કોઈ કહેશે કે
એમણે કોઈ નાનકડી ઓરડીમાં
ત્રણ-ચાર મોટાં માટલાં ને
એક-બે મસમોટી કોઠી રાખીને
પ્રેમથી આખો પ્યાલો ભરીને
ઠંડું પાણી પાતાં ડોશીમાને
ક્યારે જોયાં હતાં?
વળી, કહેશે કોઈ કે
કેડેથી વાંકા વળી ગયેલાં,
કાળો કે વાદળી સાડલો પહેરેલાં,
પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી
પાણી ભરી આપતાં;
પણ કોઈ તોફાની બારકસો આવીને
અડધુંપડધું પાણી પીને,
બાકીનું ઢોળી દે તો
એમને વઢતાં ન અચકાતાં ને
ફરી વાર આવ્યે ઓળખી જાય તો
બા જેવા હેત અને હકથી
"જોઈશે તો બીજી વાર આપીશ
પણ ઢોળતો નહીં છોકરા (કે છોકરી)"
કે એવું જ કંઈક કહેતાં
ડોશીમાને ક્યારે સાંભળ્યાં હતાં?
હું એ ડોશીમાને જોવા ઇચ્છું છું,
એ શીતળ,
કોઠે ટાઢક ને અંતરમાં અમી પૂરતું જળ
પીવા ઝંખું છું —
"યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી."
(‘સુન્દરમ્’ના પુણ્યસ્મરણ સાથે)
૦૧-૦૪-૨૦૨૨
![]()



મનોવિજ્ઞાની કાર્લ યુન્ગે (1875-1961) મનુષ્યવ્યક્તિઓના અ-ચેતનની નિરૂપણા કરેલી – કલેક્ટિવ અન્કૉન્સ્યસ. એક સર્વસામાન્ય સ્વરૂપનું સામુદાયિક અ-ચેતન.
વૉલ્ટર બૅન્જામિને (1892-1940) ૧૯૩૬માં પ્રકાશિત એમના સુખ્યાત પુસ્તક “ધ વર્ક ઑફ આર્ટ ઇન ધી એજ ઑફ મિકેનિકલ રીપ્રોડક્શન”-માં દર્શાવ્યું કે આ યન્ત્રયુગમાં કલાનું કામ શું હોઈ શકે અને તેને કઇ રીતે મૂલવી શકાય. કલાકારોએ અને તેના સમીક્ષકોએ જોવું જોઈશે કે કલા કઇ ઐતિહાસિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહી છે. એમણે કલાના ક્રાન્તિ સરજી આપનારા સામર્થ્યની વાત કરી છે. દર્શાવ્યું છે કે રાજ્યે સરજેલી વાસ્તવિકતાઓ સામે કલા કેવી કેવી ક્રાન્તિકારી માગણીઓ – રીવૉલ્યુશનરી ડીમાન્ડ્સ – મૂકી શકે.
જેમ્સન પોસ્ટમૉડર્ન કલ્ચરમાં ‘ડેપ્થલેસનેસ’ જુએ છે. આજનું કલ્ચર એમને છીછરું લાગ્યું છે. પોસ્ટમૉડર્નિઝમમાં એમણે લેટ કૅપિટાલિઝમનું – ઔદ્યાગિક યુગ પછીના કૅપિટાલિઝમનું – કલ્ચરલ લૉજિક જોયું છે. મૂડીવાદે ઊભા કરેલા પૅંતરાઓથી, એણે રચેલી જુક્તિઓથી, મનુષ્યોની જીવન જીવવાની રીતભાત બદલાઈ ગઈ છે. ખાસ તો એમણે સર્જનાત્મક કૃતિઓની ગર્ભિતે રહેલા રાજકીય પરિમાણને લક્ષમાં લીધાં છે.
‘ધ કાશ્મીર ફાઈલ્સ’ નામની પ્રોપેગેન્ડા ફિલ્મ વિષે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વાચકોને વિચારવા માટે આટલા પ્રશ્નો ઉપસ્થિત થાય છે :