હું એક ગર્ભશ્રીમંત
કુટુંબનું એકનું એક બાળક છું –
હું કંઇક સમજણો થયો
ત્યારથી મને એક પ્રશ્ન
મૂંઝવે છે તેનો જવાબ
તમે આપી શકો તો જરૂર આપજો –
આમ તો, મારા પપ્પા
અને મમ્મી બહુ જ કામમાં
રહે છે એટલે જ ક્યારે ય
આ પ્રશ્ન તેમને પૂછતો નથી –
નાહકના તેમના વ્યસ્ત
જીવનમાં ખલેલ પહોંચેને!
પપ્પા ધંધામાં એવા વ્યસ્ત છે કે
તેમની ઝાકમઝાળ અને
રંગીન દાસ્તાનને વધુ
રંગીન બનાવવામાં આખા
ભારતમાં તેમ જ વિદેશમાં
ઊડ્યા કરે છે –
કોઇવાર તેમની સામેના ઢગલાબંધ
મોબાઇલ ફોનમાં વાત સંભળાય
જાય કે પપ્પા કાલે મદ્રાસ હતા અને
આજે પાછા દિલ્હી જશે –
મમ્મી કીટી પાર્ટી અને ક્લબોના થોકબંધ
કાર્યક્રમમાં બહુ વ્યસ્ત હોઇને
બહુ મોડાં ઘરે પાછાં
આવે ત્યારે
હું લગભગ સૂઇ ગયો હોઉં
પણ બીજે દિવસે તેમને દૂરથી જોઇ લઉં છું !
કારણ કે તેઓ પણ ઢગલાબંધ
સેલ ફોનમાં વાતો કરતાં
ગળાડૂબ કામમાં હોય એટલે
મારે કાંઇ તેમને બોલાવાય ?
હા, મારી કાળજી પેલા
સુધાબે’ન જરૂર રાખે કે જેઓ
મારા જન્મની સાથે જ
વર્ષોથી મારી સંભાળ રાખતા આવ્યાં છે
આમ તો તેમને આયાનું
કામ સોંપેલું છે પણ હું કોઇવાર
ભૂલથી – સહજ રીતે તેમને મમ્મી
કહી બોલાવું છું તો
ગુસ્સે થતાં નથી –
અને ટપલી મારીને
હસી લે છે -!
અમારા બંગલાની બાજુમાં
એક ખૂણે પગી રણછોડ અંકલ
રહે છે –
તેમનો દીકરો દશરથ
મારી સાથે કોઇવાર
છાનોમાનો રમી લે ત્યારે
મને ખૂબ જ મજા પડે છે –
દશરથને તેનાં પપ્પા મમ્મી
દરરોજ રાત્રે તેમના
ખાટલા પર સાથે સુવડાવે છે
ત્યારે હું આવો ખાટલો શોધું છું
જ્યાં મારી મમ્મી મારી સાથે
સૂતી હોય !
પપ્પાની વાત જવા દો તે તો બહુ
કામમાં હોય તેમની આશા ન રખાય
પણ મમ્મી કોઇવાર
મળે ત્યારે આખો દિવસ હું બહુ
આનંદમાં રહું છું –
રણછોડ અંકલ અમારા બંગલામાં
આવેલા બગીચાનું સારસંભાળનું અને
માવજત કરવાનું
છોડવા ઊગાડવાનું અને પાણી પાવાનું કામ વર્ષોથી
કરતાં આવ્યા છે –
હું તેમને એકી ટસે –
બગીચાની તેમની સારસંભાળ પર
હરહંમેશાં જોયા કરું છું,
બગીચામાં કામ કરતા
છોડવાને પાણી પાતા
માવજત કરતા
રણછોડ અંકલને નિહાળી
મનોમન પૂછી લઉં છું કે
આ રણછોડ અંકલ જેમ બગીચામાં
ફૂલઝાડ ઊગાડવા પાણી
છાંટીને વૃક્ષોને ઊગાડવા
મહેનત કરે છે તેવી મહેનત
અને સંભાળ મારા બાળપણની
આ સાત વર્ષની ઉંમરે –
ઉછેર નામનું પાણી પાવાની જરૂર છે
તેમ મારી મમ્મી પપ્પાને
કોણ સમજાવશે ?
આ વાતનો
મારી વ્યથાનો – મૂંઝવણનો
કોઇ જવાબ આપશો મને ?
તા. ૨૮-૪-૨૦૧૦
e.mail : koza7024@gmail.com
![]()



દેશમાં બેકારીનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. એમ કહી શકાય કે દેશમાં રોજગારીનો દુકાળ પ્રવર્તે છે. આ સ્થિતિમાં પોતાના પ્રદેશમાં રોજગારીની પૂરતી તકો સર્જવામાં નિષ્ફળ નીવડેલી રાજ્ય સરકારોએ ટૂંકો માર્ગ અપનાવ્યો છે. તેમણે પોતાના રાજ્યમાં સર્જાતી રોજગારીનો મોટો હિસ્સો રાજ્યના નાગરિકો માટે અનામત રાખવાનો કાયદો કર્યો છે. હરિયાણામાં ખાનગી ક્ષેત્રમાં સર્જાતી રોજગારીના ૭૫ ટકા રોજગારી હરિયાણાના નાગરિકો માટે અનામત રાખતો કાયદો ગયા વર્ષે કરવામાં આવ્યો હતો. તેલંગણામાં કુશળતા માગતી રોજગારીના ૬૦ ટકા અને અન્ય રોજગારીમાં ૮૦ ટકા રોજગારી સ્થાનિકોને આપવાનો નિયમ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં જે ઉત્પાદન એકમોને રાજય સરકારની સબસિડી મળતી હોય તેવા ૮૦ ટકા રોજગારી સ્થાનિક નાગરિકો માટે અનામત રાખવાની હોય છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીએ તમામ સરકારી નોકરીઓ સ્થાનિકો માટે અનામત રાખતો કાયદો તાજેતરમાં કર્યો છે.