાણ કર્યા. એમની દલીલોને બિરદાવી. ત્યારે જ.ઠા.એ હસતાં હસતાં કહ્યું : બારાડીને પાછા રશિયા મોકલી દેવાના છે.
“ … હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” − ગાંધીજીનું આ વાક્ય પહેલે જ પાને મુકાયું છે; અરે, આરંભથી આવૃત્તિઓમાં ય મુકાતું રહ્યું છે. અહીં તો ગાંધીજીને આ સંવર્ધિત આવૃત્તિ અર્પણ પણ થઈ છે. લખાણ આમ છે : ‘જેમની ઉજ્જવળ પ્રવૃત્તિથી ભાષાનું તેજ પ્રગટ્યું છે અને જેમની પ્રેરણાથી આ કોશ તૈયાર થયો છે, તે પૂજ્ય ગાંધીજીને ચરણે આ કોશ અર્પણ કરીએ છીએ.’
વિમોચનના પ્રાસંગિક પ્રવચનમાં ચંદ્રકાંત શેઠે કોશની કામગીરી દરમિયાન પડેલી મુશ્કેલીમાં સારા પ્રૂફરીડર મળતા ન હોવાની ફરિયાદ કરીને પ્રૂફરીડરોને સારું વળતર આપવું જોઈએ એવી અપીલ કરી. શેઠસાહેબ પ્રત્યે ભારોભાર આદર છે ને એમની ફરિયાદ પણ સોળ અાની સાચી છે. પણ સારા પ્રૂફરીડર મળતા કેમ નથી? આ જાતિ લુપ્ત કેમ થઈ ને કોણે કરી? વગેરે કારણો વધુ મહત્ત્વનાં છે.








































