ગામ છોડી નગર નગર રઝળે;
વેઠિયા બસ લઘરલઘર રઝળે.
આંગળી છૂટતા ગઈ છૂટી,
એક માતા ડગર ડગર રઝળે!
કોઈને કોઈની પડી છે ક્યાં?
જિંદગી જિંદગી વગર રઝળે.
ઘર જો હોતે તો એ ય ઘરમાં હોત,
ઘરવિહોણા જે હાડ-ઘર રઝળે.
બારણું કોઈ તો ખૂલે ‘બેદિલ’,
ચાર રસ્તે સતત નજર રઝળે.
(પાર્થમાં ગણના તમારી, પ્રતિબદ્ધ કવિતાસંગ્રહ, પ્રકાશ્ય)
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 મે 2020
![]()



ભાવનગર અને વડોદરામાં અભ્યાસ દરમિયાન સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેવો, ટૂંકા સમય માટે જેલવાસ પણ ભોગવવો જેવા અનુભવોથી ઘડાયેલા તે પેઢીનાં કુંદનિકાબહેન આજની પેઢી કરતાં ય ઘણું આગળનું વિચારતા. તેમણે મુંબઇ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સનો અભ્યાસ પણ કર્યો. ‘નવનીત'નાં સંપાદનનું સુકાન તેમણે 1962થી 1980 અને તે પહેલાં ‘યાત્રિક’નું સંપાદન 1955થી 1957 સુધી સંભાળ્યું હતું.