ચાલો અમેરિકા … કેટલાક બનાવો (2)
યૅલ વખતે હું અને રશ્મીતા હૅમ્ડન, કનેટિકટમાં ડૉ. પ્રવીણભાઇ ભટ્ટને ત્યાં રહેલાં. પ્રવીણભાઈ તે આપણા જાણીતા કેળવણીવિદ નાનાભાઇ ભટ્ટના દીકરા. પ્રવીણભાઈ વૅક્સિનના મોટા રીસર્ચર ને યૅલમાં જ પ્રૉફેસર.
હું યુનિવર્સિટીથી એમના ઘરે પાછો ફરું ત્યારે ડાઇનિન્ગ ટેબલ પર પ્રવીણભાઈ મારી રાહ તો જોતા જ હોય પણ મને પૂછવાના નાનામોટા પ્રશ્નોનું એમણે કાગળ પર ટાંચણ કરી રાખ્યું હોય – વળી, નાનું ટેપરૅકર્ડર ગોઠવી રાખ્યું હોય. જમતાં જમતાં અને જમ્યા પછી પણ અમારી પ્રશ્નોત્તરી ચાલે. બધું રૅકર્ડ થાય.
શેને વિશે પૂછતા? એ જ બધું – ગુજરાત ઇન્ડિયા પોલિટિક્સ નેતાઓ કેળવણી સાહિત્ય સંસ્કૃતિ સમાજ. અમારા એ પ્રશ્નોત્તરી-કાર્યક્રમો મને બિલકુલ યાદ છે. હૅમ્ડનની પ્ર-શાન્ત શેરીઓ, કોઇ અણજાણ પંખીની તીણી ચપ્ઝચપ્ઝ, ઘરમાં ચોપાસ વિજ્ઞાનીય અસબાબ. એ વચ્ચે પ્રવીણભાઇ મને એક મોટા ગજાના સજાગ વિચારક વરતાયેલા.
એમણે તેમ જ મધુસૂદન કાપડિયાએ અને કિશોર દેસાઇએ મારી ઘણી સભાઓનાં આયોજન કરેલાં. એ સભાઓ વિશે ક્યારેક વિસ્તારથી વાત કરીશ.
એક સભા ઍલ.એ.માં ડૉ. વિક્રમ કામદારના નિવાસસ્થાને થયેલી. મને વિક્રમભાઇએ આગ્રહ કરીને ‘પ્રૉબ્લેમ ઑફ મીનિન્ગ’ વિશે બોલવા કહેલું. એ ઘરેલુ સભામાં બેઠેલી વિવિધ વિદ્યાશાખાની વ્યક્તિઓએ પણ સૂર પુરાવેલો કે હા, મીનિન્ગનો પ્રૉબ્લેમ તો એમને પણ છે, સતત નડે છે. સભાને અન્તે રિવાજ મુજબની ખાણીપીણી હતી. પછી બધાં વિખેરાઇ ગયેલાં. વિક્રમભાઇનાં બા સૂવા માટે એમના રૂમમાં ચાલી ગયેલાં પણ વિક્રમભાઇ અને તેમનાં પત્ની ડૉ. અંજના તેમ જ અમે બન્ને બે વાગ્યા લગી જાતભાતની બૌદ્ધિક વાતોએ ચડી ગયેલાં.
વિક્રમભાઇ કહે – અહીં અમેરિકામાં અમે ‘સ્પિરિચ્યુઅલ સ્ટાર્વેશન' અનુભવીએ છીએ. એ નાજુક મુદ્દાની ચર્ચા પછી અમે કામચલાઉ સમાધાન પર આવેલા કે એવી ભૂખ કદી પણ મટતી નથી પણ એનું હોવું એ તો ઘણી મોટી વાત છે.
પછી અમે સ્યાદ્વાદની – પરહૅપ્સિઝમની – વાતો પણ કરેલી.
બીજી દિવસે નીકળવાનું હતું. હું અમારી બૅગ ખસેડતો’તો. એમની ગવર્નેસ જોયા કરતી’તી. મેં જ્યારે ઇશારો કર્યો ત્યારે હસીને આવી અને મદદ કરવા લાગી. પહેલી વાર સમજાયું કે પશ્ચિમના દેશોમાં માગ્યા પહેલાં મદદ કરવા દોડી જવાનો રિવાજ નથી. સમજાયેલું કે એ રીતે તેઓ આપણા આત્મવિશ્વાસની રક્ષા કરે છે – ભલે ને એમાં તમને અવિનય લાગે, કે તમારી કસોટી થતી લાગે.
એ પછી ૨૦૦૨નું વર્ષ મારા માટે નોંધપાત્ર નીવડ્યું : જૂનમાં હું પ્રૉફેસર અને હેડ પદેથી નિવૃત્ત થયો. તરત પછી બે સુન્દર ઘટનાઓ ઘટી :

University of Pennsylvania
Pic Courtesy : Amazon.com
સપ્ટેમ્બરમાં યુ.જી.સી. દિલ્હીએ મને ‘પ્રૉફેસર-ઇમેરિટસ’-નું નેશનલ લેવલનું બિરુદ આપ્યું. ત્યારે પણ મેં ઉમાશંકરની કાવ્યસૃષ્ટિપરક પદ્યરચના પર કામ કરેલું.
૨૦૦૨ના નવેમ્બરમાં, મને જણાવાયું કે યુનિવર્સિટી ઑફ પૅન્નસીલ્વેનિયામાં રાઇટર-ઇન-રેસિડેન્સ રૂપે મારી પસંદગી થઇ છે.

Writer – in – Residence
Pic Courtesy : Shiksha Study Abroad
મિત્ર બાબુ સુથારને મારી સજજ્તા વિશે પૂછ્યું હશે. મને બાબુએ ફોનથી જાણ કરી ત્યારે મેં એક જ વાત જાણવા માગી કે – મને મારી ગુણવત્તા સબબ બોલાવાયો છે કે કેમ. બાબુએ સૉગંદથી જણાવેલું કે – તમને તમારાં ક્રૅડેન્શ્યલસ જોઈને જ બોલાવ્યા છે. મને સારું લાગેલું. તૈયારી કરવાનો ઉત્સાહ ઉતાવળો થઇ ગયેલો.
સૌ જાણે છે એમ એ બન્ને બિરુદ પશ્ચિમી છે, અમેરિકી છે. એ મને, કપડવણજના પેલા મહત્ત્વાકાંક્ષી અધ્યાપકને, ત્રેસઠ વર્ષની વયે ખાસ્સા વિદ્યાકીય શ્રમ પછી પ્રાપ્ત થયેલાં.
એ બન્ને ઘટનાઓને હું મારી કારકિર્દીની શિરમોર ઘટનાઓ ગણું છું.
= = =
(December 5, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


કોરોનાને દુનિયાએ ચીનથી આયાત કર્યો. આ વાયરસ કુદરતી નથી ને માનવસર્જિત છે, એ પણ હવે જગજાહેર છે. મહાસત્તા બનવા વિશ્વયુદ્ધ ન છેડતાં ચીને કોરોના(હત્યા)કાંડ કર્યો ને આખી દુનિયાને બાનમાં લીધી. જુદા જુદા દેશોમાં પ્રવાસીઓ કોરોના વાયરસના વાહક બન્યા. એ ઘણું બધું શક્ય છે કે ચીને જ વાયરસના વાહકો ફેલાવ્યા હોય. ચીન તેના ઈરાદાઓમાં સફળ થયું ને વગર યુદ્ધે તે દુનિયાની ઈકોનોમી પર પ્રભાવ પાડી શક્યું, એટલું જ નહીં, ચીન સૌથી વધુ ધનિક દેશ તરીકે ઉપર ઊઠયું છે ને અમેરિકાને તેણે પાછળ છોડ્યું છે. અમેરિકા, ચીનનો સૌથી મોટું ટાર્ગેટ હતું. કોરોનાને મામલે અમેરિકા, રશિયા કે અન્ય દેશોમાંથી કોઈ પણ ચીનની જવાબદારી નક્કી કરી શક્યું નથી કે જવાબદારી નક્કી જ ન કરવી હોય તેમ વર્તી રહ્યા છે તે અકળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(W.H.O.-હૂ)ની ભૂમિકા આખા કોરોના કાળ દરમિયાન બહુ જ સંદિગ્ધ રહી છે. કેટલીય વાર તેનાં વિધાનો વિરોધાભાસી રહ્યાં છે. ક્યારેક કોરોનાથી જગતને તેણે ડરાવ્યું છે તો ક્યારેક સાદી ચેતવણીથી પણ ચલાવી લીધું છે. એ જાણે લીલાલહેર હોય તેમ બીજી, ત્રીજી, ચોથી લહેર સુધીનાં ભયસ્થાનો દુનિયાને વિશ્વ આરોગ્ય સંસ્થાએ બતાવ્યાં છે. દુનિયાએ એવું પણ અનુભવ્યું છે કે વૈશ્વિક કક્ષાએ કોઈ એવું છે જે ઇચ્છે છે કે કોરોના દુનિયામાંથી જાય જ નહીં ને તે ભયભીત જ રહે. થોડે થોડે અંતરે પ્રગટ થતા વેરિયન્ટ એ વાતની સાક્ષી પૂરે છે. ડેલ્ટાથી દુનિયા ઠરીઠામ થાય ન થાય ત્યાં ઓમિક્રોન વેરિયન્ટની વધામણી દક્ષિણ આફ્રિકાએ ખાધી છે. ડેલ્ટા કેટલો ખતરનાક છે એનું રટણ ચાલ્યું ને હવે ઓમિક્રોનના મણકા ફેરવાઈ રહ્યા છે.
માણસે તેના પૂરા ઇતિહાસમાં સૌથી મોટી બે કલ્પનાઓ કરી છે; ધર્મ અને પૈસો. બંનેના પાયામાં વિશ્વાસ છે. પૈસાનો જન્મ આપસી વિશ્વાસને નક્કર સ્વરૂપ આપવામાંથી થયો હતો. માણસો એકબીજા સાથે સહકાર અને વિનિમય સાધતા થયા, એટલે વિશ્વાસ કેળવવા માટે પરસ્પર સમજૂતીથી વસ્તુઓનું મૂલ્ય નિશ્ચિત કર્યું. આપણે એ વિશ્વાસના માધ્યમ તરીકે શરૂઆતમાં કોડીઓ વાપરતા હતા અને હવે ક્રિપ્ટો કરન્સી સુધી પહોંચી ગયા છીએ.