સૌ પ્રથમ એ આવ્યા સામ્યવાદીઓ માટે,
અને હું ચૂપ રહ્યો,
કારણ કે હું સામ્યવાદી નહોતો.
પછી એ આવ્યા સમાજવાદીઓ માટે,
અને હું ચૂપ રહ્યો,
કારણ કે હું સમાજવાદી નહોતો.
પછી એ લોકો આવ્યા મજૂર સંગઠનવાળા માટે,
અને હું ચૂપ રહ્યો,
કારણ કે હું ક્યાં મજૂર સંગઠનવાળો હતો?
પછી એ યહૂદીઓ માટે આવ્યા
અને હું ચૂપ રહ્યો,
કારણ કે હું યહૂદી નહોતો.
પછી એ લોકો મારા માટે આવ્યા
ને ત્યારે
મારા માટે બોલનારું
કોઇ નહોતું રહ્યું.
[પાદરી માર્ટિન નિમૉલરની આ એક પ્રખ્યાત કવિતાના અંગ્રેજી પાઠનો ગુજરાતી અનુવાદ : નંદિતા મુનિ]
•

પશ્ચિમ જર્મનીના લિપસ્ટડ ગામે, 14 જાન્યુઆરી 1892ના જન્મેલા, પાદરી માર્ટિન નિમૉલર આ લખાણ માટે જાણીતા છે, પરંતુ તેમનું વ્યક્તિત્વ હંમેશાં વિવાદસ્પદ રહ્યું છે. આરંભે તે યહૂદી વિરોધી ભાવના ધરાવતા નાઝીવાદના ટેકેદાર હતા. પરંતુ ઈસાઈ દેવળોને નાઝીઓના અંકુશમાં લાવવા બાબતનાં પગલાંની વિરુદ્ધ બોલવા સારુ તેમને રાજકીય છાવણીમાં બંદીવાન બનાવી દેવાયા બાદ, તેમની આ વિચારધારામાં મોટો બદલાવ આવી ગયો. લાંબા ગાળા માટે તેમને બંદીવાન રખાયા હતા, અને પછી તે નાઝી શાસન વિરોધી બળના સાંકેતિક પ્રતીક બની ગયા. બીજા વિશ્વયુદ્ધ બાદ તેમણે ઠેરઠેર વિશ્વપ્રવાસ ખેડેલો તેમ જ પોતાના નાઝીવાદ હેઠળના જર્મન અનુભવો અંગે ભાષણો તેમણે સર્વત્ર કર્યા હતા. ફ્રેન્કફર્ટ વિસ્તારના એક નાના ગામમાં, 06 માર્ચ 1984ના 92 વર્ષની વયે તેમનો દેહાન્ત થયો હતો.
e.mail.vipoolkalyani.opinion@btinternet.com
![]()



પહેલો મુદ્દો એ કે આબોહવામાં થતા ફેરફારો અને તેને કારણે માણસ જાત જ માત્ર નહીં પણ આખી સૃષ્ટિ વિનાશના આરે આવી ઊભી છે અને એ હવે ભય નથી પણ હકીકત છે એ સાચી વાત છે. કુદરતે માનવીની જરૂરિયાતો માટે પૂરતી સામગ્રી આપી છે પણ તેના લોભને પહોંચી વળે તેટલા સંસાધનો નથી, એમ મેં કહેલું તે વીસમી સદીમાં. તમે રહ્યા 21મી સદીમાં જીવતા લોકો. મને પૂછો, કે સો એક વરસ પહેલાં એકવીસમી સદીના અઢી દાયકા વીત્યે દુનિયાની આવી હાલત થશે, એની મને કેવી રીતે જાણ હતી? તો હું તો એટલું કહું કે ભાઈ, મને માનવ જીવનને ખંડમાં નહીં, એક આખા એકમ તરીકે જોવાની આદત; અને તેમાં પણ આજનો વિચાર કરીને સંતોષ ન માનું. વળી આજની આપણી જીવન રીતિની દાયકાઓ, કહોને કે સૈકાઓ પછી તમામ જીવસૃષ્ટિ પર શું અસર થશે એ વિચારવાની ટેવ એટલે મેં એમ કહેલું. હવે, તેને અનુસરવાનું તમ સહુ ઉપર છોડીને હું તો મુક્ત થઈ ગયો!
દીધો છે કે એને પગલે ચાલો છો એટલે આઝાદી ટાણે 35 કરોડ જનસંખ્યા હતી તે તમારા કહેવા મુજબ વધીને 1.24 કરોડ થઈ ગઈ છે એને ખાલી પેટ ભરવા પણ બીજી સાત ધરતી જોઈશે તેનો વિચાર કાં ન કરવો? ‘હિન્દ સ્વરાજ’માં લખેલી વાતોની પુષ્ટિ મને તો ત્યારે થયેલી, જો 21મી સદીમાં એ પુરવાર કરતી ન લાગે તો જરૂર તેને એક બાજુ મૂકી દેજો, પણ ઉપભોક્તા વાદના દુષ્ટ, વિનાશક પરિણામો ટાળવા બીજો વધુ અસરકારક મારગ શોધજો, ન લાધે તો મારી વાત ધ્યાનમાં લેજો.